________________
असंविभागी न हु तस्स मोक्खो
૧૭૫
કમાણીમાંથી રાજ્યસરકારને કરવેરા દ્વારા પરાણે અને અનિચ્છાએ ધન આપવું એ એક વાત છે અને પોતાના ધનનો સ્વેચ્છાએ બીજાના ઉપયોગ માટે ત્યાગ કરવો એ બીજી વાત છે. પરંતુ ત્યાગ અને સહકારની ભાવના વિના જીવનવ્યવસ્થા, સમાજવ્યવસ્થા કે રાજ્યવ્યવસ્થા સરળતાથી ચાલી ના શકે.
બાળક જ્યારે જન્મે છે ત્યારે તરત જ સ્તનપાન કરે છે. માતા અને બાળક વચ્ચે આ રીતે લેવડ-દેવડનો વ્યવહાર સ્થપાય છે. માતા કશુંક આપે છે અને બાળક કશુંક ગ્રહણ કરે છે. બાળક મોટું થાય ત્યાં સુધી તેને ખવડાવવા-પીવડાવવાની, ભણાવવાની, સાચવવાની, લગ્ન કરાવી આપવાની, નોકરીધંધે લગાડવાની જવાબદારી માતા-પિતાને માથે રહે છે. આમ એક કુટુંબના સભ્યો વચ્ચે આદાન-પ્રદાનનો સંબંધ અથવા ઋણાનુબંધ રહ્યા કરે છે. ક્યારેક કુટુંબમાં કોઈ સભ્યને એવો પ્રશ્ન થતો નથી કે બીજાને માટે હું શા માટે કશું કરું ? અથવા બીજીનું હું શા માટે કશુંક ગ્રહણ કરું ?
કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી એવી અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ઔષધ વગેરે પ્રકારની તમામ ચીજ-વસ્તુઓનું ઉત્પાદન પોતે જ કરે એવું બનતું નથી. એવો આગ્રહ કોઈ રાખતું નથી અને રાખે તો તે ટકી શકે તેમ નથી. એટલા માટે જ સમાજના સભ્યો એક એકમ તરીકે પરસ્પર સહકારથી રહે છે અને જીવે છે. વળી, સમાજમાં બધા જ માણસો એક જ પ્રકારનો વ્યવસાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org