________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
ઓછો હતો. જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હોય તે બધાને પોતાના પરિણામથી સંતોષ હોતો નથી. મતલબ કે સરેરાશ દરેકને એમ લાગે છે કે પોતે જો આમ કર્યું હોત તો આમ ન થાત. એટલે કે દરેક વિદ્યાર્થીએ થોડોક સમય તો નિરર્થક વાતોમાં બગાડ્યો છે. સતત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ એવો ફરક રહેવાનો કે કેટલાકે જે મહત્ત્વનું હતું તે ઓછું વાંચ્યું હોય ને જે નિરર્થક હતું તે વાંચવામાં સમય વેડફી નાખ્યો હોય.
કુદરતનો ક્રમ એવો છે કે જૂની પેઢીના માણસો કાળક્રમે વિદાય લેતા જાય છે અને નવી પેઢીના યુવાનોના હાથમાં સમાજનાં સૂત્રો આવે છે. કોઈ પણ એક વ્યક્તિએ પોતાના સમકાલીનો વચ્ચે જે મોટું કાર્ય કર્યું હોય તેની કદર કરનારા ત્યારે હયાત હોય છે ને ઠેરઠેર એની વાતો થાય છે, પરંતુ થોડાક સમકાલીનો વિદાય થઈ જાય છે, પછી એવી વાતો સાંભળનાર કે પ્રશંસા કરનાર વર્ગ રહેતો નથી અને નવી પેઢીને જૂની પેઢીનાં એ પરાક્રમો કે સિદ્ધિ તુચ્છ અને નિરર્થક લાગે છે. ક્યારેક તો કોઈ બોલે છે, “નાખી દેવા જેવી માટે એ જમાનાના લોકોએ પોતાની જિંદગીનો કેટલો બધો સમય વેડફી નાખ્યો.”
જે કોઈ એક વાત કે વિષય એક જમાના માટે અત્યંત મૂલ્યવાન હોય તે બીજા જમાના માટે સાવ નિરર્થક બને. જીવાતા જીવનની એવી લાક્ષણિકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org