SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ आयंकदंसी न करेइ पावं [આતંકદર્શી પાપ કરતો નથી] ભગવાન મહાવીરે કહ્યું છે કે સાયંસી ન રે પાવું ! (આચારાંગ સૂત્ર ૧/૩/૨). અર્થાત્ આતંકદર્શી પાપ કરતો નથી. પ્રાકૃત સાયં શબ્દનો સંસ્કૃત શબ્દ છે માતંજ. આજકાલ આતંક શબ્દ બહુ વપરાય છે, કારણ કે વર્તમાન સમયમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દુનિયાભરમાં પ્રસરી ગઈ છે. આતંક શબ્દનો અર્થ થાય છે ભય, ત્રાસ, અત્યાચાર, દુઃખ, પીડા, રોગ વગેરે. આતંકદર્શી એટલે દુઃખના સ્વરૂપને જાણનારો, સમજનારો, દુનિયામાં આતંકવાદીઓ ઘણાં છે, આતંકદર્શીઓ બહુ ઓછા છે. આતંકવાદીઓ ઘોર પાપની પ્રવૃત્તિ ચલાવે છે. આતંકદર્શીઓ પાપ કરતા નથી; પાપ કેમ થાય છે અને તેનાં કેવાં કેવાં માઠાં ભયંકર પરિણામો આવે છે તે એ સમજે છે. એટલે તેઓ પાપ કરતાં અટકી જાય છે. જગતમાં પુણ્ય અને પાપની ઘટમાળ સતત ચાલતી રહે છે. શુભાશુભ કર્મ બંધાતાં રહે છે. એ કર્મોના ફળરૂપ માણસને સુખદુઃખ ભોગવવા પડે છે. એ વખતે ફરીથી પાછાં નવાં કર્મ બંધાય છે. એક ક્ષણ પણ એવી જતી નથી કે જ્યારે મન, વચન અને કાયાથી કોઈ ને કોઈ કર્મ બંધાતું ન હોય. પરંતુ સાચા મુમુક્ષુ જીવો નવાં ભારે કર્મ ઓછાં બાંધે છે અને જૂનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy