________________
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
શકે. સાધકો માટે એ બહુ જરૂરી છે. બ્રહ્મચર્યનું સંનિષ્ઠ પાલન કરનાર માટે એ સવિશેષ ઉપયોગી છે.
કોઈ વ્યક્તિ પોતાના ખાનપાનની માત્રાની બરાબર જાણકાર છે અને એ પ્રમાણે જ આહારાદિ લે છે એની કસોટી કઈ? સામાન્ય નિયમ એવો છે કે પોતાના શરીરનો બાંધો. અને પોતાની શારીરિક પ્રકૃતિ અનુસાર જેઓ યોગ્ય ખોરાક, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં લે છે તેને ક્યારેક માંદા પડવાનો વખત આવતો નથી. પરંતુ આથી પણ ચડિયાતી અને કઠિન કસોટી પણ છે. હિમાલયમાં એક યોગી મહાત્માએ કહ્યું હતું કે માણસ યોગ્ય આહાર લે છે કે કેમ એની કસોટી એના નિહાર (શૌચ) ઉપરથી થઈ શકે છે. માણસની ઉત્તમ નિહારક્રિયા એ કે જે વધુમાં વધુ પાંચ સેકન્ડમાં પતી જાય અને એ માટે એ પાણી, કાગળ કે હાથનો ઉપયોગ ન કરે તો પણ એનું શરીર સ્વચ્છ, શુદ્ધ અને દુર્ગધરહિત હોય. કેટલાયે યોગી મહાત્માઓનાં શરીર આ પ્રકારનાં હોય છે.
ખાનપાનની સામાન્ય જાણકારી ભિન્નભિન્ન કક્ષાના લોકોની ભિન્નભિન્ન દૃષ્ટિબિન્દુથી ભિન્નભિન્ન હોઈ શકે. કોઈ સ્વાદની દષ્ટિએ, કોઈ આરોગ્ય અને તાકાતની દૃષ્ટિએ, કોઈ ઇન્દ્રિયસંયમની દૃષ્ટિએ, કોઈ ધ્યાન અને અધ્યાત્મની દૃષ્ટિએ એનો વિચાર કરી શકે. સામાન્ય માણસો ખાનપાનના જાણકાર હોય, વૈદ ખાનપાનના જાણકાર હોય અને સાધુ-સંન્યાસીઓ જાણકાર હોય એ દરેકમાં ઘણો તફાવત રહેલો છે. જેનો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org