SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ आतुरा परितावेन्ति સતાવતી રહે છે. જગતમાં જો શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હોય, રાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે, પ્રજા અને પ્રજા વચ્ચે બંધુત્વ અને સહકારની ભાવના જો સ્થાપિત કરવી હોય તો પ્રત્યેક કક્ષાએ આતુરતાને સંયમિત રાખવી પડશે. જેમ આતુરતા ઓછી તેમ પરિતાપ ઓછો. આતુરતાને સંયમમાં રાખવા માટે સૌથી પહેલી જરૂર છે સંતોષની. માણસ જ્યાં સુધી પોતાની ઇચ્છાઓને સ્વેચ્છાએ પરિમિત કરતો નથી ત્યાં સુધી આતુરતા ઉપર તે વિજય મેળવી શકતો નથી. ઇચ્છાઓનો કોઈ અંત નથી. માણસે પોતાની શક્તિ, કક્ષા, ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ઇચ્છાઓને પરિમિત કરતાં રહેવું જોઈએ. એ પરિમિતતા જ્યાં સુધી વ્રતના રૂપમાં આવતી નથી ત્યાં સુધી પરિમિત કરેલી ઇચ્છા પણ અચાનક અપરિમિત બની જઈ શકે છે. આ એનું મોટું ભયસ્થાન છે. માટે વ્રત–પ્રતિજ્ઞા આવશ્યક અને ઉપકારી છે. ઇન્દ્રિય-સંયમ અને ઇચ્છા-પરિમાણ દ્વારા પ્રાપ્ત થતો આનંદ કેટલા ઊંચા પ્રકારનો છે તે વિશેષપણે તો સ્વાનુભવથી જ સમજાય છે. જ્યાં આતુરતાનો અભાવ છે ત્યાં સંયમ, સરળતા, સ્વાભિવકતા, નિર્દોષતા, પ્રમાણિકતા, ન્યાયબુદ્ધિ પ્રવર્તવા માટે વિશેષ અવકાશ રહે છે. કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હશે તો પ્રત્યેક કક્ષાએ આતુરતા'ને પરિમિત કરતાં રહેવું પડશે ! ભગવાન મહાવીરે માતર પરિતાત્તિ એ બે શબ્દમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy