________________
असंविभागी नहु तस्स मोक्खो
૧૭૭
માણસો વચ્ચે સમાનતાના ધોરણને જો સ્વીકારવામાં આવે અને પરસ્પર સુમેળભર્યા સહકારની ભાવના પોષાયા કરે તો સમાજવાદની એક આદર્શ સ્થિતિનું નિર્માણ થઈ શકે. એ માટે જે કર્તવ્યનિષ્ઠા જોઈએ તે તો પરસ્પર પ્રેમભાવ હોય તો જ ટકી શકે. પ્રેમભાવ હોય તો જ પોતાની માલિકીનાં ધનસંપત્તિમાં, ભોગોપભોગમાં બીજાને સંવિભાગી બનવા નિમંત્રણ આપી શકાય. જે સમાજમાં આ સંવિભાગીપણું નથી અથવા ઓછું છે તે સમાજ શુષ્ક, જડ અને નિષ્ઠાણ બની જાય છે. આમ ભો તિક દૃષ્ટિએ પણ સમાજમાં સંવિભાગીપણાની ભાવનાની આવશ્યકતા રહે છે.
કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના પુરુષાર્થ વડે જે જે કંઈ ધન-સંપત્તિનું ઉપાર્જન કરે છે તે એવું વ્યવસ્થિત અને ચોકસાઈભરેલું નથી હોતું કે જેથી એના જીવનનો જ્યારે અંત આવે ત્યારે એના ઉપભોગ માટે તે બધું જ પૂરેપૂરું વપરાઈ ગયું હોય અને એક કણ જેટલું ન તો ઉછીનું લેવું પડ્યું હોય કે ન તો કંઈ વધ્યું હોય. જીવનની વ્યવસ્થા જ એવી છે કે ગૃહસ્થ માણસ સંસાર છોડીને ચાલ્યો જાય છે ત્યારે કાં તો તે કંઈક દેવું મૂકીને જાય છે અને કાં તો તે કંઈક વારસો મૂકીને જાય છે. છેવટે કશું જ ન હોય તો પણ માણસના શરીર ઉપરનું વસ્ત્ર પણ તે મૂકીને જાય છે. જીવનમાં આમ બનવું અનિવાર્ય છે. ગૃહસ્થોની આ વાત તો સમજાય એવી છે, પરંતુ સાધુ-સંતોની બાબતોમાં પણ તેમ બને છે, કારણ કે તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org