________________
अजुत्ताणि सिक्खिज्जा, निरद्वाणि उ वज्जिए ।
૬૫
કેટલાયે માણસોને સમય કેમ પસા૨ ક૨વો તેની સૂઝ પડતી નથી. તેમનો સમય પસાર થતો નથી એટલે તેઓ આમતેમ ફાંફાં મારતા હોય છે. તેમને ચેન પડતું નથી. જેમતેમ કરીને વેઠપૂર્વક તેઓ દિવસ પૂરો કરે છે. એવા લોકોની જિંદગીનું કશું મૂલ્ય નથી.
કોઈપણ માણસને પૂછવામાં આવે કે ‘તમને તમારી જિંદગી ફરી જીવવાની મળે તો તમે એમાં કેવો ફેરફાર કરશો ?’ તો કોઈક જ માણસ એવા મળે કે જે કહે કે પોતાને જે જિંદગી મળી છે બરાબર તે જ પ્રમાણે પોતાને જીવવી છે. પોતાને એમાં કશો ફેરફાર કરવો નથી.
દરેક માણસે જીવનમાં કંઈક ભૂલો કરી હોય છે. એવી ભૂલો ફરીથી ન થાય એવું માણસ ઇચ્છે. કૌટુંબિક સંબંધો, પત્ની, સંતાનો, વગેરેના પ્રશ્નો, નોકરી-ધંધાની સમસ્યાઓ અને સફળતાઓ, આરોગ્યની બાબતો, સ્વભાવની વિચિત્રતાઓ, કેટલીક ટેવો ઇત્યાદિ વિશે માણસ જરૂર ફેરફાર ઇચ્છે કે જેથી પોતે જેવું જીવન જીવ્યા તેના કરતાં વધુ સારું જીવન જીવવા મળે.
શાળા-કૉલેજની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં દુનિયાભરમાં જેમ અસંખ્ય વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે તેમ લાખો વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે. નાપાસ થના૨ વિદ્યાર્થી પાસે નાપાસ થવાનાં કારણો હોય છે, જેમાંનું એક કારણ તેણે પોતે જેટલો સમય અભ્યાસ માટે આપ્યો તેટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org