________________
लोभाविले आययई अदत्तं
૧૩૯
છે કે પોતે શ્રીમંત હોવાથી પૈસાને ખાતર તો ચોરી કરતા નથી. એટલે ચોરી પોતાની ચતુરાઈ માટે અને પોતાના શોખ માટે કરે છે. એટલે એમાં કશું ખોટું નથી, બલ્ક ગૌરવ લેવા જેવું છે.
એક ટુચકો છે કે કોઈક એક શ્રીમંત બહેને પોતાના પતિને ફરિયાદ કરતાં કહ્યું, “આપણા આ નવા નોકરને તરત રજા આપી દેવાની જરૂર છે, કારણ કે એણે ચોરી કરી છે.” પતિએ પૂછ્યું, “શાની ચોરી કરી છે?' પત્નીએ કહ્યું, “આપણા બાથરૂમમાંથી સરસ ટોવેલની ચોરી કરી છે. હોંગકોંગની હિલ્ટન હોટેલમાંથી આપણે જે ટોવેલ ઉપાડી લાવ્યા હતા તે એ ચોરી ગયો છે!'
બીજો પણ એક ટુચકો જાણે બનેલી ઘટના તરીકે સાંભળ્યો છે. એક વખત એક હોટેલમાં શ્રીમંતોની એક પાર્ટી હતી. ઘણા સારા સારા માણસો ત્યાં એકત્ર થયા હતા. નાચગાનની મહેફિલ પછી સો જમવા બેઠા. છેલ્લે આઇસ્ક્રીમ આવ્યો. આઇસ્ક્રીમ ખાવા માટેની ચાંદીની નાની ચમચી નકશીદાર, આકર્ષક હતી. એક મહેમાનને તે ચોરવાનું મન થયું. પોતાને કોઈ જોતું નથી એની ખાતરી કરીને એમણે એ ચમચી પોતાના જમણા પગના બૂટમાં એક બાજુ સંતાડી દીધી. પરંતુ થોડે આઘે બેઠેલા એક સજ્જન એ જોઈ ગયા. તેમણે વિચાર કર્યો કે આ વાત જાહેર કરવાથી તે માણસની આબરૂ જશે. પાર્ટી પૂરી થઈ ત્યારે મહેમાનોને એકત્રિત કરીને એમણે કહ્યું, સજ્જનો અને સન્નારીઓ ! હું જાદુના ઘણા ખેલ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org