________________
दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं
દુષ્કર છે. સમાજની કુલ વસ્તીમાંથી દીક્ષિત થનારની સંખ્યા અડધા ટકાથી પણ ઓછી હોય છે અને દીક્ષિત થયેલાઓમાંથી સંયમધર્મનું સાચી રીતે પાલન કરનારાઓની સંખ્યા તો એથી પણ ઘણી ઓછી રહે છે. દીક્ષા લીધા પછી કલંકરહિત, પરંતુ ગતાનુગતિકતાપૂર્વક યંત્રવત્ દીક્ષાનો ભાર વહન કરીને જીવન જેમતેમ પૂરું કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. આમ બનવું અસ્વાભાવિક નથી, કારણ કે આ માર્ગ જ એવો કઠિન છે.
એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણીસમા અધ્યયનમાં કહ્યું છેઃ
वालुयाकवले चेव निरस्साए उ संजमे ।
असिधारागमणं चेव दुक्करं चरिडं तवो ।। [સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે. તેવી જ રીતે તપશ્ચર્યાનો માર્ગ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો દુષ્કર છે.]
X X X
अहिवेगंतदीट्टीए चरिते पुत्त दुक्करे ।
जवा लोहमया चेव चायेयव्वा सुदुक्करं ॥ [જેમ લોઢાના જવ ચાવવા દુષ્કર છે તેમ સર્પની જેમ એકાન્તદૃષ્ટિથી – એકાગ્રતાથી ચારિત્રનું પાલન કરવું દુષ્કર
છે.]
Jain Education International
૨૯
X X X
For Private & Personal Use Only
www.jainelibrary.org