________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
ચા-કૉફી નહોતાં. વીરવિજયજી, બુટેરાયજી, આત્મારામજી, નર્મદ કે દલપતરામના સમયમાં કોકાકોલા જેવાં પીણાં નહોતાં. છેલ્લા ચાર-પાંચ દાયકામાં તો ખાદ્ય વાનગીઓના ક્ષેત્રે દુનિયાએ મોટી હરણફાળ ભરી છે. રેફ્રિજરેટર, મિક્ષર, ઓવન, માઈક્રોવેવ અને એવાં બધાં ઈલેક્ટ્રિક સ્વયંસંચાલિત સાધનોના પ્રચાર પછી જુદા જુદા ખાદ્ય પદાર્થોના સંમિશ્રણ અને તેના વધતા-ઓછા પ્રમાણ અનુસા૨ અનેક જાતની વાનગીઓ બજારમાં આવી છે. અમેરિકામાં યોગર્ટ (દહીં), આઇસ્ક્રીમ, બિસ્કિટ વગેરે પચાસથી અધિક જાતનાં મળે છે. તે દરેકના સ્વાદ પણ જુદા જુદા. પચાસ કે સો વર્ષ પછી કેવી કેવી નવી વાનગીઓ આવશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
ઝડપી વિમાનવ્યવહારને કારણે જુદા જુદા દેશની પ્રજાઓની અવરજવ૨ વધી ગઈ છે. દરેક પ્રજાની પોતાની ખાદ્ય પદાર્થની એક લાક્ષણિકતા હોય છે. તેની સાથે તેની આત્મીયતા જડાયેલી હોય છે. ઘણા લાંબા દિવસ સુધી પોતાનો રોજનો ખોરાક ન મળ્યો હોય તો માણસ તેને માટે ઝંખે છે. એથી દુનિયાનાં મોટાં મોટાં શહેરોમાં બીજા દેશોની ખાદ્ય વાનગી પીરસતી રેસ્ટોરાંઓ વધતી જાય છે. જાપાનમાં પિત્ઝા ખાનાર, લંડનમાં દાળ-ભાત, રોટલી ખાનાર, અમેરિકામાં જાપાની ટેમ્પરા કે સુકીયાકી ખાનાર, રશિયામાં મેક્સિકન તાકો-બરીતો ખાનાર, કેનેડામાં ઈડલી-ઢોસા ખાનાર, ફિલિપાઇન્સમાં સ્પગેટી ખાનાર માણસોની હવે જરા પણ નવાઈ નથી, કારણ કે
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org