________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
સંજોગો વિપરીત થઈ જાય અને તે આપવાની સ્પષ્ટ ના કહે. લખાણ કે સાક્ષી ન હોય તો તે કબૂલ પણ ન થાય. આવું થાય ત્યારે માણસને ભારે આઘાત લાગે છે. તેમાં પણ જો સ્વજનો ત૨ફથી એવો કડવો અનુભવ થયો હોય ત્યારે તો એ આધાત વધુ વસમો લાગે છે. એમાંથી વે૨ બંધાય છે અને બદલો લેવાના ક્રૂર ભાવો જાગે છે.
પોતાનું ધન હરાઈ જાય એ માટેની પૂર્વ શરત એ છે કે પોતાની પાસે ધન હોવું જોઇએ. વળી, એ ધન હરી જવા માટે બીજાનું મન લલચાય એટલા પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. એ ધન હરી જનાર બીજાઓ તે હરી જવા સમર્થ હોય અને તે ધનનું રક્ષણ કરવા માટે પોતે અસમર્થ કે લાચાર હોય.
પોતાનું ધન સ્વેચ્છાએ કોઈને આપ્યું ન હોય, પણ સંજોગો એવા બને કે તે ધન બીજાના હાથમાં સરી પડે. માણસના વારસદાર કોઈ ન હોય અથવા વારસદારો લખાણમાં ફેરફાર કરી લે એવું બને છે. નિઃસંતાન માણસોના ધન પર ઘણાંની નજર રહે છે. કેટલાકની નજર ક્યારે ને કેવી રીતે એમાં કામ કરી જાય છે એ તો પરિણામ પછી જ સમજાય છે અથવા તે પણ અકળ રહે છે.
૧૧૨
પોતાનું સારી, સાચી રીતે કમાયેલું ધન હરાઈ જવાના કિસ્સા પણ કેટલીય જાતના બને છે. જૂના વખતમાં જમીનમાં દાટેલું ધન જાણભેદુ ચોરો કાઢી જતા. વર્તમાન સમયમાં દુનિયામાં કેટલીયે પેઢીઓ કાચી પડી જાય છે અને કેટલાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org