________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કોઈનાં, પોતાના ગુરુનાં સુદ્ધાં, હિતવચન ગમતાં નથી. શ્રોતાભક્તો પાસે ધાર્યું ક૨ાવવાની શક્તિ ખીલતાં આત્મવિશ્વાસ વધે છે, સ્વતંત્ર થવાના વિચારો ચાલે છે, એમ થાય તો નિર્વાહની જવાબદારી ઉઠાવી લેનારા ભક્તો મળી જ આવે છે અને એમ કરતાં કરતાં એક દિવસ સંયમત્યાગનો નિર્ણય લેવાય છે. સાધુ તરીકે પોતે જે જે લોકહિતનું કાર્ય કરે છે તે ગૃહસ્થ તરીકે વધારે સારી રીતે કરી શકશે એવો ભ્રમ પછી સેવાય છે. સૂક્ષ્મ આધ્યાત્મિક સ્વહિતના ભોગે લોકહિતની ભ્રામક પ્રવૃત્તિ થઈ રહી છે એવું ભાન મોહનીય કર્મ પોતાને થવા દેતું નથી અને એક ઉત્તમ જીવ પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે. એમ થવાનું હતું માટે થયું એવી માન્યતાનું પછી સમર્થન કર્યા વગર છૂટકો નથી રહેતો.
સારી વક્તૃત્વશક્તિને લીધે મળતી મોટાઈ ક્યારેક યુવાન મુનિને આત્મવંચના તરફ ધકેલે છે. બહારથી ધર્મની વાત ચાલે, પણ અંતરમાં માયાચાર વધવા લાગે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ લખ્યું છે:
માર્ચ મોટાઇમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટમાલા. નિજ ગણ સંચે, મન નવિ ખેંચે, ગ્રંથ ભણી જન વેંચે; હુંચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી ગુરુ ભગવંતની ઘણી મોટી રહે છે. ગુરુ-પારતંત્ર્ય ઉ૫૨ જૈન ધર્મમાં
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org