________________
मायने असणपाणस्स
૧૦૧
વિશેની પોતાના ધર્મની મર્યાદા અનુસાર “બધું જ ભાવે અને બધું જ ફાવે' એ સૂત્રને પોતાનું સૂત્ર બનાવી લેવું જોઈએ.
આહારનો પ્રશ્ર માનવજાતનો એક સનાતન પ્રશ્ન છે. દરેક જીવની ઘણીખરી પ્રવૃત્તિ આહારની આસપાસ ગોઠવાયેલી હોય છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનું આહારક્ષેત્ર અત્યંત વિશાળ છે. એથી જ માનવજાતના કેટલા બધા કલાકો રોજેરોજ આહાર પાછળ વપરાય છે. જીવવા માટે ખાવાથી માંડીને ખાવા માટે જીવવું ત્યાં સુધીમાં કેટલી બધી કક્ષા હોય છે! ઘરે ઘરે જુદાં જુદાં રસોડાને બદલે સ્થળે સ્થળે મોટાં સ્વચ્છ, સુઘડ, સુંદર સામુદાયિક રસોડાં ચાલતાં હોય તો કેટલા બધા માનવકલાકો બચી જાય કે જે ઈતર સર્જનાત્મક, સંશોધનાત્મક, મનોરંજક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વાપરી શકાય. શિક્ષણ સંસ્થાની હોસ્ટેલો, આશ્રમો, તીર્થક્ષેત્રો વગેરેમાં એવી સગવડ હોય છે.
પોતાના ઘરે રાંધીને ખાવું કે બહાર જાહેર સ્થળમાં કોઈકના હાથનું રાંધેલું ખાવું એ પ્રશ્ન સમૃદ્ધ દેશો કરતાં અવિકસિત દેશોને વધારે મૂંઝવનારો છે. સમૃદ્ધ દેશોમાં મોટી સારી સ્વચ્છ રેસ્ટોરાં અને હોટેલોમાં ભેળસેળ વગરની, સારી રીતે પકાવેલી મનપસંદ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય છે. એથી રોગ થવાનો સંભળ ઓછો રહે છે. માણસ જુદી જુદી વાનગી માટે વખણાતી જુદી જુદી રેસ્ટોરોમાં જઈને ખાવાનો પોતાનો શોખ સંતોષ છે. એવી રીતે ખાવું તે ઘર કરતાં મોંઘુ પડતું હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org