________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
અનાજ પારખવા માટે એક જ દાણો હાથમાં લઈને તપાસતાં જણાઈ આવે છે કે તેની ગુણવત્તા કેવીક છે. ક્યારેક મૂઠ્ઠીમાં થોડા દાણા લઈને જોવામાં આવે છે કે એમાં ભેળસેળ તો નથી થઈને ! પહેલાંના વખતમાં અને હજુ પણ કેટલેક ઠેકાણે અનાજની ભરેલી અને સીવીને બાંધેલી ગુણીમાં જે અનાજ છે તે કેવું છે તે જોવા માટે લોઢાની આગળથી અણીદાર પાતળી પોલી નળી (બાંબી) આવતી તે ગુણીમાં ખોસીને પાછી કાઢવામાં આવતી. તરત થોડા દાણા એ નળીમાં ભરાઈ આવતા. ગુણી ખોલવી ન પડે. ગુણીમાં કાણું ન પડે અને જે ગુણીની જે જગ્યાએથી અનાજ જોવું હોય તે જોઈ શકાય. અનાજના વેપારીઓ પચાસ, સો, બસો ગુણીમાં કેવું અનાજ આવ્યું છે તે આવી બાંબીથી તરત જાણી શકે છે.
રાંધતી વખતે ભાત બરાબર થયા છે કે નહિ તે જોવા માટે તપેલામાંથી ભાતનો એક દાણો લઈ દબાવીને રસોઈ કરનાર જુએ છે કે ભાત બરાબર સીઝી ગયા છે કે નહિ.
અહીં ‘દોણ પાગ' શબ્દ વપરાયો છે. દોણપાગ એટલે દ્રોણપાક. દ્રોણ એ પ્રાચીન સમયનું એક માપ છે. અનાજની બસો છપ્પન મૂઠી બરાબર એક ‘આઢક’ અને ચાર આઢક બરાબર એક દ્રોણ. દ્રોણ જેટલા અનાજનો પાક (પકવાન્ન) બનાવ્યો હોય તો તે કેવો થયો છે તે જોવા માટે એક દાણો ચાખી જોવાથી ખબર પડે.
એવી જ રીતે એક ગાથા પરથી કવિની સમગ્ર કૃતિનો,
૨૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org