________________
૧૭૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
આકર્ષક સાધનો, સ્ત્રી, ધન વગેરેની સ્થલ કે સૂક્ષ્મ આસક્તિ, કીર્તિ–પ્રસિદ્ધિની લાલસા, લોકો ઉપરનું પ્રભુત્વ, આત્મશ્લાઘા વગેરે પ્રકારનાં લક્ષણો જેનામાં ઠાંસીઠાંસીને ભરેલાં હોય તેવા કહેવાતા મહાત્માઓ ધર્મ કે તત્ત્વજ્ઞાનની ગમે તેટલી મોટી વાતો કરે અને છટાદાર વસ્તૃત્વશક્તિને કારણે અનેક લોકોને આકર્ષે તો પણ તેવા ધર્મનેતાઓના સંસર્ગથી ધાર્મિક લાભ મેળવવાની ભાવનાવાળાને તો સ્થૂલ કે સૂક્ષ્મ પતનના માર્ગે જવાનું જ વિશેષ બને છે. કોઈ વાર એવું પણ બને કે એવા ધર્મનેતા પોતાની આત્મિક શક્તિથી ઘડીકમાં જાગ્રત થઈ, સ્વસ્થ થઈ પોતાની જાતને વધુ પતનના માર્ગે જતાં અટકાવી કે સંભાળી લઈ શકે, પરંતુ એના પ્રભાવમાં આવ્યા પછી પતનના માર્ગે ઘસડાવા લાગેલા સામાન્ય ભક્તોને માટે તેમાંથી નીકળવું અઘરું કે અશક્ય બની જાય છે. એવા કેટલાક ધર્મનેતાઓ પોતે ડૂબતા બચી જાય છે, પરંતુ એને અનુસરનારાંઓ ડૂબી જાય છે. સમર્થ માણસો પોતાનો પ્રમાદ, એટલા જ સામર્થ્યથી, દૂર કરી શકે છે. અસમર્થ માણસોનો પ્રમાદ, તેમને દુર્ગતિ તરફ ઘસડી જાય એવી સંભાવના વિશેષ જોવા મળે છે.
માણસો બાળબુદ્ધિના અજ્ઞાનીઓનો સંગ કરે છે અથવા તેમનાથી એવા અજ્ઞાનીનો સંગ થઈ જાય છે, પરંતુ અપ્રમત્ત માણસો પતનના માર્ગે લઈ જનારા સંગને નિવારે છે. એટલા માટે જ ભગવાને સાધના કરવા ઇચ્છનાર સાધુઓને કહ્યું છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org