________________
૧૭૪
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
છે અને જ્યાં સુધી તેવાં કર્મોનો ક્ષય થતો નથી ત્યાં સુધી સંસારમાંથી તેને મુક્તિ પ્રાપ્ત થતી નથી. પરંતુ અસંવિભાગી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો નથી એમ કેમ કહેવાય ? આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, કારણ કે અસંવિભાગી બીજું કંઈ પાપ તો કરતો દેખાતો નથી.
અસંવિભાગી વ્યક્તિનો મોક્ષ નથી એવો વિચાર તાત્કાલિક કદાચ કોઈકને આશ્ચર્ય ઉપજાવે એવો છે. માણસ પોતાનાં ધન-સંપત્તિમાંથી ભેટ કે દાનરૂપે બીજાને કશું ન આપે તો તેમાં એવો કયો મોટો અનર્થ થઈ જાય છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. માણસને પોતાની આજીવિકા સંપૂર્ણપણે પોતે જ ભોગવવાનો કાયદેસર હક્ક છે. વળી એવો હક્ક હોવો પણ જોઈએ એમ કોઈ માને તો તે માન્યતા લોકોમાં વ્યાજબી ગણાય છે, કારણ કે પોતાના પુરુષાર્થથી અને પોતાના ભાગ્યથી મેળવેલી પોતાની ધન-સંપત્તિ પોતે ભોગવવી એમાં કશું ગેરકાયદેસર નથી. પોતાની કમાણીમાંથી બીજાને આપી દેવાનું હોય તો એટલું વધારે કમાવા માટે માણસે મહેનત શા માટે કરવી ? આ વિચાર પ્રથમ દૃષ્ટિએ કદાચ સાચો ભાસે તો પણ તે યથાર્થ નથી એમ જરા ઊંડાણથી વિચારતાં સમજાશે. માણસ જે અર્થોપાર્જન કરે છે તેમાંથી સીધી કે આડકતરી રીતે રાજ્ય સરકારના કરવેરા દ્વારા કેટલીક રકમ તો અવશ્ય ચાલી જ જાય છે. રાજ્યવ્યવસ્થા માટે તે અનિવાર્ય છે. કોઈ નાગરિક તેમાંથી બચી શકતો નથી. અલબત્ત, પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org