________________
अलं बालस्स संगेणं
૧૬૯
કુસંગને કારણે વિષમ ઘટનાઓ નથી બનતી એમ ન કહી શકાય. દુનિયાના બધા જ ધર્મના ક્ષેત્રમાં વત્તેઓછે અંશે સડો તો રહેલો છે. એમાં પણ પહેરવેશથી કે ધર્મક્રિયાથી બહુ ધાર્મિક દેખાતા માણસોનાં હૃદયમાં પણ અધાર્મિક વાસનાઓ ગુપ્ત કે સુષુપ્તપણે પડેલી હોય છે. સરખી સોબત મળી જતાં અનાચાર ચાલુ થાય છે. એવા ક્ષેત્રમાં પણ માણસે સંગત કરતાં પહેલાં સામી વ્યક્તિની પાત્રતાનો વિચાર કરી લેવો જોઈએ અને ઉતાવળે સંબંધ ન બાંધતાં થોડા અનુભવે પરીક્ષા કરીને એ સંગત વધારવી કે નહિ તેનો નિર્ણય કરી લેવો જોઈએ. માણસને જ્યાં એમ લાગે કે બાહ્ય દૃષ્ટિએ પવિત્ર દેખાતી વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોતાનું નૈતિક અધ:પતન જ થવાનું છે, ત્યાં તેણે હિંમતપૂર્વક તેવી સંગત છોડી દેવી જોઇએ.
ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવાની ભાવનાવાળાએ અન્ય વ્યક્તિની ધાર્મિક કે આધ્યાત્મિક પાત્રતાનો વિચાર વધારે સૂક્ષ્મ રીતે કરવાની અપેક્ષા રહે છે. કેટલાક માણસોને તત્ત્વચર્ચામાં ઘણો રસ પડે છે, પરંતુ તેમની વૃત્તિઓ તો પાર્થિવ વિષયોમાં દોડ્યા કરતી હોય છે. એવી વ્યક્તિ સાથેના સંબંધથી તાત્ત્વિક જ્ઞાન કદાચ વધે કે ન વધે તો પણ, તેમના સ્થળ ભૌતિક રસના પ્રભાવને કારણે સંગત કરનારના પોતાનામાં ભૌતિક વાસનાઓ જાગવાનો સંભવ રહે છે. ભોજનની સ્વાદિષ્ટ વાનગીઓ, સુંદર વસ્ત્રપરિધાન, સુખવૈભવનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org