________________
मायने असणपाणस्स
૯૯
વિભિન્ન દેશોની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવનારી રેસ્ટોરાં દુનિયામાં ઉત્તરોત્તર વધુ પ્રચલિત બનવા લાગી છે.
વિવિધ ખાદ્ય પદાર્થોનું વિવિધ ઉષ્ણતામાન સાથે વિવિધ પ્રકારનું સંમિશ્રણ કરીને નવી નવી વાનગીઓ બનાવવા સાથે વિવિધ પ્રકારનાં સાધનોની એવી એવી શોધ થતી રહી છે કે ઓછા સમયમાં ઓછા શ્રમે વ્યવસ્થિત રીતે તૈયાર થયેલી વાનગી માણસો આરોગવા લાગ્યા છે. બાવીસમી સદીમાં તો કોમ્યુટરાઈઝૂડ કિચન આવી જતાં માણસ એક બટન દબાવીને પોતાની મનપસંદ તાજી બનેલી વાનગી પાંચ-પંદર મિનિટમાં મેળવી શકશે.
છેલ્લા થોડા સૈકા દરમિયાન સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક દષ્ટિએ ભોજનની બાબતમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. દુનિયાભરમાં દિવસે દિવસે રેસ્ટોરાં વધતાં ચાલ્યાં છે. એથી માણસની ઘરની બહાર ખાવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. બીજી બાજુ રહેઠાણો શૌચાદિની સગવડવાળાં બનતાં રહ્યાં છે. જૂની પરંપરા પ્રમાણે લોકો ઘરમાં આહાર લે અને શૌચાદિ માટે ઘરની બહાર દૂર સુધી જાય. (‘જંગલે જવું' જેવો રૂઢપ્રયોગ એ દર્શાવે છે.) નવી પરંપરા પ્રમાણે લોકો ખાવા માટે બહાર દૂર દૂર સુધી જાય છે અને શૌચાદિ ઘરમાં કરે. આહાર-વિહારની બાબતમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ આ એક મોટો વિપર્યાસ છે. આહાર-નિહારની એટલી બધી સગવડો થઈ ગઈ છે કે માણસ દિવસોના દિવસો સુધી ઘરે ન આવે અથવા ઘરની બહાર ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org