________________
૧૧
परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई [પરિગ્રહ વધારનાર વેર વધારે છે]
ભગવાન મહાવીરે કહ્યું છે કે પદિ નિવિટ્ટામાં વેર તેસિ પવર્ડ્સ એટલે કે જે પોતાનો પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાઓનું વે૨ વધારે છે.
સામાન્ય લોકોનો સામાન્ય ખ્યાલ એવો છે કે જેમ માણસ પાસે ધનસંપત્તિ અને સુખસગવડનાં સાધનો વધારે તેમ માણસ વધારે સુખી અને સમાજમાં તેને બહુ માનપાન મળે. સ્થૂલ ઉપલક ભૌતિક દૃષ્ટિએ આ કદાચ સાચું લાગે, પણ પ્રજ્ઞાશીલ વ્યક્તિ સૂક્ષ્મ તત્ત્વદષ્ટિથી વિચારે તો એને અવશ્ય પ્રતીતિ થશે કે પરિગ્રહ એ દુ:ખનું મોટું કારણ છે; અર્થ એ અનર્થનું મૂળ છે.
અપરિગ્રહ તથા પરિગ્રહ-પરિમાણ ઉપર જૈન ધર્મે જેટલો ભાર મૂક્યો છે તેટલો અન્ય કોઈ ધર્મે મૂક્યો નથી. ભગવાન મહાવીરે પંચ મહાવ્રતમાં અપરિગ્રહને એક મહાવ્રત કરીકે યોગ્ય રીતે જ સ્થાન આપ્યું. એમાં શુદ્ધ નિશ્ચયદૃષ્ટિએ ઘણું બધું રહસ્ય રહેલું છે, પરંતુ સામાજિક ને વ્યાવહારિક કક્ષાએ પણ અપરિગ્રહનું મૂલ્ય ઘણું મોટું છે. સાધુ-ભગવંતોએ અપરિગ્રહના મહાવ્રતનું અને ગૃહસ્થોએ ‘પરિગ્રહપરિમાણ’ના અણુવ્રતનું પાલન કરવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org