________________
लोभाविले आययईं अदत्तं
૧૩૭
કોઈ અંત નથી. પોતાની તૃષ્ણાને સંતોષવા નીકળેલો માણસ ક્યારે અયોગ્ય, અધાર્મિક આચરણ કરી બેસશે તે કહી શકાય
નહિ.
સામાન્ય વપરાશની નાની પણ સુંદર, મનોહર વસ્તુઓ, જે સહેલાઈથી ખિસ્સામાં મૂકી શકાય કે વસ્ત્રમાં સંતાડી શકાય તેવી હોય એવી વસ્તુઓ જલદી ઊપડી જતી હોય છે. ફાઉન્ટન પેન, ચખુ, કાતર, પ્રસાધનનાં સાધનો, બૂટ-ચંપલ, છત્રી વગેરેથી માંડીને કીમતી ઘરેણાં, રત્નો જેવી કેટકેટલી નાનીનાની વસ્તુઓની ચોરી થાય છે. એની યાદી કરીએ તો ઘણી લાંબી થાય, દુકાનદારોના અનુભવની એ વાત છે.
મનોહર ચીજ-વસ્તુનું આકર્ષણ મનુષ્યને એટલું બધું હોય છે કે તે મેળવવા માટે તે અનીતિ કરવા માટે લલચાય છે. એમાં પણ દુર્લભ કે અલભ્ય ચીજવસ્તુઓ હોય અને પોતાને તેની જરૂરિયાત હોય અથવા પોતાના શોખની તે વસ્તુ હોય તો તેનું આકર્ષણ વધી જાય છે. ક્યારેક પોતે ત્યાં ગયા હતા એની યાદગીરી (Souvenir) તરીકે કોઈક વસ્તુ ચોરી લેવાનું મન પણ કેટલાકને થાય છે.
દુનિયાભરની પંચતારક અને બીજી મોંઘી હોટેલોમાં ઊતરનારા શ્રીમંત માણસો કઈ કઈ વસ્તુઓની હૉટેલમાંથી ચોરી કરી જાય છે તેની ઘણી વાતો તે હોટલના સંચાલકોને પૂછવાથી જાણવા મળે છે. કેટલાંક વર્ષ પહેલાં, જેટ વિમાનની શોધ થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org