SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ असंविभागी न हु तस्स मोक्खो [અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી] સમ એટલે સરખા; વિભાગ એટલે ભાગ કરનાર, અસંવિભાગી એટલે સરખા ભાગ ન કરનાર, સરખી વહેંચણી ન કરનાર. ભગવાન મહાવીરે કહ્યું છે કે, જે સંવિભાગી નથી અર્થાત્ જે પોતાનાં ધનસંપત્તિ વગેરે ભોગસામગ્રીમાંથી બીજાને સરખું વહેંચતો નથી તેવો માણસ ક્યારેય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકતો નથી. ભગવાને શબ્દ પણ “સંવિભાગ” પ્રયોજ્યો છે, જે અર્થસભર છે. પોતાની લાખો-કરોડોની ધનદોલતમાંથી માત્ર બે-પાંચ રૂપિયાની કોઈને મદદ કરવી એ સંવિભાગ નથી. ઉચિત હિસ્સો એ સંવિભાગ છે. કેવી કેવી વ્યક્તિઓ મોક્ષની અધિકારી નથી બની શકતી એ માટે ભગવાન મહાવીરે કહેલું વચન દસવેકાલિક સૂત્રમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યું છેઃ ये यावि चंडे मइ इढिगारवे पिसुणे नरे साहस हीणपेसणे । अदिट्ठधम्मे विणए अकोविए असंविभागी नहु तस्स मोक्खो।। [જે માણસ ક્રોધી હોય, બુદ્ધિમાં તથા ઋદ્ધિમાં આસક્ત હોય અને એનો ગર્વ કરનારો હોય, ચાડીચૂગલી કરનારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy