________________
माणं मद्दवया जिणे ।
श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पंडितो दद्यात् ।। શ્રુત, શીલ અને વિનય માટે દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામમાં વિઘ્નરૂપ એવા માનને કયો ડાહ્યો માણસ મુહૂર્ત માટે પણ અવકાશ આપશે ?
કષાયો જીવને અવશ્ય દુર્ગતિમાં, નીચલી ગતિમાં લઈ જાય છે. ઉત્તરાધ્યનસૂત્રમાં કહ્યું છેઃ
अहे वयन्ति कोहेणं, माणेणं अहमा गइ । माया गइपडिप्वाओ, लोहाओ दुहओ भयं । અર્થાત્ ક્રોધ કરવાથી જીવનું પતન થાય છે, માનથી જીવ અધમ ગતિમાં જાય છે. માયાવી માણસની સદ્ગતિ થતી નથી અને લોભ કરનારને આ લોકમાં અને પરલોકમાં ભય ઉત્પન્ન થાય છે.
૨૨૧
વાચક ઉમાસ્વાતિએ પણ કહ્યું છેઃ
जात्यादि मदोन्मत्तः पिशाचवद् भवति दुःखितश्चेह | जात्यादिहीनतां परभवे च नि:संशय लभते ।
અર્થાત્ જાતિ, કુળ, ધન, રૂપ, એશ્વર્ય વગેરેથી મદોન્મત્ત બનેલા માણસો પિશાચની જેમ દુઃખ પામે છે. વળી પરભવમાં તેઓ હીન ગતિ, નીચી ગતિ મેળવે છે એમાં સંશય નથી.
હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર'માં પણ એમ જ કહ્યું છે: ર્વ कुर्वं મતં પુનસ્તાનિ, દીનાનિ નમતે નરઃ । અર્થાત માણસ જો જાતિ, કુળ, રૂપ, ધન વગેરેનું અભિમાન કરે તો તેવાં કર્મના ફળરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org