________________
૭૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
(અસત્ય), (૩) અદત્તાદાન (ચોરી), (૪) મૈથુન, (૫) પરિગ્રહ (દ્રવ્યમૂચ્છ), (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) રતિ-અરતિ, (૧૬) પ૨પરિવાદ (પ૨નિદા), (૧૭) માયામૃષાવાદ (માયાકપટયુક્ત અસત્ય), અને (૧૮) મિથ્યાત્વ શલ્ય.
દુનિયાના તમામ પ્રકારનાં પાપોનો આ અઢાર પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. આ દરેક પાપના પેટાપ્રકારો પણ બતાવવામાં આવ્યા છે. વળી, પાપ મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું-એમ પાપના ત્રિવિધ ત્રિવિધ પ્રકાર પણ બતાવ્યા છે.
માણસ પાપ કરતાં તો કરી લે છે, પણ પછી એને છુપાવવાનો પ્રયત્ન કરે છે. કેટલાંક પાપ માણસ બેપરવાઈથી લોકલાનો કે રાજ્યદંડનો ભય રાખ્યા વગર પ્રગટ રીતે કરી લે છે અને એને માટે જે સજા થવાની હોય તે માટે તે મનથી તૈયાર રહે છે. ફાંસીની સજા ભોગવવાની તૈયારી સાથે કેટલાક માણસો ધોળે દહાડે બીજાનાં દેખતાં ખૂન કરે છે. અસત્ય, ચોરી, પરસ્ત્રીગમન જેવાં પાપો માણસ છૂપી રીતે કરે છે. ઇરાદાપૂર્વક પાપ કરવું અથવા અજાણતાં થઈ જવું અને પછી તે છુપાવવું એ સામાન્ય સાધારણ, અજ્ઞાની માણસોનું કુદરતી લક્ષણ છે. પાપનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર રહે છે. કોઈક વડીલ કે ધર્મગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org