________________
૧૫
असंविभागी न हु तस्स मोक्खो [અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી]
સમ એટલે સરખા; વિભાગ એટલે ભાગ કરનાર, અસંવિભાગી એટલે સરખા ભાગ ન કરનાર, સરખી વહેંચણી ન કરનાર.
ભગવાન મહાવીરે કહ્યું છે કે, જે સંવિભાગી નથી અર્થાત્ જે પોતાનાં ધનસંપત્તિ વગેરે ભોગસામગ્રીમાંથી બીજાને સરખું વહેંચતો નથી તેવો માણસ ક્યારેય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકતો નથી. ભગવાને શબ્દ પણ “સંવિભાગ” પ્રયોજ્યો છે, જે અર્થસભર છે. પોતાની લાખો-કરોડોની ધનદોલતમાંથી માત્ર બે-પાંચ રૂપિયાની કોઈને મદદ કરવી એ સંવિભાગ નથી. ઉચિત હિસ્સો એ સંવિભાગ છે.
કેવી કેવી વ્યક્તિઓ મોક્ષની અધિકારી નથી બની શકતી એ માટે ભગવાન મહાવીરે કહેલું વચન દસવેકાલિક સૂત્રમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યું છેઃ
ये यावि चंडे मइ इढिगारवे पिसुणे नरे साहस हीणपेसणे । अदिट्ठधम्मे विणए अकोविए असंविभागी नहु तस्स मोक्खो।। [જે માણસ ક્રોધી હોય, બુદ્ધિમાં તથા ઋદ્ધિમાં આસક્ત હોય અને એનો ગર્વ કરનારો હોય, ચાડીચૂગલી કરનારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org