SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ [પડી ગયેલું, ભુલાઈ ગયેલું, નષ્ટ થઈ ગયેલું (અર્થાત્ ચોરાઈ ગયેલું), ઘરમાં રહેલું, ક્યાંક મૂકી રાખેલું એવું પારકું ધન જો અદત્ત હોય તો તે ડાહ્યા માણસે ક્યારેય લેવું નહિ.] પોતાને નહિ આપેલ વસ્તુ લેવાના દોષની બાબતમાં પણ જૈન ધર્મ વધારે ઊંડાણમાં જાય છે. વસ્તુ કોઈકની હોય અને બીજો જ કોઈ માણસ એને પૂછળ્યા-ર્યા વગર તમને આપી દે અને તમને ખબર હોય કે એ વસ્તુ એની નથી, તો તમારાથી એવી રીતે પણ એ ગ્રહણ ન થાય. દત્ત વસ્તુ પણ યોગ્ય રીતે, અધિકારી વ્યક્તિ દ્વારા દત્ત થતી હોય તો જ તે ગ્રહણ થાય. અદત્ત વસ્તુના પણ મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવ્યા છેઃ પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે: सामी-जीवादतं तिथ्ययरेणं तहेव य गुरुहिं । एवमदत्त सरूवं परूवियं आगमधरेहिं ॥ [સ્વામી-અદત્ત, જીવ-અદત્ત, દેવ-અદત્ત તથા ગુરુ-અદત્ત એમ અદત્તાદાન-ચોરીનાં ચાર સ્વરૂપ આગમધર જ્ઞાનીઓએ બતાવ્યાં છે.] લોભ અસંતોષમાંથી જન્મે છે. આસક્તિને કારણે માણસની અસંતોષની વૃત્તિ સદેવ પ્રબળ રહ્યા કરે છે. ભોગોપભોગની વાસનામાંથી આસક્તિ જન્મે છે. મનોહર, આકર્ષક પદાર્થો જોઈને માણસની ભોગોપભોગની વૃત્તિ સતેજ બને છે. ધરાઈને ભોજન લીધા પછી બહુ જ ભાવતી નવી કોઈક વાનગી મળતી હોય તો પણ માણસ તરત ખાવા લલચાય છે. તૃષ્ણાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy