Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
લોગસ્સ-સૂત્ર ૧૯૭
વંસુ નિમય :
ચંદ્ર કરતાં વધારે નિર્મળ એમ ન કહેતાં ચંદ્રો કરતાં વધારે નિર્મળ એમ કહેવાનું કારણ એ છે કે આ વિશ્વમાં એક ચંદ્ર કે એક સૂર્ય નથી પરંતુ અસંખ્યાત ચંદ્રો તથા અસંખ્યાત સૂર્યો છે. જેબૂદ્વીપમાં બે સૂર્ય તથા બે ચંદ્ર છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે, ધાતકીખંડમાં આઠ ચંદ્ર અને આઠ સૂર્ય છે. કાલોદ સમુદ્રમાં સોળ ચંદ્ર અને સોળ સૂર્ય છે. અર્ધપુષ્કરવાર દ્વિીપમાં સોળ ચંદ્ર અને સોળ સૂર્ય છે અને ત્યાર બાદ મનુષ્ય લોકની બહાર દરેક દ્વીપ અને સમુદ્રમાં એક કરતાં બમણા ચંદ્ર અને સૂર્ય છે, જે સર્વનો સરવાળો કરતાં અસંખ્યાત ચંદ્રો અને અસંખ્યાત સૂર્યો થાય છે. આ સર્વ ચંદ્રો કરતાંય શ્રી જિનેશ્વર દેવો વધુ નિર્મળ છે અને આ સર્વ સૂર્યો કરતાંય વધારે તેજસ્વી છે.
સ્વયંભૂરમણ સમુદ્ર એ લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો બાદ સૌથી છેલ્લે આવેલો અસંખ્યાત યોજન પ્રમાણનો મહાસમુદ્ર છે કે જે મહાગંભીર છે, જેનો પાર પણ પામી ન શકાય તેવો છે. શ્રી જિનેશ્વરદેવ તે સર્વ સમુદ્રોથી વિશાલ અને ગંભીર હોવાથી અહીં તેની ઉપમા આપવામાં આવી છે.
(૭) પ્રકીર્ણક લોગસ્સ સૂત્રનાં પર્યાયવાચક નામો
(પ્રાકૃત નામો) નામ
આધાર સ્થાન ૧. ચઉવીસસ્થય
સિરિ મહાનિસીહ સુત્ત ઉત્તરાયણ સુત્ત, પત્ર ૫૦૮ આ અણુઓગદ્દાર સુત્ત, સૂત્ર પ૯, પત્ર ૪૪ અ ચેઈયવંદણ મહાભાસ, ગાથા પ૩૭. પૃ. ૯૮ પાક્ષિક સૂત્રવૃત્તિ, પત્ર ૭ર આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org