Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પંચિંદિય-સૂત્ર ૦૪૩
શબ્દ. જડ પદાર્થોના ઘર્ષણ વગેરેથી થતો શબ્દ, તે અચિત્ત શબ્દ. અને બંનેના મિશ્રણરૂપ હોય, તે મિશ્ર શબ્દ. માણસો ગાતા હોય અને સાથે વાજાં પણ વાગતાં હોય, એ બંનેનો ભેગો અવાજ આવે, તે મિશ્ર શબ્દ કહેવાય. આ રીતે ઇંદ્રિયોના મુખ્ય વિષયો ૨૩ છે.
ઇંદ્રિયોના આ ૨૩ વિષયોમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન થવો, સુખ કે દુઃખની કલ્પના પેદા થવી, તે ઇંદ્રિયોની આસક્તિ કહેવાય છે. જેમકે કોમળ શયા, મીઠું ભોજન કે સુંદર આકાર જોઈને તેના પર પ્રીતિ થવી અને ખરબચડી પથારી જોઈને, બેસ્વાદ ભોજન જોઈને કે વિરૂપ આકાર જોઈને તેના પર અપ્રીતિ થવી. તાત્પર્ય કે ઇંદ્રિયોના વિષયોમાં સમભાવે રહેવું, તે ઇંદ્રિયોનું સંવરણ થયું ગણાય.
Bદાવ-દિવ્ય અને ઔદારિક કામ-ભોગનો ત્રણ યોગ અને ત્રણ કરણથી ત્યાગ કરવો, તેનું નામ બ્રહ્મચર્ય. દિવ્ય એટલે દેવ-સંબંધી. ઔદારિક એટલે મનુષ્ય અને તિર્યંચ-સંબંધી, કામ-ભોગ એટલે મૈથુન સેવવાની ઇચ્છા. યોગ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. કરણ એટલે કરવું, કરાવવું, તથા અનુમોદન આપવું. મતલબ કે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન સેવવાની ઈચ્છાનો મનથી, વચનથી અને કાયાથી સ્વયં ત્યાગ કરવો, બીજા પાસે ત્યાગ કરાવવો તથા જેઓ મૈથુન સેવતા હોય, તેને સારા માનવા નહિ, તેનું નામ બ્રહ્મચર્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં તે સંબંધી જણાવ્યું છે કે :
दिव्यौदारिककामानां, कृतानुमति-कारितैः । मनो-वाक्-कायतस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् ॥
| દિવ્ય અને ઔદારિક કામોનો મનથી, વચનથી અને શરીરથી, કરવા-કરાવવા અને અનુમોદનનો ત્યાગ કરવો, તે બ્રહ્મચર્ય છે, જે અઢાર પ્રકારનું મનાય છે.
દિવ્ય અને ઔદારિક કામ મન, વચન, કાયા ૬૪ કરવું, કરાવવું અને અનુમોદવું=૧૮.
મૈથુન-સેવનની ઇચ્છા બે પ્રકારની હોય છે : સંપ્રાપ્ત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org