________________
अन्ने हरंति तं वित्तं
૧ ૧૫
પ્રમાણે નાનાં મોટાં બધાં કામ નોકરની જેમ કરી આપવાને ઘણા તૈયાર થઈ જાય છે. એટલે જ “જબ લગ પૈસા ગાંઠમે, તબ લગ લાખો યાર' એવું વ્યવહારુ ડહાપણ પ્રચલિત છે. પંચતંત્રમાં પણ કહ્યું છેઃ
पूज्यते यदपूज्योऽपि यदगम्योऽपि गम्यते ।
वन्द्यते यदवंद्योऽपि सप्रभावो धनस्य च ।। [દુનિયામાં અપૂજ્યની પૂજા થાય છે. મૂર્ખ માણસ પણ ડાહ્યો ગણાય છે અને અવંદનીય પણ વંદનીય મનાય છે. એ બધો ધનનો જ પ્રભાવ છે.]
લક્ષ્મી સ્વભાવ ચંચળ છે. એક ઘરેથી બીજા ઘરે તે ક્યારે ચાલી જશે તે કહી શકાય નહિ. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તો લક્ષ્મી સતત ફરતી રહેવી જોઈએ અને જેટલી વધુ હરેફરે તેટલી પ્રજાની સમૃદ્ધિ વધે. પરંતુ તે નીતિનિયમ મુજબ ફરે તો સાર્થક થાય. અન્યથા તે અનર્થકારી નીવડે.
લક્ષ્મી ક્યારે પોતાને હાથતાળી દઈને ભાગી જશે એ અનિશ્ચિત હોય છે. એટલે જ ધનના અનર્થો ઘણા છે. સ્કૂલ અને સૂક્ષ્મ બંને દૃષ્ટિએ ધન સાથે કેટકેટલાં દૂષણો સંકળાયેલા છે ! શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે:
તેયં હિંસાવૃતં રંગ: મ ોદ: મયો મા, भेतो वैरमविश्वासं संस्पर्द्धा व्यसनापि च । एते पंचदशाना ह्यर्थमूला मता नृणाम् । तस्मादनर्थभर्थाख्यं श्रेयोऽर्थी दरतस्त्यजेत् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org