________________
૨૦ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए। [એક દાણાથી અનાજની અને એક ગાથાથી કવિની પરખ થઈ જાય છે]
ભગવાન મહાવીરે અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે
परियरबंधेण भडं जाणिज्जा महिलियं णिवसणेणं । सित्येण दोणपागं, कई (कवि) च एक्काए गाहाए ॥ [પરિકર બંધનથી (એટલે કે કમર કસવાથી) અથવા વિશિષ્ટ પ્રકારનાં (uniform) વસ્ત્ર પહેરવાથી સુભટ (યોદ્ધો) ઓળખાય છે. વસ્ત્ર પરિધાનથી આ મહિલા છે એમ ઓળખાય છે, એક દાણો દાબી જોવાથી દ્રોણના માપ જેટલું અનાજ જાણી શકાય છે અને એક ગાથાથી કવિની શક્તિનો પરિચય મળી રહે છે.]
અનુયોગદ્વારમાં આ ગાથા બે વાર આવે છે. અવયવ નિષ્પન્ન નામના વિષયમાં આવે છે અને ફરીથી “અનુમાન પ્રમાણમાં આવે છે.
આ ગાથામાં અનુમાનનાં ચાર ઉદાહરણ આપવામાં આવ્યાં છેઃ (૧) સુભટ એટલે કે સૈનિક, (૨) મહિલા, (૩) અનાજનો દાણો અને (૪) કાવ્યની ગાથા. સૈનિક સાદા વેશમાં હોય તો કોઈ એને સૈનિક તરીકે ઓળખી શકે નહિ. એ એના ગણવેશમાં શસ્ત્રસજ્જ હોય તો એને તરત ઓળખી શકાય. એવી રીતે સ્ત્રીઓ અને પુરુષોના પહેરવેશ જુદા હોય છે. પહેરવેશ પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org