________________
आतुरा परितावेन्ति [આતુર માણસો પરિતાપ કરાવે છે]. ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એક સ્થળે કહ્યું છે કે ચતુરા પરિતાનિ અર્થાત્ આતુર માણસો બીજાને પરિતાપ કરાવે છે.
હમણાં હમણાં દુનિયામાં ઘણા દેશોમાં રાજદ્વારી અરાજકતાનું કે આતંકવાદી ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે. અચાનક કેટલાય નિર્દોષ માણસો પોતાના પ્રાણ ગુમાવે છે. પોતાના એક ધ્યેયને પાર પાડવા માટે સત્તાતુર માણસો બીજા અનેક નિર્દોષ માણસોનો પ્રાણ લેતાં અચકતા નથી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાલ, કોલંબિયા, લેબનોન, ઇઝરાયેલ વગેરે દેશમાં બનતી હિંસાત્મક ઘટનાઓ આ કથનને પુરવાર કરે છે. ભારતમાં પંજાબ, મીર, આસામ, દિલ્હી, મુંબઈ વગેરે સ્થળે બનતી ભયંકર બોમ્બવિસ્ફોટની ઘટનાઓ બતાવે છે કે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે માણસ ભયંકર હિંસક ઉપાયો અજમાવીને વેરવાળે છે. માણસ માનવતા ગુમાવી દઈને કેટલી બધી નીચી પાશવી પાયરીએ ઊતરી જઈ શકે છે તે આવી ઘટનાઓ દર્શાવે છે. “આતુર” શબ્દના જુદા જુદા અર્થ થાય છે : આતુર એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org