Page #1
--------------------------------------------------------------------------
________________
तत्त्वाख्यान - पूर्वार्द्ध.
-प्रवर्तक श्री मंगलविजयजी.
GAR COCOC
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મવૃદ્ધિ ગ્રંથમાળા. (૨)
तत्वाख्यान-पूर्वाह
કર્તા.
ન્યાયવિશારદ–ચાયતીર્થ
પ્રવર્તક શ્રી મંગલવિજયજી મહારાજ
પ્રકાશક
શ્રી યશોવિજ્ય જૈન ગ્રન્થમાળા-વ્યવસ્થાપક મંડળ
તરફથી શેઠ પ્રેમચન્દ રતનજી
તથ૮ નયના
ચંદુલાલ પૂનમ દ)
ભાવનગર
શેઠ હ
ના
વીર, સં. ૨૪૪૭ ]
[ વિક્રમ સંવત ૧૯૭૭
Page #3
--------------------------------------------------------------------------
________________
Santanna AAAXRSAARRARA
- - - shop JK 116 2110 BifK *** HIZIBILE Riton8b] !IRK 13-KJ HUT klejifaias_12319b હ955895x૨૭૭૭૪૭૨૭૭૭૪૭૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસતત્ત્વ મહેાદધિ, ઉપાધ્યાયજી શ્રી ઈંદ્રવિજયજી,
Page #6
--------------------------------------------------------------------------
________________
everyVVSVE♡ryserere VVV Sei
ARARARARAR, ARAS
ઉત્સર્ગ.
ઇતિહાસના અદ્વિતીય વિદ્વાન્ અને
પ્રાચીનતત્ત્વના પરામમાં
નિરન્તર પશ્રિમ કરી
રહેનાર પરીપકાર
પરાયણ,
ઉપાધ્યાયજી શ્રી દ્રિવિજયજી મહારાજના
કરકમલમાં વિનયપૂર્વક
આ મારી
લઘુકૃતિ
સાદર સમર્પણુ
કરૂં છું,
ARARARARARARARARARARARA
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
પરિચય.
જે આચાર્યશ્રીની અસીમ કૃપાથી આ ગ્રંથમાળા જૈન સાહિત્યને બહેળા હાથે પ્રચાર કરી રહી છે, તે પરમગુરૂ શાસવિશારદ-જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ–મહારાજશ્રીના વિનીત અને વિદ્વાન શિષ્યરત્ન ન્યાયતીર્થ
ન્યાયવિશારદ પ્રવર્તક શ્રી મંગળવિજયજી મહારાજની વિદ્વત્તાની કસોટીએ કસાયેલી કલમથી લખાએલ આ પુસ્તકને પ્રકટ કરવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે બદલી અમે પ્રવર્તકજી મહારાજશ્રીને આભાર માનીએ છીએ. લેખક મહારાજશ્રીએ દાર્શનિક વિષય જેવા ગહન વિષયને પણ એવી તે સરળ રીતે પ્રતિપાદન કર્યો છે કે ગમે તે સામાન્ય બુદ્ધિને માણસ પણ તે વિષયનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ છે.
આ એકજ પુસ્તક નહિ પરંતુ પ્રવર્તકજી મહારાજ શ્રીનું બીજું પુસ્તક સમભાગી પ્રદીપ પણ હમણાં જ અમારા તરફથી બહાર પડયું છે. આ બન્ને પુસ્તકથી, ગુજરાતી ભાષા જાણનારાઓને ષદર્શનનું અને સપ્તભંગીનું જ્ઞાન સંપાદન કરવા માટે અપૂર્વ સાધન પૂરૂ પડશે, એમ અમારું માનવું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૬ )
અમે આશા રાખીએ છીએ કે પ્રવત કજી મહારાજશ્રી આવા ને આવા બીજા પણ ઉત્તમ ગ્રંથ બનાવી તેને પ્રકટ કરવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત કરાવશે.
પ્રાણાય.
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણીકા.
૧
મગલા ચરણે. ૨ અભિધેય.
૩
૪
પ્રચાજન-અધિકારિ
૮ કુષ્ટ રાગ.
૯ ક્ષયરાગ.
પ્રારંભ.
૫
સાંખ્ય મતનું સ્વરૂપ. ૬ ત્રણ પ્રકારનાં દુઃખા ૭ આધ્યાત્મિક દુઃખ.
પ્રથમ પ્રસ્તાવ.
૧૦ અપાર.
૧૧ નેત્રરોગ.
૧૨ જડતા.
૧૩
૧૪ ઉદરરોગ.
૧૫ મુખરોગ.
૧૬ સાજા.
ગર્ભાધાનની વિકલતા.
૧૭ ભસ્મક.
૧૮ પીઠસપિ.
な
પૃષ્ઠ
૧
૧
જ »
૮
૧૧
૧૨
ર
૧૨
૧૩
૧૩
૧૩
૧૪
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૯ મધુમેહ. ૨૦ માનસિક દુખે. ૨૧ આધિદૈતિક દુઃખ ૨૨ આધિદૈવિક. ૨૩ પ્રથમ પ્રસ્તાવને ઉપસંહાર.
પ્રસ્તાવ બીજે.
૩૦
૨૪ સાંખ્ય તનું નિરૂપણ. ૨૫ પ્રકૃતિનું સ્વરૂપ. - ૨૬ મહત્તત્વનું નિરૂપણ. ૨૭ અહંકાર. ૨૮ ઈન્દ્રિનું સ્વરૂપ. ૨૯ તન્માત્રાને પરિચય.
મહાભૂતનું સ્વરૂપ. ૩૧ પ્રકૃતિ, વિકૃતિ ગુણને સમાવેશ. ૩૨ પુરુષ તસ્વ. ૩૩ પ્રકૃતિ પુરુષને સંબ. ૩૪ પ્રકૃતિ પુરુષની ભિન્નતા. ૩૫ પ્રકૃતિ પુરુષને સંગ. ૩૬ પ્રમાણુની માન્યતા. ૩૭ પૂર્વવત્ અનુમાન. ૩૮ શેષવદ અનુમાન. ૩૯ સામાન્યતે દષ્ટાનુમાન.
Page #12
--------------------------------------------------------------------------
________________
૪૦ આગમ પ્રમાણ. ૪૧ સત્કાર્યવાદની માન્યતા. જર વિપર્યયની માન્યતા.
પાંચવૃત્તિઓ. ૪૪ અઠ્ઠાવીશ પ્રકારની શકિત. ૪૫ આધ્યાત્મિક શકિતરૂપ તુષ્ટિ.
બાહ્ય તુષ્ટિ. ૪૭ સિદ્ધિઓ.
૪૬
આર .
પ્રસ્તાવ ત્રીજે.
૪૮ સાંખ્ય તત્વેની સમાલોચના. ૪૯ સાંગના પુરુષ તત્વની મીમાંસા ૫૦ બુદ્ધિ તત્વને વિચાર. ૫૧ અહંકારની મીમાંસા. પર ઈન્દ્રિયની મીમાંસા. -૧૩ પ્રકૃતિને જ અધૂમક્ષ હોઈ શકે તે સંબન્ધિ વિચાર૪૦ ૫૪ ત્રણ પ્રકારના બન્ધની મીમાંસા.
૪૦ વિવેક જ્ઞાન થયા બાદ પ્રકૃતિ પિતાના પ્રવૃત્તિમય રવભાવથી જે સમયે વિરામ પામે છે તે સમયમાં પુરુષનું જે સ્વરૂપમાં અવસ્થાન તે મેક્ષ કહેવાય તે
સંબલ્પિ વિચાર. પદ પ્રકૃતિથી ત્રેવીસ તત્ત્વોની ઉત્પત્તિને વિચાર. ૪૨ ૫૭ સત્કાર્ય વાદની મીમાંસા.
Page #13
--------------------------------------------------------------------------
________________
દેર
પ્રસ્તાવ ચેાથે ૫૮ આર્યસત્યનું નિરૂપણ. ૫૯ પરિચય. ૬. પાંચ સ્કન્ધાનું નિરૂપણ.
આત્માને અસ્વીકાર.
સમુદાય તત્ત્વ અને માર્ગ તત્ત્વનું સ્વરૂપ ૬૩ ક્ષણિક વાદનું સમર્થન. ૬૪ નિષેધ તત્વનું નિરૂપણ. ૬૫ આપતનનું નિરૂપણ. ૬૬ પ્રમાણેનું નિરૂપણ. ૬૭ પ્રત્યક્ષ પ્રમાણનું નિરૂપણ. ૬૮ અનુમાન પ્રમાણનું નિરૂપણ. ૬૯ વાર્થ અને પરાર્થીનુમાનનું નિરૂપણ. ૭૦ ત્રણ પ્રકારના હેતુનું નિરૂપણ. ૧ હેતુમાં ત્રિરૂપતાનું નિરૂપણ ૭૨ તર્ક અને પ્રત્યભિજ્ઞાનને પ્રમાણુ રૂપે અસ્વીકાર
અવાન્તર ચાર ભેદનાં નામે ૭૪ વૈભાષિકના મતનું નિરૂપણ. ૭૫ સપ્રાન્તિકના મતનું નિરૂપણ. ૭૯ ચોગાચારના મતનું સ્વરૂપ. ૭૭ માધ્યમિકના મતનું નિરૂપણ.
પ્રસ્તાવ પાંચમે. ૭૮ બદ્ધ દર્શનની સમાલોચના.
Page #14
--------------------------------------------------------------------------
________________
૭૯ પાંચ સ્કન્ધથી જુદે આત્મા છે કે નહી તે
સંબધિ વિચાર. આત્મા સ્વીકાર્યા સિવાય પાંચ રકલ્પ માની શકાય કે નહી તે સંબધિ વિચાર. બદ્ધ લેકે ચિત્તની નિષ્કલશાવસ્થાને મેક્ષા
માને છે તે સંબન્ધિ વિચાર.. ૮૨ ક્ષણિકવાદની મીમાંસા. ૮૩ ક્ષણિકવાદ માનવામાં નું પ્રદર્શન. ૮૪ કૃત કાયને નાશ અને અમૃતનું આગમનરૂપ
દેષનું નિરૂપણ. ૮૫ ભવભગ દોષનું નિરૂપણ. ૮૬ મેક્ષભંગ દેષનું નિરૂપણ. ૮૭ સ્મૃતિભંગ દેષનું નિરૂપણ. ૮ ઉત્પત્તિ તેિજ વરતુને ઉત્પન્ન કરે છે, સ્થિતિ
સ્થાપન કરે છે, જરા જીર્ણ કરે છે, વિનાશ પિતે નાશ કરે છે, આવા પ્રકારની વૈભાષિકની માન્યતા ઉપર વિચાર. ઉત્પત્તિજ પદાર્થના નાશનું કારણ છે એવી કેટલાક બદ્ધાની માન્યતા ઉપર વિચાર.
વસ્તુસ્થિતિને વિચાર. ૯૧ ચોગાચારની માન્યતા ઉપર વિચાર. ૯૨ શૂન્યવાદીઓની મીમાંસા.
૮૪
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવ છે. ૯૩ નૈયાયિકના આચારનું નિરૂપણ ૯૪ અષ્ટાદશ અવતારનાં નામે. લ્પ તૈયાયિક દર્શનને શિવ દર્શન કહેવાનું કારણ. ૯૮
પ્રસ્તાવ સાતમે. ૯૬ શિવને ઈશ્વર તરીકે ઓળખાણ. ૯૭ જગતકતૃત્વનું નિરૂપણ. ૯૮ તૈયાયિકના તને ઉલેખ.
૧૦૨ ૯ પ્રમાણ વિગેરે સોળ પદાર્થનું સામાન્ય નિરૂપણ. ૧૦૨ ૧૦૦ સેળ પદાર્થનું વિશેષ રૂપથી નિરૂપણ. ૧૦૩ ૧૦૧ પ્રત્યક્ષ પ્રમાણનું સ્વરૂપ. -
૧૦૩ ૧૦૨ પ્રત્યક્ષના લક્ષણમાં આવેલ વિશેષણેની સાર્થકતા. ૧૦૫ ૧૦૩ પ્રત્યક્ષજ્ઞાન થવાનો કમ.
૧૦૫ ૧૦૪ અવ્યપદેશ્ય પદની ઓળખાણું.
૧૦૬ ૧૫ અવ્યભિચારિ પદની સાર્થકતા. ૧૦૬ વ્યવસાયામક પદની સમજણ ૧૦૭ પ્રકારાન્તરથી સૂત્રની વ્યાખ્યા. ૧૦૮ અનુમાન પ્રમાણુનું નિરૂપણ. . . ૧૦૯ સૂત્રની બીજી વ્યાખ્યા. ૧૧. કેવલાન્વયિ અનુમાનનું નિરૂપણ. ૧૦૯ ૧૧૧ કેવલ વ્યતિકિ અનુમાનનું સ્વરૂપ ૧૨ અન્વય વ્યતિરેક અનુમાનની વ્યાખ્યા. ૧૧૦
૧૦૬ ૧૦૬
૧૦૭
૧૧૦
Page #16
--------------------------------------------------------------------------
________________
ક
૧૧૧
૧૧૨
૧૧૩ પૂર્વવત્ અનુમાન બીજો અર્થ. ૧૧૪ શેષવદ્દ અનુમાનની બીજી વ્યાખ્યા. ૧૧૧ ૧૧૫ સામાન્ય દષ્ટાનુમાનનું સ્વરૂપ. ૧૧૬ પૂર્વવ વિગેરે અનુમાનની પ્રકારાન્તરથી વ્યાખ્યા. ૧૧ર ૧૧૭ ઉપમાન પ્રમાણુનું નિરૂપણ.
૧૧૪ ૧૧૮ આગમ પ્રમાણનું નિરૂપણ.
૧૧૪ ૧૧૯ પ્રમેયનું નિરૂપણ.
૧૧૫ ૧૨૦ સંશયનું નિરૂપણ
૧૧૨ ૧૨૧ પ્રજનનું નિરૂપણ.
૧૧૭ ૧૨૨ દૃષ્ટાન્તનું નિરૂપણ.
૧૧૮ ૧૨૩ સિદ્ધાન્તના ભેદનું નિરૂપણ.
૧૧૮ ૧૨૪ સર્વતંત્ર સિદ્ધાન્તનું નિરૂપણ.
૧૧૮ ૧૨૫ અધિકરણ સિદ્ધાન્તનું સ્વરૂપ. ૧૨૬ અભ્યપગમ સિદ્ધાન્તનું સ્વરૂપ. ૧૨૭ અવયવનું નિરૂપણ.
૧૨૦ ૧૨૮ તર્કનું નિરૂપણ.
૧૨૦ ૧૨૯ નિર્ણયને વિચાર.
૧૨૧ ૧૩૦ વાદનું સ્વરૂપ.
૧૨૧ ૧૩૧ જ૫નું સ્વરૂપ.
૧૨૨ ૧૩૨ વિતંડાનું સ્વરૂપ. ૧૩૩ હેત્વાભાસનું નિરૂપણ.
૧૨૪ "૧૩૪ છળનું નિરૂપણ.
૧૨૪ ૧૩૫ જાતિનું નિરૂપણ.
૧૨૭ ૧૩૬ નિગ્રહસ્થાનનું નિસ્યણું
૧૧૯ ૧૧૯
૧૨૨
૧૩૩
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૩૭ તૈયાયિકેની વિશેષ માન્યતા.
. ૧૩૮ પ્રસ્તાવ આઠમો ૧૩૮ શું ઈશ્વર જગકર્તાહઈ શકે તે સંબન્ધિ વિચાર ૧૪૦ ૧૩૯ નિયાયિક લોકેએ માનેલ પ્રમાણેની સમાલોચના ૧૬૧ ૧૪. નૈયાયિક લોકેએ માનેલ ઈન્દ્રિય ઉપર વિચાર ૧૬૧ ૧૪૧ પ્રમાણુનું વાસ્તવિક રીતે દિગદ્દર્શન ૧૬૭ ૧૪૨ અનુમાન પ્રમાણ ઉપર વિચાર
૧૬૮ ૧૪૩ ઉપમાન પ્રમાણનું આલોચન
૧૬૮ ૧૪૪ આગમ પ્રમાણ મીમાંસા
૧૬૯ ૧૪૫ કુટસ્થ નિત્ય આત્માની મીમાંસા ૧૪૬ છલજાતિ નિગ્રહસ્થાન જન્મકથા, વિતંડા કથા,
હેત્વાભાસ વિગેરે પદાર્થો મેક્ષના અંગભૂત થઈ શકે કે નહી તેને વિચાર
૧૭૫ ૧૪૭ આત્મામાં સર્વ વ્યાપકતાને વિચાર ૧૭૮ ૧૪૮ મુકિતની મીમાંસા
૧૮૦ ૧૪૯ મુકતાત્માની અંદર સુખને વિચાર ૧૫. ઉપસંહાર
૧૭૦
૧૮૨ ૧૮૭
પ્રસ્તાવ નવમો ૧૫૧ કણદુ ત્રાષિની ઓળખાણ
૧૮૯ ૧૫૨ તત્વનું નિરૂપણ
૧૯૧ ૧૫૩ અધિક દ્રવ્યની આશંકા અને તેનું સમાધાન ૧૩ ૧૫૪ ગુણેના નામે ઉલ્લેખ
૧૯
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫૫ કર્મના ભેદનું પ્રદર્શન
૧૫ ૧પદ સામાન્યના ભેદોનું નિરૂપણ
૧૯૬ ૧પ૭ વિશેષના ભેદો
૧૯૬ ૧૫૮ સમવાયનું સ્વરૂપ
૧૭ ૧૫૯ સાધમ્ય વૈધર્યનું સ્વરૂપ
૧૯૭ ૧૬૦ દ્રવ્યનું વિશેષ રૂપથી નિરૂપણ
૧૯૮ ૧૬૧ પ્રાણેન્દ્રિયની ઓળખાણ
૨૦૦ ૧૨ જલનું નિરૂપણ
૨૦૧ ૧૬૩ તેજનું નિરૂપણ
૨૦૨ ૧૬૪ વાયુ તત્વનું નિરૂપણ
૨૦૩ ૧૬૫ સુષ્ટિ સંહારનું નિરૂપણ
૨૦૪ ૧૬૬ આકાશ દ્રવ્યનું નિરૂપણ
૨૦૭ ૧૬૭ કાલ દ્રવ્યનું નિરૂપણ ૧૬૮ દિશા દ્રવ્યનું નિરૂપણ ૧૬૯ આત્મ દ્રવ્યનું નિરૂપણ
૨૧૦ ૧૭૦ મનદ્રવ્યનું નિરૂપણ
૨૧૪ ૧૭૧ દ્રવ્ય નિરૂપણને સાર
૨૧૬ ૧૨ પરમાણુમાં પાકનું નિરૂપણ
૨૧૭ ૧૭૩ અવયવમાં પાક માનનાર તૈયાયિકોને અભિપ્રાય ૨૧૭ ૧૭૪ ગુણેમાં સાધમ્ય વૈધમ્યની ઓળખાણ. ૨૧૮ ૧૭૫ ગુણનું વિશેષ નિરૂપણ
૨૨૨ ૧૭૬ પાકથી પેદા થએલ રૂપાદિની સમજણ ૨૨૩ ૧૭૭ સંખ્યાનું નિરૂપણ
૨૨૪ ૧૮ પરિમાણનું નિરૂપણ
૨૨૪
૨૦૮
૨૦૦
Page #19
--------------------------------------------------------------------------
________________
.
૨૨૫ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૨૯
છે
છે
જે
છે
૨૩૪
૧૭૯ પૃથકત્વનું નિરૂપણ ૧૮૦ સંખ્યા અને પૃથકવના ભેદની ઓળખાણ ૧૮૧ સગનું નિપણ ૧૮૨ વિભાગનું નિરૂપણ ૧૮૩ પરત્વ અપરત્વનું નિરૂપણ ૧૮૪ બુદ્ધિનું નિરૂપણ ૧૮૫ સંશયનું સ્વરૂપ ૧૮૯ વિપર્યયનું નિરૂપણ ૧૮૭ અનધ્યવસાયનું સ્વરૂપ ૧૮૮ સ્વપ્નનું નિરૂપણ ૧૮૯ અદષ્ટનું ઉદાહરણ ૧ૐ વિદ્યાનું નિરૂપણ ૧૯૧ અનુમાનનું નિરૂપણ ૧૨ ઉપમાનને અનુમાનમાં અન્તર્ભાવ ૧૯ અર્થપત્તિને અનુમાનમાં અન્તર્ભાવ ૧૯૪ સંભવને અનુમાનમાં અન્તર્ભાવ ૧૫ અભાવ પ્રમાણને અનુમાનમાં અન્તર્ભાવ ૧૯ સ્મૃતિ વિદ્યાનું નિરૂપણ ૧૭ આર્ય વિદ્યાનું નિરૂપણ ૧૯૮ શેષ ગુણેનું નિરૂપણ ૧૯ દુઃખનું સ્વરૂપ ૨૦૦ ઈચ્છાનું સ્વરૂપ ૨૦૧ શ્રેષનું સ્વરૂપ ૨૦૨ પ્રયત્નનું સ્વરૂપ
૨
છ
૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨૩૭ ૨૩૭
૨૩૮
૨૩૮ ૨૩૮
૨૩૯
૨૩૯
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૪૦
૨૪૫
૨૦૩ ગુરુત્વનું સ્વરૂપ ૨૦૪ દ્રવ્યત્વનું સ્વરૂપ
૫ સ્નેહનું સ્વરૂપ ૨૦૬ સંસ્કારનું સ્વરૂપ
૨૪. - ૨૦૭ ધર્મનું સ્વરૂપ ૨૦૮ અધર્મનું સ્વરૂપ ૨૦૯ શબ્દનું નિરૂપણ ૨૧૦ કર્મનું સ્વરૂપ ૨૧૧ સામાન્યનું નિરૂપણ ૨૧૨ સમવાયનું નિરૂપણ
૨૪૭ ૨૧૩ અભાવનું નિરૂપણ
પ્રસ્તાવ દશમે. ૨૧૪ વૈશેષિકની સમાલોચના.
૨૪૯ ૨૧૫ વૈશેષિક દર્શનની ઉત્પત્તિ સંબધિ વિચાર. ૨૪૯ ૨૧૬ સામાન્ય તથા વિશેષ નામના બે પદાર્થોની - સમાલોચના.
૨૫૫ ૨૧૭ પૃથ્વી વિગેરે ચાર દ્રવ્યની સમાલોચના. ૨૧૮ એકાન્ત અનિત્યતા ઉપર વિચાર
૨૬૧ ૨૧૯ શરીરને વિચાર. ૨૨. ઇન્દ્રિયને વિચાર.
૨૬૫ ૨૨૧ ઈન્દ્રિયેનું વાસ્તવિક સ્વરૂપ.
૨૬૬ ૨૨૨ પૃથ્વી વિગેરે વિષયનું નિરૂપણ.
૨૬૯ ૨૨૩ આકાશ તત્વને વિચાર.
૨૭૧
૨૫૯
૨૬૨
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૨૪ શબ્દમાં પાગલિક દ્રવ્યની સિદ્ધિ. ૨૨૫ કાલતત્વ વિચાર. ૨૨૬ દિશાતત્વ વિચાર, ૨૨૭ આત્મતત્વ વિચાર. ૨૨૮ મને દ્રવ્ય વિચાર. ૨૨૯ ગુણ સંબન્ધિ વિચાર. ૨૩૦ પરિણામ સંબન્ધિ વિચાર. ૨૩૧ કર્મ પદાર્થ ઉપર વિચાર. ૨૩૨ સમવાય પદાર્થ વિચાર, ૨૩૩ મુકિત સંબન્ધિ વિચાર,
૨૭૨ ર૭૪ ૨૭૪ ૨૭૫ ૨૮૬ ૨૮૯
૨૯૧ ૨૯૬
૨૮
૩૦૦
Page #22
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્ર.
પૃ. ૫ અશુદ્ધ
શુદ્ધ ૧૧ ૭ જ ૧૬ ૫ તત્વ નિરૂપણ આવા આવા તત્વ નિરૂપણ નામના
તનામાના ૨૦ ૧૬ તેને ૨૫ ૧૩ નિરાલબિ નિરાલંબિ. ૩૪ ૧૧ અધ્યયનાદિસિદ્ધિનાં આ પાંચ શબ્દાદિ સિદ્ધિઓ- પર્યાય નામે ના પર્યાય નામે. ૫૧ ત ૫૧ ૧૪ પટેલ
પ્રરૂપેલ. ૬૭ ૩ પર્વતા પક્ષમાં પર્વતાદિપક્ષમાં. ૭૮ ૧૮ એ આ
એ વાત ૮૨ ૧૩ આ અમુક દેવદત્ત તે આ દેવદત્ત છે
અથવા અન્ય છે આ જિનદત્ત છે. ૩ ૧૮ નિકારણ નિરાકરણ. ૯૩ ૧૯ પ્રતિતિએ પ્રતીતિઓ. ૧૧૨ ૩ અને પ્રમાણેથી બન્ને પ્રમાણેથી. ૧૨૦ ૧૩ જેમકે ધૂમાડા વાળું જે જે ધૂમાડા વાળું હોય છે
હેય છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
૧૨૫ ૯ સામાન્યદ્રષ્ટનું સામાન્તદષ્ટાનુમાનનું. ૧૬૬ ૯ કિરણસ્વરૂપિણ ચક્ષુ કિરણસ્વરૂપિ ચક્ષુથી. ૧૭૬ ૧ મતાનુતિ રતનુતિ. ૧૮૩ ૧૨ શ્રતિએ
તિઓ. ૧૮૩ ૧૫ મુકતવસ્થાનું મુકતાવસ્થાનું. ૧૮૭ ૧૫ ધર્માધર્મ ક્ષયહિમોક્ષ ધર્માધર્મ ક્ષહિમોક્ષ. ૧૩ ૧ કર્મના ભેદ ૧૫ ૧ સ્નેહ
સ્નેહપ્રયત્ન. ૨૦૮ ૧૨ શ્રાવ્યરૂપ
શ્રેત્રરૂપ. ૨૧૦ ૬ ઐશની
એશાની. ૨૨૫ ૧૯ શ્રાત્રેન્દ્રિય શ્રાન્દ્રિય ૨૨૦ ૨૦ વિપિનચંના વિપિચન્દ્રના ૨૨૧ ૨ દ્વિત્વ-સંખ્યા દ્રિવ સંખ્યા ૨૨૪ ૭ અનેક હોય તે દ્રવ્ય અનેક હોય તે અનેક
કહેવાય - દ્રવ્ય સંખ્યા કહેવાય ૨૩૪ ૧૮ષદર્શન હયેનું દેરષદર્શન હેયનું જ્ઞાન તે
જ્ઞાન તે ૨૪૧ ૧ યુનુષ
ધનુષ ૨૪૨ ૧૨ તારવાર
तदहरवायं ૨૪૬ ૧૦ આકાશની અન્દર આચારની અન્દર ૨૫૮ ૯ ખબ
ખૂબ ૨૭૨ ૧૯ તેય
તેપ ૨૮૦ ૧૫ એકાર્ય
એક કાર્ય
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૮૧ ૧૮ એને
૨૮૯ ૧૦ ગુણવાળું
૨૮૯ ૧૩ O
૧૫
અને
ગન્ધ ગુણવાળુ આથી એ સિદ્ધ થયુ' કે
રૂપ, રસ, ગન્સ, સ્પ,
આચાર, પુદ્દગલ દ્રવ્યના પાઁય સમજવા તેથી
જુદા નહિ.
૨૯૦ ૧૭ અસમવાચિકારણછે અસમનાયિકારણતા
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
नमो नमः श्रीप्रभुधर्मसूरये ।
સંધ્યાન.
મંગલાચરણ. नत्वा शद्धेश्वरं पार्थ धर्मसूरि गुरुं तथा । भव्यानां प्रतिबोधाय तत्त्वाख्यानं प्रतन्यते ॥१॥
સર્વ દેવેન્દ્રો અને નરેન્દ્રોને વન્દનીય, સર્વ ગિરાને ધ્યેય, ત્રિજગપૂજનીય, યથાર્થવાદી, પરમસંગલરૂપ એવાવીતરાગદેવનું સ્મરણ કર્યા સિવાય; તથા તેજ પરમાત્માને ઓળઆવનાર, પાષાણને પણ ચિન્તામણિસમ કરનાર, મૂર્ખને પણ પંડિતશિરોમણિ કરવામાં તત્પર એવા કૃપાસાગર પરમગુરૂ મહારાજશ્રીની કૃપારૂપ કામધેનુ વિના કેઈ પણ મનુષ્ય શ્રેષ્ઠ કાર્યમાં ફતેહ મેળવી શકતા નથી, એ વાત સર્વ જનપ્રસિદ્ધ છે. એમ ધારી તે પરમપૂજ્ય દેવ-ગુરૂને યાદ કરવા, એ દરેક જેની ફરજ છે.
અભિધેય. શ્રીકૃદેવી પણ હારા અત્યલ્પ એવા આ “તવાખ્યાન
Page #27
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન..
નામના ગ્રંથને રચવામાં વિદનેને દૂર કરી દર્શનનાં તત્ત્વની વ્યાખ્યામાં મને પ્રોત્સાહિત કરે.
પ્રજન, અધિકારી. જગતમાં સર્વ કઈ જાણે છે કે-હિંસક, અસત્યપ્રલાપી, ચોરી વગેરે અનિષ્ટ કાર્યો કરવામાં લેશમાત્ર પણ સકેચ નહિ કરનાર; અન્ય ને વધ, બંધન, તાડન, તર્જનાદિ નિર્દય કાર્યમાં પ્રેરક વ્યભિચારમાં નિપુણ; લેભમાં આસક્ત એ દુર્ગણું મનુષ્ય રાજકિય પુરૂષના હાથમાં આવતાં જેમ કારાગૃહને આધીન બની રાજનિયમાનુસાર અનેક પ્રકારની અસહ્ય વેદનાઓને ભગવતે આર્તા–વૈદ્ર ધ્યાનમાં લીન થઈ દુઃખદાવાનળની મેદનીના મેદાનમાંથી ગમન કરવાની તૈયારી કરે છે અને જ્યારે તેજ કારાગૃહને સમય પૂરે થવા આવે, ત્યારે જેમ મંગલમુહૂર્ત અગર સારા નરસાં
ઘડીને વિચાર નહિ કરતાં એક પણ સમય ન ગુમાવતાં જલદી બહાર નિકળવાની કેશીશ કરે છે. અને છૂટવાના નજદીકના દિવસેને આવતા જોઈ અન્તઃકરણમાં આનંદિત થાય છે તેમજ કમંકલેશરૂપી નિગડથી બંધાએલા એવા સમસ્ત જીએ પણ આ સંસારરૂપી કારાગૃહમાંથી બહાર નીકળવાના ઉપાયની શોધખોળમાં રહેવું જોઈએ. એ કથનને કઈ પણ બુદ્ધિમાન અનુચિત નજ ગણી શકે. તે કર્મકલેશરૂપી નિગડથી મુક્ત થવાને ઉપાય સમ્યગદર્શન,સમ્યગજ્ઞાન અને સમ્યક્માન્ટિ -આ ત્રણના સમુદાય સિવાય અન્ય છેજ નહિ. ઉપર્યુકત ઉપાય
Page #28
--------------------------------------------------------------------------
________________
તત્વાખ્યાન.
વિના બીજા કેઈ પણ ઉપાયની આશા રાખવી, એ વધ્યારી ભાસેથી પુત્પત્તિના મારથ સમાન જ છે; પરંતુ અન્ય દર્શનકાના માનેલા ઉપાયોનું પ્રદર્શન કરાવવામાં ન આવે, ત્યાં સુધી અમે એ બતાવેલ ઉપાયની સત્યતા યા ગંભીરતા અન્યલેકેન સમજવામાં ન આવી શકે, એ સ્વાભાવિક છે. અતએ તે તત્તાતત્ત્વ (સત્યાસત્ય) ને નિર્ણય સ્વયં સમજાય, એવા હેતુથી મધ્યસ્થષ્ટિ મહાશયને હિતકર વદર્શનકારેના વિચારે બતાવવાને પ્રથમ પ્રયત્ન કરીશું.
પ્રારંભ. આ ભારતવર્ષમાં ષદર્શનની ઉષણ ઘણી પ્રસિદ્ધ છે. જો કે તેના પેટાવિભાગ તરીકે ઘણા વિભાગે છે, પરંતુ આ સ્થળે તે મુખ્ય દર્શનની વ્યાખ્યાને વિચાર વિચારપથમાં આવવાથી તેના અવાન્તર ભેદની વિચારણાને મુલતવી રાખવામાં આવી છે. વળી આધુનિક મત-મતાંતરત મૂલના એક એક અંશને ગ્રહણ કરીને નીકળેલ હોવાથી અથવા તે સ્વકપોલકલ્પિત હોવાથી તેઓની સાથે વિચારણાની આવશ્યકતા છેજ નહિ; કેમકે જગતમાં જેટલા મનુષ્યો છે, તેટલા મતે છે, તે પછી તેઓની સાથે ક્યાં સુધી વિચારણા થઈ શકે? આજ વાતની પુષ્ટિ કુરે કુરે તિમિજા એ વાક્યથી થઈ શકે છે. માટે મૂળદર્શન પરત્વે કાંઈક વિચારણા ઉચિત સમજવાથી તેને પ્રારંભ કરવામાં આવે છે.
'જૈન ૧, સાંખ્ય ૨, શ્રાદ્ધ ૩, નૈયાયિક ૪, વૈશેષિક ,
Page #29
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાને,
મીમાંસક ૬. આ છ મુખ્યદર્શનેનાં નામે પ્રસિદ્ધ છે. તેમાંથી જૈનેતર દર્શન એ માનેલ પદાર્થોની સમાલોચના કર્યા પછી,
નદર્શનકારેએ સ્વીકારેલા પદાર્થોનું સ્વરૂપ પ્રદર્શિત કરવામાં આવશે.
સાંખ્યમતનું સ્વરૂપ
- સાંખ્યમતને માનનારા સાધુઓ પુરૂષચિનને ઢાંકવા કેપીન(લગેટ) સખે છે.તથા ગેરૂ વગેરે ધાતુથી રંગેલ વસ્ત્રોને ધારણ કરે છે. તેમાંથી કેટલાક સાધુએ શિખા-ચેટી રાખે છે. કેટલાક જટા ધારણ કરે છે, જ્યારે કેઈક લૂરમુંડન પણ કરાવે છે. તેઓ મૃગચર્મને આસનના ઉપયોગમાં લે છે તેમ બાહ્મણ સિવાય બીજાના ઘરની ભિક્ષા તેઓ ગ્રહણ કરતા નથી. જો કે શાસ્ત્ર તે સર્વ જાતિવાળાઓના ઘરથી આહારાદિ લેવાનું ફરમાવે છે; પરંતુ તે લેકે પિતાની ઇચ્છાને આધીન થઈ તેમ કરે છે. તેમાંથી કેટલાક ઉત્કૃષ્ટ તપસ્વીઓ પાંચ ગ્રાસમાત્રને આહાર કરે છે. અને કેટલાક અત્યંત પરિપકવ પત્ર, મૂળ, ફળ, ફૂલ ઈત્યાદિથી પિતાને નિર્વાહ ચલાવે છે. તથા તેઓ પિતાના આમ્નાય પ્રમાણે પ્રતિદિન બાર અક્ષરને જાપ કરે છે. તે મતના સાધુઓને પરિવ્રાજકના નામથી ઓળખવામાં આવે છે. મહાભારતમાં તેઓને “વીટ”એવી સંજ્ઞા આપેલી છે. તેમના ભક્ત તેઓને “નમો નારાજગાદ” એ પદને ઉચ્ચારણ કરી નમસ્કાર કરે છે. હેના પ્રત્યુત્તરમાં તે પરિવાજ કે “નાય નમઃ' એવા આશીર્વાદના
Page #30
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
શબ્દ બેલે છે. મુખ તથા નાસિકાના વાયુદ્વારા જેને વ્યાઘાત ન થાય, તે સારૂ તેઓ લાકડાની પાટલીને મુખ પાસે રાખીને બેલે છે. તે વાતની પુષ્ટિ નીચેને શ્લેક બરાબર કરે છે –
પ્રાગાદિતોનુણાનિ જાનૈન દત્તા हन्यते शतशो ब्रह्मन्नणुमात्राक्षरवादिनाम् ॥ १॥
ભાવાર્થ–હે બ્રહ્મન! લેશમાત્ર અક્ષરને બોલનારાઓની નાસિકા અને મુખ થકી નિકળેલ એક શ્વાસ વડે સેંક જતુઓ હણાય છે. ૧
અપકાય છની રક્ષાનિમિત્તે નીચેના કલેકમાં જણાવેલ લક્ષણવાળું ગાળણું રાખવા તેઓ પિતાના ભક્તને ઉપદેશ આપે છે -' '
*
- - - -
पत्रिंशदालायामं विंशत्यशुलविस्तृतम् । दृढं गलनकं कुर्याद् भूयो जीवान् विशोधयेत् ॥१॥
ભાવ – છત્રીશ આગળ લાંબું, અને વીશ આગળના વિસ્તારવાળું મજબૂત ગળણું કરવું. તેમ તેનાથી વારંવાર જીની શુદ્ધિ કરવી. અર્થાત્ પાછું વળીને જીવે બચાવવા. ૧,
ખા પાણીના છ મીઠા પાણીથી અને મીઠા પાના ખારા પાણીથી મરી જાય છે, માટે ભિન્ન ભિન્ન પાણ મિશ્ર કવું નહિ. તેમજ પાણીને સંખારે પણ તે પાણીમાં નાખવે કે જેમાંથી તે પાણી લાવવામાં
Page #31
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન,
આવ્યું હોય. પરંતુ બીજા કૂવા અગર નદી આદિમાં તે બિલકુલ નાખવું નહિ. આ સાંખ્યમતાનુયાયિને આખાય છે. પરંતુ વર્તન તદ્દન ઓછા અંશે જવાય છે. પાણીના એક બિન્દુમાં અસંખ્યાત છે હોય છે. તે નીચેના કલેકથી સમજાશે.
लूताऽऽस्यतन्तुगालते ये बिन्दौ सन्ति जन्तवः । . सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे ॥१॥
ભાવાર્થ –કળીઆના મુખના તાંતણા (લાળ) થી નીચે પડેલા એવા સૂક્ષ્મ પાણીના બિંદુમાં એટલા બધા સૂક્ષ્મ જતુઓ છે કે જે તે જતુઓ ભમરાના શરીર સમાન શરીરધારી હૈય, તે ત્રણ જગતમાં સમાય નહિ. . અર્થાત્ થોડા પાણીના ટીપામાં પણ એટલા જંતુઓ છે. તે જીની રક્ષાને માટેજ ઉપર્યુક્ત ઉપદેશ આપે છે.
સાંખ્યમતમાં મુખ્ય બે ભેદ છે-૧ ઈશ્વરવાદી, અને ૨ અનીશ્વરવા. કલેશકર્મ વિપાકાશયથી રહિત એવા પ્રકારની વ્યક્તિવિશેષને માનનારા, તે ઈશ્વરવાદી કહેવાય છે. અને જેઓ તે ઈશ્વરવ્યકિતને માનતા નથી, તેઓ અનીશ્વરવાદીના નામથી ઓળખાય છે. પાતંજલગનાં અનુયાયિઓ ઈશ્વરને જુદી વ્યકિત તરીકે સ્વીકારે છે. અને કપિલ લેકે ઈશ્વરને જુદી વ્યક્તિ તરીકે સ્વીકારતા નથી, પરંતુ નારાયશુને દેવ તરીકે માને છે. તે મતના પ્રકાશક પ્રાચીન આચાર્યો કપિલ, આ મુરિ, પંચશિખ, અને ભાર્ગવ વગેરે હતા. કપિઉના પ્રરૂપેલ મતે માનવાર સાંખ્ય લેકેને “કપિલ”
Page #32
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રથમ તે મતને પ્રચાર કાશી વગેરે પ્રદેશોમાં ઘણે હતું. તે સમયમાં તેમનાં તત્ત્વની ચર્ચા પણ ઘણી ચાલતી હતી, પરંતુ કાલક્રમના કારણથી, વર્તમાન સમયમાં આ મતને બહુ થડે પ્રચાર રહ્યો છે. કેટલાક વિદ્વાનોની એવી માન્યતા છે કે, વેદાક્તિઓનું જોર થવાથી સાંખ્યતત્ત્વની ચર્ચા ઘણી ઓછી થઈ છે. વર્તમાનકાળમાં સાંખ્યતને સમજાવવાવાળા અધ્યાપકે પણ વાસ્તવિક રીતે જોઈએ તેવા મળતા નથી. જો કે મિથ્યા આડંબરધારી કેટલાએક મુખથી એમ બેલે છે કે –સાંખ્યતને અમે સારી રીતે જાણીએ છીએ, પરંતુ અધ્યાપનકાળમાં પ્રતિપાદક શલીના અભાવે પાછળથી લજજાસ્પદ બને છે. એ અનુભૂત બીના છે. સાંખ્યમતને માનનારા લેકે હિં સોપદેશક વેદવાકાને બિલકુલ માન નહિ આપતાં ઘણાની દૃષ્ટિથી જુએ છે. “મિરજે
મામેત ” ઈત્યાદિ વેદવાકયે ઉપર ઉદાસીનતા ધારણ કરે છે. તથા તે લેકે “મેક્ષનું કારણ ફકત તત્વજ્ઞાન જ છે,”. એવું માને છે. કિયાએ ભલે ગમે તેવી હોય, પરંતુ જે હૃદયમાં પચ્ચીશ તત્ત્વનું જ્ઞાન થાય, તે અવશ્ય મોક્ષ મળી શકે, એવી તેમની માન્યતા છે. તેની પુષ્ટિમાં માકરભાષ્યના પ્રાન્તભાગમાં કહેવામાં આવ્યું છે કે -
इस पिर लाल खाद मोद नित्यं भुड्न च भोगान् यथाभिकामम्। यदि विदितं ते कपिलमतं तत् प्राप्स्यसि मोक्षसौख्यम
વિન ?
Page #33
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
ભાવાર્થ-હાસ્ય કરે, યથેષ્ટ પાન કરે, વિલાસ કરે, મઝ માણે, અને યથારૂચિ યથેષ્ઠ ભેગે નિરંતર ભેગવે, જે કપિલ મુનિને મત તમારા જાણવામાં આવી ગયે, તે તમે ડાજ સમયમાં મેક્ષસુખ મેળવશે. વળી તેઓ જણાવે
पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः। ... शिखी मुण्डी जटी वाऽपि मुच्यते नात्र संशयः ॥१॥
ભાવાર્થ–-સાંખ્યમતમાં માનેલાં પચ્ચીશ તને જાણનાર; ગમે તે આશ્રમમાં આસક્ત હય, તે શિખાધારી હોય, જટાધારી હોય અથવા મુંડ હોય, પરંતુ તે મુક્ત થાય, તેમાં સંશય નથી.
ઉપર્યુક્ત બે શ્લેથી એમ સ્પષ્ટ સમજાય છે કેમુક્તિના કારણભૂત કપિલને મત પચ્ચીશ તામાંજ રહેલો છે. ઈશ્વરવાદી અને નિરીશ્વરવાદી-એ બને સાંખ્યાનુયાયિના ભેદમાં તેની માન્યતા તે સમાન જ છે. એટલે પરીશ તત્ત્વની બાબતમાં તે ભિન્નતા છેજ નહિ.
ત્રણ પ્રકારનાં દુખે. ' ' આ પ્રસંગે તે સાંખ્યમતના સ્વરૂપને કંઇક વિશેષ ઉલ્લેખ કરવો આવશ્યક સમજાય છે. સાંખ્યમતાનુયાયિ છે આ ધ્યાત્મિક ૧; આધિભૌતિક ૨, અને આધિદૈવિક ૩, એમ ત્રણ
Page #34
--------------------------------------------------------------------------
________________
તજ્યાખ્યાન,
પ્રકારે દુઃખે માને છે. અને એ દુઃખથી પીડાયેલ જીવને દુઃખનાશક હેતુઓમાં જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે. (૧) આધ્યાત્મિક દુઃખ.
આધ્યાત્મિક દુઃખના શારીરિક અને માનસિક–એમ બે ભેદો પાડવામાં આવ્યા છે. શારીરિક એટલે શરીર સંબંધી દુઃખે. તેને વિસ્તાર આયુર્વેદ-વૈદ્યક ગ્રંથમાં આવતાં રોગનાં નામે, લક્ષણે તથા તેનાથી થતી પીડાઓનું વર્ણન જાણવાથી સ્પષ્ટ સમજાશે. અતએવ વિશેષ જિજ્ઞાસુઓને તે તે ગ્રંથને તપાસી જોવાની જે કે ભલામણ કરૂં છું; તે પણ અહિં સંક્ષેપથી તેનું દિગ્દર્શન કરાવવું ઉચિત સમજું છું.
આચારાંગસૂત્રના ૨૩૫ મા પૃષમાં જણાવવામાં આવ્યું છે કે-વાત, પિત્ત અને શ્લેષ્મની વિષમતાના કારણથી થતા જાર, શળ, અતિસાર, ક્ષય અને ખાંસી વગેરે જેગો એ શારીરિક દુઃખમાં ગણાય છે. તથા વાતાદિ દેશે ની ઉત્કટતાથી અઢાર પ્રકારના કુષ્ઠ રોગ (કેટ) થાય છે. તેમાંથી અરૂણેદુબરકુન,નિશ્યકુB૨,જિહુવાકુષ્ઠ ૩, કપાલકુB૪,કાકનદકુષ્ઠ, ૫, પિડરિકકુષ્ઠ ૬, અને દકુષ્ઠ ૭,એ સાત મહાકુષ્ઠ કહેવાય છે. કારણ કે--જરે એની અંદર સર્વ ધાતુઓને અનુપ્રવેશ થાય છે, ત્યારે અ દ ધ બને છે. સ્થલારફ કુષ્ઠ ૧, મહાકુષ્ઠ ૨, એ કુષ્ઠ ૩, દંતકુઠ ૪, પરિસપ કુષ્ઠ ૫, સિદ્ધકુષ્ઠ ૬, વિચચિંકાકુર્ણ ૭, કિક્રિભકુષ્ઠ ૮, મામાકુક તારૂકુષ્ઠ ૧૦
Page #35
--------------------------------------------------------------------------
________________
To
તત્ત્વાખ્યાન.
વિસકુષ્ઠ ૧૧, એ અગીયાર લઘુકુષ્ણનાં નામે છે. સામાન્ય રીતે જોતાં એ કુષ્ઠરોગની ઉત્પત્તિ સંનિપાતના કારણથી થાય છે. પરંતુ અવાંતર ભેદોના પ્રાદુર્ભાવ વાતાદિ દ્વષાની પ્રખલતાથી થાય છે.
ક્ષા.
त्रिदोषो जायते यक्ष्मा गदो हेतुचतुष्टयात् । वेगरोधात् क्षयाच्चैव साहसाद् विषमासनात् ॥ १ ॥
ભાવાથ ધાતુ વિગેરે વેગના આવેશને રોકવાથી, ધાતુઓના ક્ષયથી, સાહસ કરવાથી અને વિષમ રીતે આસનને સેવવાથી—એમ ચાર હેતુથી આ ત્રણ દોષવાળા ક્ષયરોગ ઉત્પન્ન થાય છે. આ ચાર મુખ્ય કારણા સિવાય બીજા એધાન્તર. કારણા પણ ઘણાં છે.
अपस्मार.
આ
વિવે
વાત, પિત્ત, શ્લેષ્મ અને સંનિપાત-એ ચાર કારણેાના ભેદથી અપસ્મારના પણ ચાર ભેદે પાડવામાં આવ્યા છે. રાગના જ્યારે ઉપદ્રવ થાય છે; ત્યારે પ્રાણી સસદ્ કથી વિકલ અની ભ્રમિ, મૂર્છા ઇત્યાદિ અનેક અવસ્થાએ અનુભવે છે. શ્રૃમિ અવસ્થાના આવેશથી મનની ઘણી નિર્મલતા માલૂમ પડે છે. અર્થાત્ કોઇ પણ કાર્યોંમાં મનની સ્થિરતા બિલકુલ રહેતી નથી. સંરભ અવસ્થામાં અનેક પ્રકારના સકા મનની અંદર થયા કરે છે. દ્વેષનું આધિક્સ યા ચીડ
Page #36
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
પ્રકૃતિપણું, યાદશક્તિની અત્યલ્પતા, મૂછી અથવા બેભાન પણું-એ સર્વ ચિન્હ અપસ્માર રેગના ઉદયથી થાય છે.
.
ગર્ભાવસ્થામાં અથવા ઉત્પન્ન થયા પછી–એમ બને પ્રકારે જીને આ રોગ ઉત્પન્ન થાય છે. ગર્ભમાં બાલકને જે દષ્ટિ સુધી તેજ પ્રાપ્ત થયેલું ન હોય, તે તે બાળક જન્માંધે જન્મે છે. અને જે તે જ તેજે એક આંખમાં જ આવ્યું હોય, તો તે બાળક જન્મથી એકાક્ષ અર્થાત્ કાણું પેદા થાય છે. રૂધિર નામની ધાતુની સાથે તે તેજ મિશ્ર થએલું હોય, તે તે બાળક લાલનેત્ર વાળું થાય છે. પિત્તની સાથે અનુગત હોય, તે પિળાનેત્ર વાળું અને વાતાનુગત તેજથી વિકારીનેત્ર વાળું બાળક જન્મે છે.
ઉપર્યુકત ગર્ભાવસ્થામાં થતા નેત્રરોગ સિવાય ઉત્પન્ન થયા પછી પણ નીચેના શ્લોકમાં બતાવેલાં કારણેથી અનેક પ્રકારના આંખ સંબધિ રેગેને પ્રાદુર્ભાવ જોવામાં આવે છે
वातात् पित्तात् कफाद् रक्तादभिष्यन्दश्चतुर्विधः । ..
प्रायेण जायते घोरः सर्वनेत्रामयकरः ॥१॥ - ભાવાર્થ-વાત,પિત્ત, કફ અને રૂધિર એ ચાર કારણથી ચાર પ્રકારે નેત્રમાં અભિન્કંદ રોગની ઉત્પત્તિ થાય છે.. કે જેના આલંબનથી સર્વ પ્રકારનાં આંખનાં દર્દો ઉદ્દભવે છે. માટે તે ભયંકર ગણાય છે. ૧
Page #37
--------------------------------------------------------------------------
________________
T
તત્ત્વાખ્યાન.
ડત.
જાદ્યોગની ઉત્પત્તિથી શરીરના સર્વ અવયવે પરવશજડસ્વરૂપ વાળા બને છે. એ રેગની ઉદયાવસ્થામાં પ્રાણી બેહેશ–બેભાન–જડસમાન બની જાય છે. गर्भाधाननी विकलता.
ગર્ભાધાનની વિકલતાથી એક પગ ન્યાનેકે થાય છે, ચા એકજ પગ થાય છે. બીજો પગ તે ફક્ત નામ માત્ર જ હોય છે. તથા હાથ વડે હુઠો પેદા થાય છે.
गर्भे वातप्रकोपेन दौहदे वाऽपमानिते । भवेत् कुब्जः कुणिः पगुमूको मन्मन एव च ॥१॥
ભાવાર્થ–ગર્ભમાં વાતના પ્રકોપથી અથવા ગર્ભવતીને ઉત્પન્ન થયેલા અભિલાષની પૂતિ ન કરવાથી બાળક કૂબડું, હૂંઠું, પાંગળું, મૂંગું અને બબડું પેદા થાય છે. ૧ ઈત્યાદિ
અનેક પ્રકારની વિકલતા માત-પિતાના શેણિત તથા શુક્રગત દેથી થએલી જોવામાં આવે છે. उदररोग.
વાત, પિત્ત ઈત્યાદિ કારણે ના મળવાથી પેટમાં આઠ પ્રકારના રોગોને પ્રાદુર્ભાવ થાય છે. જલે દર, બળ, ગાંઠ, બદ્ધગુદા વગેરે રોગે પણ પૂર્વોક્ત કારણોથી પેદા થયેલા જોવાય છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
मुखरोग,
મુખમાં સાતસ્થાન વિશેષના મળી પાંસઠ રોગોની ઉત્પત્તિ થાય છે. (૧) ઓષ્ઠસ્થાનમાં ૮, (૨) દંતના મૂળમાં ૧૫, (૩) દંતના બીજા પેટા ભાગમાં ૮, (૪) જિહામાં ૫, (૫) કંઠમાં ૧૭, (૬) સર્વ સ્થાનમાં સાધારણ ૩, (૭) તાલુમાં ૯ એમ સર્વ મળી ૬૫ રેગ મહેતાની અંદર પેદા થાય છે. ના.
૧ વાતથી, ૨ પિત્તથી, ૩ કલેષ્મથી, ૪ સંનિપાતથી, ૫ રક્તથી, ૬ અભિઘાતથી. આ છ પ્રકારથી સેજાની ઉત્પત્તિ થાય છે. भस्मक. ' વાત-પિત્તની ઉત્કટતા તથા બ્લેકમની ન્યૂનતાના કારણથી ભસ્મક નામના રોગને ઉદ્દભવ થાય છે.
કા. : - ગર્ભના દોષથી પીઠસપિગ વાળું પણ બાળક પેદા થાય છે. તે રેગના કારણથી હાથમાં લાકડી વગેરે સાધન રાખ્યા સિવાય બિલકુલ ચાલી શકાતું નથી. વાત, પિત્ત તથા શ્લેષ્મના કેપથી પ્રથમ વક્ષ:સ્થળમાં ત્યાર પછી ઊરૂમાં, જંઘામાં એમ અનુક્રમે ધીરે ધીરે આ રોગ વધતું જાય છે. જ્યારે તે પગનું આલંબન લઈ સેજપણના સ્વરૂપને ધારણ કરે છે, ત્યારે તે ૮ શ્લીપદ ” એવા નામથી ઓળખાય છે. આ રોગ પ્રાય જે
Page #39
--------------------------------------------------------------------------
________________
તન્વાખ્યાન.
ભૂમિમાં ઘણુ વખત સુધી જૂનું પાણી રહ્યા કરતું હોય તથા સર્વ ઋતુમાં જ્યાં ઠંડી પડતી હોય તેવા પ્રદેશમાં પ્રકટ થાય છે. એમ અનુભવિ વૈદ્યોનું માનવું છે. મધુમેહ.
મધુમેહ, એ નામનો રોગ બસ્તિ-પુરૂષ ચિન્હમાં ઉત્પન્ન થાય છે. એ રોગની વિદ્યમાનતાથી પિશાબ મધની માફક મીઠે બની જાય છે. આ રોગ અસાધ્ય કહેવાય છે. જો કે સર્વ પ્રમેહ અર્થાત્ પરમીઆઓ પ્રાયઃ સર્વદેથી ઉત્પન્ન થાય છે, છતાં વાતાદિની પ્રબળતાથી તેના વિશ ભેદ પાડવામાં આવે છે. કફની ઉત્કટતાથી ૧૦ પ્રકારના પ્રમેહ, પિત્તની પ્રબળતાથી ૬ પ્રકારના તથા વાયુના વિશેષ વિકારથી ૪ પ્રકારના–એમ સર્વ મળી ૨૦ સંખ્યા થાય છે. દરેક પ્રમેહે
જ્યારે અસાધ્ય અવસ્થાને આધીન બને છે, ત્યારે તે “મધુમેહ નામથી ઓળખાય છે. કારણ કે બીજા પ્રમેહોને ઉપચારથી કદાચ આરામ થવાને સંભવ રહે છે, પરંતુ મધુમેહની અવસ્થામાં પરિણમેલ પ્રમેહને કઈ પણ ઉપચાર લાગુ નહિ પડત. હેવાથી અતિશય અસાધ્ય મનાય છે. માટે તેને જીવનયાત્રાની સમાપ્તિને સૂચક જાણવું જોઈએ.
ઉપર દર્શાવેલ ગે શારીરિક દુખમાં ગણાય છે. તેના અવાન્તર ભેદો હજારે થઈ શકે છે, પરંતુ આ ન્હાના ગ્રંથમાં તે વિષયનું વિશેષ વર્ણન કરવાને અવકાશ ન હોવાથી વિસ્તારથી વિવેચન કરવાના વિચારપ્રવાહને અટકાવી હવે આગળ વધીશું,
Page #40
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
એવી જ રીતે આધ્યાત્મિક દુઃખને બીજો ભેદ માન સિદુખે છે.
કામ, ક્રોધ, લોભ, મદ, માન, ઈર્ષા, અભિનિવેશ, અને વિષયનું અદર્શન-ઇત્યાદિ કારણેથી મનમાં જે દુખ, સંતાપ, પીડા ઉત્પન્ન થાય તેને માનસિક દુઓ એવા નામથી એળખવામાં આવે છે. શારીરિક અને માનસિક એ બન્ને પ્રકારનાં દુઓને આન્તરિક ઉપાય સાથે હોવાથી તેની આધ્યાત્મિકદુઃખમાં ગણના થાય છે. (૨) આધિદૈતિક દુઃખ.
મનુષ્ય, પશુ, પક્ષી, સરીસૃપ અને સ્થાવર વગેરે નિમિતોથી જે કાંઈ પણ દુઃખે ઉત્પન્ન થાય છે, તેને આધિભૈતિક દુખ કહેવામાં આવે છે. (૩) આધિદૈવિક દુઃખ.
યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ અને ગ્રહ ઈત્યાદિ નિમિતેથી જે કાંઈ પણ દુઃખે અનુભવાય, તે આધિદૈવિક દુઃખના નામથી ઓળખાય છે. આ બંને પ્રકારનાં દુખે બાહ્ય ઉપાચેથી સાધ્ય છે, એમ મનાય છે.
પ્રથમ પ્રસ્તાવને ઉપસંહાર. સાંખ્યમતાનુયાયિ લેકે મહત્તત્વનું બીજું નામ છે બુદ્ધિતત્ત્વ કહે છે, તેની વૃત્તિરૂપ તથા રજોગુણના પરિણામ -સ્વરૂપ આધ્યાત્મિક ૧, આધિભાતિક ૨, આધિદૈવિક ૩, એ
Page #41
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
રણે પ્રકારનાં દુઃખેની સાથે ચૈતન્યશક્તિને જે પ્રતિકૂળ સંબંધ, તેને “અભિઘાત” નામથી ઓળખાવે છે. તે દુઃખેને નાશ કરવા જીને તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તે હવે સંપૂર્ણ જગતમાં પચ્ચીશ જ છે. અધિક નથી, એવી તેમની માન્યતા છે. તત્વનિરૂપણ આ વાત નામના બીજા પ્રસ્તાવમાં સ્પષ્ટ કરવામાં આવશે.
પ્રથમ પ્રસ્તાવ સમાસ.
Page #42
--------------------------------------------------------------------------
________________
द्वितीयः प्रस्तावः।
સાંખ્યતનું નિરૂપણ. मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारोन प्रकृतिर्न विकृतिः पुरुषः।।३।।
| ( ક્રિશ્ચતપુર) .
પ્રકૃતિનું સ્વરૂપ. પ્રસાદ-મનનું પ્રસન્નપણું, બુદ્ધિપાટવ-બુદ્ધિનું તીર્ણપણું, લાઘવ–શરીરનું લઘુપણુ, અનભિવંગ-આસક્તિરહિત પણું, દ્વેષને અભાવ અને પ્રીતિ-એ વિગેરે લક્ષણથી સત્વગુણ ઓળખાય છે. તાપ, શેષ-આંતરિક દ્વેષાદિ કારણોથી સૂકાવાપણું, ભેદ-હદયની ભિન્નતા, લાચત્તતા–ચિત્તનું અવ્યવસ્થિતપણું, સ્તંભ–મદાવસ્થા, ઉદ્વેગ-મનને ખેદઈત્યાદિ ચિનેથી રજોગુણ જાણી શકાય છે. દૈન્ય–દીનપણું, મહત્વ મુંઝાવાપણું, મરણના જેવી અવસ્થા, બીભત્સાપણું, અજ્ઞાન, જડતા, પ્રમાદ, નૈરવ, રૈદ્ર-આકૃતિની ભયંકરતા-વિગેરે પ્રકારથી તમે ગુણ ઓળખી શકાય છે.
જેથી મનુષ્ય આ જગમાં સરલરવભાવી, નિરભિમાની અને સ્વસ્થ ચિત્તવાળા થઈ સત્ય, શાચ, બુદ્ધિપાટવ અને શરીરલાઘવ વિગેરે ગુણેમાં કુશળતા મેળવે છે, તેને સત્વગુણને.
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮
તવાખ્યાન.
પ્રભાવ સમજે જોઈએ. જેથી મનુષ્ય દ્વેષ, દ્રોહ, માત્સર્ય,નિંદા, બન્ધન અને તાપ વગેરેને અનુભવ કરે છે, તે રજોગુણનો પ્રતાપ કહી શકાય. તેમજ જેનાથી જીવે અજ્ઞાન, અભિમાન, આલસ્ય, દીનતા, ક્રિયાને અભાવ, નાસ્તિકપણું, ખેદ, અને ઉન્માદ વગેરે દુર્ગુણેને સેવે છે, તે તમે ગુણનું જ પરિણામ છે. ઉપર બતાવેલ ત્રણગુણેથી સમસ્ત જગત્ વ્યાપ્ત છે, છતાં બ્રાહમ, પ્રાજાપત્ય, સામ્ય, ઐન્દ્ર,ગાંધર્વ, રાક્ષસ, પિશાચ અને યક્ષ-આ આઠ પ્રકારની દેવસુષ્ટિરૂપ ઊર્વકમાં સત્ત્વગુણની પ્રધાનતા કહેવામાં આવે છે. તથા અલક-પશુ, પક્ષી, મૃગ, સરીસૃપ, સ્થાવર, નરક વગેરેની સૃષ્ટિમાં તમે ગુણની મુખ્યતા મનાય છે. અને મનુષ્યની રજોગુણની વિશેષતા માનવામાં આવેલી છે. પૂર્વોક્ત સત્ત્વાદિ ત્રણે ગુણની સમાન અવસ્થાને સાંખ્યમતાનુયાયિ લોકો પ્રકૃતિતત્ત્વના નામથી ઓળખે છે. જો કે દેવ વગેરેની કઈ એક સુષ્ટિમાં સત્ત્વાદિ ગુણમાંથી એકાદ ગુણની અધિકતા માલૂમ પડે છે; તો પણ પરસ્પર પ્રમાણની અપેક્ષાથી ત્રણે ગુણની સામ્યાવસ્થાને જ પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રકૃતિ, પ્રધાન, અવ્યક્ત વગેરે પર્યાયવાચી શબ્દો છે. આ પ્રકૃતિતત્વને તેઓ નિત્ય માને છે. નિત્યનું લક્ષણ તેઓના મતમાં આ પ્રમાણે છે – ૯ પ્રત્યુતાનુપનશિવમાર્ઘ નિત્યમ્ ” અર્થાત્ જેને કદાપિ નાશ કે ઉત્પત્તિ થતી નથી અને જે નિરંતર સ્થિર રૂપે જ રહે છે, તે નિત્ય કહેવાય. પ્રકૃતિની પણ આદિમધ્યાવસ્થા નથી, પ્રકૃતિના અવયે નથી, તે સર્વસાધારણ તથા શબ્દાદિ પાંચ તન્માત્રાથી બિલકુલ ભિન્ન અને અવ્યય
Page #44
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૮
હેવાથી નિત્ય મનાય છે. દરેક આત્મા ઉપર આ પ્રકૃતિ નામના તત્ત્વને ભિન્ન ભિન્ન માને છે. તેથી જગતમાં જેટલા છે તેટલાં પ્રકૃતિત કહી શકાય. આધુનિક સાંખ્યમતાનુયાયિ લેકે સમસ્ત જી ઉપર એક જ પ્રકૃતિતત્ત્વ છે. એમ જણાવે છે.
મહત્વનું નિરૂપણું. પ્રકૃતિનું પ્રથમ પરિણામ મહત્તત્ત્વ છે અને તે બુદ્ધિતત્વના નામથી પણ ઓળખાય છે. આપણું સમીપમાં રહેલી ગાયને જોઈ એમ કહેવામાં આવે કે–આ ગાય છે. પણ ઘેડે નથી” અથવા લાકડું દેખી “આ લાકડું છે, માણસ નથી આવી રીતે નિશ્ચય કરાવનાર અધ્યવસાયને બુદ્ધિતત્ત્વ અથવા મહત્તત્ત્વ નામ આપેલું છે. બુદ્ધિતત્વમાં ધર્મ, જ્ઞાન, વિરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય અને અનૈશ્વર્ય-એ આઠ ગુણો માનવામાં આવે છે. આ આઠ ગુણમાંથી પ્રથમના ચાર સાત્વિક ગુણ અને અધર્મ વગેરે ચાર તામસ ગુણે છે.
અહંકાર. બુદ્ધિતત્ત્વથી અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકાર, અભિમાન, દર્પ, ગર્વ, અભિનિવેશ, આગ્રહ, મદ, માન વિગેરે અહંકારના સમાનાર્થક શબ્દ છે. હું સાંભળું છું, હું સ્પર્શ કરૂં છું, હું સુગધને ગ્રહણ કરૂં છું, હું આસ્વાદ લઉં છું, હું જોઉં છું, હું પિતે જ આને મારવાને છું, હું અલ્પજ્ઞ છું, હું સર્વજ્ઞ છું, આને હું જલદી મારી નાંખીશ, હું સિભાગ્ય
Page #45
--------------------------------------------------------------------------
________________
२०
'તત્વાખ્યાન.
શાલી છું. હું દર્શનીય છું, ઈત્યાદિ પ્રકારનું ભાન મમત્વબુદ્ધિને સૂચવે છે. અને તે અહંકારતવ સિવાય થઈ શકે નહિ; માટે. મમત્વ જ અહંકારતત્વની સત્તાને નિશ્ચાયક કહી શકાય.
દપ્રિયેનું સ્વરૂપ.
અહંકારતત્વથી ૧૬ તની ઉત્પત્તિ મનાય છે. ૫ જ્ઞાને પ્રિય અને ૫ કર્મેન્દ્રિય-એ દસ અને એક અંતઃકરણ–એમ ૧૧ ઇદ્રિ માનવામાં આવે છે.
૧ સ્પર્શનેંદ્રિય-ચામડી. જેથી શીત, ઉષ્ણ સ્પર્શને અનુભવ થાય છે. ૨ રસનેન્દ્રિય-જીભ, જેથી ખારે, મીઠે, ખાટો, કડ, તીખ વગેરે રસ પારખી શકાય છે. ૩ ધ્રાણેદ્રિયનાક, જેથી શુભ, અશુભ (સારે-નરસ) ગંધ જાણી શકાય છે. ૪ ચક્ષુરિદ્રિય-આંખ. જેથી કાળે, પળે, રાતે, લીલે છે વિગેરે રૂપને અનુભવ થાય છે. ૫ શ્રવણેદિય-કાન. જેથી તત, વિતત–શુષિર વંશ ભાષાત્મક વગેરે (શુભ અશુભ) શબ્દો સાંભળી શકાય છે. જ્યારે આ ઇંદ્રિયે પિત“પિતાના વિષયની ઓળખાણ કરાવે છે, ત્યારે જ તેને જ્ઞાનેન્દ્રિયના નામથી ઓળખાય છે.
સાંખ્યમત સિવાય બીજા કેઈ પણ મતમાં કર્મેન્દ્રિય માનેલ નથી. તેનું સ્વરૂપ આ પ્રમાણે માનવામાં આવ્યું છે – ૧ પાયુ-ગુદા મળને નિકળવાનું સ્થાન. ૨ ઉપસ્થ–સ્ત્રી-પુરૂષનું ચિહન. ૩ વચન. ૪ હાથ. ૫ પગ. પાયુ-ગુદાદ્વારા મળનિ
Page #46
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૧ ------------ ---------------------------- ક્રમણ વિગેરે કિયા, ઉપસ્થ દ્વારા સંગ-મૂત્રાદિ કિયા, વચન દ્વારા બેલવાની ક્રિયા, હાથદ્વારા ગ્રહણ કરવાની અને મૂકવા વગેરેની કિયા તથા પગદ્વારા ચાલવું વિગેરે ક્રિયા -કર્મ થતું હોવાથી તે કર્મેન્દ્રિય કહેવાય છે. મનદ્વારા વિચાર કરવામાં આવે છે. મનને જ્ઞાનેન્દ્રિયની મધ્યમાં જ્ઞાને દ્રિયરૂપ અને કર્મેન્દ્રિયની મધ્યમાં કઢિયરૂપ ગણવામાં આવે છે. તેને દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ-કઈ એક ગામમાં “લાડુ વિગેરે ભેજન મળે છે. એવું વાક્ય સાંભળતાં જ એક બાળકે વિચાર કર્યો કે “જે તે ગામમાં જઈશ તે લાડવા, પેંડા અથવા દહીંવડાનું ભેજન મળશે. અથવા તે અમુક પ્રકારનું પણ ભેજન તે જરૂર મળશે.” આવા પ્રકારને જે અધ્યવસાય અંતઃકરણમાં થાય છે, તેનું કારણ કે એક માનવું જોઈએ. અને તે મન યા અતઃકરણ છે, કે જે અગીયારમી ઇંદ્રિયરૂપ ગણાય છે.
તન્માત્રા-પરિચય. જેમ અહંકારતત્વથી ૧૧ ઇન્દ્રિયને પ્રાદુર્ભાવ કહેવાય છે. તેમ પાંચ તન્માત્રાની પણ ઉત્પત્તિ થાય છે. ૧ રૂપતન્માત્રાશુકલ, નીલ, પીત વગેરે સૂહમવર્ણરૂપ સમજવી. ૨ રસતન્માત્રા-મધુર, તિકત વિગેરે સૂમરસરૂપ જાણવી. ૩ ગન્ધતન્માત્રા–સૂક્ષ્મ ગંધાદરૂપ સમજવી. ૪ સ્પર્શતક્નાત્રા-શીત, ઉષ્ણ વગેરે સૂફમસ્પર્શરૂપ જાણવી. ૫ શબ્દતન્માત્રા-સૂક્ષ્મ શબ્દરૂપ સમજવી. આવી રીત અહંકારતત્વથી ૧૧ ઇંદ્રિયે. અને ૫ તન્માત્ર એ. મળી ૧૬ - ઉત્પન્ન થાય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
55
તસ્વાખ્યાન.
મહાભૂતનું સ્વરૂપ. ઉપર બતાવેલ તન્માત્રાઓથી પાંચ મહાભૂતને આવિર્ભાવ થાય છે. ૧ રૂપતન્માત્રાથી અગ્નિતત્વ, ૨ રસતન્માત્રાથી જલતત્વ, ૩ ગંધતભાત્રાથી પૃથ્વીતત્ત્વ, ૪ સ્પર્શતન્માત્રાથી વાયુતત્વ અને ૫ શબ્દતન્માત્રાથી આકાશતત્ત્વ-એવી રીતે પાંચ મહાભૂતની ઉત્પત્તિ માનવામાં આવે છે.
પ્રકૃતિ-વિકૃતિ-ગુણેને સમાવેશ. પ્રકૃતિતત્ત્વમાં કેવળ પ્રકૃતિપણું છે. તેમાં વિકૃતિપણું નથી. કારણ કે તે દરેકનું મૂળકારણ છે. બુદ્ધિતત્ત્વ વિગેરે સાત તમાં પ્રકૃતિપણું અને વિકૃતિપણું-એમ ઉભય ધર્મો રહેલા છે.૧૧ ઇદ્રિ અને પ મહાભૂત. એ ૧૬તમાં કેવળ વિકૃતિ પાણું છે. પુરૂષતત્વમાં આમાંથી કઈ પણ ધર્મ નથી. બુદ્ધિતત્વ પ્રકૃતિતત્ત્વથી ઉત્પન્ન થએલ હોવાથી પ્રકૃતિની અપેક્ષાએ તેમાં વિકૃતિપણું છે; વળી અહંકારતત્ત્વનું પણ કારણ હોવાથી તેમાં પ્રકૃતિપણું પણ ગણી શકાય. અહંકારતત્વ બુદ્ધિતત્વથી પ્રકટ થએલ હોવાથી વિકૃતિપણું અને પાંચ તન્માત્રાનું કારણ હેવાથી એમાં પ્રકૃતિપણું પણ મનાય છે. પાંચ તન્માત્રા અહંકારથી ઉત્પન્ન થએલ હેવાથી તેમાં વિકૃતિપણું અને પાંચ મહાભૂતનું કારણ હોવાથી તેમાં પ્રકૃતિપણું પણ મનાય છે. એવી રીતે ઉપર જણાવેલ સાત તમાં ઉભયપણું છે. તથા ૧૧ ઇંદ્રિય અને પાંચ મહાભૂત-એ ૧૬ તત્ત્વમાં કેવળ વિકૃતિપણું જ છે. કારણ કે તે તત્વે કોઈના પણ કારણ રૂપે નથી.
અમલ
મા
રહ
Page #48
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
-
પુરૂષત.
છે, એમ
નથી. સ્થિતિમાં આત્માને
પુરૂષતત્વમાં કારણપણું કે કાર્ય પણું નથી, માટે તેમાં પ્રકૃતિવિકૃતિપણું પણ નથી. તે તે કમલના પત્રની માફક નિર્લેપ, અમૂર્ત, ચિત સ્વરૂપ અને ભકતા છે. કેઈ પણ ક્રિયાનું પણ તેમાં નથી. આ આત્માને નિય–શાશ્વત માનવામાં આવે છે. તેઓ, એમાં કૂટનિત્યપણું માને છે, પરિણાભિનિત્યપણું માનતા નથી, તેમજ તેઓ આ આત્માને સર્વવ્યાપક, નિર્ગુણ અને સૂક્ષ્મ કહે છે.
પ્રકૃતિ-પુરૂષનો સંબંધ. અંધ અને પંગુના સંબંધની માફક પ્રકૃતિ-પુરૂષને સંગ માનવામાં આવે છે. અંધસમાન પ્રકૃતિ અને પંગુરામાન પુરૂષ કહેવાય છે. આત્માની ચિતન્યશક્તિમાં વિષયનું ભાન કરાવવાની અર્થાત્ પદાર્થોને નિશ્ચય કરાવનારી શકિત નથી, પરંતુ બુદ્ધિતત્ત્વમાં ઇંદ્રિ દ્વારા સુખ દુઃખાદિક વિષયનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિતત્ત્વને બંને તરફ મુખવાળા દર્પણના જેવું માનેલ હવાથી ચૈતન્યશક્તિનું પણ તેમાં પ્રતિબિંબ પડે છે. તેજ કારણને લઈ “હું સુખી” “હું દુઃખી’ વિગેરે આત્મામાં પ્રતિભાસ થાય છે. આત્મા બુદ્ધિતત્ત્વની સાથે પોતાનું ઐક્ય. સમજીને હું સુખી” “હું દુઃખી, “હું જ્ઞાન એમ માને છે. સારાંશ એટલેજ છે કે બુદ્ધિતત્વમાંજ સુખ-દુઃખાદિનું કર્તુત્વ છે. આત્મામાં તે સુખ-દુખાદિનું ભાન ઉપચારથી માનવામાં આવે છે. કારણ કે આત્મા કમલપત્રની માફક
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૪
તત્ત્વાખ્યાન.
નિલે પ છે, એમ પ્રથમ કહેલ છે. ‘આ સ્થાનના હું અધિકારી ? ‘મ્હારે આ કવ્ય છે’, એવા પ્રથમ અધ્યવસાય થાય છે. અને ત્યાર પછી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વાત લેાકપ્રસિદ્ધ છે. તેમાં પણ ‘મારે કરવા લાયક છે’ એવા જે નિશ્ચય,તેબુદ્ધિતત્ત્વના અધ્યવસાય અથવા અસાધારણ વ્યાપાર સમજવે. કેમકે ચિત્તશક્તિની સમીપતાથી બુદ્ધિતત્ત્વમાં ( ચૈતન્યશકિત નહિ હોવા છતાં પણ ) ‘હુ ચૈતન્યશાળી છુ”, એવા પ્રતિભાસ
થાય છે.
<<
પુરૂષતત્ત્વ નિર્ગુણ હોવાથી પરિણામી છે. તે તેને મેાક્ષ કેવી રીતે મળી શકે ? ક્લેશ કમાઁ વિપાક આશય વાસનારૂપ અધના અપરિણામિ પુરૂષમાં સંભવે નાહ, પુરૂષ અક્રિય હોવાથી તેને સ’સાર પણ ઘટી શકે નહિ; પરંતુ પ્રકૃતિનેજ ઘટે. ”
ઉપર પ્રમાણેની શ‘કાએ અન્યદર્શનકારા કરે છે; ત્યારે તેનુ સમાધાન કરતાં સાંખ્યવાદિઓ કહે છે કેઃ—
પ્રકૃતિજ, પુરૂષનું વિવિધ પ્રકારે આલંબન લેતી હૈાવાથી અધાય છે, પરિભ્રમણ કરે છે. પુરૂષને કંઇ પણ નથી. છતાં ઉપચારથી અધ, માક્ષ, સ‘સાર વિગેરે કાર્યાં પુરૂષમાંજ માનવામા આવે છે. તેમાં દોષ ન ગણાય. જેમ રણસંગ્રામમાં સુભટ લાગંત્રુઓની સાથે લડાઈ કરી પોતે ફતેહ મેળવે છે, પરંતુ જય-પરાજયના વ્યવહાર ઉપચારથી રાજાનેાજ મનાય છે. અને જય-પરાજયનું ફળ દેશ, કૈ ષ વગેરે વસ્તુઓને
Page #50
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૫
લાભ-ગેરલાભ રાજાનેજ થાય છે. તેમજ સંસાર, મધ, મેાક્ષ વિગેરે કાર્યો પણ પ્રકૃતિમાંજ છે. પુરૂષને તેવા પ્રકારનું જ્ઞાન નહિ હાવાથી પોતે પોતાની અંદર માની લે છે કે—‘હુ સ‘સારી છુ બહુઁ છું. મુક્ત છું ” વિગેરે. તેવી માન્યતાઓ પ્રકૃતિની સાથે અભેદભાવને લઈને થાય છે, તેમ સમજવુ.
...
· 26
મહત્તત્ત્વ વિગેરે પ્રકૃતિના વિકારો જ્યારે પ્રકૃતિમાં લય અથવા તિભાવ અવસ્થાને પામે છે, ત્યારે પેાતાના વ્યક્ત સ્વરૂપને છેડી અવ્યકત અવસ્થાને પ્રાપ્ત થાય છે; પર`તુ પ્રકૃતિ તો ફ્રૂટસ્થનિત્ય હેાવાથી પોતાના સ્વરૂપને બિલકુલ ત્યાગ કરતી નથી, કારણ કે પ્રકૃતિનું કોઇ કારણ નહિ હાવાથી તે અકારણ અને નિત્ય મનાય છે. તથા મહત્તત્ત્વ વિગેરે તત્ત્વાને, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ હોવાથી સકારણ અને અનિત્ય માનવામાં આવે છે. પ્રકૃતિ વ્યાપક, અક્રિય, નિરાલખી અને એક છે. ત્યારે બુદ્ધિતત્ત્વ ( મહત્તત્ત્વ ) વગેરે તત્ત્વા અવ્યાપક, સક્રિય (અધ્યવસાય આદિ ક્રિયાવાળા), અનેક અને પ્રકૃતિમાં આશ્રિત છે. બુદ્ધિતત્ત્વાદિના અવાંતર ભેદો ત્રેવીશ હોવાથી તે અનેક મનાય છે. પરંતુ પ્રકૃતિને કોઈ પણ અવાન્તર ભેદ નહિ હોવાથી તે એક મનાય છે. એ સિવાય પ્રકૃતિની સાથે મહત્તત્ત્વાદિમાં બીજી પણ ભિન્નતાએ માનવામાં આવે છે.
પ્રકૃતિ-પુરૂષની મિન્નતા.
પુરૂષ ( જીવાત્મા ) વિષયસુખાદિના તથા તેના કારણ ભૂતં પુણ્ય-પાપાદિકના કર્તા છે. એવી અમારી માન્યતા નથી.
r
Page #51
--------------------------------------------------------------------------
________________
૬
તવાખ્યાન.
તૃણમાત્રને પણ વાળી શકવાને તે અસમર્થ છે. પિતાના સ્વભાવને લઈને જ પ્રકૃતિ તે દરેક કાર્યોને કરે છે. પ્રકૃતિમાં સત્ત્વ વગેરે ગુણે હેવાથી તેને સગુણ માનવામાં આવે છે. અને પુરૂષ તે ગુણથી રહિત હોવાથી વિગુણ છે. પુરુષતત્ત્વમાં ભેતૃત્વ માનવામાં આવે છે. પરંતુ તે પણ પ્રકૃતિના વિકારરૂપ મનાય છે. સાક્ષાત્ માનવામાં આવતું નથી. ઉભયમુખ દર્પણના જેવા બુદ્ધિતત્વમાં સુખ-દુઃખાદિનું સંક્રમણ થવાથી પ્રતિબિબના અવલંબનથી જ નિર્મળ આત્મા બુદ્ધિના અધ્યવસાય રૂપે નિર્શીત કરેલા પદાર્થોને અનુભવ કરે છે. જેમ સ્ફટિક રત્ન પિતાની સમીપમાં રહેલ પુષ્પાદિના રંગયુક્ત બને છે, તેમ બુદ્ધિતત્વમાંથી સુખ-દુઃખાદિનું પ્રતિબિંબ આત્મામાં પડતું હોવાથી તે પુરૂષ એમ સમજે છે કે હું વિષયાદિને
કતા છું. પુરુષને ચિતન્યધર્મ છે, પણ જ્ઞાન સ્વભાવ નથી. જ્ઞાનસ્વરૂપ તે બુદ્ધિનું છે.
પ્રકૃતિ-પુરુષને સંગ.
પ્રકૃતિ-પુરૂષને સંગ અંધ-પંગુની માફક સમજવાને છે. જેમ કેઈ અધપુરૂષ અન્ય સમુદાય સાથે અમુક શહેર તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચાર વગેરેના ઉપદ્રવથી સમુદાય ભિન્ન ભિન્ન થઈ ગયે. અધ ત્યાંજ રહ્યો. તેટલામાં દૈવવશાત્ તે વનમાં કઈ એક પાંગળાએ તે અંધને જોયે. વાતચીત - ઉપરથી જણાયું કે આપણે એકજ સ્થળમાં જવાનું છે. લંગ-ડાએ જણાવ્યું કે-હું ચાલી શકું નહિ. પરંતુ માર્ગ બતાવ
Page #52
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૨૭
વામાં અડચણ પડશે નહિ. અધે જણાવ્યું કે-સારું થયું કે આપ જેવા માર્ગદર્શકને આવા નિર્જન સ્થળમાં મને યેગ થશે. અન્યથા રખડતાં અહિંજ પ્રાણયાત્રા પૂરી થાત. જો કે માર્ગ દેખવાને હું અશક્ત છું. તથાપિ હારામાં ભાર ઉઠાવવાની કુદરતી શક્તિ છે, માટે ખુશીથી આપ હારી પીઠ. ઉપર સ્વાર થઈ જાઓ. જેથી આપણે ઘણું આનંદપૂર્વક ઈચ્છિત સ્થળે પહોંચી શકીએ. વિચારપૂર્વક નિશ્ચય કરી તેમ કર્યું, તેથી તે બંને સુખી થયા. તેમજ અહિં પંગુસમાન જડ સ્વરૂપ પ્રકૃતિનું અવલંબન લેવાથી તેના વિકારરૂપ બુદ્ધિએ જાણેલા શબ્દાદિક વિષયનું પિતાની અંદર પ્રતિબિંબ પડવાથી ચૈતન્યસ્વરૂપ પુરૂષ પિતે ખુશી થાય છે.
રાગ-દ્વેષ-મહ ઈત્યાદિ સ્વભાવવાળી પ્રકૃતિને પણ વિવેકજ્ઞાનના અભાવથી પુરૂષ સુંદરસ્વરૂપવતી માનીને સંસારરૂપ કારાગૃહમાં બંધાય છે; પરંતુ વિવેકજ્ઞાન થયા પછી પ્રકૃતિની પ્રવૃત્તિ બંધ થવાથી પુરૂષ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. તેને મેક્ષાવસ્થા કહેવામાં આવે છે. તે મેક્ષ જે બંધના વિચ્છેદ થવાથી થાય છે, તે બંધ ત્રણ પ્રકારના છે. ૧ પ્રાકૃતિક બંધ, રવૈકરિકબંધ અને દાક્ષિણબંધતેમાં પુરૂષની બુદ્ધિએ પ્રકૃતિની ઉપાસના કરવાથી જે બંધ થાય તેને પ્રાકૃતિકબંધ કહેવામાં આવે છે. ૧ જીવાત્માના ભ્રમથી પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિતત્ત્વ, અહંકાર તત્ત્વ, પાંચતન્માત્રા વિગેરેની ઉપાસના કરવાથી જે બંધ થાય, તેને વૈકારિકબંધ કહેવામાં આવે છે. ૨ તથા પુરૂષતત્વના બિલકુલ અજાણ, ઈચ્છાપૂતિ કરનાર, જેનું અંતઃક
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૮
તજ્યાખ્યાન.
રણ કામનાઓથી વ્યાપ્ત છે, એવી ચેષ્ટાવાળાઓને જે બંધ થાય, તેને દાક્ષિણબંધ કહેવામાં આવે છે. ૩. જન્માન્તર પણ આ ત્રણ પ્રકારના બંધના પ્રતાપથી જ પ્રાપ્ત થાય છે આ સર્વ કાર્ય પ્રકૃતિનું જ સમજવાનું છે.
પ્રમાણુની માન્યતા અર્થની ઉપલબ્ધિમાં જે કારણ હોય, તેને પ્રમાણ તરીકે માનવામાં આવે છે. તેના ત્રણ ભેદે છે. ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન ૩ આગમ. બુદ્ધિતત્ત્વ પિતે જ ઈન્ડિદ્વારા ગમન કરી વિષચાકાર પરિણતિને ધારણ કરે, તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અર્થાત્ બુદ્ધિની શ્રેત્રાદિ ઇંદ્રિયદ્વારા શબ્દાદિ વિષયના અધ્યવસાયરૂપ જે પરિણતિ થાય, તે પ્રત્યક્ષ પ્રમાણ ગણાય છે. સાધનદ્વારા સાધ્યને જેથી નિશ્ચય થાય. તેને અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે. ૧ પૂર્વવત્, ૨ શેષવત્ ૩ સામાન્ય દષ્ટાનુમાન. पूर्ववत्.
કાર્ય દ્વારા કારણને જેથી નિશ્ચય થાય, તે પૂર્વવદનુમાન છે, જેમ કે નદીને વેગ, કાષ્ઠાદિનું વહન, ડેળાપાણીવાળું પૂર વિગેરે વરસાદની ઉત્પત્તિનાં કાર્યરૂપ ચિહને જઈ વરસાદરૂપ કારણનું અનુમાન કરવું. બુદ્ધિમાન પ્રેક્ષક વિલક્ષણ પાણીનું પૂર, લાકડાં તૃણ વિગેરેનું વહેવું, ડોળું પાણી ઇત્યાદિ ચિહને જેવાથી સહેજે અનુમાન બાંધે કે અહિં વરસાદ વરસેલે હવે,
Page #54
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૯
જોઇએ. કારણ કે આવા કામે આ કારણ સિવાય થઇ શકે નહિ. ઇત્યાદિ.
शेषवत्.
સમુદ્ર, તળાવ, નદી, ક્રૂપ ઇત્યાદિ કાઇ પણ જલાશયના એક મિ દુમાત્ર જલના આસ્વાદનથી માકીના સમસ્ત પાણીનુ આપણે અનુમાન કરી શકીએ છીએ કે–આ પાણી ખારૂ યા મીઠું છે. કારણ કે આસ્વાદન કરેલું પાણી આવા પ્રકારનુ છે, તેા ખીજી આકીનુ પાણી પણ તેવા પ્રકારનુ જ હાવુ જોઇએ. આવા અનુમાનને શેષવનુમાન કહેવામાં આવે છે. ઉપરના દૃષ્ટાંત સિવાય
આ દૃષ્ટાંતથી પણ સમજી શકાય તેમ છે. જેમ તપેલી વિગેરે વાસણમાં પકાવેલા ચાખામાંથી એક દાણેા દખાવી જોવાથી જો તે કાચા હાય, તેા બાકીના ચાખા કાચા. અને તે દાણા પાક હાય, તા બાકીના ચાખા પણ પાકેલ હોવાનું અનુમાનથી સમજાય છે. કેમકે સમુદાયમાંથી એક આવા છે, તેા બાકીના પણુ તેવાજ હાય. એવી રીતે કારણ ઉપરથી કાય નું અનુમાન કરવું, તે શેષવત્ અનુમાન. ૨
सामान्यतेो दृष्टानुमान.
વિદ્યડ દેખવા થકી ત્રિૠીનુ અનુમાન કરવું, ભગવાં વસ્ત્ર સાથે પરિવ્રાજકનાં ચિહના જોઈ પરિવ્રાજકનું અનુમાન કરવું, અથવા જેમ મનુષ્યાક્રિકની એક સ્થાનમાંથી ખીજા સ્થાનની પ્રાપ્તિ, ગમનક્રિયા વિના સભવતી નથી, તેજ પ્રમાણે.
Page #55
--------------------------------------------------------------------------
________________
३०
તત્ત્વાખ્યાન.
સૂર્યાકિના ગમનને માટે અનુમાન માંધવું તે, જો કે આકાશમાં સૂર્યનું ગમન નેત્રથી સ્પષ્ટ જોવામાં આવતુ' નથી. કારણ કે સૂર્યનાં તીક્ષ્ણ કિરા હોવાથી નેત્રને અવલેાકન કરવાનું બની શકતુ નથી, છતાં કાલાંતરે ઉદયાચલથી અસ્તાચલ ઉપર આવેલા સૂર્ય જોવાથી તેની ગતિનું અવશ્ય અનુમાન થાય છે આવા અનુમાનને સામાન્યતા દૃષ્ટાનુમાન કહેવામાં આવે છે.
૩
આગમ પ્રમાણ.
સાંખ્ય લોકો આપ્તપુરૂષના વચનને આગમપ્રમાણુ કહે છે. રાગ, દ્વેષ આદિ દોષોથી રહિત પુરૂષને આપ્તરૂપે સ્વીકારે છે. અને તેએ કપિલ, સનકુમાર, ઈશ્વર, કૃષ્ણ વિગેરેને આપ્ત તરીકે ગણે છે. પરંતુ અન્ય મુદ્ધાદિને નહિ.
સત્કાયવાદની માન્યતા.
સાંખ્યમતાનુયાયી લેાકેામાં સત્કાર્ય વાદ અહુજ દૃઢતાથી માનવામાં આવે છે. જેમ ઘડા એ માટીમાં રહેલા છે, તેથીજ ઘડાને ઇચ્છનાર મનુષ્ય માટીની તપાસ કરે છે. જો માટીમાં ઘડો ન હોય, તા તેને ચાહનાર મનુષ્ય માટીમાં કેમ તપાસ કરે ? રાખ વગેરેમાં કેમ તપાસ કરતા નથી ? આ ઉપરથી એમ સમજાય છે કે, ઘડા માટીની અંદરજ રહેલા છે. જો કદાપિ કારણમાં કાર્યની સત્તા માનવામાં ન આવે. અર્થાત્ અસી પણ સની ઉત્પત્તિના સ્વીકાર કરવામાં આવે,તે જે
નાથી નથી બનતું, એવું પણ કાચ બનવું જોઇએ. જેમ ભસ્મ,
Page #56
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
અસ્થિ, રૂધિર, અને ઘાસ ઈત્યાદિ વસ્તુઓથી પણ સુવર્ણ, હીરા, માણેક, રત્ન વિગેરે વસ્તુની ઉત્પત્તિ થવી જોઈએ. પરંતુ જ્યારે એવી ઉત્પત્તિ આપણે જોતા નથી, ત્યારે સત્કાર્યવાદ જરૂર સ્વીકારે જોઈએ.
આવી જ રીતે તેઓ કેવળ દ્રવ્યને જ પદાર્થરૂપે સ્વીકારે છે. તેથી ભિન્ન ઉત્પાદ વિનાશયુક્ત પર્યાયને માનતા નથી.
વિપર્યયની માન્યતા. અવિદ્યા ૧, અસ્મિતા ૨, રાગ ૩, દ્વષ૪, અને અભિનિવેશ ૫: આ પાંચને તેઓ વિપર્યયરૂપ માને છે. દુઃખમાં સુખની બુદ્ધિ, અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ, અને અનાત્મતામાં આમપણાની બુદ્ધિ તે અવિદ્યા ગણાય છે. શક્તિ પુરૂષ અને દર્શનશક્તિ એટલે રજોગુણ તથા તમે ગુણથી
આવૃત થએલો સાત્ત્વિક પરિણામ. એમાંથી ચિતન્ય સ્વરૂપ દશક્તિ અને જડવરૂપ દર્શનશક્તિ એ બન્ને પરસ્પર ભિન્ન છે. છતાં તેમાં એક્યનું અભિમાન કરવું, તે અસ્મિતારૂપ વિપર્યય છે. ૨. સુખાશય, તે રાગરૂપ વિપર્યય ૩ દુઃખાશય તે દ્વેષરૂપ વિપર્યય ૪. શરીર, વિષયાદિકથી મારે કદાપિ વિયોગ ન થાઓ એવા પ્રકારના વિચારને અભિનિવેશરૂપ વિપર્યય કહેવામાં આવે છે ૫. पांचवृत्तिओ.
અંતઃકરણની વૃત્તિ પ્રમાણ ૧, વિપર્યય ૨. વિકલ્પ ૩,
Page #57
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
નિદ્રા ૪ અને સ્મૃતિ ૫, એમ પાંચ પ્રકારની માનવામાં આવી છે. પ્રમાણ તથા વિપ યનુ* સ્વરૂપ ઉપર કહેવાઇ ગયુ છે. એટલે તે એને છેડી બાકીના ત્રણ ભેદો જોઇએ.
विकल्प.
વસ્તુસત્તાની અપેક્ષા ન કરનાર અને કેવળ શાબ્દિક જ્ઞાનના વિષચભૂત પદાર્થોને વિકલ્પ કહેવામાં આવે છે, જેમકેપુરૂષનુ ચૈતન્ય સ્વરૂપ છે, તથા બુદ્ધિતત્ત્વનુ જ્ઞાનાદિ સ્વરૂપ છે. આ સ્થળે છઠ્ઠા વિભક્તિના પ્રયોગથી જો કે ભિન્નતા જણાવવામાં આવી છે; છતાં વસ્તુસ્થિતિને વિચાર કરતાં પુરૂષ અને ચૈતન્યની તથા બુદ્ધિ અને જ્ઞાનની ભિન્નતા બિલકુલ નથી. તથાપિ, જે અધ્યવસાયથી ભેદ આરેાપવામાં આવે છે તેને વિકલ્પ કહેવામાં આવે છે. ૩
નિશ.
ઇંદ્રિયોના વિષયથી રહિત અવસ્થાને નિદ્રા શબ્દથી આળખવામાં આવે છે. આ સ્થળે કાઇના મનમાં શા ઉપજે કે, ‘ જ્યારે એ અવસ્થામાં કોઇ પણ વિષયની પ્રવૃત્તિ નથી; ત્યારે એને વૃત્તિરૂપે માનવાની શી જરૂર ? આનું સમાધાન એજ છે કે— એ અવસ્થાના ઉત્તરકાળમાં આપણને એમ સ્મૃતિ થાય છે કે—‘હું... સુખપૂર્વક સૂતા હતા, અને આજે ઘણી સારી નિદ્રા આવી હતી ? એથી એને વૃત્તિ માનવામાં કાંઇ દોષ નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
સ્મૃતિ. પ્રમાણેથી અનુભવેલા વિષયેનું કાલાન્તરે સંસ્કારદ્વાર જે મરણ થાય, તેને સ્મૃતિ કહેવામાં આવે છે.
ઉપર્યુક્ત પાંચ પ્રકારની વૃત્તિને નિરોધ અભ્યાસ તથા વિરાગ્યદ્વારા થાય છે. સૃષ્ટિ ૧૪ પ્રકારની છે, તેનું નિરૂપણ પૂર્વે કરવામાં આવ્યું છે.
૨૮ પ્રકારની શકિત. કાનથી સંભળાય નહિ તે બધિરતા ૧, આંખથી દેખાય નહિ તે અધતા ૨, જિ હાથી સ્વાદને અનુભવ ન થાય તે કુંતા ૩, ચામથી સ્પર્શદિનું જ્ઞાન ન થાય તે જડતા ૪, નાસિકાથી ગબ્ધને અનુભવ ન થાય તે અજિવ્રતા ૫, મુખથી
લાય નહિ તે મૂકતા ૬, હાથની વિકલતા તે કૈણ્ય ૭, પગથી ચાલવામાં વિકલતા તે પંગુતા ૮, નપુંસકપણું તે લીલતા ૯ મલત્યાગમાં કિલષ્ટતા તે ઉઠાવર્તતા ૧૦, ચિત્તની વિકલતા તે મરતા ૧૧ એ પ્રમાણે ૧૧ ઇંદ્રિયની વિકલતા વિનાની અવસ્થા તે ૧૧ પ્રકારની શકિત, ૯ પ્રકારની તુષ્ટિ, ૮ પ્રકારની અણિમાદિ સિદ્ધિ-એ સર્વ મળી શક્તિના ૨૮ ભેદ સમજવા.
આધ્યાત્મિક શકિતરૂપ તુષ્ટિ. આગળ જણાવેલી ૪ શક્તિઓને આધ્યાત્મિકશક્તિના નામથી કહેવામાં આવે છે. ૧ અંગશક્તિ અર્થાત્ પ્રકૃતિશક્તિ, ૨ સલિલ અથવા ઉપાદાનશક્તિ, ૩ ઓઘ અથવા કાલશક્તિ, ૪ વૃષ્ટિ અથવા ભેગશક્તિ,
છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
બાહ તુષ્ટિ. અર્જન, રક્ષણ, ક્ષય, ભેગ, હિંસા વિગેરેમાં દેષ બતાવનાર હેતુથી ઉત્પન્ન થએલી અને શબ્દાદિક વિષયમાં ઉદાસીનતા ધારણ કરનારી પાર ૧, સુપાર ૨, પારાપાર ૩, અનુત્તમાંe ૪, ઉત્તમાં ૫, એ પાંચને બાહાતુષ્ટિ કહેવામાં આવે છે.
સિદ્ધિઓ. પ્રમોદ ૧, મુદિત ૨, મેહમાના ૩, એ નામની ત્રણ સિદ્ધિઓ આધ્યાત્મિક, આધિભૈતિક, આધિદૈવિક એ ત્રણ પ્રકારનાં દુઃખેને વિઘાત કરવામાં મુખ્ય હેતુતાને ધારણ કરે છે.
શબ્દ ૧, ઊહ ૨, સુકૃત્માપ્તિ ૩, અધ્યયન ૪, દાન પ. આ પાંચ સિદ્ધિઓ પૂર્વોક્ત ત્રણ પ્રકારના દુઃખને નાશ કરવામાં ગાણ હેતુ રૂપ છે. અધ્યયનાદિ સિદ્ધિઓનાં પર્યાય નામે તાર ૧, સુતાર ૨, તારાતાર ૩, રમ્યક ૪, સદામુદિત ૫. એ પ્રમાણે છે.
કર્મચાની. ધૃતિ ૧, શ્રદ્ધા ૨, સુખ ૩, વિવિદિષા ૪, વિજ્ઞપ્તિ પ. એ પાંચ કર્મનિ છે.
આ પ્રમાણે સંક્ષેપથી સાંખ્યદર્શનનું સ્વરૂપ નિરૂપણ કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ ષષ્ટિતંત્રના ઉદ્ધાર રૂપ માકરભાષ્ય, સાંખ્યસતિ, સાંખ્યતત્ત્વ કે મુદી, ગૌડપાદ, આત્રેયતંત્ર અને સાંખ્યપ્રવચન વિગેરે સાંખ્યમતપ્રતિપાદક ગ્રંથ અવલોકવા.
હવે ત્રીજા પ્રસ્તાવમાં સાંખ્યદર્શનની સમાલોચના કરદેવામાં આવશે. તે ઉપર બુદ્ધિમાનેનું ધ્યાન ખેંચવામાં આવે છે.
બીજો પ્રસ્તાવ સમાપ્ત.
Page #60
--------------------------------------------------------------------------
________________
तृतीयः प्रस्तावः
સાંખ્યતવાની સમાલાચના.
પ્રથમ પ્રસ્તાવમાં ષડ્ઝનાનાં સામાન્યરૂપે નામ તથા વિશેષરૂપે સાંખ્યમતના આચારનું નિરૂપણ કરવામાં આવ્યું. બીજા પ્રસ્તાવમાં તે જ સાંખ્યમતના માનેલા પદાર્થાંનુ સોપથી વિવેચન કર્યું.... હુવે આ ત્રીજા પ્રસ્તાવમાં તે સાંખ્યલેાકાએ માનેલ મુખ્ય મુખ્ય પદાર્થોની સમાલાચના કરીશું.
સાંખ્યમતને માનનારા લાકો ચૈતન્યસ્વરૂપવાળા પુરૂષને આત્માના નામથી એળખાવે છે. પુરૂષનુ’ ચૈતન્ય સ્વરૂપ છે. એ તરકે બુદ્ધિમાનાએ વિચારવાનું' છે. ‘ ચિત યા ચૈતન્યશક્તિ વિષયનુ* બિલકુલ ભાન કરાવતી નથી' આ કથન કોઇપણ બુદ્ધિમાન મનુષ્યના મનોમદિરમાં નિવાસ કરી શકે તેમ નથી. કેમકે વિત્તિ ધાતુ સંજ્ઞાન અ માં પ્રવર્તે છે, અને તે જ ધાતુ ઉપરથી ચિત્ શબ્દ ચેતન ચિત્ અથવાવિયñનયંત્તિ ચિત્ એવી વ્યુત્પત્તિથી અને છે. આ વ્યુત્પત્યથી સહુ કોઇ સમજી શકે તેમ છે કે ‘ જે પદાર્થાંનું જ્ઞાન કરાવવામાં સમથ ડાય તેને જ ચિત્રશક્તિ કહેવામાં આવે છે.’ તેનાથી વિપરીત અથ માં રહેનારને ચિકિત કહી શકાય નિહ. જેમ ઘટ પેતે જડ હેાવાથી બીજી વસ્તુઓના અવમેધ કરાવી શકતા નથી; તેમ જેથી બીજા પદાર્થોના આધ ન થાય તેને ચિત્ત્શક્તિનુ નામ આપવુ. નિરર્થક છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
તત્વાખ્યાન.
તથા “અમૂર્ત ચિશકિતનું પ્રતિબિંબ બુદ્ધિતત્વમાં પડે છે એવું કથન પણ તત્વવિચારકેની વિચારણિમાં વિરૂદ્ધ ભાસે છે. કેમકે પ્રતિબિંબનું પડવું જ્યાં જ્યાં જેવામાં આવ્યું છે, ત્યાં ત્યાં મૂર્ત વસ્તુમાં મૂર્ત વસ્તુનું જ હોય છે. જેમ મૂર્ણ ચંદ્ર, સૂર્યાદિનું પ્રતિબિંબ મૂર્ત જલમાં જોવામાં આવે છે. આવી જ રીતે સર્વત્ર જોવાય છે. તેથી વિપરીત અમૂર્ત વસ્તુનું પ્રતિબિંબ અમૂર્ત વસ્તુમાં પડે છે, એ કથન બુદ્ધિમાનેને અમાન્ય છે. જ્યાં સુધી મૂર્ત પરિણામ ન થાય, ત્યાં સુધી પ્રતિબિંબ ન પડે અને “ચિશકિત મૂર્ત છે” એવું તે કહી શકાય તેમ નથી. ચિશક્તિમાં મૂર્ત પણું પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. “માતા વધ્યા સમાન ન્યાયની તુલના જેવું બને છે. પ્રસવ ધર્મવાળી સ્ત્રીને જ “માતા” શબ્દથી કહેવામાં આવે છે. અને એથી વિપરીત સ્વભાવવાળી સ્ત્રીને વધ્યા કહેવામાં આવે છે. જે વ્યક્તિમાં માતૃપદને વ્યવહાર કરવામાં આવે તેને અવશ્ય પુત્ર હોવો જોઈએ. કારણ કે પુત્ર વિના માતા કહી શકાય નહિ. અને “માતા”ના પદથી વિભૂષિત થએલી સ્ત્રીને વધ્યા કહેવી જેમ વિરૂદ્ધ છે, તેમજ સ્વપરને બંધ કરાવનારી શકિતને ચિશકિત અને તેથી વિપરીતને જડ કહેવામાં આવે છે. છતાં ચિશકિત પણ કહેવી અને તેને સ્વપરને બધ કરાવવામાં અસમર્થ માનવી, એ (માતા વધ્યા ન્યાયની જેમ) પ્રત્યક્ષવિરૂદ્ધ છે.
જ્યાં સુધી ચિશક્તિ સ્વસ્વરૂપને ત્યાગ કરી પરિણમાન્તરને પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેમાં સુખ-દુઃખાદિને
Page #62
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૩૭
વ્યપદેશ પણ ન કરી શકાય. જ્યારે તે પરિણામાન્તરને પામે, ત્યારે તેમાં સક્રિયત્ન આવવાથી, જેમ પુષ્પાદિકના સગે સ્ફટિકમાં પ્રતિબિંબદય માલૂમ પડે છે, તેમજ તેવા પ્રકારને ચિતશકિતમાં પરિણમાન્તર માનવાથી પ્રતિબિંબદય ઘટી શકે. પરંતુ તેમ માનવાથી ચિતશતિમાં કર્તુત્વ અને સાક્ષાત ભકતૃત્વ અનિચ્છાએ પણ અવશ્ય સ્વીકારવાની ફરજ પડે છે. કદાચ તેઓ સાંખ્યમતવાદી એમ કહેવાનું સાહસ કરે કે “અમો ચિશકિતમાં પ્રતિબિંબને ઉદય વાસ્તવિક રીતે માનતા નથી પરંતુ ઉપચારથી માનીએ છીએ.” તે તે યુકિતયુકત નથી. કારણ કે-વાસ્તવિક તત્ત્વચિન્તા ચાલતી હોય ત્યારે ઉપચાર બાનું કાઢી બચાવ કરે તે ઉચિત લેખી શકાય નહિ. અને એમ માનવામાં પણ સુખ–દુઃખાદિક સંવેદનના આધારને જ અભાવ થવાને પ્રસંગ આવશે. કારણ કે-બુદ્ધિતત્વને તમે ઘટની જેમ જડ માને છે. ચિશકિતમાં વિષયની પરિછેદકતા આપ સ્વીકારતા નથી. તે પછી સુખ–દુઃખાદિક સંવેદનને આધાર કેશુ? નિરૂપાયે “ચિશકિત તેિજ વિષયનો નિશ્ચય કરાવવામાં સમર્થ છે, બુદ્ધિ ચિકિતરૂપ છે, જડ નથી. એમ સ્વીકારવું જોઈએ. . જડસ્વરૂપ બુદ્ધિતત્વથી વિષયના નિશ્ચયની સિદ્ધિને મને રથ આકાશપુષ્પસમાન ગણાય. “જે કે બુદ્ધિ પોતે અચેતન છે, છતાં ચિતશકિતસાન્નિધ્યથી ચિતન્યયુક્ત છે, એ પ્રતિભાસ થાય છે. આ કથન યુકિતન્ય હોવાથી પ્રતિભાશાલિ પુરૂષથી ગ્રાહ્યા થઈ શકે તેમ નથી. ચિતન્યશકિતમાન
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૮
તવાખ્યાન.
અમૂર્ત પુરૂષનું જડસ્વરૂપ અમૂર્ણ બુદ્ધિમાં પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? એ સંબંધમાં બહુવિચારવાની આવશ્યકતા છે.
“અચૈતન્યસ્વરૂપ બુદ્ધિતત્વમાં ચૈતન્ય જે પ્રતિભાસ થાય છે એવા કથનથી એમ સૂચિત થયું કે-બુદ્ધિમાં આરેપિત ચૈતન્ય છે. પરંતુ વાસ્તવિક નથી. આપ એ વાસ્તવિક અર્થ ક્રિયા કરવામાં સમર્થ ન હોય એ સુવિદિત જ છે. જેમ કે અતિશરતા આદિ ગુણવડે કઈ પણ પુરૂષમાં સિંહપણને આરેપ કરવામાં આવે તે પણ તેનાથી વાસ્તવિક સિંહની જેમ ભીતિ અને જીવભક્ષણ વિગેરેની ક્રિયાઓ થતી નથી, તેમજ બુદ્ધિતત્ત્વમાં પણ આરેપિત ચૈિતન્યથી વાસ્તવિક પ્રતિભાસ ઘટી શકે નહિ. તેથી ચિતશકિતમાં વિષયપરિચ્છેદકતા માનવી ઉચિત છે.
જડસ્વરૂપ બુદ્ધિતત્વમાં જે વિષયપરિચ્છેદકતા નથી તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યા વિગેરે ધર્મો પણ કેવી રીતે ઘટી શકે, તે વિચારવાનું છે. મધ્યસ્થ દષ્ટિએ વિચારતાં જણાય છે કે-ધર્મ વિગેરે આઠ ગુણે આત્મામાં રહેલા છે, પરંતુ સાંખ્યાભિમત જડસ્વરૂપ બુદ્ધિતત્વમાં નહિ.
“બુદ્ધિતત્ત્વથી અહંકારતત્વ ઉત્પન્ન થાય છે.” એ માન્યતા પણ યુક્ત નથી, કારણકે અહંકાર એ જીવાત્માને કથંચિત ધર્મ હોવાથી અચેતન બુદ્ધિતત્વથી તેની ઉત્પત્તિ માનવી એ અઘટિતઘટનારૂપ છે.
શબ્દાદિતન્માત્રાથી આકાશ ઉત્પન્ન થાય છે એ
Page #64
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૩૯
માન્યતા પણ યુતિશૂન્ય હાવાથી ગ્રાહ્ય નથી. દરેક વાદિઆ નિઃસ કાચપણે આકાશને નિત્ય માને છે. તેની પશુ ઉત્પત્તિ માનવી અને જેનાથી ઉત્પત્તિ માનવી, તે શબ્દને જ આકાશના ગુણુ માનવા, આ કથન પ્રત્યક્ષવિરૂદ્ધ છે. કારણ કે— કારણ પાતેજ પાતાથી ઉત્પન્ન થયેલા કાર્યના ગુણ ખની જાય ’ એવી અપૂર્વ ઘટના સાંખ્ય સિવાયના બીજા કોઈ દ્દનમાં જોવામાં આવતી નથી. તેથી એવી અયુક્ત માન્યતાઓને બુદ્ધિશાલિ લેાકા કેવી રીતે માની શકે ?
"
‘ વાગ્ ૧, હસ્ત ૨, પાદ ૩, પાયુ ૪ અને ઉપસ્થ ૫. એ પાંચ ઇ‘દ્રિયા છે,’ એવી માન્યતા પણ યુકત નથી. કારણ કે— એવી રીતે ઇન્દ્રિયની કલ્પના કરવામાં આવે તેા તેની સખ્યાના બિલકુલ નિયમ રહેશે નહિ. દત વિગેરેને પણ ઇંદ્રિયા માનવાની ફરજ પડશે. દાંત પોતે ચાવીને અન્નાદિ વસ્તુ જીભને આપે નહિ તે તે કેવી રીતે સ્વાદ લઈ શકે ? તેથી અન્નાદિની ચ શુક્રિયામાં ઉપકારક દાંતને ઇંદ્રિય માનવાના પ્રસંગ આવશે. એષ્ઠ પણુ દાંતના ઉપઘાત ન થવામાં અને प વર્ગોદિ અક્ષરોને ઉચ્ચારવામાં સહાયક હોવાથી તેને પણ ઇંદ્રિયરૂપ માનવા જોઇએ. આંખની પાંપણ પણ આંખને ઉપઘાતથી રક્ષક હાવાથી ઇંદ્રિય માનવી જોઇએ. એવી રીતે જે કાઈ દ્વારા જે કાંઇ ક્રિયા કરવામાં આવે તે સર્વને ઇંદ્રિયરૂપ માનવામાં તેના નિયમ રહે નહિ. તેથી સદર્શનકારોની માન્યતા પ્રમાણે રૂપાદિ વિજ્ઞાનમાં કારણભૂતને ઇંદ્રિય સ્વીકારવી તે ઈષ્ટ છે, પરંતુ ક્રિયાની ઉત્પત્તિમાં કારણભૂતને ઇંદ્રિયનું નામ " આ
Page #65
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
પવું તે ઉચિત નથી. કલ્પના કરવામાં યુક્તિવિરૂદ્ધ, લેકવિરૂદ્ધ અને સ્વાનુભવવિરૂદ્ધ સર્વથા ત્યાજ્ય ગણાય છે.
“પ્રકૃતિને જ બન્ધ અને મેક્ષ હોઈ શકે પરંતુ પુરૂષને હોઈ શકે નહિ.” એ માન્યતા પણ યુકિતશૂન્ય હેવાથી આદરછણીય નથી. અનાદિકાળથી ભવપરંપરાની સાથે જોડાયેલી પ્રકૃતિની સાથે પુરૂષતત્વના વિવેકાગ્રહરૂપ સંબંધ સિવાય બીજો કેઈ બબ્ધ છે જ નહિ.
દરેક કાર્યની ઉત્પત્તિમાં પ્રકૃતિ કારણ છે” એ કથન ઉપરથી કર્મના નામાન્તર તરીકે તેને સ્વીકારવામાં કે દોષ નથી. કારણ કે પ્રકૃતિ (કર્મ) સર્વ કાર્યમાં સાક્ષાત્ અથવા પરંપરાએ કારણભૂત છે. અને તેને જડ માનવામાં આવે છે.
પૂર્વના પ્રસ્તાવમાં જણાવેલ ત્રણ પ્રકારના બંધની કલ્પના તે કલ્પનારૂપ જ છે. છતાં વિચારપૂર્વક નીચે જણાવેલી યુકિતથી માનવામાં દોષને અવકાશ નથી.
આત્મબુદ્ધિથી પ્રકૃતિની ઉપાસના કરવી તે અતત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ હોવાથી તેને મિથ્યાદશનરૂપ બંધમાં સમાવેશ થાય છે. એ જ પ્રમાણે પ્રાકૃતિક બંધને સમાવેશ પણ મિથ્યાદર્શનરૂપ બંધમાં કરી શકાય. એવી રીતે બંધસિદ્ધિ પુરૂષમાં માનવામાં દેષ નથી, તેથી સંસાર પણ પુરૂષમાં માનવામાં બાધ નથી. બન્ધ અને મોક્ષનું અધિકરણ સમાન જ હોઈ શકે. કેમકે જે બંધાયેલ હોય તે જ મુક્ત થાય. આ ઉપરથી પુરૂવને જ બન્યું અને મેક્ષ માન યોગ્ય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન
- “પ્રકૃતિ ભિન્ન સ્વભાવવાળી છે અને પુરૂષ પણ પિતે ભિન્ન સ્વભાવવાળે છે, એવા પ્રકારનું વિવેકજ્ઞાન થવાથી જ્યારે પ્રકૃતિ પોતાની પ્રવૃત્તિથી વિરામ પામે છે ત્યારે પુરૂષ જે અવસ્થામાં રહે તે મેક્ષ કહેવાય છે. આવું સાંખ્ય લેકેનું કથન સહુદય માનવના મને મંદિરમાં નિવાસ કરી શકતું નથી.
પ્રકૃતિને સ્વભાવ પ્રવૃત્તિ કરવાનું જ છે. તે તેને ઉદાસીનતા ધારણ કરવાનું શું પ્રયોજન છે? જે પ્રત્યુત્તરમાં એવું જણાવવામાં આવે કે-“પ્રકૃતિની પ્રવૃત્તિમાં તે પુરૂષાર્થ કારણ છે, પુરૂષાર્થ તે વિવેકજ્ઞાન છે. વિવેકજ્ઞાન થવાથી પોતાનું કાર્ય અજાવી કૃતાર્થ થએલી હોવાથી જેમ નટીનાટકને પાઠ ભજવી વિરામ પામે છે, તેમ જ પ્રકૃતિ પણ પિતાને પ્રવૃત્તિમય સ્વભાવ દર્શાવી કૃતકૃત્ય થવાથી વિરામ પામે છે. તે તેવું કથન વિચારશીલ વિદ્વજનસમૂહમાં આદર પામશે નહિ. કારણ કેજડસ્વરૂપ પ્રકૃતિમાં આવા પ્રકારનું વિવેકજ્ઞાન કયાંથી સંભવી શકે કે હું આ પુરૂષને હારે પ્રવૃત્તિમય સ્વભાવ દર્શાવી નિવૃત્ત થાઉં.” ? એવી વિચારશક્તિ પુરૂષમાં અવશ્ય ઘટી શકે, પરંતુ જડમાં કદાપિ સંભવે નહિ. છતાં સુષ્યતુ દુર્જનઃ એન્યાયથી માનવામાં આવે તે જેમ નટી નાટક બતાવી નિવૃત્ત થયા પછી પણ પ્રેક્ષકેના આગ્રહથી પુનઃ પ્રેક્ષણ પ્રદશિત કરે છે. તેમજ વિવેકજ્ઞાન થયા પછી પણ પ્રકૃતિ પુનઃ પ્રવૃત્તિ કેમ ન કરે? કેમકે તેને પ્રવૃત્તિમય સ્વભાવ વિદ્યમાન છે. માટે તેમ નહિ સ્વીકારતાં “સમસ્ત કમને ક્ષય તે મોક્ષ એવું સ્વીકાર વામાં દોષને અવકાશ નથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
સાંખ્યલાકે પ્રકૃતિથી ૨૩ તત્ત્વોની ઉત્પત્તિ માને છે. તે પણ વિચારણીય છે. એ ૨૩ તત્ત્વ પ્રકૃતિની સાથે અભેદ સબધ ધરાવે છે. તા એ તત્ત્વામાં જેમ કાતા માનવામાં આવે છે, તેમજ પ્રકૃતિમાં પણ કાય તા કેમ ન મનાય ? કારણકેજેની સાથે જેના સવ થા અભેદ સબંધ માનવામાં આવે તેના જે ધર્મો હાય, તે પણ તેમાં માનવા જોઈએ. જો મહત્તત્ત્વાદ્વિમાં રહેલ કાર્યત્વ પ્રકૃતિમાં ન માનમામાં આવે તે ‘ પ્રકૃ-, તિની સાથે મહત્તવાદિના સથા અભેદ સ'ખ'ધ છે. ' એ માન્યતા ભૂલભરેલી જ ગણાય. પ્રકૃતિમાં સર્વથા કારણતા જ અને મહત્તત્ત્વાદિમાં સર્વથા કાર્યંતા માનવાથી વ્યાઘાત થવાના પ્રસગ આવે છે.
,
‘ મહત્તવાદ્ધિ વ્યક્તિથી હેતુમન્ત્ર વિગેરે નિમિત્તથી પ્રકૃતિને વિપરીતસ્વરૂપવાળી માનવી. ' એવી સાંખ્યલેકની માન્યતા યુક્તિવિકલ હાવાથી મનમાં પ્રમેાદ આપતી નથી. કેમકે મહત્તત્ત્વાદિ પદાર્થોને એક તરફથી પ્રકૃતિની સાથે સર્વથા અભિન્ન માનવા અને બીજી તરફથી મહત્તાદિને પ્રકૃતિથી વિપરીતસ્વરૂપવાળી કહેવી, એ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. જગમાં ભિન્નસ્વભાવવાળા પદાર્થોને વિપરીતધયુક્ત માનવામાં આવે છે. જેમ માાંથી વધ્યા. એવું અહિ· બિલકુલ નથી.
સત્ત્વ, રજસ અને તમેગુણની પરસ્પર ભિન્નતાને પરિચય કરાવનાર એક નિમિત્ત હાવુ જોઇએ. તેવુ કાઇ પણ નિમિત્ત સાંખ્યદર્શીનમાં માનવામાં આવતુ નથી. તેા પછી
Page #68
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
ભિન્નતાપ્રતિપાદક હેતુના અભાવે સમસ્ત જગત્ એકસ્વભાવી મનાવાને પ્રસંગ કાં ન આવે?
સાંખ્યલેકે ઉપરના કથનનું આવી રીતે સમાધાન કરે કે-“પ્રસાદ, તાપ, દૈન્ય વિગેરે ભિન્નતાપ્રતિપાદક નિમિત્તો અમારે ત્યાં મનાય છે. તેથી ઉપર્યુક્ત દેષને અવકાશ નથી.” તે તે વચન પણ વ્યાજબી નથી. કારણ કે સત્તાદિ ગુણેની સાથે અભિન્નતા ધારણ કરનારી પ્રકૃતિ સત્ત્વાદિગુણરૂપ છે. એમ માનવામાં શી હાનિ ?
- “ઊર્વક યા દેવસૃષ્ટિ ૮ પ્રકારની સત્વગુણરૂપ છે, અલેક અથવા પાંચ પ્રકારના તિર્યંચ, નારકી વિગેરે તમોગુણ રૂપ છે અને મનુષ્યલેક રજોગુણમય છે.” આવું સાંખ્ય કેનું કથન સમુચિત નથી. કારણ કે પ્રકૃતિની સાથે અભિન્નતા ધરાવનારા એ ત્રણે ગુણે જ્યાં જ્યાં પ્રકૃતિ હોય ત્યાં ત્યાં અવશ્ય સાથે રહેવાના. એથી અમુક સ્થળે અમુક જ ગુણ છે અને બીજા ગુણે નથી જ. એમ કહી શકાય નહિં. હાં, થોડે ઘણે અંશે માનવામાં વાંધો નથી.
વ્યક્ત મહત્તત્ત્વાદિ અવ્યક્ત પ્રકૃતિની સાથે અભિન્ન હેવાથી પરસ્પર પ્રકૃતિને વ્યવહાર મહત્તત્ત્વમાં અને મહત્તત્વને વ્યવહાર પ્રકૃતિમાં ઇએ. - જેમ લેકમાં જેને જેની સાથે અન્વય-વ્યતિરેક હોય; ત્યાં જ કાર્યકારણભાવ મનાય છે, તેમજ પ્રકૃતિની સાથે મહર
Page #69
--------------------------------------------------------------------------
________________
તરવાખ્યાન.
તત્ત્વાદિને કાર્યકારણભાવ ત્યારે જ માની શકાય કે જ્યારે તેમાં અન્વય-વ્યતિરેક ઘટી શકે. પરંતુ એ અન્વયવ્યતિરેક ત્યાં હવાને અનુભવ કે વ્યક્તિના જાણવામાં નથી; તેથી તે બન્નેની કાર્યકારણભાવની સાંખલેકેની કલ્પના વ્યર્થ છે.
પ્રકૃતિને સર્વથા નિત્ય માનવાથી તેમાં કમથી અથવા યુગપત કઈ રીતે અર્થ કિયાને સંભવ રહેતું નથી, તેથી તેમાં કારણુતા માની શકાય નહિ.
સાંખ્યલેકેને સત્કાર્યવાદ પણ વિચારણીય છે. તેઓએ કારણમાં માનેલી કાર્યસત્તા સર્વથા તેમાં વિદ્યમાન છે, કે કેઇ એક ધર્મને આશ્રય કરીને રહેલી છે? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેઓ પ્રથમ પક્ષનું પ્રતિપાદન કરે તો આગળ જણાવેલ દેષ ઉપસ્થિત થવાને પ્રસંગ આવે છે. તે આ પ્રમાણે–
- જે દૂધમાં દહિં પિતાના સર્વ રૂપ, રસ વિગેરે ગુણથી વિદ્યમાન હોય, તે ખટાઈ વિગેરે (દહિં બનાવવાની સામગ્રી) ની અપેક્ષા રહેતી નથી. તથા જે ઘડે પિતાના કંબુગ્રીવાદિ - ૧ જેની વિદ્યમાનતામાં જેની વિદ્યમાનતા જોવામાં આવે તે અન્વય, અને જેના અભાવમાં જેને અભાવ જણાય તે વ્યતિરેક સમજ. જેમ મૃત્તિકા, દંડ, ચક્ર, કુંભકાર વિગેરે કારણ સામગ્રીની સંપૂર્ણરીત્યા વિદ્યમાનતા હોય ત્યારે ઘટ વિગેરે કાર્યની સત્તા દષ્ટિગોચર થાય છે, તે અન્વય. જ્યારે કારણસામગ્રીની ન્યૂનતા યા અભાવ, ત્યારે ઘટાદિ કાર્યને અભાવ જોવાય છે. વ્યતિરેક તે સમજ.
Page #70
--------------------------------------------------------------------------
________________
તરવાખ્યાન.
૪૧
આકાર, જલધારણ આદિ કિયા વિગેરે સર્વ ગુણથી માટીમાં વિદ્યમાન હેય; તે પછી દંડ, ચક્ર, કુંભકાર વિગેરે કારણ સામગ્રીની તે કાર્ય પરત્વે બિલકુલ આવશ્યકતા રહેતી નથી. કારણ કે-જે વસ્તુ સર્વ આકારથી વિદ્યમાન હોય તેમાં ઉત્પત્તિ થવાને વ્યવહાર કેમ થઈ શકે? જેમ પ્રકૃતિ યા પુરૂષતત્ત્વ પિતાના સર્વ આકારથી સવંદા વિદ્યમાન હોવાથી તેમાં ઉત્પત્તિને વ્યવહાર કરવામાં આવતું નથી. તેમજ ઘટ વિગેરેમાં પણ બનવું જોઈએ. આ બને તે પણ પિતાના સ્વરૂપથી નિરંતર વિદ્યમાન હોવાથી કઈ રીતે એમાં ઉત્પત્તિના વ્યવહારને અવકાશ નથી. “જે વસ્તુ પિતાના સ્વરૂપથી વિદ્યમાન હોય તેને અમુકથી ઉત્પન્ન થઈ એમ માનવું. એ વ્યવહાર વિરૂદ્ધ છે.
બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તે સ્યાદ્વાદ (અનેકાંત) શૈલી માનનાર મનુષ્યને હાનિ નથી. કારણ કે તેઓ દ્રવ્યર્થિકનયની અપેક્ષાએ દ્રવ્યરૂપે (પ્રતિકારૂપે તિભાવથી) માટીમાં ઘડે હેવાનું સ્વીકારે છે, પરંતુ કંબુગ્રીવાદિ પર્યાયરૂપ ઘડાની સત્તા માટીમાં નથી એમ કહે છે. કિંતુ તે માન્યતા એકાંતવાદિ (સાંખ્ય) ને ઈષ્ટ નથી. તેથી તેઓથી માની શકાય નહિ. નીચેને વિકલ્પ સાંખ્યવાદિને પ્રશ્નરૂપે પૂછી શકાય કે જે સ્વરૂપથી દહિં દૂધમાં વિદ્યમાન છે, તે સ્વરૂપ ધિથી ભિન્ન છે અથવા અભિન્ન (એક) જ છે?” તેના જવાબમાં જે ભિન્નતાને પક્ષ માનવામાં આવે, તે કારણમાં કાર્યની સત્તા માનવી વ્યર્થ થઈ જશે. જે બીજે પક્ષ માનવામાં આવે તે કાણની નિરર્થકતા સાથે વ્યવહારને નાશ થાય છે. રંધરૂપે
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૬
તળાખ્યાન
જણાતી અવરથામાં તેનાથી વિલક્ષણ સ્વરૂપવાળું દહિં તેમાં છે, એમ કે પ્રેક્ષાવાન માની શકે નહિ. અને દધિનાં ૧ શિખંડ, રાઈતું, કઢી, વિગેરે કાર્યોની ઈચ્છા ધરાવનાર મનુષ્ય તેનાથી કાર્ય સાધી શકે નહિ. દૂધનાં કાર્યો દૂધપાક, મા વિગેરે દૂધથી જ સધાય છે અને દહિંના કાર્યો દહિંથી.
સાંખ્ય લોકો તરફથી કદાચ એમ કહેવામાં આવે કેકારણમાં કાર્ય તિરહિતરૂપે રહે છે અને તેવા પ્રકારની કારણસામગ્રી મળવાથી કાર્યની અભિવ્યક્તિ થાય છે એવું અમે માનીએ છીએ, તેથી કારણની નિરર્થકતા થતી નથી.” એ પ્રત્યુત્તર તરફ વિકલ્પ ઉત્પન્ન થાય છે કે-“કાર્યની અભિવ્યકિત કારણમાં સભાવથી છે, યા અસદ્ભાવથી?”પ્રતિવાદી તરફથી પ્રથમ પક્ષને માન અપાય, તે કારણના વ્યાપારનું પ્રયેાજન રહે નહિ. બીજે પક્ષ માનવામાં આવે કે-અસહ્માવથી કાર્યની અભિવ્યકિત થાય છે તે આકાશપુષ્પ વિગેરે અભૂતથી પણ કાર્યની સત્તાને પ્રસંગ આવશે. - સત્કાર્યવાદને સર્વથા માનવા જતાં મોક્ષને પણ અભાવ થશે. કારણ કે આપે સ્વીકારેલ મિથ્યાજ્ઞાનથી થતે બંધ તે નિત્ય હેવાથી, સર્વ જી બંધાવસ્થામાં મસ્ત હેવાથી મુકિત ન મેળવી શકે એ સ્વાભાવિક છે. “મિચ્યાજ્ઞાનરૂપ આવરણના નાશથી મેક્ષ થવામાં હાનિ નથી. એમ પ્રતિપક્ષ તરફથી સમાધાન કરવામાં આવે છે તે પણ એગ્ય નથી. કેમકે જ્યાં સુધી પૂર્વસ્વરૂપને ત્યાગ ન કરવામાં આવે, ત્યાં સુધી
Page #72
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
આવરણને તિભાવ અથવા આવિર્ભાવ થયે એમ કેમ માની શકાય ? એથી મુક્તાવસ્થા શબ્દમાં જ રહેશે. અથવા
દરેક છે મુક્ત છે.” એમ માનવું પડશે. કેમકે પ્રકૃતિપુરૂષના વિવેકાતિરૂપ તત્ત્વજ્ઞાનને આપે મેક્ષના કારણરૂપે માનેલ છે. તે નિત્ય હોવાથી દરેક ને મુક્ત કાં ન કહી શકાય? - સત્કાર્યવાદિના અભિપ્રાય પ્રમાણે જગતમાં અપ્રાપ્ય તથા હેયવસ્તુના અભાવથી, સર્વ લેકની હિતપ્રાપ્તિમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ એ સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિને અવકાશ નહિ રહેતે હવાથી ચેષ્ટાન્યતા સર્વત્ર વ્યાપી જવી જોઈએ.
સર્વથા સત્કાર્યવાદની માન્યતાના નિરાકરણમાં સેંકડે યુકિતઓ છે. પરંતુ તે આ લઘુગ્રંથમાં સંપૂર્ણ રીત્યા દર્શાવી શકાય નહિ. વિશેષ જિજ્ઞાસુઓએ અને જયપતા, सम्मतितर्क, स्याद्वादरत्नाकरावतारिका त्या अयो અવલેવા.
હવે સિંહાવકન ન્યાયથી બુદ્ધિના સુખ, દુઃખ વિગેરે ગુણે ઉપર વિચાર કરવામાં આવે છે. સુખ વિગેરે ગુણ ચૈતન્યની સાથે એકાધિકરણમાં લેવા જોઈએ. સર્વત્ર એવું જોવામાં આવે છે કે-જે ચૈતન્યવાળા હોય તેજ સુખાદિગુણવાળા હોય છે. જ્યાં ચિતન્ય ન હોય ત્યાં સુખ વિગેરે ગુણે પણ જોવામાં આવતા નથી. જેમ કાઝ, સ્તંભ, ઈટ વિગેરેમાં ચૈતન્ય નહિ હેવાથી સુખાદિ ગુણે પણ નથી દેતા. આથી સુખાદિને જડરવરૂપ
Page #73
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
બુદ્ધિતત્વમાં નહિ માનતાં ચેતનની અંદર જ માનવા જોઈએ, જ્ઞાનને જડબુદ્ધિતત્વને ધર્મ માન અને આત્માને નિર્ગુણ ક્રિ ચાન્ય જણાવતે ઉચિત નથી. મૂલતા જ્યાં સુધી.યુકિતરૂપ કસેટીથી શુદ્ધ પરીક્ષિત ન થાય, ત્યાં સુધી તેને સત્યતત્ત્વરૂપે સ્વીકારવાનું કઈ પણ બુદ્ધિમાનું કબૂલ રાખી શકે નહિ. માટે કદાગ્રહને ત્યાગ કરી મધ્યસ્થષ્ટિથી સત્ય સંશોધન કરવાની સન્મતિ સર્વ સજજનેને પ્રાપ્ત થાઓ. એવી ઈચ્છાપૂર્વક આ સાંખ્યદર્શનસમાલોચના નામનું તત્ત્વાખ્યાન ગ્રંથને ત્રીજો પ્રસ્તાવ સમાપ્ત કરવામાં આવે છે.
અને પ્રસ્તાવ સમાપ્ત.
Page #74
--------------------------------------------------------------------------
________________
चतुर्थः प्रस्तावः ।
બૈદ્ધતનું નિરૂપણ
આ ચેથા પ્રસ્તાવમાં અનુક્રમે બાદ્ધદર્શનનું નિરૂપણ કરવામાં આવે છે. તેમાં પ્રથમ જૈદ્ધોના આચારનું સ્વરૂપ બતાવી તેમના માનેલા પદાર્થોનું પ્રતિપાદન કરીશું.
બાદ્ધ સાધુઓ “ભિક્ષુ” ના નામથી ઓળખાય છે. તેઓ સુરમુંડન કરાવે છે. પોતાના હાથમાં ચિહ્નરૂપ પંખે અથવા ચામર રાખે છે. કેટલાક કમંડલું પણ રાખે છે. તેઓની પાસે ચામડાનું આસન હેાય છે. પીળા રંગથી રંગેલું વસ્ત્ર તેઓ ગળાથી પગની પાની સુધી આવે તેવા લાંબા પનાનું પહેરે છે. શાકિયાને તેઓ આવશ્યક ગણે છે. તેઓની ખાનપાનની પદ્ધતિ સર્વ દર્શનકારથી વિલક્ષણ પ્રકારની છે. કમળ શયામાં વિનેદથી શયન કરવું. પ્રાતઃકાળે શયામાંથી ઊડ્યા પછી પિયા (રાબડી) વિગેરે પિય વસ્તુનું પાન કરવું. મધ્યાહન સમયે ભિક્ષા માટે બ્રમણ કરવું. ગૃહસ્થને ઘરે ભિક્ષા માટે જતાં ઘર બહાર ઉભા રહી પાત્ર નીચે મૂકવું. પછી જે કાંઈ વસ્તુ ગૃહસ્થા તરફથી આહાર માટે આપવામાં આવે, તે સર્વ પાત્રમાં પડેલી વસ્તુને ઉપભેગ કર. કદાચ કઈ માંસ લાવી આપે છે તે પણ સ્વીકારવું. પાત્રમાં આવેલી
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૦
તજ્યાખ્યાન.
વસ્તુ શુદ્ધ ગણાય એવી માન્યતાને લીધે અદ્યાપિ તેઓ માંસ ખાવામાં પણ સંકેચ કરતા નથી. મનુષ્ય, અશ્વ, શ્વાન, માજર વિગેરે દશ પ્રકારના છના માંસને અપવાદ તરીકે ત્યજી બીજાં સર્વ પ્રકારનાં માંસનું તેઓ ભક્ષણ કરે છે. વર્તમાનકાળમાં કઈ કઈ તે ઉંદરના અથાણું કરી ખાવામાં પણ તેઓને ઘણા ઉપજતી નથી. માંસ ખાવાની તે તેઓની સામાન્ય પદ્ધતિ થઈ પડી છે. રંગુન, ચીન, બ્રહ્મદેશ વિગેરે દેશમાં પરિભ્રમણ કરનારાઓને એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ત્યાં મુસાફરી કરી આવેલા મુસાફરે એ બીના આબેહુબ વર્ણવે છે. બનારસની પાસે આવેલા સારનાથ નામના સ્થળમાં એક બદ્ધરતૂપ છે. અને ત્યાંના ગુરૂકુળમાં કેટલાક બાદ્ધ ભિક્ષુઓ રહે છે. તેમના પરિચયથી પણ વિશેષ માહિતી મળી શકે છે. - તેઓ દિવસમાં એક વખત ભજન કરે છે. ત્રીજા પ્રહરમાં પાનક (શરબત, સાકર, ઠંડાઈ, ફૈટ વિગેરે) વાપરે છે. રાત્રિમાં ક્ષુધા યા તૃષા લાગે તે દ્રાક્ષ વિગેરે વાપરવામાં આવે છે. મનની ઈચ્છાનુસારે શયન, સ્થાન, ભેજનાદિ કરવાથી ધ્યાન પણ મને ભીષ્ટ થઈ શકે છે. એવી એ લોકોની માન્યતા છે.
- તે લેકેને બ્રહ્મચર્ય વિગેરે પિતાની ક્રિયામાં બહુ દઢ રહેવાનું બુદ્ધદેવનું ફરમાન છે. ૧ બુદ્ધ પ્રરૂપિત ધર્મ, ૨ બુદ્ધદેવ અને ૩ સંધ (ભિક્ષુ, ઉપાસક, ઉપાસિક) એ ત્રણ વસ્તુને રત્નત્રય નામથી ઓળખવામાં આવે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ઐાદ્ધસઘના ઉપદ્રવને હરનારી ખાદ્ધશાસનની રક્ષિકા તારાદેવી મનાય છે. ૌદ્ધશાસનમાં વિપશ્યી ૧, શિખી ૨, વિશ્વભૂ ૩, કકુચ્છઃ ૪, શાકયસિ ંહ, ૫, કાંચન ૬ કાશ્યપ ૭, એ સાત સજ્ઞ દેવ કહેવાય છે.
તત્ત્વાખ્યાન.
બુદ્ધદેવાની મૂર્ત્તિતના કઠમાં ત્રણ રેખા હોય છે. અને તે મૃત્તિ પદ્માસનવાળી હાય છે. કેટલીક મૂર્ત્તિઓ પર કપડાને આકાર પણ હોય છે. ઉપર્યુક્ત દેવાનાં યુદ્ધ, તથાગત સુગત, ધમ ધાતા વિગેરે પર્યાયનામે છે.
આદ્ધસાધુઓને ભિક્ષુ, સાગત, શાકયચુત, શાહોનિસુત, તાથાગત, શૂન્યવાદી, ક્ષણિકવાદી વિગેરે પર્યાય નામેાથી પ્રશ્નશિત કરવામાં આવે છે.
ઐાદ્ધ ગ્રંથાના પ્રણેતા ધર્માંત્તર, ધકીર્ત્તિ, પ્રજ્ઞાકર, દિનાગ વિગેરે પ્રસિદ્ધ છે.
ભગવાને પ્રરૂમેલ તત્ત્વોના નિરૂપણ ઉપર
હવે બુદ્ધ
આવીએ.
આય સત્ય.
બુદ્ધદેવે દુઃખાદિ ચાર તત્ત્વા,કે જેનું બીજુ નામ આય સત્ય છે, તેની પ્રરૂપણા કરી છે. હેય–ત્યાગ કરવા લાયક એવી સવ વસ્તુથી દૂર રહેનારને આય કહેવામાં આવે છે. સત્ સાધુ અથવા પટ્ટા તે અન્નેને જે હિતકારિ હાય, તે સત્ય
Page #77
--------------------------------------------------------------------------
________________
જરિ
તવાખ્યાન,
કહેવાય છે. સારાંશ એજ કે સાધુઓને મોક્ષમાર્ગમાં જે સહાચક હેય તે સત્ય અને પદાર્થોના યથાવસ્થિત (સત્ય) વરૂપના ચિંતનમાં જે ઉપકાર થાય, તે પણ સત્ય કહી શકાય. આર્યનું સત્ય તે આર્યસત્ય. દુઃખ ૧, સમુદય ૨, માર્ગ ૩, નિરોધ ૪. એ ચાર તને આર્યસત્યના નામથી ઓળખવામાં આવે છે.
પરિચય.
દુઃખના કારણભૂત વિજ્ઞાન વિગેરે પાંચ સ્કને ખતત્વ માનવામાં આવ્યું છે. જ્યારે તે પાંચ સ્કૉને તૃષ્ણા સહાયક થાય–તૃષ્ણાની પ્રબળતા થાય, ત્યારે તેને સમુદય કહેવામાં આવે છે. કેમકે, જેથી પાંચ સ્કંધ સ્વરૂપ દુઃખને ઉદય તે જ સમુદય છે. “સર્વ પ્રકારના સંસ્કારે ક્ષણિક છે.” એવી વાસના તે માર્ગ. તથા ક્ષણિક સંસ્કાર વિષયક માર્ગને અટકાવનાર અર્થાત્ વાસનાવિષયક ચિત્તસંતતિને ધિ કર તે નિષેધ મેક્ષ કહેવાય છે.
૧ દુઃખત. स्कंधोनुं स्वरूप.
એક સ્થાનથી બીજે સ્થાને જવામાં તથા વિવક્ષિત ભવથી ભવાંતરમાં ગમનશીલ અચેતન અથવા પરમાણુ પરિશયરૂપ અચેતન હેય તેને સ્કંધ કહેવામાં આવે છે. તેના પાંચ ભેદે છે. આ પાંચ પ્રકારના સ્કધા દુઃખના કારણ હેવાથી
Page #78
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
કારણમાં કાર્યને ઉપચાર માની દુખદ રૂપ કહેવાય છે. એથી ભિન્ન આત્મા નામને સ્કંધ બિદ્ધમતમાં માનવામાં આવેલ નથી. ૧ વિજ્ઞાન સ્કંધ, ૨ વેદનાત્કંધ, ૩ સંજ્ઞારક, ૪ સકારસ્કધ, ૫ રૂપસ્કધ. એ પાંચ પ્રકારના સ્કંધે છે.
રૂપવિજ્ઞાન, રસવિજ્ઞાન, ગંધવિજ્ઞાન, સ્પર્શવિજ્ઞાન અને શબ્દવિજ્ઞાન ઇત્યાદિ નિવિકલ્પ જ્ઞાનને વિજ્ઞાનઔધકહેવામાં આવે છે. અર્થાત બાળક અથવા મૂંગા મનુષ્યના જેવું જે પ્રથમ આલોચનાજ્ઞાન થાય છે, તે નિવિકલ્પ વિજ્ઞાન સ્કંધ કહેવાય છે.
પૂર્વે કરેલ કર્મથી દુખસ્વરૂપ, સુખરૂપ તથા ઉભયરૂપ જે વેદનાને અનુભવ તે વેદનાસ્ક ધ કહેવાય છે. જેમ બુદ્ધદેવને એક દિવસ ભક્તોને ત્યાં ભિક્ષા માટે પરિભ્રમણ કરતાં પગમાં કાંટે વાગે, ત્યારે તેમણે ભિક્ષુઓને જણાવ્યું કે-“આ ભવથી ૯૧ મા ભવમાં મેં એક પુરૂષને માર્યો હતો, તેજ કર્મના વિપાકથી હું વિધા છું' એવી રીતે સર્વત્ર કર્મવિપાક સમજ. આવા પ્રકારની દુઃખાદિસ્વરૂપવાળી વેદના તે વેદનાસ્કધ.
જેમાં નામ, જાતિ,ગુણ ક્રિયા વગેરેની કલ્પના થઈ શકે, એવા સવિકલ્પજ્ઞાનને સત્તાધ કહેવામાં આવે છે. જેમ આ “દેવદત્ત’ નામને મનુષ્ય છે, એ બ્રાહરણું જાતિને છે,
Page #79
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
ગોત્રવડે કાશ્યપ છે, યાચકવૃત્તિ કરે છે, ઈત્યાદિ કલ્પનાઓ જે જ્ઞાનમાં થાય તે સંજ્ઞાસ્કંધ.
પુણ્ય, પાપ વિગેરે ધર્મ સમુદાયને સંસ્કારસ્કધ કહેવામાં આવે છે, પૂર્વે અનુભવેલ વિષયના સ્મરણમાં જે ઉધક હોય, તે પણ સંસ્કારકંધ કહેવાય છે.
પૃથ્વી, અપૂ, તેજસુ, વાયુ, આકાશ એ પાંચ ધાતુ તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ-એ વિગેરેને રૂપસ્કંધ કહેવામાં આવે છે.
आत्मानो अस्वीकार.
* આ ઉપર જણાવેલ પાંચ ઔધોથી ભિન્ન સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધર્મ, અધર્મ વિગેરે ધર્મોના આધારભૂત આત્મા નામને પદાર્થ બદ્ધમતમાં માન્ય નથી. આત્માની સત્તા ( હોવાપણું) સ્વીકારવામાં પ્રત્યક્ષ પ્રમાણ ઉપયોગમાં આવી શકતું નથી, કેમકે પ્રત્યક્ષ પ્રમાણ તે ઇંદ્રિયસંબદ્ધ વિષયેને ગ્રહણ કરે છે, આત્મા અરૂપી હોવાથી તેનું પ્રત્યક્ષ કેવી રીતે હોઈ શકે? એથી પ્રત્યક્ષપ્રમાણથી આત્મા સિદ્ધ થઈ શકતું નથી. તેમજ અનુમાનપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતું નથી, કેમકે આત્માને જણાવનાર કેઈપણ અવ્યભિચારી (દોષ વિનાનું) ચિહન મળતું નથી. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુ સિવાય બીજુ
Page #80
--------------------------------------------------------------------------
________________
તારીખ્યાન.
કઈ પ્રમાણ નથી કે જેના દ્વારા આત્માને ભિન્ન પદાર્થરૂપે સ્વીકારવામાં આવે. તેથી આત્મા છેજ નહિ.
વિશેષ પૂર્વમાં જણાવેલા પાંચ સ્ક પણ ક્ષણિક (ક્ષણમાત્ર અવસ્થાયિ) હોવાથી પ્રતિક્ષણે બદલાતા જાય છે એથી તે સ્કધે નિત્ય નથી, તેમ સ્વ૫ સમય સુધી સ્થિર રહે છે એમ પણ ન કહી શકાય. એ સ્વરૂપ માર્ગતત્વના નિરૂપણ પ્રસંગે સ્પષ્ટ થશે. એ પ્રમાણે ઉપર બતાવેલ પાંચ રકોને દુઃખતરવ કહેવામાં આવે છે.
૨ સમુદયતત્ત્વ. જેથી રાગ, દ્વેષ, મોહ, મત્સર, કામ, ક્રોધ, માન, માયા વિગેરે દૂષોના સમુદાયને પ્રાદુર્ભાવ થાય, તેને સમુદયતત્ત્વ કહેવામાં આવે છે. આ દૂષણગણની ઉદયાવસ્થામાં જીવે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. આ મહારૂં છે, આ પારકું છે, સ્ત્રી, પુત્ર, પુત્રી, કુટુંબ, ધન, વસ્ત્ર, ઘર, માલ મીલકત વિગેરે સર્વ વસ્તુઓમાં મમત્વબુદ્ધિ થાય તે સમુદયતત્ત્વના કાર્યરૂપ રાગનું ચિહ્ન છે. હું તે સર્વને સંબંધી છું, મારા સિવાય તેઓને લગારમાત્ર ચાલે તેમ નથી, તે સર્વમાં મારી જ સત્તા છે. આવું કથન એ સમુદયતત્ત્વના કાર્યરૂપ અભિમાનથી થાય છે. તથા પરસ્ત્રી, પરધન, પરકુટુંબ વિગેરેમાં જે અન્યત્વબુદ્ધિ, પિતાની વસ્તુ ઉપર સ્વત્વની બુદ્ધિ, અન્ય સર્વ મારાથી ભિન્ન છે, તેઓ પારકા હોવાથી મારા કાર્યમાં આવવાના નથી; એ વિગેરે જે સ્વકીય-પરકીય વસ્તુને વિચાર-તે મહાહનું
Page #81
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
ચિહન છે. આ મારે શત્રુ છે, હું તેને અવસર મેળવી મારી નાખીશ, આ વ્યકિતએ મારું બહુ ખરાબ કર્યું છે, વિગેરે જે વિચારવું, તે સર્વ દ્વેષનાં ચિહને છે. આવા સર્વ વિચારે જે રાગાદિ દૂષણગણુની ઉદયાવસ્થામાં ઉદ્દભવે છે અને જેના પ્રતાપથી છ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે, તેનું નામ જ સમૃદયતત્વ છે.
૩ માર્ચતત્વ. સર્વ પદાર્થો ક્ષણિક છે, ક્ષણવારમાં વિનશ્વર થવાના સ્વભાવવાળા છે, આવા પ્રકારની વાસના, તેને જ માર્ગવ સમજવું. क्षणिकवादनुं समर्थन.
પોતાના કારણથી ઉત્પન્ન થતા પદાર્થો શું વિનશ્વર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે? અથવા અવિનશ્વર-નિત્યસ્વભાવવાળા ઉત્પન્ન થાય છે? આ બે પક્ષ સિવાય કોઈ ત્રીજો પક્ષ થઈ શકે તેમ નથી.
જે અર્થયિાકારિ હોય, તે જ પદાર્થ કહેવાય છે. નિત્ય અથવા અમુક સમય સુધી સ્થાયિ માનવામાં આવતા પદા
માં તે અર્થ ક્રિયાકારિત્વ ક્રમથી કે એક સાથે એ બંનેમાંથી એક પણ રીતે ઘટી શકતું નથી, પરંતુ ક્ષણિકવાદમાં જ તે ઘટિ શકે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
તન્વાખ્યાન.
પ૦
સામાન્ય નિયમ એ છે કે-પિતા પોતાની અર્થ ક્રિયા કરવામાં સમર્થ હોય, તે જ વાસ્તવિક રીતે સતપદાથે કહી શકાય. પદાર્થ નિત્ય હોવા છતાં અર્થ ક્રિયા કરવામાં પ્રવૃત્તિમાન થાય છે; એમ કથન કરનારને પૂછવું જોઈએ કે તે નિત્ય પદાર્થ અનુક્રમે અર્થ ક્રિયા કરે છે અથવા યુગપ-એકી સાથે સર્વ અર્થ ક્રિયાઓ કરે છે. પ્રથમ પક્ષ યુક્તિ રહિત હેવાથી માની શકાશે નહિ, કેમકે જે સમયે તે નિત્ય પદાર્થ પ્રથમ અર્થ ક્રિયા કરવા પ્રયત્ન કરે, તે સમયે બીજી અર્થ ક્રિયા કરવાને સ્વભાવ તેમાં છે કે નહિ? જે બીજી અર્થ ક્યિા કરવાને સ્વભાવ તે સમયે છે, એમ સ્વીકારવામાં આવે તે પછી અનુક્રમે અર્થ ક્રિયા કરવાનું બીજું શું પ્રજન છે? તે વિચારણીય થઈ પડશે. કદાચ એમ સમાધાન કરવામાં આવે કે-સહકારિ બીજા કારણે ન મળવાથી તે નિત્ય પદાર્થ ભવિષ્યમાં થનારી બીજી અર્થ ક્રિયાઓ કરવામાં અસમર્થ છે. તે ઉપર્યુક્ત કથન ઉપર શંકા ઉદ્ભવે છે કે તે સહકારિ કારણે નિત્ય પદાર્થમાં શું કાંઈ વિશેષ અતિશય ઉત્પન્ન કરે છે કે જેથી તેની વિદ્યમાનતામાં જ તે અર્થયિા સાધી શકે અને તેના અભાવમાં ન કરી શકે? પ્રત્યુત્તર એવે આપવામાં આવે કે–નિત્ય પદાર્થમાં સહકારિ કારણે અતિશય વિશેષ ઉત્પન્ન કરે છે. સહકારિ કારણેથી ઉત્પન્ન થયેલ અતિશય વિશેષ નિત્ય પદાર્થના પૂર્વના સ્વભાવને પરિત્યાગ કરાવે છે કે કેમ, તેના પ્રત્યુત્તરમાં, પરિત્યાગ કરાવે છે, એમ કહેવામાં આવે છેતેથી અમારા પક્ષની જ પુષ્ટિ થશે. કેમકે પિતાના
Page #83
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
પૂર્વ સ્વભાવને ત્યાગ કરનાર જ અનિત્ય કહેવાય છે. આવી જ સ્થિતિ પદાર્થ માત્રની અનિત્યતાને ટેકે આપે છે.
શિવે બીમાપ્ત કરવા તી નહિ હોવા
' “સહકારિ કારણે આવીને નિત્ય પદાર્થમાં કોઈ પણ જાતને અતિશય વિશેષ ઉત્પન્ન કરવામાં શક્તિમાનું થતાં નથી.” એ પક્ષ માન્ય કરવામાં આવે તે વધ્યાપુત્રની જેવાં નિરર્થક સહકારિ કારણે માનવાની આવશ્યકતા રહેતી નથી. આવી રીતે પ્રથમ કમિક પક્ષથી પદાર્થમાં અનિત્યતા કદાપિ સિદ્ધ થઈ શકતી નથી.
હ“નિત્ય પદાર્થ સર્વ અર્થ ક્રિયાઓ એક સાથે કરે છે? એ બીજો પક્ષ માનવામાં આવે તે, પ્રથમ ક્ષણમાં સર્વ અર્થ ક્રિયાઓ સમાપ્ત કરવામાં આવેલ હોવાથી, બીજા ક્ષણમાં કાંઈ પણ ક્રિયા બાકી રહેલી નહિ હોવાને લીધે શૂન્યતા થવાની. આવી રીતે પ્રથમ ક્ષણમાં અર્થ ક્રિયા કરવાને સ્વભાવ અને બીજા ક્ષણમાં શૂન્યસ્વભાવ-એમ સ્વભાવભેદ થતા હોવાથી પદાર્થ અનિત્ય થઈ જાય છે. કારણ કે સ્વભાવભેદ થવે એ અનિત્યનું લક્ષણ છે, 1 કદાચ એમ કહેવામાં આવે કે “તેજ ક્રિયાઓને વાર વાર કરે છે. તે પિષ્ટપેષણ ન્યાયવહુ વારંવાર કરવાના પ્રસંગ ને લીધે નિવૃત્તિને બિલકુલ અભાવ થવાને. આવા દોષથી નિત્ય પદાર્થ માનવામાં કમથી અથવા યુગપતું એ બેમાંથી
એક પણ રીતે અર્થ કિયા ઘટી શકતી નથી, તેથી ‘સર્વ પદાર્થો નિત્ય છે,” એવી માન્યતા ભૂલ ભરેલી છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
પહે
હવે અનિત્ય પક્ષનું આલેખન કરી સ્થિરવાદનું નિરાકિરણ કરીએ.
વિનશ્વર સ્વભાવવાળા પદાર્થો પિતાના કારણથી ઉત્પન્ન થાય છે, તે પદાર્થો ક્ષણિક જ ઉત્પન્ન થાય છે. કારણ કે જે પદાર્થો પિતાની ઉત્પત્તિના બીજા ક્ષણમાં જે સ્વયમેવ નાશ ન પામે, તે તેને નાશક બીજે કણ હોઈ શકે ? એથી ઉત્પત્તિને જ બીજા ક્ષણમાં નાશના હેતુભૂત માનવી જોઈએ. ''
સ્થિરવાદીઓ કદાચ આ પ્રમાણે કહે કે-“મુગર વિગેરે ઘટનાશક સામગ્રી મળે ત્યારે જ ઘટને નાશ થાય છે, પરંતુ તે સામગ્રી અનિત્ય હોવાથી ઘટ વિગેરે પદાર્થો ક્ષણિક છે, એમ કહી શકાય નહિ. “વિનાશક કારણ સામગ્રીને સમુદાય એકત્ર મળે ત્યારે વસ્તુને નાશ થાય અને જ્યાં સુધી તે સમુદાય એકત્ર ન મળે ત્યાં સુધી તે પદાર્થો સ્થિર રહે. એવી માન્યતા ઉચિત ગણી શકાય.” તે તેને પ્રત્યુત્તર આ પ્રમાણે આપી શકાય છેઃ-મુદ્ગર વિગેરે ઘટનાશક સામગ્રીની સભાવદશામાં ઘટને જે અંત્ય નાશ સ્વભાવ માનવામાં આવે છે, તે જ સ્વભાવ ઘટની ઉત્પત્તિ દશામાં વિદ્યમાન છે કે નહિ? જે સ્વભાવની વિદ્યમાનતા સ્વીકારવામાં આવે છે તેથી અમારા સિદ્ધાંતને વિશેષ પુષ્ટિ મળે છે કે ક્ષત્તિના બીજા ક્ષણમાં પદાર્થો નષ્ટ થાય છે. કદાપિ એમ કહેવામાં આવે કે –
અંત્યાવસ્થામાં માનેલે વિનવર સ્વભાવ તે તેની ઉત્પત્તિની અવસ્થામાં બિલકુલ નથી.” તો પ્રશ્નને અવકાશ મળે છે કે
Page #85
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
“તે સ્વભાવ પ્રથમ બિલકુલ ન હતો તે અંત્યાવસ્થામાં કયાંથી આ ?”તેના સમાધાનમાં એમ કહેવામાં આવે કે “એને સ્વભાવ જ એવા પ્રકારને છે કે કેટલાક સમય સુધી સ્થિર રહીને પછી વિનાશ પામે છે. તે આ ઉપરથી એ આશય સહેજ ફુરી આવે છે કે-મુદગર વિગેરે ઘટનાશક સામગ્રીની સદ્ભાવદશામાં પણ કેટલાક સમય સુધી સ્થિર રહી તે પદાર્થો પાછળથી નષ્ટ થઈ જાય છે. એથી એ પણ ભાવ નીકળે છે કે “ઘડા ઉપર સેંકડો પ્રહાર કરવા છતાં પણ ઘડે બિલકુલ ફટ ન જોઈએ, સર્વદા તેની તેજ સ્થિતિમાં રહેવું જોઈએ. આથી “ઘડે નષ્ટ થયે.”એવા જગત્મસિદ્ધ વ્યવહારને લેપ થવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે.”
ઉપર્યુક્ત યુક્તિઓથી પદાર્થો નિત્ય છે, અથવા અનિત્ય છે. એ બેમાંથી એક પણ પક્ષ સમુચિત નથી, પરંતુ “સર્વ પદાર્થો ક્ષણિક છે.” એ યુક્તિયુક્ત હેવાથી માનવું ઉચિત છે. સર્વ પદાર્થો ક્ષણિક છે, આત્મા નામને પદાર્થ છે જ નહિ; આવા પ્રકારની પૂર્વ વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલી જે વાસના, તે જ વાસનાયુક્ત ક્ષણની પરંપરાથી ઉત્તરોત્તર જ્ઞાનમાં ઉત્તરત્તર સંસ્કારનું જે આવવું, તે જ માર્ગ તત્વ છે. સારાંશ એજ છે કે–પૂર્વ વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કાર તેના ઉત્તર વિજ્ઞાનમાં બીજા નવા સંસ્કારે ઉત્પન્ન કરાવી તત્કાલ સ્વયં નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે ઉત્તરોત્તર એક બીજામાં
૧ આ ક્ષણિકવાદનું નિરાકરણ આગળ “ બાહ લેકના પદાર્થોની સમાલોચના” નામના પ્રસ્તાવમાં થશે.
Page #86
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૬૧
નવા નવા સંસ્કારા ઉત્પન્ન કસવીને પૂર્વ પૂર્વના સસ્સારા નષ્ટ થાય છે. તેથી મરણ વિગેરે કાઇ પણ કાર્ય`ની અનુષપત્તિ પણ થઈ શકતી નથી. જેમ એક કપડાના આખા તાકા ઉપર કસ્તૂરી મૂકવાથી તેની વાસના અતિમ પટ સુધી અરાખર ચાલી જાય છે; તેમજ સંસ્કારાનુ પણ અનુવન સમજવું'. આવું માદ્ધ લેાકાનુ માનવું છે.
૪. નિીયતત્ત્વ.
પૂર્વમાં જણાવેલ સવ વાસનાઓ તથા દુઃખસમુદયરૂપ તત્ત્વા એ સ'થી ચિત્તને મુક્ત કરાવવુ તે જ નિરાધતત્ત્વ છે. સર્વ પ્રકારના ક્લેશથી ચિત્તની નિર્મુ ક્તાવસ્યા, તેને માક્ષ પણ કહેવામાં આવે છે.
આ દુઃખાતિ ચાર તત્ત્વરૂપી આ સત્યનુ અહિ' કરેલું નિરૂપણ તે સત્રાંતિક નામના ઔદ્ધમત સધિ છે. એમ જાણવું.
सामान्य तत्वो
ખાદ્રુમતના અવાંતર ભેઢાનુ પ્રતિપાદન નહિ કરતાં સામાન્યરીત્યા ઐહમતનાં તત્ત્વાની વિચારણા કરવામાં આવે તે જણાશે કે તેઓ ૧૨ તત્ત્વો માને છે. ૫ ઇંદ્રિયા, ૫ ૫ ચંદ્રિયના શબ્દાદિ વિષયે, માનસતત્ત્વ, અને ધર્મતત્ત્વ, એ ખાર તવાને ૧૨ આયતન એવી સજ્ઞા આપવામાં આવેલી છે. તેમાંથી ધર્મ એ સુખાદિ સ્વરૂપવાળા છે. અને તેનુ આયતન
Page #87
--------------------------------------------------------------------------
________________
તવાખાન.
શરીર સમજવું. પૂર્વની યુક્તિ-પ્રયુતિથી આયતનેને પણ ક્ષણિક માનવામાં આવે છે. આથી અધિક બીજે કઈ પદાર્થ જગમાં છે જ નહિ. મુક્તિનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું તે જ છે.
પ્રમાણે.. પ્રત્યક્ષ પ્રમr.
અવિસંવાદિ જે જ્ઞાન તે જ પ્રમાણુ કહેવાય, વિસંવાદિ જ્ઞાનને કદાપિ પ્રમાણ કહી શકાય નહિ. જે જ્ઞાનમાં અવિસંવાદપણું હોય તે જ જ્ઞાન અર્થની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ થાય છે. બીજાં જ્ઞાને નિરર્થક છે. એ ૧ પ્રત્યક્ષ અને ૨ અનુમાન-એમ બે પ્રમાણે માનેલાં છે. જે જ્ઞાનમાં નામ, જાતિ વિગેરેની કાંઈ પણ કલ્પના થઈ શકે નહિ તે જ જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણું કહેવામાં આવે છે. “આ દેવદત્ત છે” એ નામકલ્પના આ ગાય છે, “આ ક્ષત્રિય છે,"આ બ્રાહ્મણ છે, એ જાતિકલ્પના, “આ શુક્લ છે” એ ગુણકલ્પના “ આ દંડિ છે.” એ દ્રવ્યકલ્પના, “આ પાચક છે” એ ક્રિયાકલ્પના. ઈત્યાદિ કલ્પનાઓ બિલકુલ જ્યાં થઈ શકે નહિ, તે જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પદાર્થમાં શબ્દ નથી અથવા પદાર્થ પતે શબ્દરૂપ નથી. તે એમ જાણવું જોઈએ કે–પદાર્થના પ્રતિભાસમાં શબ્દને પ્રતિભાસ ન થાય એજ વાસ્તવિક છે. સ્થિર ઘટ, પટ વિગેરે બાહ્ય વસ્તુઓને ગ્રહણ કરાવવામાં સમર્થ સવિકલ્પજ્ઞાનને પ્રમાણરૂપે સ્વીકારવું તે વાસ્તવિક નથી, પરંતુ છીપ જેવાથી રૂપાનું ભાન અથવા દૂરથી દેરી
Page #88
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
દેખવાથી સર્પનું ભાન થવું, એવા પ્રકારની ભ્રાંતિરૂપ જ્ઞાનથી રહિત નિવિકલ્પજ્ઞાનને જ પ્રમાણરૂપ સ્વીકારવું જોઈએ. પ્રત્યક્ષ પ્રમાણ ૪ પ્રકારનાં છે. ૧ ઇંદ્રિયપ્રત્યક્ષ, ૨ માનસ પ્રત્યક્ષ, ૩ સ્વસંધપ્રત્યક્ષ, અને ૪ એપ્રિત્યક્ષ.
બાહ્ય વસ્તુના આલંબનદ્વારા ચક્ષુ વિગેરે પાંચ ઈદ્રિના આશયથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને ઇદ્રિયપ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઇંદ્રિય પ્રત્યક્ષના ક્ષણમાં ઘટ, પટ વિગેરે પદાર્થો ભાસ્યા પછીના ક્ષણને સાથે મેળવી ઇંદ્રિયજ્ઞાનરૂપ ઉપાદાન કારણદ્વારા જે મનોવિજ્ઞાન ઉત્પન્ન થાય, તેને માનસપ્રત્યક્ષ કહેવામાં આવે છે. બ્રાદ્ધલેકે પિતાના સંતાનવતિ ઉપાદાન કારણરૂપ જ્ઞાનને સમનંતર એવા નામથી ઓળખાવે છે. ચિત્ત વસ્તુમાત્રને ગ્રહણ કરનાર જ્ઞાન, ચિત્ત વસ્તુવિશેષને ગ્રહણ કરાવનાર તથા સુખ, દુઃખ, ઉપેક્ષા સ્વરૂપી ક્ષણિક પદાર્થોના સ્વરૂપના પરિચાયક જ્ઞાનને સ્વસંઘપ્રત્યક્ષ કહેવામાં આવે છે.
ભૂતાર્થ (પ્રમાણથી નિર્ણત થયેલા પદાર્થો) ની ભાવના (વારંવાર મનમાં મનન કરવું) ના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિયજ્ઞાનને ગિપ્રત્યક્ષ કહેવામાં આવે છે.
પૂર્વમાં જણાવેલ પ્રત્યક્ષ પ્રમાણથી પણ ક્ષણિક પરમાશુઓ જ કેવળ તાત્વિકરીત્યા વિષયભૂત થઈ શકે છે, પરંતુ ઘટ, પટ વિગેરે સ્થૂલ બાહ્ય પદાર્થો છે જ નહિ. કદાચ કિઈ વાદી શંકા કરે કે જ્યારે ઘટ, પટ વિગેરે બાહા પદાર્થો
Page #89
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
છે જ નહિ, ત્યારે શા હેતુથી સર્વ કોઈને બાહ્ય પદાર્થનું ભાન થાય છે?” તે તેનું સમાધાન આ જ છે કે-અનાદિ કાળની અસત્ય વાસનાઓની પ્રવૃત્તિથી જ બાહ્ય પદાર્થોને પ્રતિભાસ થાય છે, પરંતુ આકાશકુસુમવત્ બાહ્ય પદાર્થો બિલકુલ છે જ નહિ. જેમ કહ્યું છે કે–
" बाह्यो न विद्यतेऽर्थों यथा बालैर्विकल्प्यते ।
वासनालुठितं चित्तमर्थाभासे प्रवर्त्तते ॥ १॥"
ભાવાર્થ:–“જેવી રીતે અજ્ઞાનિ લકેથી બાહ્ય પદાર્થોની કલ્પના કરાય છે, તેવા પ્રકારને બાહા પાર્થ કેઈ છે જ નહિ, પરંતુ અનાદિ કાળની મિથ્યા વાસનાથી વાસિત થયેલું ચિત્ત અર્થભાસમાં પ્રવર્તે છે. વાસ્તવિક પદાર્થ બિલકુલ નહિ હોવા છતાં મનમાં એવી કલ્પનાઓ થયા કરે છે.” | કઈ વાદી એવી શંકા કરે કે-“ક્ષણવિનાશી પરમાણઓનું સ્વરૂપ પ્રત્યક્ષથી કેમ માલુમ પી શકે ? ” તેને પ્રત્યુત્તર આટલે જ બસ થશે કે–પ્રત્યક્ષ પ્રમાણથી સમીપમાં રહેલી વસ્તુનું વર્તમાનકાળ સંબંધિ સ્વરૂપ માલુમ પડે છે, ભૂત, ભાવિ કાળનું સ્વરૂપ માલૂમ પડતું નથી.
अनुमान प्रमाण.
સુપરિચિત ત્રણ પ્રકારના સ્વરૂપવાળા હેતુથી પક્ષ વસ્તુનું જ્ઞાન કરવું તે અનુમાન કહેવાય છે. જેમાં લોકોમાં છત્ર વિગેરે ચિન્હ જોવાથી રાજાનું અનુમાન કરવામાં આવે
Page #90
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
૬૫
છે, તેમજ કોઈ સ્થળે પ્રાપ્ત થયેલ ત્રણ સ્વરૂપવાળાં ધૂમ વિગેરે ચિહુનેથી પરોક્ષ રહેલ અગ્નિ વિગેરે પદાર્થોને નિર્ણય કરવામાં આવે તેને જ અનુમાન પ્રમાણુના નામથી ઓળખવામાં આવે છે. આ અનુમાન પ્રમાણ બે પ્રકારનું છે. ૧ સ્વાર્થનુમાન અને ૨ પરાર્થોનુમાન.
જેમાં પિતે સ્વયમેવ ત્રણ રૂપવાળા હેતુથી અગ્નિ વિગેરે પરોક્ષ વસ્તુને નિર્ણય કરે, તેને સ્વાર્થનુમાન કહેવામાં આવે છે. અને જેમાં બીજા પુરૂષને ત્રણ રૂપવાળ હેતુ સારી રીતે સમજાવી પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંતાદિ દ્વારા પરોક્ષ રહેલી અગ્નિ વિગેરે વસ્તુઓને નિર્ણય કરાવવામાં આવે તેને પરાર્થોનુમાન કહેવામાં આવે છે.
અનુમાનના કારણભૂત હેતુઓ ત્રણ પ્રકારના છે૧ અનુપલબ્ધિહેતુ ૨ સ્વભાવહેતુ અને ૩ કાર્ય હેતુ. એમાંથી અનુપલબ્ધિના ચાર પ્રકાર છે–૧ વિરૂદ્ધપલબ્ધિ, ૨ વિરૂદ્ધ. કાપલબ્ધિ, ૩ કારણાનુપલબ્ધિ, ૪ સ્વભાવાનુલબ્ધિ. આ બાબતે અનુક્રમે દષ્ટાંતથી તપાસીએ છે.
આ સ્થળે શીતળ સ્પર્શવાળે ( હિમ વિગેરે પદાર્થ ) ન હે જોઈએ, કેમકે તેનાથી વિરૂદ્ધ ઉષ્ણ પદાર્થ અગ્નિની અહિં સત્તા છે. આવાં સ્થળોમાં વિરૂદ્ધપલબ્ધિ જાણવી.
આ ઠેકાણે શીત સ્પર્શ ન હોઈ શકે, કેમકે તેના વિધિ
Page #91
--------------------------------------------------------------------------
________________
તજ્યાખ્યાન.
અગ્નિના કાર્ય ઉષ્ણસ્પર્શની અહિં વિદ્યમાનતા છે. આવાં રથળામાં વિરૂદ્ધ કાપલબ્ધિ કહી શકાય.
આ સ્થાનમાં ધૂમાડે બિલકુલ સંભવ નથી, કેમકે ધૂમનું કારણ અગ્નિ અહિં છે જ નહિ. આવાં સ્થળામાં કારણનુપલબ્ધિ હેતુ માની શકાય.
આ સ્થળમાં ધૂમની ઉપલબ્ધિનાં કારણોને અભાવ હોવાથી ધૂમ ન હોઈ શકે, તેથી અહિં ધૂમાડો બિલકુલ નથી. આવાં સ્થાનમાં સ્વભાવાનુ પલબ્ધિ હેતુ માનવામાં આવે છે.
આ વૃક્ષ હોવું જોઈએ, કારણ કે એ સીસમ છે, જ્યાં જ્યાં સીસમ પડ્યું હોય ત્યાં ત્યાં વૃક્ષત્વ પણ રહેલું જ હોય છે. ઈત્યાદિ સ્થાનમાં સ્વભાવહેતુ કહેવામાં આવે છે.
આવી જગ્યાએ અગ્નિ હવે જોઈએ, કારણ કે અગ્નિનું કાર્ય ધૂમાડો અહિં પ્રત્યક્ષ છે. આવાં સ્થળામાં કાર્ય હેતુ કહી શકાય.
૧ વિરૂદ્ધપલબ્ધિ, ૨ સ્વભાવાનુપલબ્ધિ, ૩ સ્વભાવ-એ ત્રણ પ્રકારના હેતુઓને સાધ્ય સાથે તાદાસ્ય નિમિતથી અવિનાભાવ નામને સંબંધ છે. તથા ૧ વિરૂદ્ધકાચેપલબ્ધિ, ૨ કારણુનુપલબ્ધિ, ૩ કાર્ય, એ ત્રણ પ્રકારના હેતુઓને સાધ્ય સાથે તદુપત્તિ નિમિત્તથી અવિના| ભાવ સંબંધ માનવામાં આવે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
તવાપખ્યાન.
૬૭
હેતુમાં ૧ પક્ષધર્મતા, ૨ સપક્ષવિદ્યમાનતા, ૩વિપક્ષમાં અવિદ્યમાનતા એ ત્રણ રૂપ તે અવશ્ય હોવાં જોઈએ. ધમિ=પર્વતાદિ પક્ષમાં હેતુના સભાવને પક્ષધમંતા કહેવામાં આવે છે. આ સદભાવ હેતુમાં પ્રત્યક્ષ અથવા અનુમાનથી રહેલ હોય છે. જ્યાં કે પર્વતાદિ ધમિમાં ધૂમાડો જેવાથી હેતુને સદભાવ જણાય ત્યાં પ્રત્યક્ષ હેતુ સદભાવ કહેવાય. તથા શબ્દમાં કાર્ય હેવાથી શબ્દ અનિત્ય છે. આ સ્થળે શબ્દરૂપ ધમિમાં કાર્ય સ્વરૂપ હેતુને સદભાવ અનુમાનથી કહી શકાય.
દષ્ટાંતમાં હેતુના ભાવને સપક્ષવિદ્યમાનતા કહેવામાં આવે છે. જેમકે આ પર્વત અગ્નિવાળે છે, ધૂમાડે તેવાથી, દષ્ટાંત રસોડું જાણવું. પ્રથમ રસેડામાં ધૂમ અને અગ્નિને નિશ્ચય પ્રત્યક્ષ અનુભવમાં આવ્યા પછી આપણને એ નિર્ણય થાય છે કે-“જ્યાં જ્યાં ધૂમાડે હેય ત્યાં ત્યાં અગ્નિ હવે જોઈએ.” આવા પ્રકારની વ્યાપ્તિ ગ્રહણ કર્યા પછી પર્વતમાં દૂરથી ફક્ત ધૂમાડાને જોઈ તે ઉપરથી અગ્નિ હોવાનું અનુમાન કરીએ છીએ. કારણ કે–અગ્નિ સિવાય ધૂમાડે હેત નથી. આવી રીતે કાર્યને જોઈ કારણનું અનુમાન કરવામાં આવે છે. અહિં દષ્ટાંતભૂત રસોડામાં ધૂમાદિ હેતુને સદ્ભાવ એજ સપક્ષવિદ્યમાનતા છે.
જ્યાં સાધના અભાવને નિર્ણય ત્યાં હેતુનાં અભાવને નિર્ણય કર, તેજ વિપક્ષમાં અવિદ્યમાનતા
Page #93
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
રૂપ સમજવું. જેમાં મોટા તળાવમાં અગ્નિને અભાવ જ્યારે ચક્કસ છે તે ત્યાં ધૂમાડે કયાંથી હોઈ શકે? જ્યાં અગ્નિ ન હોય ત્યાં મૂલથી ધૂમાડે પણ ન જ હેય. જે હેતુમાં ઉપર જણાવેલ ત્રણ રૂપમાંથી એકાદ એછું હોય તે હેતુ સત્ય કહી શકાય નહિ.
બૈદ્ધમતમાં તર્ક અને પ્રત્યભિજ્ઞાને પ્રમાણરૂપે સ્વીકારેલ નથી. પદાર્થના નિર્ણયને જ પ્રમાણનું ફળ માનવામાં આવે છે. વાસનારૂપ કર્મપર્યાયે તવરૂપે માન્યા છે. દ્રવ્ય તે બિલકુલ છેજ નહિ. વસ્તુના સ્વસત્તને ફક્ત સ્વરૂપ તરીકે માનવામાં આવેલ છે, પરસત્વને તે બિલકુલ માન્યું નથી.
૧ વૈભાષિક, ૨ સત્રાંતિક, ૩ ચેગાચાર, ૪ માધ્યમિક એવા બ્રાદ્ધોના મૂળ ચાર ભેદે છે. વૈભાષિક મતમાં “સર્વ પદાર્થો ચાર ક્ષણ સુધી સ્થિર રહે છે, જાતિઉત્પત્તિ સ્વયં પદાર્થને પેદા કરે છે, સ્થિતિ સ્વયં વસ્તુને સ્થિરતા પ્રાપ્ત કરાવે છે, જરા સ્વયં વસ્તુને જીર્ણ કરે છે, વિનાશ સ્વયં વસ્તુને વિનાશ કરે છે. આ સિવાય બીજું કઈ વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ, જીર્ણતા કે વિનાશ કરી શકતું નથી?” એવી માન્યતા છે. તથા તે મતમાં આત્માને પુદ્ગલ, એવા નામથી ઓળખવામાં આવે છે. એક સામગ્રીથી ઉત્પન્ન થયેલ અર્થ સહભાવિ નિરાકાર બેધને પ્રમાણરૂપે માનવામાં આવે છે. આટલી બાબતમાં વિશેષતા છે. - સત્રાંતિક મતમાં પાંચ ની માન્યતા, આત્મ
Page #94
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૬૯
તત્ત્વને અસ્વીકાર એ વિગેરે પૂર્વમાં આજ પ્રસ્તાવમાં આર્યસત્યના વિવેચનમાં કહેવાઈ ગયું છે. તથા અતીત અવ્વા ૧, અનાગત અવ્વા ૨, સહેતુક વિનાશ ૩, આકાશ ૪, અને પુગલ–બીજા લેકેએ કપેલ નિત્યાદિ ધર્મયુક્ત કાલ્પનિક ” આત્મા નામને પદાર્થ પ. એ પાંચ વસ્તુઓ માનેલી છે. બાહ્યા અર્થ તે નિરંતર અપ્રત્યક્ષ છે, પરંતુ જ્ઞાનાકાર હોવાથી એની સત્તા માનવામાં આવે છે. સાકાર બોધ એ પ્રમાણ, સંસ્કાર પ્રતિક્ષણ વિનાશ સ્વભાવિ, અન્યાહ એ શબ્દાર્થ વિગેરે તેઓની માન્યતા છે. તદુત્પત્તિ અને તદાકાર એ બેથી વસ્તુને નિર્ણય થાય છે, તથા નૈરાગ્યની વાસનાથી જ્ઞાનસંતાનના ઉચછેદને આ મતમાં મેક્ષ કહેવામાં આવે છે.
ગાચાર અથવા ભેગાચાર્યના મતમાં–સમસ્ત જગને વિજ્ઞાનરૂપે માનવામાં આવ્યું છે. વિજ્ઞાન સિવાય બીજે કઈ પદાર્થ માનવામાં નહિ આવતું હોવાથી આ મતને જ્ઞાનાત પણ કહેવામાં આવે છે. જ્ઞાનસંતાન અનેક છે, સાકાર બંધ પ્રમાણ છે, વાસનાના પરિપાકથી નીલ, પીત વિગેરેને પરિભાસ પણ થાય છે, સર્વ વાસનાઓને આધાર તે આલયવિજ્ઞાન. આલય વિજ્ઞાનની વિશુદ્ધિ તે મેક્ષ, એવી આ મતમાં વિશેષ માન્યતા છે. તે સંક્ષેપથી દર્શાવી છે.
માધ્યમિક મતમાં સમસ્ત જગત્ શૂન્ય છે. પ્રમાણ, પ્રમેય પણ સ્વપ્નવત્ છે. શૂન્યતાને સારી રીતે પ્રતિભાસ પણ શુન્યની ભાવનાથી થાય છે. એ વિગેરે વિશેષ માન્યતાઓ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૦
તત્ત્વાખ્યાન.
ઐદ્ધમતનુ' સ‘ક્ષેપથી નિરૂપણ કરવામાં આવ્યું. વિશેષ જિજ્ઞાસુઓએ તે મતમાં માનેલા તર્ક ભાષા, હેતુબિંદુ, પ્રમાણવાર્તિક, તત્ત્વસંગ્રહ, ન્યાયબિટ્ટુ, કમલશીલ, ન્યાયપ્રવેશક વિગેરે ઐાદ્ધમતપ્રતિપાદક તર્ક ગ્રંથા અવલાકવા એથી જિજ્ઞાસાની તૃપ્તિ થશે.
ચતુર્થ પ્રસ્તાવ સમાપ્ત
Page #96
--------------------------------------------------------------------------
________________
पांचमो प्रस्ताव.
- ક– – – બૈદ્ધદર્શનની આલેચના. ચેથા પ્રસ્તાવમાં શ્રાદ્ધલેકે ના આચારનું પ્રતિપાદન કર્યા પછી બાદ્ધોના મંતવ્ય પદાર્થો, મુખ્ય ચાર ભેદો વિગેરે સંક્ષેપથી નિરૂપણ કરી આ છ પ્રસ્તાવમાં તે તેના મુખ્ય મુખ્ય મંતવ્ય પદાર્થોની સમાલોચના કરવામાં આવે છે.
“દુઃખસ્વરૂપ પાંચ સ્કો સિવાય આત્મા નામને કઈ પદાર્થ નથી. આવી બાદ્ધ લેકેની માન્યતા યુક્તિસંગત નથી, કારણ કે એવી રીતે આત્માને અસ્વીકાર કરવાથી હું સુખી, હું દુખી, હું જ્ઞાની, હું અજ્ઞાની, હું શરીરાધિષ્ઠિત છું ઈત્યાદિ આબાલગોપાલ પ્રસિદ્ધ સ્વસવિદિત સુખ-દુઃખાદિને અનુભવ કેને થાય છે? એ પ્રશ્નન વિચારણીય થઈ પડશે. કદાચ એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેઓ તરફથી એમ જણાવવામાં આવે કે- પાંચ સ્કંધમાંથી વિજ્ઞાન સ્કંધ સુખ, દુઃખ વિગેરે અનુભવને કર્તા છે. ”તે તે યુક્ત નથી. કેમકે-સુખ, દુઃખ વિગેરેના અનુભવને અને વિજ્ઞાનને પણ તમે ક્ષણિક માનેલ હેવાથી તે બને જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે મૂર્શિત થયેલ મનુષ્યની જેમ મૂછિત વિજ્ઞાન સ્કંધ સુખ, દુઃખ વિગેજેને અનુભવ કરે એમ માની શકાય નહિ. બાદ્ધ લેકે તેનું સમાધાન કરે કે “વિજ્ઞાનસંતાન એક હેવાથી સુખ, દુઃખાદિકને અનુભવ કરાવી શકે તે તેમને પૂછવું જોઈએ કે આપ
Page #97
--------------------------------------------------------------------------
________________
७२
તાખ્યાન.
*
લેાકેા વિજ્ઞાનસતાનને વિજ્ઞાનથી ભિન્ન માને છે કે વિજ્ઞાનરૂપ જ માના છે ? ’ તે પ્રશ્નના પ્રત્યુત્તર એવા મળે કે— ભિન્ન માનીએ છીએ ’ તે તેથી આત્માની જ માન્યતા થઇ જાય છે, કેમકે જેને અમે આત્મા નામથી ઉચ્ચારીએ છીએ, તેને તમે એ ‘વિજ્ઞાનસંતાન’ એવા નામથી એળખાન્યા છે. એથી અમાને તેા ઇષ્ટ છે; પર ંતુ આપના મતમાં પાંચ સ્કંધથી ભિન્ન છઠ્ઠો પદાર્થ માનેલ નહિ હાવા છતાં આ વિજ્ઞાનસ'તાન (આત્મા)ને જૂદો ઓળખાવતાં છઠ્ઠો પદાર્થ માનવાથી તે મતથી તમે દૂર જાએ છે. તેથી તે ભિન્નપક્ષ તમારાથી સ્વીકારી શકાય નહિ.
હવે ખીન્ને પક્ષ ‘ વિજ્ઞાનથી વિજ્ઞાનસંતાન જૂદો નથી.’ એમ કહેવામાં આવે, તે જે દોષો વિજ્ઞાનસ્કધમાં આપવામાં આવેલાછે; તે દોષો તેનાથી અભિન્ન વિજ્ઞાનસંતાનમાં પણ આવે એ સ્વાભાવિક છે. બાન્દ્વ લેાકેા તેનુ સમાધાન આવી રીતે કરે કે–‘વિજ્ઞાનના પૂર્વ ક્ષણ પોતે જ ઉત્તરક્ષણમાં પોતાના સસ્કાર ઉત્પન્ન કરાવ્યા પછી નષ્ટ થાય છે; તેથી વિજ્ઞાનને ક્ષણિક માનવાથી સુખ, દુ:ખાદિના અનુભવના અભાવ થઇ શકે નહિ, તા તે ઉપર એવા પ્રશ્ન સહજ ઉદ્ભવે કે–સંસ્કાર વિજ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન કહેશે, તે પૂના વિજ્ઞાનક્ષણથી સંસ્કારો પેદા કરાવી શકાય નહિ. કેમકે જો ભિન્ન વ્યક્તિથી સંસ્કારો પેદા થાય તા ગભાદિના સસ્કારી ઉલ્ટ્રાદિમાં પણ આવવા જોઇએ. આવી રીતે સ્વસ સ્કાર (વાસના) ના સક્રમ થવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે, એથી સસારના વ્યવહારોનું પરાવર્ત્તન થઇ જશે. ધૃત્ત, ચાર, વ્યભિચારિ,
Page #98
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
u
મદ્યમાંસભક્ષક, નિદ્યક તત્પર નીચ મનુષ્યાની વાસનાઓ સરલ, આય શિરોમણિ, સ્વારસ'તેષિ, દયાળુ, ધર્મનિષ્ઠ ઉત્તમ પુરૂષામાં અને એવા ઉત્તમ જનાની વાસનાએ નીચ જનામાં સ’કમી જવાથી જગા વ્યવહાર વિરૂદ્ધૃજ થઇ જવા જોઇએ. તેથી સંસ્કારાને વિજ્ઞાનથી ભિન્ન માનવાની ઈચ્છા થઇ શકશે નહિ.
હવે ‘ વિજ્ઞાનક્ષણથી વાસનાએ ભિન્ન નથી. ’ એવા જો પક્ષ સ્વીકારવામાં આવે તેા વિજ્ઞાનક્ષણને જેમ ક્ષણિક કહેવામાં આવે છે, તેમ વાસનાએ પણ ક્ષણિક હાવાથી વિજ્ઞાનની સાથે જ નષ્ટ થવી જોઇએ. ઉત્તરક્ષણમાં તે વાસનાઓની પણ સ્થિતિ નહિ રહેવાથી સુખ દુઃખ વિગેરેના અનુભવ પણ કોને કયાંથી થઇ શકે ? એ પ્રશ્ન વિચારના વિષયમાં જ રહે છે. આવી રીતે આન્દ્રેમતમાં સુખ, દુઃખાદિના અનુભવની ઘટના ઘટતી નહિ હાવાથી પાંચ સુધથી ભિન્ન આત્મા નામના પટ્ટા
ના સ્વીકાર કરી યથેષ્ટ માગે પ્રવૃત્તિ કરવી જોઇએ.
આત્મતત્ત્વને સ્વીકાર્યા સિવાય શબ્દાદિક પાંચ વિષયના અનુભવની પ્રવૃત્તિ ઉત્તર કાલમાં જ્યારે સ્વવિષયથી ખીજે નથી; ત્યારે હું અનુભવ કરૂ છું, હું યાદ કરૂં છું, હું મનન કરૂ છું, હું આ ઘટને જાણું છું, આવા પ્રકારની પ્રતીતિને પણ અભાવ થઇ જશે. પાંચ સ્કધથી ભિન્ન આલયવિજ્ઞાનને તે પ્રતીતિના નિમિત્તરૂપ માનવામાં આવે તે નામાંતરથી આત્મતત્ત્વ સ્વીકાર્યું જ ગણી શકાય.
Page #99
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તેમજ બુદ્ધદેવે ઉચ્ચારેલ છે કે" इत एकनवतेः कल्पे शक्त्या मे पुरुषो हतः। તેના વાવિધાન પદે વિદ્રોડરિક મિક્ષવા!” શા
ભાવાર્થ –“આ (કલ્પ) થી ૯૧ મા કલ્પમાં મહે શક્તિ વડે પુરૂષને હ હતું, તે કર્મના વિપાકથી હે ભિક્ષુઓ! હું પગમાં વિધાર્યો છું. ૧” તથા– " कृतानि कर्माण्यतिदारुणानि तनूभवन्त्यात्मनिगर्हणेन । प्रकाशनात् संवरणाच तेषामत्यन्तमूलोद्धरणं वदामि॥१॥"
ભાવાર્થ –પોતે કરેલાં અત્યંત દારૂણ કર્મો પિતાની (આત્માની) નિદા કરવાથી અલ્પ થઈ જાય છે, તે કર્મોને પ્રકાશ કરવાથી અને શેકવાથી તે (કર્મો) ને ભૂલથી ઉદ્ધાર થાય છે, એમ હું કહું છું. ૧” આ વિગેરે વાક્ય આત્મતત્વ માન્યા સિવાય ઉચ્ચારી શકાય નહિ-તે (વા) ઘટી શકે નહિ. તેથી પણ આત્મપદાર્થ સ્વીકારવાની આવશ્યકતા છે.
પાંચ સ્કધાની માન્યતા પણ આત્મતત્ત્વ માન્યા સિવાય અમાન્ય થાય છે. “ ગતિ હોવનાજ્ઞાનં પ્રથમં નિર્વિસ વા-મૂરિ-વિજ્ઞાન સંદરાં શુદ્ધાતુન / ૨.” ભાવાર્થ –“શુદ્ધ વસ્તુથી ઉત્પન્ન થયેલ, બાલક-મૂંગા
Page #100
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
-
૭૫
વિગેરેના વિજ્ઞાન જેવું નિવિકલ્પ પ્રથમ આલોચનાજ્ઞાન હોય” છે. ૧” આ કથનથી બૈદ્ધમતમાં નિવિકલ્પજ્ઞાનને જ વિજ્ઞાનસ્કંધ, વેદનાસ્કને જ સુખ-દુઃખાદિરૂપ, સંજ્ઞાસ્કંધને સવિકલ્પજ્ઞાનરૂપ, અને સંસ્કારકંધને સ્મૃતિના કારણભૂત વાસના રૂ૫ માનવામાં આવે છે. અહિં વિચારવાની આવશ્યકતા છે કેવિજ્ઞાનસ્ક ધ એ નિર્વિકલ્પજ્ઞાનરૂપ હેવાથી તે દર્શન કહી. શકાય અને સંજ્ઞાસ્ક ધ એ સવિકલપજ્ઞાનરૂપ હોવાથી અપાય વિગેરે ભેદવાળું જ્ઞાન કહી શકાય. એવી રીતે તે બંને (જ્ઞાનદર્શન) આત્માના ગુણે જ છે. વેદના સુખ-દુઃખાદિરૂપ માનવામાં આવે છે. તે સુખાદિ પણ આત્માના ગુણે છે. સંસ્કાર પણ સ્મૃતિના કારણરૂપ મનાતે હોવાથી તે પણ આત્માને ગુણ કહી શકાય. આવી રીતે આ ચારે છે આત્માના ગુણરૂપ હોવાથી તે સ્ક (ગુણે) આત્મા (ગુણિી રૂપ આધાર સિવાય રહી શકે નહિ એ સ્વાભાવિક છે. “ ગુણ છતાં આધેય નથી” એમ કહી પિતાની મંદમતિ પ્રકાશિત કરવામાં આવે છે તે પદાર્થ કહી શકાશે નહિ. ગુણરૂપ સ્કને કેઈ આધાર ન હોવાથી તે (સ્ક) અવસ્તુ ઠરે અને એથી સમુદાયતત્ત્વ પણ અવસ્વરૂપ લેખી. શકાય. એવી રીતે સંસારનું મૂળ બીજ અન્ય કેઈ નહિ રહેવાથી સંસારની ઉત્પત્તિનો ઉછેદ થવાને. તેથી તે સંસારની નિવૃત્તિ વિગેરે માટે માનેલ માર્ગ નિરોધે તની પણ આવશ્યકતા રહેતી નથી; કેમકે જ્યારે “સર્વ સંસ્કારે ક્ષણિક છે,” એવી વાસનાઓને રોકવા માટે માનવામાં આવતા નિરોધ
Page #101
--------------------------------------------------------------------------
________________
ot
તત્ત્વાખ્યાન.
તત્ત્વની શી જરૂર? સંસારની ઉત્પત્તિ અને વિનાશ શા હેતુથી? એ વિષય વિચારણીય થઇ પડશે.
ઐહુલેાકા ચિત્તની નિષ્લેશાવસ્થા—લેશથી તદ્ન રહિત અવસ્થાને મેાક્ષ માને છે. અહિં ચિત્તશબ્દથી (સ’જ્ઞાનઅર્થાંવાળા ‘ચિત્’ ધાતુ ઉપરથી આધાર કારકમાં ‘ત’ પ્રત્યયવડે અનેલા હૈાવાથી ) આત્માને ગ્રહણ કરવામાં આવે તે કાઇ પ્રકારની હાનિ નથી પણ ઇષ્ટસિદ્ધિ છે. ચિત્તશબ્દથી કદાચ મન લેવામાં આવે અને દ્રવ્યમન, ભાવમન એ બે પ્રકારમાંથી દ્રવ્યમન સ્વીકારવામાં આવે, તે તે અનુચિત ગણાશે; કેમકે દ્રવ્યમન પુદ્ગલ હાવાથી જડ છે, જડમાં નિષ્કલેશાવસ્થારૂપ મેક્ષ માની શકાય નહિ; જ્યાં પ્રથમ સક્લેશાવસ્થા હોય ત્યાં તેને નિરાધ કરવાથી નિષ્કàશાવસ્થા ઉચિત ગણી શકાય, એથી ચિત્ત શબ્દના અર્થ દ્રવ્યમન કરવામાં ઉપયુંક્ત કથન અયુક્ત થઇ જાય છે.
ચિત્તશબ્દને ભાવમન એવા અર્થે સ્વીકારવામાં આવે તે ભાવમન ઉપયાગરૂપ હોવાથી તથા ઉપયોગ એ આત્માથી કથંચિત્ અભિન્ન હેાવાથી આત્માને નિષ્લેશાવસ્થારૂપ મેાક્ષ હોઇ શકે, પરંતુ બહુમતમાં માનેલા ચિત્તને તા નિષ્કલેશાવસ્થારૂપ મેક્ષ કદાપિ મળી શકે નહિ.
વિજ્ઞાનસ્કધરૂપ ચિત્તની નિષ્કલેવશાસ્થાને જો મેક્ષ કહેવામાં આવે તે તે પણ યુક્ત નથી, એ વિષયમાં પ્રથમ લખાઇ ગયુ. હાવાથી અહિં ફરીથી તેના ઉલ્લેખ કરવાની
Page #102
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૭૭
આવશ્યકતા જણાતી નથી. આ સર્વ કારણેથી આત્માને સ્વીકાર કર્યા સિવાય બદ્ધમતમાં મુકિતને પણ અભાવ થઈ જશે.
પૂર્વના પ્રસ્તાવમાં સર્વ પદાર્થને ક્ષણિક માનવામાં બદ્ધકની જે યુક્તિઓ દર્શાવી છે, તે વિચારતાં અયુક્ત જણાય છે. પદાર્થને નિત્ય અથવા અનિત્ય (અમુક ક્ષણ સુધી સ્થાયિ) માનવામાં બદ્ધલોકે તરફથી “ ક્રમથી અથવા યુગપ૬ અર્થ ક્રિયાકારિત્વ ઘટી શકતું નથી” એ જે દેશ દર્શાવવામાં આવે છે, તે દોષ પદાર્થોને ક્ષણિક માનવાથી પણ થાય છે. તે આવી રીતે-ક્ષણિક પદાર્થો અર્થ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય ત્યારે કમથી અથવા યુગપત કઈ પણ પ્રકારે સહકારિ કારની અપેક્ષા રાખીને જ પ્રવૃત્ત થાય એ સ્વાભાવિક છે. કારણ કે ઘટ વિગેરે વસ્તુને બનાવતાં કુંભારને પણ માટીની સાથે ચક, દંડ, જલ વિગેરે સહકારિ કારણેની જરૂર અપેક્ષા રહે છે. પરંતુ પદાર્થોને ક્ષણિક માનવામાં સહકારિ કારણેને વધુમાં કાંઈ અતિશય ઉત્પન્ન કરવાને ક્ષણ મળતો નહિ હોવાથી (પરસ્પર ઉપકાર્ય–ઉપકારકતા નષ્ટ થવાથી) સહકારિ કારણે નિરર્થક થાય છે. અને તેથી (કારણેના અભાવથી) કાર્યની ઉત્પત્તિને પણ અભાવ થવાને.
અનિત્ય કારણોથી ઉત્પન્ન થતા હોવાથી પદાર્થો ક્ષણિક છે.” એ કથન પર પ્રશ્નને અવકાશ રહે છે કે “સર્વ પદાર્થો ક્ષણક્ષયી છે, અથવા પરિણામી અનિત્ય છે ?
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૮
તત્ત્વાખ્યાન.
'
જો પ્રથમ પક્ષ ક્ષક્ષયિ સ્વીકારવામાં આવે તે કારણુ ક્ષણિક હાવાથી કાર્યની ઉત્પત્તિના ક્ષણમાં તેને અભાવ છે તેથી કારણની પ્રવૃત્તિ થયા વિના · અમુક કાર્ય નું આ કારણ છે, ’ એમ કહી શકાશે નહિ. કેમકે એ કારણને સ્થિર માનવામાં આવે તાજ તેનાથી કાય થઇ શકે, પરંતુ તે સ્થિરતા તે ઐદ્ધમતમાં માનેલી નહિ હોવાથી વસ્તુમાં કાંઇ પણ ઉપકાર કર્યાં સિવાય તે કારણ થઇ શકે નહિ અને કારણ વિના કાર્ય અની શકે નહિ. એવી રીતે ક્ષણિક અનિત્યપક્ષ માનવામાં કાય–કારણના લેાપ-ઉચ્છેદ થઇ જાય છે.
કદાચ એમ સમાધાન કરવામાં આવે કે– પૂર્વક્ષણ કારણ છે, ઉત્તરક્ષણ કાય છે. એવી માન્યતાથી કાર્ય-કારણના ઉચ્છેદ થતા નથી. ’તે તે કથનમાં વિકલ્પ ઉદ્ભવે છે કેપૂર્વ ક્ષણુ પાતે નાશ પામીને ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે ? અથવા નાશ પામ્યા વિના ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે ? તેના ઉત્તર આવા મળે કે · પૂર્વ ક્ષણુ નાશ પામી ઉત્તરક્ષણુરૂપ કાર્ય ઉત્પન્ન કરે છે. ’ તે તે યુકત નથી. કોઇ પણ કાર્ય પોતાના કારણના વિનાશ થયા પછી થઈ શકે નહિ, બીજરૂપ કારણ નષ્ટ થયા પછી અંકુરરૂપ કા ખની શકતું નથી. એ આઆલગોપાળ સ કાઇ સમજી શકે તેમ છે. તેથી ઉપર્યુકત પ્રથમ પક્ષ આદરણીય થઇ શકે નહિ.
'
- પૂČક્ષણુરૂપ કારણ હયાતી ધરાવી ઉત્તરક્ષણ રૂપ કા
Page #104
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
ઉત્પન્ન કરે છે.” એ બીજે પક્ષ સ્વીકારવામાં આવે તે બદ્ધમતને મૂળ સિદ્ધાંત (ક્ષણિકવાદ) જ નષ્ટ થઈ જાય છે. એથી પિતાને અનિષ્ટ પરિણામ આવવાથી પૂર્વેક્ષણને સ્થિરવાદરૂપ બીજા પક્ષને માની શકાશે નહિ.
કદાચ ધૃષ્ટતાથી આ પ્રમાણે કહેવાનું સાહસ કરે કેત્રાજવું ઊંચું કરવાથી જેમ એક કાલમાં જ એક પલ્લું નમતું અને બીજું ઉંચું રહે છે, તેમજ આ બંને પણ એક કાલમાં બને છે. અર્થાત્ વિનાશ પામતે પૂર્વેક્ષણ ઉત્તરક્ષણરૂપ કાર્યને ‘ઉત્પન્ન કરતો જાય છે. તે તેથી પણ કાર્યસિદ્ધિ થઈ શકે તેમ નથી. સર્વ કેઈ સમજે છે કે ઉત્પાદ અવસ્થાની અપેક્ષાથી વિનાશ-અવસ્થા ભિન્ન હોય છે, છતાં જ્યારે એ બને અવસ્થાઓને એક કાળમાં માનવામાં આવે ત્યારે તે અવસ્થાવાળા પૂર્વોત્તરક્ષણને પણ નિરૂપાયે એક કાળમાં માનવા પડશે, કારણ કે ધર્મિ ન હોય તે અવસ્થારૂપ ધર્મ કયાંથી હોય ? અને એવી રીતે ક્ષણને એક કાળ માનવાથી ક્ષણિકવાદ અસિદ્ધ થાય છે. ઉત્પાદ અને વિનાશ એ બંને અવસ્થાઓને ક્ષણના ધર્મો ન માનવામાં આવે તે ક્ષણ અવસ્તુ થઈ જશે. ધર્મિ સિવાય ધર્મ ન જ રહી શકે એ જગ~સિદ્ધ નિયમ છે.
આવી રીતે ક્ષણિકવાદ માનવાથી વ્યવહારની અનુપપત્તિ થાય છે, તેમજ ૧ કૃતકાર્યનાશ, ૨ અકૃતાગમન, ૩ ભવભંગ, ૪ મણભંગ, ૫ સ્મૃતિભંગ એ વિગેરે ઘણુ દેશે પ્રકટે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
છે
તરસાખ્યાન.
कृतकार्यनाश दोष..
કેટલાક બોદ્ધો વિજ્ઞાનક્ષણની પરંપરાને જ આત્મા માને છે, પરંતુ આત્માને મેતીના સમૂહમાં પહેલા દેરાની માફક એકાન્વયિ જ્યારે બિલકુલ માનતા નથી ત્યારે જે જ્ઞાનક્ષણ વડે સારી અથવા ખરાબ ક્રિયાઓ કરી હોય તેનું ફળ તે પૂર્વવિજ્ઞાન ક્ષણ નાશ પામવાથી નષ્ટ થાય છે, જે ઉત્તરવિજ્ઞાન ક્ષણને તે ક્રિયાઓનું ફળ ભેગવવું પડે છે, તેણે તે તે ક્રિયાએ કરી નથી છતાં ફલેપભેગ કરે પડે છે તેથી તેને અકતાગમ થાય, એ દોષની ઉત્પત્તિ છે. भवभंग दोष.
પૂર્વજન્મના કરેલા કર્મને અનુસારે પરલોકની પ્રાપ્તિ થાય છે, પરંતુ બાદ્ધમતમાં તે ઉપર જણાવ્યા પ્રમાણે પૂર્વ વિજ્ઞાનક્ષણને બિલકુલ નાશ થવાથી કરેલાં કમને ફલેપભંગ કરનાર જન્માંતરમાં ગતિ કરનાર કેઈ પણ પ્રાણિ નહિ હેવાથી સંસારનો ઉચછેદ થવાને પ્રસંગ આવશે. मोक्षभंग दोष. - ક્ષણિકવાદિ બૈદ્ધલોકેના મતમાં જ્યારે આત્માને સ્વીકારવામાં આનાકાની છે, ત્યાં પરલેકના સુખ વાતે કેણું પ્રયત્ન કરે? દુઃખી પ્રથમજ્ઞાનક્ષણ બીજા જ્ઞાનક્ષણના સુખ માટે ચેષ્ટા કરે એ કેમ માની શકાય? સ્વયં દરિદ્ર બીજાને ધનવાનું શી રીતે બનાવી શકે ? સ્વયં દુઃખી દેવદત્ત ચિત્રને સુખી કરે એ વ્યવહારવિરૂદ્ધ ઘટના છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
જ્ઞાનક્ષણનું દુઃખ તે વિનાશિજ્ઞાનક્ષણની સાથે વિલીન થઈ જાય, સંતાનને વાસ્તવિક કહી શકાશે નહિ, સંતાનને વાસ્તવિક માનવા માં આત્માનો સ્વીકાર થઈ જાય છે. એ વિગેરે કારણેથી મોક્ષ કોને મળે ? એ જ પ્રશ્ન અદ્ધર લટકે છે.
સંપૂર્ણ વાસનાને ઉછેદ થતાં વિષયાકાર ઉપદ્રવ્યના અભાવમાં વિશુદ્ધજ્ઞાનને ઉત્પાદ એ જ મોક્ષ છે.” એવી બદ્ધોની માન્યતા મનન કરતાં મનસ્વિ માનવના મનોમંદિરમાં માનનીય થઈ શકતી નથી.
કદાચ વિશુદ્ધજ્ઞાનની ઉત્પત્તિરૂપ ભાવનાના પ્રચયને મોક્ષનું કારણ માનવામાં આવે છે તે પણ યુક્ત કહી શકાય નહિ, કેમકે ભાવનાને પ્રચય પણ સ્થિર એકાશ્રયમાં જ ઘટી શકે અને વિજ્ઞાનક્ષણમાં સ્થિરતા માનવી એ શ્રાદ્ધ કેને અનિષ્ટ છે.
સકળ જ્ઞાનક્ષણોમાં સ્વાભાવિક અને સદશ્ય શક્તિના પ્રારંભનું સામર્થ્ય કદાચ હોઈ શકે પરંતુ અસદશ્ય શક્તિના પ્રારંભનું સામર્થ્ય તેમાં અસંભવિત છે. સકળ જ્ઞાનક્ષણે પૂર્વે સ્વયં નષ્ટ થઈ ગયા, પરંતુ આ અપૂર્વ ક્ષાનક્ષણ ઉત્પન્ન છે. સંતાન પણ એક નથી. બંધ અને મેક્ષ એક અધિકરણમાં રહેનાર હોવાથી વિષયની ભિન્નતાના કારણથી કેવી રીતે રહી શકે? અને એથી મુક્તિ પણ કેને મળે ? પ્રયત્ન પણ કોને માટે કરવામાં આવે? કારણ કે બંધને વિચ્છેદ એ મેક્ષ
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૨
તજ્ઞાખ્યાન.
શબ્દના અર્થ છે, જે બધાયેલ હાય તે જ મુક્ત થઇ શકે એ ભાવાર્થ છે. ક્ષણિકવાદમાં અંધ અન્યક્ષણના અને મુક્તિ ખીજા ક્ષણને એવી અયુકત ઘટના ઉપસ્થિત થાય છે. એથી ઐાદ્ભૂમતમાં મેક્ષના અભાવ રૂપ દોષ આવે છે.
स्मृतिभंगदेोष.
પ્રથમ વિજ્ઞાનક્ષણથી અનુભવેલા અર્થનું સ્મરણુ ખીજા વિજ્ઞાનક્ષણને થાય એવી ઐાદ્ધ લેાકેાની માન્યતા બુદ્ધિશાલિ પુરૂષાના અંતઃકરણમાં પ્રવેશ કરી શકતી નથી. બીજાએ અનુભવેલા પદાર્થ નુ સ્મરણુ ખીજાને થાય, એ વ્યવહારથી તદ્ન વિરૂદ્ધ છે. એવી રીતે ખીજાએ અનુભવેલા પદાર્થીનું સ્મરણુ ખીજાને થાય, તે સ`પૂર્ણ જગા સમસ્ત જીવાએ અનુભવેલા પદાર્થોનું એક જીવને પણ સ્મરણ થવાના પ્રસંગ આવે; પરંતુ તેમ ખની શકતું નથી. તેથી આ અમુક દેવદત્ત અથવા અન્ય છે. એવી પ્રત્યભિજ્ઞા કેવી રીતે થઇ શકે ? કદાચ ખાદ્ધ લેાકા તરફથી એવા ખુલાસા મળે કે−‘ એકના અનુભવનું બીજાને સ્મરણ થાય એવું અમે માનતા નથી, કિંતુ પૂર્વક્ષણા તથા ઉત્તરક્ષણા ( ભિન્ન છતાં) કારણુ કાર્ય રૂપ હાવાથી તેનાથી સ્મૃતિના નિર્વાહ કરવામાં આવે છે. ભિન્નસતાનવાળા જ્ઞાનક્ષણાના પરસ્પર કાર્ય કારણભાવ અમે એ માનેલેા નહિ હાવાથી એકના અનુભવનુ` બીજાને સ્મરણ થાય, એવા દોષ લાગતે નથી. ’ પરન્તુ આ ખુલાસાથી બચાવ થઇ શકતા નથી, કેમકે કારણકા ભાવ માનવા છતાં પણ પૂ ક્ષણેા અને ઉત્તરક્ષણેાની
Page #108
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૮૩
ભિન્નતાને નાશ થઈ શકે તેમ નથી, તેથી એ દેષ અવશ્ય ઉપસ્થિત જ રહે છે.
- ક્ષણેની ભિન્નતા માનવા છતાં પણ કાર્યકારણભાવ વડે
સ્મૃતિની ઉત્પત્તિ કરવામાં આવે તો આચાર્ય અને શિષ્યની બુદ્ધિને તથા માતા અને પુત્રની બુદ્ધિને કારણકાર્યભાવ હેવાથી ગુરૂએ અનુભવેલા પદાર્થોનું શિષ્યને તથા માતાએ અનુભવેલા પદાર્થોનું મરણ પુત્રને થવું જોઈએ. “ એક સંતાનમાં કાર્યકારણભાવ હોય તો સ્મરણ થઈ શકે.” એમ ઉપર્યુકત દોષનું સમાધાન કરવામાં આવે તે પ્રશ્નને અવકાશ મળે છે કે–તે સંતાન વિજ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન; પ્રત્યુત્તરમાં અભિન્ન પક્ષ માન્ય રાખવામાં આવે તે ફક્ત જ્ઞાનક્ષણની જ પરંપરા બાકી રહે છે, તેમાં દેશની પરંપરા કહેવાઈ ચૂકી છે. સંતાનને વિજ્ઞાનથી ભિન્ન કહેવામાં આવે અને તેને ક્ષણિક જાહેર કરવામાં આવે તે ચેરથી ભયભીત થયેલ મનુષ્ય ફરી ફરીને ચેરની પલ્લીનું શરણ સ્વીકારે, તેમ પુનઃ ક્ષણિકતા સ્વીકારવાથી દૂષિત થાય છે. “વિજ્ઞાનથી ભિન્ન સંતાન અક્ષણિક છે.” એમ સમાધાન કરે તે તે “સંતાન” એવા નામાંતરથી આત્માને જ સ્વીકાર કરે છે. એવી રીતે બદ્ધમાં સ્મરણની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકતી નથી. સ્મરણના અભાવથી અનુભવને પણ અભાવ થવાને. “કૃત – ઈત્યાદિ બુદ્ધદેવનાં વાક્યની પણ સંગતિ થઈ શકશે નહિ.
Page #109
--------------------------------------------------------------------------
________________
૫૪
તત્ત્વાખ્યાન.
• ઉત્પત્તિ સ્વયં વસ્તુને ઉત્પન્ન કરે છે; સ્થિતિ સ્વયં વસ્તુને સ્થાપન કરે છે, જરા સ્વયં વસ્તુને જીણું કરે છે, વિનાશ સ્વયં વસ્તુના વિનાશ કરે છે, ચાર ક્ષણ સુધી વસ્તુ સ્થિર રહે છે, એવી અન્ય માદ્ધોની માન્યતા વિચાર કરતાં અસત્ય ભાસે છે. કેમકે વસ્તુની ઉત્પત્તિનાં કારણે વસ્તુથી ભિન્નરૂપે દૃષ્ટિગોચર થાય છે, ત્યારે ઉત્પત્તિને વસ્તુની ઉત્પત્તિના કારણ રૂપે કેમ માની શકાય ? માટીના આકારરૂપ પરિણામને ત્યાગ કરી જલધારણ વિગેરે ક્રિયા કરવામાં સામર્થ્ય રૂપ પરિણામાંતરનું થવુ' એ ઘટની ઉત્પત્તિ છે. તેનાં કારણેા માટી, ક્રૂડ, ચક્ર વિગેરે છે. અહિં જેવી રીતે ઘટની ઉત્પત્તિમાં ચક્ર વિગેરે કારણા છે અને ઘટાકાર પર્યાય કાર્યાં છે; તેવીજ રીતે સર્વ વસ્તુઓમાં ઉત્પત્તિનાં કારણે ભિન્ન વિદ્યમાન હાવા છતાં ઉત્પત્તિને તેના કારણરૂપ માનવી એ બુદ્ધિની બલિહારી નહિ તે ખીજું શું ! સ્થિરતામાં કાલાદિ સામગ્રી કારણરૂપ છે. વિનાશમાં યષ્ટિ વિગેરેના પ્રહાર, પુરૂષાથ વિગેરે સામગ્રી કારણ છે. ચાર ક્ષણની પછીના ઉત્તરક્ષણમાં પણ વસ્તુની સત્તાના વ્યવહાર અવશ્ય થાય છે. એ સર્વના અનુભવને વિષય છે. ત્યારે સ્થિતિ, જરા, વિનાશને જ તેના કારણરૂપ કલ્પવાનું સાહસ કાણુ સ્તુત્ય કહી શકે ? ચાર જ ક્ષણ સુધી વસ્તુની સ્થિરતા કહેવી એ પણ પ્રતિપાદકની પ્રતિભાના અભાવના પરિચય આપે છે.
ઐદ્ધોનુ* અભિમત તત્ત્વ ક્ષણિકવાદનુ' પ્રતિપાદન યુક્તિયુક્ત નહિં હોવાથી મતિયુકત મનુષ્યને માન્ય થઈ શકે તેમ
Page #110
--------------------------------------------------------------------------
________________
તન્વાખ્યાન,
નથી, એ પૂર્વે સંક્ષેપથી કહેવાઈ ગયું છે. કેટલાક બાદ્ધોની એવી માન્યતા છે કે “ જાતિ (ઉત્પત્તિ) સ્વયં પદાર્થના નાશનું કારણ છે.” એ કથન અલ્પ સમય સુધી માન્ય રાખવામાં આવે છે, અભાવ (નાશ) નું કારણ ઉત્પત્તિ નિરંતર સમીપ હોવાથી કેઈ પણ સમયે કાર્યની ઉત્પત્તિ થઈ શકે જ નહિ. બાદ્ધલે કે તરફથી તેનું સમાધાન એમ કરવામાં આવે કે– ઉત્પત્તિના ઉત્તરકાળમાં કાર્યને નાશ થાય છે. તે એને ભાવાર્થ એ નીકળે કે “ઉત્પત્તિ કિયાના સમયમાં પદાર્થને નાશ થતું નથી, ઉત્પત્તિ સ્વયં કાર્યને નાશ કરતી નથી! તે પછી એનું નાશક બીજું કેણ કારણ છે? એ જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. “હેતુ વિના પણ વસ્તુને વિનાશ થાય છે.” એમ જે નિડરપણે કહેવામાં આવે તે વસ્તુવિનાશક મુગરાદિ વસ્તુની પ્રવૃત્તિ નિષ્ફળ થવી જોઈએ, સેંકડે પ્રહારથી પણ ઘટ વિગેરે વસ્તુને વિનાશ ન થવો જોઈએ. કારણ કે વિના કારણે જ વસ્તુને વિનાશ થતો હોય તે પછી વસ્તુવિનાશક વસ્તુની પ્રવૃત્તિ વ્યર્થ કરે છે. ત્યારે એ મુદગર વિગેરે વસ્તુવિનાશક સામગ્રી વસ્તુ સમીપે આવી શું ભાવાંતર કરે છે, કે અભાવ પેદા કરે છે? તે પ્રશ્નના ઉત્તરમાં “ભાવાંતર પેદા કરે છે” એમ કહેવામાં આવે તો તે ઈષ્ટ જ છે. કેમકે અમે પણ સ્વીકારીએ છીએ કે-ઘડા ઉપર મુગરાદિને પ્રહાર થવાથી ઘટપર્યાય પલટીને કપાલ (ઘટખંડ) ભાવાંતર–પર્યાયાંતર પ્રગટ થયે. “અભાવ પેદા કરે છે.” એ બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તે તે પ્રત્યક્ષબાધિત હોવાથી માન્ય થઈ શકે
Page #111
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
તેમ નથી. આથી ઉત્પત્તિને વિનાશના કારણભૂત માનવી તે યુક્તિસંગત નથી, એ સિદ્ધ થાય છે.
વસ્તુસ્થિતિ વિચારવામાં આવે તે સમસ્ત જગત્ કર્થ. ચિત્ નિત્ય અને કથંચિત અનિત્ય છે. જેમ ઘડો પિતાના ઘટપર્યાયથી નષ્ટ થવા છતાં પણ મૃત્તિકારૂપ અન્વયિ દ્રવ્યને ત્યાગ કરતો નહિ હોવાથી પારિણામિક અનિત્ય પણ છે અને નિત્ય પણ છે. નિત્યનું લક્ષણ “ સપ્રવુતાનુપસ્થિસ્વભાવ ” એ યુક્ત નથી, પરંતુ તમારાથંનિત્ય” એ યુક્તિ યુક્ત છે. એ આગળ ઉપર સ્પષ્ટ થશે. સકળ પદાર્થો નિત્યાનિત્ય છે. એ પણ યુકિતપુરઃસર “જેનદર્શનના પ્રતિ પાદનમાં જણાવવામાં આવશે. योगाचार अथवा ज्ञानाद्वैतवादनी समालोचना
જ્ઞાનમાત્ર જ વસ્તુ છે, અન્ય બાહ્ય વસ્તુ છે જ નહિ.” આવી ગાચારની માન્યતાને વિચાર માર્ગમાં અલ્પ સમય સુધી સ્થાન આપીએ. ચુંગાચારના પ્રતિપાદક કહે છે-કે બાહા પદાર્થો તે શું પરમાણુરૂપ છે, અથવા થુલરૂપ છે? “ બાહ્ય વસ્તુ પરમાણુરૂપ છે.” એમ માનવામાં કઈ પ્રમાણ નથી. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા “ બાહ્યવસ્તુ પરમાણુરૂપ છે ” એમ પ્રત્યક્ષ જોઈ શકતા નથી. “ ચેગિ લકે પરમાણુને પત્યક્ષ જુવે છે” એ વચન શ્રદ્ધગમ્ય હોવાથી સર્વ કેઈ સ્વીકારી શકે નહિ. હેતુ અને સાધ્યની વ્યાપ્તિ પ્રથમ કેઈ પણ સ્થળે નિર્મીત કરી હોય તેમજ અન્યત્ર હેતુને જેવાથી સાધ્યનું
Page #112
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
૮૭
અનુમાન કરવામાં આવે છે. પરમાણુરૂપ બાહા વસ્તુની સિદ્ધિમાં તેવી વ્યાપ્તિ જાણવામાં નહિ આવી હોવાથી અનુમાન પ્રમાણ પણ અનુપયેગિ થાય છે. એ બે પ્રમાણ સિવાય ત્રીજું પ્રમાણ તે કઈ છે જ નહિ. જેના દ્વારા બાહ્ય વસ્તુને પરમાણુરૂપ સ્વીકારવાનું સાહસ કરવામાં આવે.
બાહ્ય વસ્તુને સ્કૂલરૂપ પણ સ્વીકારી શકાય તેમ નથી. કેમકે જ્યારે એક પરમાણુની પણ સિદ્ધિ થઈ શકતી નથી, ત્યારે અનેક પરમાણુના સમુદાયરૂપ અવયવિની સિદ્ધિ તે કયાંથી થઈ શકે ? અનેક પરમાણુ સિદ્ધ નહિ થઈ શકવાથી ' “ઘટાદિરૂપ સ્થલ અવયવી છે.” એમ માની શકાય નહિ, એ સ્વાભાવિક છે.
“અનેક અવયના આધાર રૂપ અવયવી છે.” એમ કહી શકાશે નહિ. કેમકે પરસ્પર વિરોધી અવયથી એક સ્થલ ઘટાદિરૂપ અવયવી કેમ બની શકે? કદાચ અવયવીની સિદ્ધિ કરવા માટે અવયવોને અવિધિ જણાવવામાં આવે તે પ્રત્યક્ષથી એક જ સ્થૂલ અવયવિમાં વ્યક્ત જણાતા રક્તત્વ, અરક્તત્વ, ચલત્વ, અચલવ વિગેરે વિધિ અવયવને અપલાપ કર્યો કહેવાશે.
અવયવોમાં અવયવી સંપૂર્ણતાથી રહે છે, કે દેશથીઅંશથી રહે છે? એ પ્રશ્નનો પ્રત્યુત્તર “સંપૂર્ણતાથી રહે છે ? એ મળે તે એક જ અવયવમાં અવયવી સંપૂર્ણ થવાથી
Page #113
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
બીજા અવય વ્યર્થ થઈ જશે. “પ્રત્યેક અવયવોમાં અવયવી રહે છે ” એમ કહેવાથી અવયની બહુલતા પ્રમાણે અવયવિની પણ બહુલતાને પ્રસંગ આવશે. “અવયવી અવયવમાં એક અંશથી રહે છે ” એવી માન્યતાથી અવયવી સાંશ બની જશે અને એથી અવયવીને નિરંશરૂપે સ્વીકાર અસત્ય ઠરશે. અવયવીને સાંશ બનાવીને અંશેને દેશથી અથવા સર્વથી ભિન્ન પક્ષ સ્વીકારવામાં અનવસ્થા દેષને પ્રસંગ આવે છે. અભિન્ન પક્ષમાં તે અંશત્વ રહી શકે નહિ. એ પ્રમાણે સર્વ યુકિત પ્રમાણથી વિચારી જોતાં બાહ્ય અર્થની સિદ્ધિ થઈ શકતી નથી. આ કારણથી સંપૂર્ણ જગત જ્ઞાન રૂપ જ છે, એમ જ્ઞાનાદ્વૈત પક્ષ માનવામાં દેષને અવકાશ રહેતું નથી. કારણ કે નીલ વિગેરે આકાર વડે સર્વને પ્રતિભાસ થાય છે, પરંતુ બાહ્ય વસ્તુને જડ રૂપ હેવાથી તેમાં પ્રતિભાસ કેવી રીતે હેઈ શકે? “ જે બાહી વસ્તુ બિલકુલ નથી તે આ ઘટ, પટ વિગેરે વસ્તુને પ્રતિભાસ શાથી થાય છે? ” એમ જે પ્રશ્ન પૂછવામાં આવે તે પ્રત્યુત્તરમાં જાણવું જોઈએ કે “વિષયના વિના પણ અનાદિ કાળની મિથ્યા વાસનાઓથી આકાશપુષ્પના પ્રતિભાસની જેમ એવી પ્રતીતિ થાય છે.”
ઉપર્યુક્ત જણાવેલ યેગાચારનું કથન યુકિતયુકત કેટલે અશે છે. તે નીચેના રહસ્યને વિચારવાથી સ્વયં સમજાઈ જશે જ્ઞાનેતિ જ્ઞાનમ્' અથવા તિજ્ઞન” એટલે જેના વડે પદાર્થ જણાય તે જ્ઞાન, અથવા જાણવું તે જ્ઞાન. જ્ઞાન એ.
Page #114
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૮૯
ક્રિયા શબ્દ હેવાથી ક્રિયાનું કર્મ અવશ્ય હોવું જોઈએ કારણ કે તે નિર્વિષય હોઈ શકે નહિ.
કદાચ એમ કહેવામાં આવે કે- આકાશ પુષ્પાદિમાં નિવિષયક જ્ઞાન જેવામાં આવે છે.” તે જણાવવું જરૂરનું થઈ પડશે કે સત્ય પુષ્પનું જ્ઞાન થયા સિવાય આકાશ પુષ્પનું જ્ઞાન થઈ શકતું નથી તેથી તે એકાંતથી નિર્વિષયક કહી શકાય નહિ.
સ્વપ્નજ્ઞાન પણ અનુભવેલ અને જેએલ પદાર્થો સંબંધિ થતું હોવાથી નિરાલંબન કહી શકાય નહિ. “જ્ઞાનના વિષયભૂત પદાર્થો બ્રાંતિરૂપ છે ” એવું કથન અનુચિત લેખાય, કારણ કે-કેઈ અન્ય સ્થળે મુખ્ય અર્થ જોવામાં આવ્યું હોય અને તેનાથી વિપરીત પદાર્થ અન્યત્ર ઈદ્રિયાદિની અપટુતાથી જાણવામાં આવે; જેમકે-છીપમાં રૂપાની ભ્રાંતિ થવી. સારાંશ એટલે જ કે-ઉત્તરકાળમાં બાધજ્ઞાન થતું હોય ત્યાંજ ભ્રાંતિ મનાય, પરંતુ વાસ્તવિક રીતે અર્થ ક્રિયા થતી હોય ત્યાં પણ ભ્રાંતિ માનવાની ભૂલ કરવામાં આવે, તે એ ભ્રાંતિ માનનારાજ ભ્રાંતિરૂપ ઠરવાથી તેમના વચન પર પણ ભ્રાંતિ થાય એ સહજ છે, એથી જ્ઞાનાદ્વૈતની સિદ્ધિમાં તેમણે આપેલી યુકિતઓ પણ ભ્રાંતિરૂપ હેવાથી સજીને સ્વીકારી શકે નહિ.
સ્યાદ્વાદવાદને આશ્રય લેનારાઓને પરમાણુરૂપ તથા સ્થલ અવયવિ રૂપ એમ બન્ને પ્રકારે અપેક્ષાએ માનવાથી કઈ પણ પ્રકારે દેષને પ્રસંગ નથી. “ પ્રમાણ નહિ હેવાથી
Page #115
--------------------------------------------------------------------------
________________
* ૯૦
તવાખ્યાન.
પરમાણુરૂપ પદાર્થ માની શકાય નહિ ” એ કથન ઠીક નથી. કેમકે પરંપરાથી ઘટાદિ કાર્ય દ્વારા તે જોઈ શકાય છે. પરમાશુઓ અત્યંત સૂક્ષમ હોવાથી ચર્મચક્ષુથી જોઈ શકાય નહિ, પરંતુ અતીંદ્રિયજ્ઞાની સાક્ષાત્ જોઈ શકે છે. એવી રીતે પ્રત્યક્ષપ્રમાણથી પરમાણુઓની વિદ્યમાનતા દર્શાવવામાં આવી તેમ અનુમાનથી પણ તેની સત્તા સ્વીકારવી જોઈએ. જે પરમાણુઓ જગતમાં ન હોય તે ઘટ-પટ વિગેરે અવયવીની ઉત્પત્તિ થઈ શકતી નથી; માટે પરમાણુઓ છે. એમ સ્વીકારવું જોઈએ.
અવયવિ ફકત પરમાણુથી જ બને છે ” એ કાંઈ એકાંત નથી. સ્થલ સૂત્રથી સ્થલ પટની ઉત્પત્તિ આપણે દષ્ટિગેચર કરીએ છીએ. જ્યાં પરમાણુથી સ્થૂલ અવયવીની ઉત્પત્તિ માનવામાં આવે છે, ત્યાં પણ પરંપરા, દેશ, કાળ વિગેરે સામગ્રી સહિત કિયાના બળથી થાય છે, એમ સમજવું આવશ્યક છે, પરંતુ એમ તે કદાપિ ન જ કહી શકાય કે “જે ન દેખાય તે ન માનવું.” તેમ કહેવાથી તે પ્રત્યક્ષ નહિ જોએલા પ્રપિતામહાદિને પણ માની શકાશે નહિ.
કથંચિત્ વિરૂદ્ધ અનેક અવયવની કથંચિત્ તાદામ્યવૃત્તિને અવયવી સ્વીકારવામાં અને તેટલા અવયવ રૂપ અવયવીને કથંચિત્ અનેકરૂપ માનવાથી પૂર્વ માં અવયવીના ખંડનમાં જ્ઞાનાતવાદિઓ તરફથી આપેલી યુકિતઓ વ્યર્થ સમજવી.
“અવયવમાં અવયવી સંપૂર્ણતાથી રહે છે કે અંશથી?” એ જ્ઞાનાતિવાદિઓના પ્રશ્નને પ્રત્યુત્તરમાં એ બન્નેમાંથી
Page #116
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૯૧
એક પણ પક્ષ સ્વીકાર્યા વિના અવયમાં અવયવીને કર્થચિત્ તાદામ્ય સંબંધ માનવાથી અવયવીની વિદ્યમાનતા ખંડિત કરી શકાશે નહિ.
બાહ્ય પદાર્થોને તદ્દન અસ્વીકાર કરનારને પૂછવું જોઈએ કે–આ નીલ-પીતાદિ શું છે? “એ વિજ્ઞાનને જ આકાર છે. એ પ્રત્યુત્તર ચુકત ગણાશે નહિ; કેમકે વિજ્ઞાનથી ભિન્નરૂપે બાહ્યવસ્તુનું દર્શન થવા છતાં અને વિજ્ઞાનનું સ્વરૂપ કહી બાહ્યવસ્તુને અપલાપ કરે તે બુદ્ધિમાનને યેગ્ય નથી.
જે આ બાહ્ય વસ્તુઓ વિજ્ઞાનના આકારરૂપ જ હોય તે હું નીલ છું, હું પીત છું. ઈત્યાદિ પ્રકારને પ્રતિભાસ થ. જોઈએ, પરંતુ આ ઘટ નીલ છે, આ પટ પીત છે; એ પ્રતિભાસ ન થ જોઈએ.
બાહા પદાર્થોના અભાવમાં “આ કપડું અહિં બને છે, બીજે બનતું નથી. આ પત્થર આ ખાણને છે, બીજી ખાણને નથી.” એવા નિયત દેશ તથા અધિકરણનું જ્ઞાન ન થવું જોઈએ. જ્ઞાન આત્મામાં વર્તમાન છે અને ઘટ, પટ વિગેરે પદાર્થો આત્માથી બાહિર ભૂતલમાં વિદ્યમાન છે. જ્ઞાન આમાથી ઉત્પન્ન થાય છે. અને પદાર્થો પતતાની કારણ સામગ્રીથી પેદા થાય છે, જેમ ઘટ, માટી, ચક, દંડ વિગેરે કારણોથી તૈયાર થાય છે. જ્ઞાન પ્રકાશરૂપ અને પદાર્થો પ્રકાશ્ય છે. આવી રીતે જ્ઞાન અને બાહ્ય પદાર્થોમાં ભિન્નતા રહેલી છે. કારણ કે એ બંનેના ધર્મો વિરૂદ્ધ પ્રકારના જવાય છે. તેથી
Page #117
--------------------------------------------------------------------------
________________
૨
તત્ત્વાખ્યાન.
અનુમાનથી પણ ‘વિજ્ઞાન સિવાય બાહ્ય પદાર્થીની પણ જગમાં સત્તા છે. ’ એમ સ્વીકારવું જોઇએ.
शून्यवादि माध्यमिक मतनी समीक्षा.
શૂન્યવાદિએ કહે છે કે “ પ્રમાતા, પ્રમેય, પ્રમાણ, અને પ્રમિતિ એ કાંઇ નથી. લેકે આત્માને પ્રમાતા કહે છે, પર`તુ તેની સિદ્ધિમાં કોઇ પ્રમાણુ નહિ હાવાથી તે અવસ્તુ રૂપ છે. હું સુખી છુ', હું દુઃખી છુ. વિગેરે જે પ્રતીતિ થાય છે તે તે હું ગાર છું, હું શ્યામ છું. ઇત્યાદિ પ્રતીતિ શરીરના કારણથી જ થાય છે. આત્માની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રમાણથી કરી શકાય તેમ નથી. અન્યભિચારિકાઇ પણ લિંગ કારણ ન હોવાથી અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. આગમેા પરસ્પર વિધિ હોવાથી તેને પ્રમાણ રૂપે સ્વીકારી શકાય તેમ નથી. એ પ્રમાણુના અભાવથી પ્રમાતા પણ નથી. બાહ્ય પદાર્થ રૂપ પ્રમેય પણ નથી. પ્રમાણુ કે જેને લેાકા સ્વ-પર-પ્રકાશક જ્ઞાનરૂપ માને છે. તે પણ માનવાની જરૂર નથી. કેમકે પ્રમાણ વડે સિદ્ધ કરવાના પ્રમેયના જ અભાવ છે, ત્યારે પ્રમાણ શા માટે માનવું? પ્રમાણના અભાવમાં પ્રમિતિ પણ નથી. એથી સર્વ જગત્ શૂન્ય છે. એમ સ્વીકારવું તેજ શ્રેષ્ઠ છે, ”
પ્રમાણ વિના પ્રમેયના વ્યવહાર કઈ રીતે નહિ થઇ શક્તા હેાવાથી સમસ્ત દનકારા પોતાના પક્ષની સિદ્ધિ માટે પ્રત્યક્ષ, અનુમાન વિગેરે પ્રમાણા આપે છે, પરંતુ શૂન્યવાદીએ
Page #118
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
પ્રમાણ આપવા આવે તો શૂન્યવાદની માન્યતા ઉપહાસપાત્ર બને છે, પ્રમાણ વિના જ શૂન્યવાદ માનવા ઈચ્છે તે તેને અપ્રમાણ ગણી પ્રામાણિકે ઉપેક્ષા કરે છે. પિતાના સિદ્ધાંતથી શૂન્યવાદની સિદ્ધિ કરવા ઈચ્છે છે તે આગમ પ્રમાણ છે કે અપ્રમાણ? એમાં શે નિર્ણય ? આગમમાં પ્રમાણ ઠરાવવા
જ શુન્યવાદની કલ્પના મિથ્યા કરે છે. આગમને અપ્રમાણે જણાવવાથી તે શૂન્યવાદના સંબંધમાં કઈ વિશ્વાસ ધારણ કરી શકે નહિ. શૂન્યવાદને સ્થાપન કરવા એક પણ વાક્યને ઉચ્ચાર કરવો તે શૂન્યવાદને ભંગ કરે છે. કેમકે તે પ્રમેય છે. અને પ્રમેયને તે શૂન્યવાદિએ સ્વીકારતા જ નથી.
શુન્યવાદિઓની માન્યતામાં તેઓએ જે યુકિતઓ જણાવી છે, તે તે શૂન્ય છે કે વસ્તુરૂપ છે? એમ તેઓને પ્રશ્ન પૂછાતાં પ્રત્યુત્તરમાં તેઓ શૂન્ય જણાવે છે તેવાં શૂન્ય વાયોથી કોઈ પણ વિધિ અથવા નિષેધ થઈ શકતું ન હોવાથી માનજ રહેવું સમુચિત છે.
શૂન્યવાદ સિદ્ધ કરવા માટે કહેલ યુક્તિઓને વસ્તુરૂપ માનવામાં આવે તે શૂન્યવાદની માન્યતા અસત્ય થાય છે. તત્વચતુષ્ટયનું નિકારણ કરવામાં આવેલી યુત્તિઓ પણ વિચારી જોતાં અયુક્ત છે. હું સુખી, દુઃખી ઈત્યાદિ પ્રતિતિએ મુખ્યતાથી આત્માની વિદ્યમાનતામાં જ ઘટી શકે છે. હું ગાર છું, હું શ્યામ છું. ઈત્યાદિ પ્રતીતિમાં “હું” શબ્દને પ્રયોગ ગણરૂપે શરીરમાં કરવામાં આવેલ છે, જેમ રાજા
Page #119
--------------------------------------------------------------------------
________________
* હ૪
તવાખ્યાન.
વ્યા
છે. અને જે
પાર્થ
પિતાના સ્થાનમાં પિતાના પ્રિયપુત્રને સ્થાપન કરી પ્રજાને કહે છે કે–આને અન્ય ન સમજતાં “હું પોતેજ છુ.” એમ સમજવું. આ સ્થળે હું શબ્દને પ્રવેગ રાજામાં મુખ્યતાથી અને રાજપુત્રમાં ગણરૂપે થયેલ છે. તેવી જ રીતે હું દુઃખી, હું સુખી વિગેરે સ્થળે “હું” શબ્દનો પ્રયોગ મુખ્યતાથી અને હું ગાર છું, હું શ્યામ છું. વિગેરેમાં ઉપચારથી થાય છે. એમ વ્યાજબી સમજાય છે. આવી રીતે માનસ પ્રત્યક્ષથી આત્મા સિદ્ધ થાય છે. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ વિચારીએ. રૂપ વિગેરેની ઉપલબ્ધિ જે પ્રત્યક્ષ માલૂમ પડે છે, તે સર્વ સકક હેવી જોઈએ, કેમકે કિયાપણું હોવાથી, છેદન, ભેદન, તાડન તર્જન વિગેરે ક્રિયાઓની જેમ. ઉપલબ્ધિને કર્તા એજ આત્મા જાણવો જોઈએ. આ શરીરે પ્રયત્નવાળાને આશ્રય કર્યો છે, કેમકે વિશિષ્ટ કિયાનું આશ્રયપણું હોવાથી, રથની માફક; આ શરીરને જે અધિષ્ઠાતા તેજ આત્મા, રથના અધિ. ઠાતા સારથિની જેમ. આ શરીરને ભેકતા કેઈ હવે જોઈએ, ભેગ્યપણું હોવાથી, અન્ન વિગેરેની જેમ. એવી રીતે અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે. હવે આગમથી આત્માની વિદ્યમાનતાને વિચાર કરીએ. પરસ્પર વિધિ આગમોને સર્વ કેઈ અપ્રમાણિક ગણે એ સ્તુત્ય છે. જે ઓગમેના રચનાર આપ્તપુરૂષ હોય તે આગમને પ્રમાણભૂત માનવું આવશ્યક છે, પરંતુ આપ્ત તેજ માની શકાય કે જે રાગ વિગેરે સમસ્ત દૂષણથી દૂર થયેલ હોય. તેવા આપ્ત પુરૂષે પ્રરૂપેલા આગમને પ્રમાણ માનવાથી પ્રમાતાની વિદ્યમા
Page #120
--------------------------------------------------------------------------
________________
તજ્ઞાખ્યાન.
૫
નતામાં શકા રહેતી નથી. એ વિષયમાં વિશેષ વિવેચન આગળ ‘ જૈનદર્શન’ માં કરવામાં આવશે
ખાદ્ય પદાર્થોની સિદ્ધિ માટેપૂર્વમાં બતાવેલી યુક્તિઓ પ્રમેયની સિદ્ધિમાં પણ ઉપચાગી થતી હાવાથી ‘પ્રમેય પણ વસ્તુ છે. ’ એમ સ્વીકારવું જોઇએ. જે વર્ડ પ્રમેયની સિદ્ધિ થાય તે જ પ્રમાણ કહેવાતુ હાવાથી પ્રમેયની સિદ્ધિ સાથે પ્રમાણ પણ સિદ્ધ થાય છે. પ્રમાણની સિદ્ધિ થવાથી પ્રમિતિ પણ તેના ફળરૂપ હોવાથી સિદ્ધ થાય છે. પ્રમાણનું સામાન્ય ફળ હૈય વસ્તુના ત્યાગ, ઉપાદેય વસ્તુના સ્વીકાર અને ઉપેક્ષણીયની ઉપેક્ષા છે. એ સિવાય અન્ય કાંઇ નથી. આ ઉપરથી પ્રમાતા વિગેરે ચારને અવસ્તુરૂપ નહિ, કિન્તુ વસ્તુરૂપ માનવું એ જ યુતિયુક્ત છે.
નિર્વિકલ્પ પ્રત્યક્ષ પ્રમાણુ, અનુમાનના અંગભૂત હેતુમાં માનેલી ત્રિરૂપતા, અન્યાપેાહ વિગેરે આદ્ધોની માન્યતા અવાંતર હાવાથી મુખ્ય પદાર્થાની સમાલેાચનામાં અંતર્ભુ ત થઈ જાય છે. તેથી જ ઉપેક્ષા કરવામાં આવી છે. આદ્ધોના આચારની તથા દેવ વિગેરે તત્ત્વાની વિશેષ સમીક્ષા ‘જૈનદર્શન ” ના પ્રતિપાદનમાં કરીશું.
Page #121
--------------------------------------------------------------------------
________________
छट्टो प्रस्ताव.
****
નેયાયિક દર્શન.
નૈયાયિક મતના સાધુએ વાંસના ઇડને હાથમાં રાખે છે, દૃઢ કાપીન—લ`ગેટ પહેરી રાખે છે, સ્નાન કરી આખા શરીરે ભૂતિ-રાખ ચાળે છે, યજ્ઞોપવીત ધારણ કરે છે, કાસળ એઢ છે. પાણી રાખવા કમંડળુ હાથમાં રાખે છે,પ્રાચે નીરસ આહાર ગ્રહણ કરે છે, બહુધા તેએ વનવાસ હોય છે; તુ'બ, પાત્ર વિગેરે વૃક્ષના મૂળ ઉપર રાખવાના તેના આચાર હાય છે, કંદ, મૂળ, ફળ, પત્ર વિગેરેનું ભક્ષણ કરે છે, આતિથ્ય કરવાની ક્રિયામાં તેઓ બહુ કુશળ હેાય છે. કેટલાક તા સ્ત્રીઓ સહિત વાનપ્રસ્થાવસ્થાને અનુભવ કરે છે, જેઓ સન્યાસિ હોય છે તેઓને તે સ્ત્રીસંગથી તદ્ન દૂર જ રહેવાનુ હાય છે; તેઓ પચાગ્નિ-અનુષ્ઠાનમાં તત્પર હોય છે, હાથ અને જટામાં પ્રાણલિ’ગ રાખે છે, જે તેના મતબ્યા પ્રમાણે ઉત્તમ સચમાવસ્થાને પ્રાપ્ત કરે તેએ નગ્ન રહે છે, પ્રાતઃકાળમાં દંત, પાદ વિગેરે શુદ્ધ કરી શિવનું ધ્યાન કરતા તેઓ શરીર ઉપર ત્રણ વાર ભસ્મને સ્પર્શ કરે છે. તેઓને યજમાન લેાકેા બે હાથ એમ કહે છે, તેના પ્રત્યુત્તરમાં એમ કહે છે. તેઓનુ એવું કથન છે કે–માર વરસ સુધી શૈવમતની દીક્ષા પાળ્યા પછી તેના ત્યાગ કરીને કદાચ દાસી
6
જોડી
ॐ नम शिवाय
તે ‘શિવાય નમઃ
"
Page #122
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૯૭
દાસત્વ સેવે તે પણ તેને અવશ્ય મુક્તિ મળી શકે છે. તેના મતમાં સૃષ્ટિના સહ.૨ કરનાર, સર્વજ્ઞ જગત્કર્તા ઈશ્વર મનાય છે. તે ઈશ્વરના ૧૮ અવતાર માનવામાં આવે છે. ૧ નકુલી, ૨ શાષ્યકાશિક, ૩ ગાગ્ય, ૪ મૈગ્ય, ૫ અરૂષ, ૬ ઈશાન, ૭ પારગાગ્યે, ૮ કપિલાંડ, ૯ મનુષ્યક, ૧૦ કુશિક, ૧૧ અત્રિ ૧૨ પિંગલ, ૧૩ પુષ્યક, ૧૪ બૃહદા, ૧૫ અગસ્તિ, ૧૬ સ’તાન, ૧૭ રાશિકર અને ૧૮ વિદ્યાગુરૂ. એ અઢાર ઈશ્વરના અવતાર છે. તેએની પૂજા, પ્રણિધાન વિગેરે જિજ્ઞાસુઓએ તેઓના ગ્રંથાથી જાણવી. તેઓના સર્વ તીર્થાંમાં ભરટાને પૂજ્ય માનવામાં આવે છે. દેવતાઓની સન્મુખ રહી નમસ્કાર કરવાના તેઓના મતમાં નિષેધ છે, પરંતુ દેવની જમણી ખાએ રહી નમસ્કાર કરવા જોઇએ. “ જેવી જેવી ભાવનાથી તે દેવનુ ધ્યાન કરવામાં આવે, તેવું તેવું ધ્યાતાને ફળ થાય છે. ૮ ચાલુશી માત્રના ચર્ચ સિદ્ધિર્મતિ તાલુરી ' અર્થાત્ જેની જેવી ભાવના તેવી તેને સિદ્ધિ થાય છે.
" वीतरागं स्मरन् योगी वीतरागत्वमश्नुते ।
सरागं ध्यायतस्तस्य सरागत्वं सुनिश्चितम् ॥१॥"
cr
ભાવાર્થ: વીતરાગનુ સ્મરણ-ધ્યાન કરતા ચેાગી વીતરાગપણું મેળવે છે, રાગીનું ધ્યાન કરનાર અવશ્ય રાગીપણું પ્રાપ્ત કરે છે. ૧”
જેમ સ્ફટિકમણિ નીલ, પીત વિગેરે જેવી વસ્તુની સમીપમાં ડાય તેવા તે બની જાય છે. તેમજ જે જે ભાવથી 7
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૮
તસ્વાખ્યાન,
ધ્યાન કરવામાં આવે, તેવા પ્રકારના ફળને પ્રાપ્ત કરે છે એવી તેઓની માન્યતા છે. ઉપર્યુકત નિયાયિક મતના આચારે જેવાજ વૈશેષિક દર્શનમાં પણ પ્રાયઃ સર્વે આચારો મળતા છે. નૈયાયિક દર્શનમાં અને વૈશેષિક દર્શનમાં પદાર્થોની માન્યતામાં ભિન્નતા છે. નૈયાચિક લેકે ૧૬ પદાર્થો માને છે, વૈશેષિક ૭ પદાર્થો કહે છે. નૈયાયિક ના મતમાં ૪ પ્રમાણે માનવામાં આવ્યા છે, વૈશેષિક મતમાં ૨ બે પ્રમાણે માનેલાં છે. છતાં પણ પરસ્પરનાં તત્ત્વને અંતર્ભાવ થઈ શકતું હોવાથી તે બન્ને મતમાં બહુ થેડે ભેદ જણાય છે. તેથી પ્રાયઃ એ બંને મત સમાનજ જણાય છે, તેઓના મતમાં ૧ શિવ, ૨ પાશુપત, ૩ મહાવ્રતધર અને ૪ કાલમુખ્ય. એમ તપસ્વિના મુખ્ય ચાર ભેદ કહેવામાં આવે છે. ભરટ, લૈંગિક, તાપસ વિગેરે ગણ ભેદે છે. તેઓના મતની દીક્ષા આપવામાં ખાસ વર્ણાદિ વિભાગ દર્શાવવામાં આવ્યો નથી. જેઓને શિવમાં પરમભક્તિ હોય તે તિઓને ભરટ એવા નામથી ઓળખવામાં આવે છે. તેઓના શાસ્ત્રોમાં નૈયાયિકેનેજ શિવમાં નિરંતર ભક્તિ હોવાથી “શવ” કહેવામાં આવે છે. અને વૈશેષિકને પાશુપત નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, એથી જ તૈયાયિક મત શિવ મત કહેવાય છે. અને વૈશેષિક દર્શન પાશુપત દર્શનના નામથી કહી શકાય. અહિં સંક્ષેપથી તેમના આચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ તેઓના આચાર ગ્રંથ તપાસવા.
છઠ્ઠો પ્રસ્તાવ સમાપ્ત.
Page #124
--------------------------------------------------------------------------
________________
सातमो प्रस्ताव.
નૈયાયિકમતના મૂળસૂત્રધાર અક્ષપાદત્રાષિ હવાથી નૈયાયિક મત આક્ષપાદ એવા નામથી ઓળખાય છે. આ મતમાં શિવને ઇશ્વર માનેલા છે. તે શિવ જ પૃથ્વી, પર્વત વિગેરે પદાર્થોના કર્તા છે અને સૃષ્ટિના સંહારક પણ છે. એમ તેઓનું માનવું છે. ફક્ત સુષ્ટિની રચના જ માનવામાં આવે તે પ્રતિક્ષણ ઉત્પન્ન થતે પદાર્થોનો સમૂહ સૃષ્ટિમાં સમાઈ શકે નહિ માટે તેને સંહાર પણ તેમનાથી જ માનવામાં આવ્યું છે. ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે તેની આ પ્રમાણે સિદ્ધિ કરવામાં આવે છે:- પૃથ્વી, પર્વત, સુધાકર, દિનકર, મકરાકર વિગેરે સર્વ વસ્તુઓ બુદ્ધિમાનું વ્યક્તિ વિશેષે બનાવેલી હોવી જોઈએ, કેમકે–તે કાર્યરૂપ છે, જ્યાં જ્યાં કાર્ય પણું જોવામાં આવે છે, ત્યાં ત્યાં તેને કર્તા પણ અવશ્ય હોય છે, જેમ ઘડામાં કાર્ય પણું હોવાથી તેને બુદ્ધિમાન કર્તા કુંભાર હોય છે તેમ પૃથ્વી, પર્વત વિગેરે જગતની સઘળી વસ્તુઓને પણ કર્તા અવશ્ય હવે જોઈએ. અને જે જગત્કર્તા છે, તેને જ ઈશ્વર જાણ જોઈએ. જ્યાં જ્યાં બુદ્ધિમત્કર્તકતા (બુદ્ધિમાનું કર્તા) નથી હતી ત્યાં ત્યાં કાર્યપણું પણ નથી હોતું; જેમકે આકાશને કઈ કર્તા નથી, તે તે કાર્ય પણ નથી. પૃથ્વી વિગેરેમાં કાય પણું રહેલું છે, તેથી તેમાં બુદ્ધિમત્કકતા પણ અવશ્ય સ્વીકારવી જોઈએ.
Page #125
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
ઉપર જણાવ્યા પ્રમાણે અનુમાન પ્રમાણથી જગત્કતૃત્વ સિદ્ધ કરી બતાવવા છતાં તેમાં દષારોપણ કરનારની શંકાનું સમાધાન કરવાની તક લેવામાં આવે છે. જગત્કર્તા ન હોઈ શકે. એમ માનનારાઓ કદાચ એમ કહેવાનું સાહસ કરે કેઈશ્વર જગને કર્તા ઘટી શકતું નથી. કેમકે શરીર નથી, જેમ આકાશને શરીર ન હોવાથી એ કાંઈ જગતની રચના કરી શકે નહિ. તેમ શરીરરહિત હવાથી ઈશ્વર પણ જગતની રચના કરી શકે નહિં? આવું કથન નૈયાયિકમતના અનભિજ્ઞ લેકે જ કરી શકે. પરંતુ તેવા વિપરીત અનુમાન કરનારને અમે (નૈયાયિક ) એટલું પૂછવા માગીએ છીએ કે, “તમે ઈશ્વરરૂપ ધમિને પ્રતીત માને છે કે અપ્રતીત અપ્રતીત કહેશે તે શરીર નહિ હેવા રૂપ હેતુ વ્યર્થ કરે છે. કદાચ “પ્રતીત છે” એમ જણ, તે જે પ્રમાણથી તમને ઈશ્વરની પ્રતીતિ થાય છે, તે જ પ્રમાણથી પિતે જ ઉત્પન્ન કરેલા શરીરને ધારણ કરનાર ઈશ્વર છે.” એમ પણ જાણવું જ જોઈએ. એથી ઈશ્વરને જગત્કર્તા માનવામાં કઈ જાતની ક્ષતિ થતી નથી.
તે જગકર્તા ઈશ્વર પણ એક જ છે, કદાચ ઘણા ઈશ્વરોને જગત્કર્તા માનવામાં આવે તે એક બીજાની વિમતિની સંભાવના રહે છે, અને એથી જગનું નિર્માણ યથાર્થ રીત્યા થઈ શકે નહિ. માટે જગની રચના કરનાર ઈશ્વર એક જ છે. એમ માનવું શ્રેષ્ઠ છે.
તે ઈકવરને વ્યાપક માનવામાં આવે છે. જે ઈશ્વરને
Page #126
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૦૧
વ્યાપક માનવામાં ન આવે તે ત્રણ જગતમાં રહેલા સઘળા પદાર્થોની રચના કેવી રીતે બની શકે? તેથી જગત્કર્તા ઈશ્વર વ્યાપક છે એમ માનવું ઠીક છે.
તે જગકર્તા ઈશ્વર સર્વજ્ઞ છે. જે તેને સર્વજ્ઞ ન માનવામાં આવે તે સર્વ કાર્યોના કારણેનું વાસ્તવિક જ્ઞાન ન હવાથી સમસ્ત જગતનું નિર્માણ યથાગ્ય કેમ થઈ શકે? જેમ કુંભાર વ્યાપક ન હોવાથી તે સઘળાં કાર્યો કરી શક્ત નથી અને સર્વજ્ઞ ન હોવાથી–સર્વ કાર્યોના ઉપાદાન કારણનું જ્ઞાન ન હોવાને લીધે યથોચિત રીત્યા સઘળાં કામે બનાવી શકતે નથી, તેમ ઈશ્વરને પણ અવ્યાપક અને અસર્વ માનવામાં આવે છે તે પણ યથાસ્થિત રીત્યા સર્વ જગની રચના કરવા સમર્થ થઈ શકે નહિ, એ સ્વાભાવિક છે. તેથી જગકર્તા ઈશ્વર વ્યાપક અને સર્વજ્ઞ છે. એવી માન્યતા અત્યુત્તમ છે.
જાગ્રુતાનુપન્નરથરૈવાવમાર્જ નિત્ય એવા નિત્યના લક્ષણથી યુકત જગત્કર્તા ઈશ્વર નિત્ય છે. એ જગદીશને જે અનિત્ય માનવામાં આવે તે એ જગદીશને પણ અન્ય કર્તા માનવે પડે, અને તે પણ નિત્ય કે અનિત્ય ? એવી પ્રશ્નપરંપરા ઊઠતાં અનવસ્થા દોષ આવી જાય; માટે જગકર્તા ઈશ્વરને નિત્ય માન ઉચિત છે.
તે જગત્કર્તા જગદીશ સર્વ કાર્યો કરવા સમર્થ છે.કેમકે –
ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥ १॥"
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તત્ત્વાખ્યાન.
ભાવાર્થ –અલ્પજ્ઞ એ આ જીવ પોતાનાં સુખ-દુઃખની પ્રાપ્તિમાં પોતે અસમર્થ છે. ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ અથવા નરકમાં જાય છે.
(આ તૈયાયિકમતની સમાજના આગળ ઉપર કરવામાં આવશે.). नैयायिक मतमां मानेला तत्त्वो.
પ્રમાણ-પર-રાજ્ય-પ્રયોગન-છાત-નિદાનવયવ-ત-નિચ-વાવ-- રપ-વિતUSા-- માર-છ -જ્ઞાતિ-નિગ્રહસ્થાનોનાં તરવજ્ઞાનાન્નયનાયિકામ ! ” એ અક્ષપાદઋષિના મૂળ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છેપ્રમાણ ૧, પ્રમેય ૨, સંશય ૩, પ્રયોજન ૪, દૃષ્ટાંત ૫, સિદ્ધાંત ૬, અવયવ ૭, તર્ક ૮, નિર્ણય ૯, વાદ ૧૦, જલ્પ ૧૧, વિતંડા ૧૨, હેત્વાભાસ ૧૩, છલ ૧૪, જાતિ ૧૫, નિગ્રહસ્થાન ૧૬. એ ૧૬ પદાર્થોના તત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પ્રમાણુ વિગેરે પદાર્થોનું સામાન્ય સ્વરૂપ. પદાર્થોની ઉપલબ્ધિના કારણને પ્રમાણ કહેવામાં આવે છે. તે કારણે બે પ્રકારનાં છે. જ્ઞાનસ્વરૂપ, અને ૨ અચેતન.નૈયાયિક મતમાં મનને પણ ઈદ્રિય તરીકે માનેલ છે. એથી છ ઈદ્રિની સાથે સાગરૂપસંબંધ, આલેક વિગેરે અને ધૂમ વિગેરે લિગો, અને શબ્દાદિક અચેતનને પણ જ્ઞાનની ઉત્પત્તિમાં કારણરૂપ હેવાથી પ્રમાણરૂપ મનાય છે. “ઘડાને હું જાણું છું. એવા ચિંત
Page #128
--------------------------------------------------------------------------
________________
'તત્વાખ્યાન.
૧૦૩
વનમાં “આ ઘડે છે.” એવા પ્રકારનું જ્ઞાન કારણરૂપ હોવાથી જ્ઞાનને પણ પ્રમાણ માનવામાં આવે છે. ૧. પ્રમાણુથી જાણવા લાયક પદાર્થને પ્રમેય કહેવામાં આવે છે. ૨. આ શું લાકડું છે અથવા પુરુષ છે? એવા પ્રકારના જ્ઞાનને સંશય કહેવામાં આવે છે. ૩. સાધ્ય જે અભીષ્ટ વસ્તુ તે પ્રયોજન. ૪. વાદિ અને પ્રતિવાદિ બનેને સમ્મત પદાર્થ તે દૃષ્ટાંત. ૫. સિદ્ધાંતનું લક્ષણે આગળ કહેવામાં આવશે. ૬.અનુમાનના અંગભૂત પ્રતિજ્ઞા, હેતુ વિગેરે અવયવ ૭.સંદેહ થવા પછી અન્વયધર્મનું ચિન્તન તે તર્ક ૮. આ લાકડું છે,પુરુષ નથી એવો નિશ્ચય તે નિર્ણય. ૯. નિર્ણયને માટે વિચાર તે વાદ ૧૦. બીજાઓને જીતવાની ઈચ્છાથી જે વિવેચન કરવું તે જ૫ ૧૧. પિતાને પક્ષ સ્થા
પ્યા વિના યાતા બોલવું તે વિતડા ૧૨. ખેટા જે હેતુ તે હેવાભાસ ૧૩. બીજાના વચનને અન્યથા કરવા માટે વિકલ્પ ઉત્પન્ન કરવા તે છલ ૧૪. ખેટા દૂષણોને આરેપ કર તે જાતિ ૧૫. જે પ્રકારે કહેવાથી વક્તા નિગ્રહીત થાય તે નિગ્રહસ્થાન ૧૬.
૧૬ પદાર્થોનું વિશેષ સ્વરૂપ. प्रत्यक्षप्रमाण.
પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, ઉપમાન ૩, શબ્દ અથવા આગમ ૪ એ ચાર પ્રમાણે મનાય છે. “દ્રિથાર્થતંગ્નિ'त्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारी व्यवसायात्मकं प्रत्यक्षम्' આ સૂત્રમાં પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ જણાવવામાં આવ્યું છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૪
તવાખ્યાન.
તેને આશય આ પ્રમાણે છેઃ–ઇંદ્રિયેના વિષયભૂત રૂપ વિગેરેની સાથે ઈન્દ્રિયના સનિક (સંબંધ) થી ઉત્પન્ન થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઇદ્રિ સાથે છ પ્રકાને સંબંધ માનવામાં આવે છે.
ઇન્દ્રિયની સાથે દ્રવ્યના સંનિકર્ણને સગાસંબંધ કહેવામાં આવે છે. જેમકે ઘડાને આંખની સાથે સગ થવાથી જે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ કહી શકાય. અહિં ઘડા દ્રવ્યને આંખરૂપ ઇન્દ્રિયની સાથે જે સંબંધ થાય, તે “સંગ સંબંધ ” કહેવાય. ૧.
ઘડા વિગેરેમાં રહેલ રૂપ વિગેરે ગુણેના પ્રત્યક્ષમાં આંખને રૂ૫ વિગેરેની સાથે “સંયુકતસમવાય” નામને સંબંધ માનવામાં આવે છે. કેમકે આંખની સાથે સંયુક્ત થએલા ઘટમાં રૂ૫ વિગેરે ગુણે સમવાય સંબંધથી રહેલ છે. ૨.
આંખની સાથે સંયુક્ત થએલા ઘટ વિગેરે પદાર્થોમાં રૂ૫ વિગેરે ગુણે સમવાય સંબંધથી રહેલ છે. અને રૂપ વિગેરે ગુણેમાં રૂપત્વ વિગેરે જાતિ પણ સમવાય સંબંધથી રહેલ છે, તેથી રૂ૫ વિગેરે ગુણેની રૂપ— વિગેરે જાતિના પ્રત્યક્ષમાં “ સંયુક્ત સમવેત સમવાય ” નામને સંબંધ મનાય છે. ૩.
શ્રોત્ર (કાન) રૂપ આકાશમાં શબ્દગુણ સમવાયસંબંધથી રહેલ હોવાથી શબ્દના પ્રત્યક્ષમાં સમવાય સંબંધ?
Page #130
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
સત્ય
માનવામાં આવે છે. આ મતમાં શબ્દને આકાશના ગુણ માનેલા છે. ૪.
શ્રોત્ર ( કાન ) રૂપ આકાશમાં શબ્દ, સમવાયસ બધથી રહે છે, અને શબ્દમાં શત્વ જાતિ પણ સમવાયસબંધથી રહે છે. તેથી શબ્દમાં રહેલી શમ્તત્વ જાતિને પ્રત્યક્ષ કરવામાં * સમવેતસમવાય ’ નામના સંબંધ કારણભૂત મનાય છે.
અભાવના પ્રત્યક્ષ કરવામાં વિશેષણવિશેષ્યભાવ ’ એ નામના સઅંધ માનવામાં આવે છે.
"
विशेषणोनी सार्थकता.
ઉપર જણાવેલ છ પ્રકારના સનિક ( સબંધ ) થી પદાર્થો પ્રત્યક્ષ થાય છે. એથી ઉત્પન્ન થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ‘ નિક ’ શબ્દના પણ સંબંધ અથ થતા હોવા છતાં ‘સ” પદ, એ છ પ્રકારના સંબંધનું ગ્રહણ કરવા માટે જોડવામાં આવ્યુ છે.
પ્રત્યક્ષ જ્ઞાન થવાના ક્રમ.
પ્રથમ આત્મા મનની સાથે જોડાય છે,પછી મન ઇંદ્રિયાની સાથે અને ઇંદ્રિયા પદાર્થની સાથે જોડાય છે; ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. પ્રત્યક્ષ પ્રમાણના લક્ષણુ માટે ઉપર ટાંકવામાં આવેલ સૂત્રમાં ‘ જ્ઞાન ’ પદ્મ, સુખ અને અજ્ઞાન વિગેરેની નિવૃત્તિ માટે મૂકવામાં આવ્યું છે. સુખ, આહ્લાદ વિગેરે
Page #131
--------------------------------------------------------------------------
________________
3
તત્ત્વાખ્યાન.
સ્વરૂપથી ગ્રાહ્ય છે અને જ્ઞાન એ પદાર્થાંનુ પરિચ્છેદક હાવાથી ગ્રાહક છે. એમ સુખ વિગેરેમાં અને જ્ઞાનમાં તફાવત છે.
""
'
• અવ્યવૈચ’ પદ્યની સાકતા–જેમાં નામ વિગેરેની પના ન હોય તેને અન્યપદેશ્ય કહેવામાં આવે છે. બ્યપદેશ્ય ( શબ્દ ) ના શ્રવણે દ્રિયની સાથે સબંધ થવાથી ઉત્પન્ન થતા જ્ઞાનને ‘ પ્રત્યક્ષ ’ નહિ કહેતાં શાબ્દિક જ્ઞાન કહેવુ જોઈએ. જેમ કાનથી “ ગા શબ્દ સાંભળ્યા પછી આ ગાય છેઃ એવા પ્રકારના ઉત્પન્ન થતા જ્ઞાનમાં શબ્દ અને ઇંદ્રિય બન્ને કારણ હોવા છતાં પણ એમાં શબ્દનુ વિશેષ પ્રાધાન્ય હાવાથી શાશ્વજ્ઞાન ગણાવું જોઇએ. તેને ‘ પ્રત્યક્ષજ્ઞાન ' ન કહેવું. એવા આશયથી પ્રત્યક્ષ જ્ઞાનના લક્ષણમાં ‘ અવ્યપવેચ’ પદ મૂકવામાં આવ્યું છે.
ઃ
• વ્યમિન્નારી ’ વિશેષણની સાકતા—જે વસ્તુના અભાવમાં જે વસ્તુનુ` જ્ઞાન થાય તે જ્ઞાન · વ્યભિચારિજ્ઞાન ’ ના નામથી ઓળખાય છે. જેમ છીપ દેખવાથી રૂપાનું જ્ઞાન, આંઝવા જોવાથી જળનુ જ્ઞાન, દેરડી દેખવાથી સર્પતું જ્ઞાન, વિગેરે. એવા વ્યભિચાર જ્ઞાનને પ્રત્યક્ષજ્ઞાન ન કહી શકાય. એમ સૂચવવા લક્ષણકારે લક્ષણસૂત્રમાં ગ્રંથમિવારી 2 પદ મૂક્યું છે.
·
" व्यवसायात्मक પદની સાથે તા–વ્યવસાય-વિશેષ એથી ઉત્પન્ન થતા જ્ઞાનને વ્યવસાયાત્મક યા નિશ્ચાત્મક જ્ઞાન
Page #132
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૭.
કહેવામાં આવે છે. આ પદ મૂકવાથી-વિશેષણ આપવાથી સંશયાદિ જ્ઞાનને પ્રત્યક્ષજ્ઞાન તરીકે માનવાના નિષેધ કરવામાં આવે છે.
પ્રકારાંતરથી સૂત્રની વ્યાખ્યા.
અન્યવેચ-નિવિ કલ્પજ્ઞાન અને વ્યવસાયાત્માસર્વિકલ્પજ્ઞાન એ એ સિવાય બાકીનાં વિશેષણા જ્ઞાનનાં સમજવાં. પૂર્વની વ્યાખ્યામાં ઇંદ્રિયા અને પદ્યાર્થીના સબધથી ઉત્પન્ન થતા જ્ઞાનને અભ્યપદેશ્ય, ભ્રાન્તિરહિત, અવ્યભિચારી રૂપે માનવું, તેને જ પ્રત્યક્ષ પ્રમાણનું ફળ કહેવામાં આવે છે. ત્યારે આ બીજી વ્યાખ્યામાં ઇ‘દ્વિચા અને પદ્યાર્થીના સબધથી ઉત્પન્ન થતા અવ્યભિચારી જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણતું ફળ માનવામાં આવે છે. તે જ્ઞાન ૧ અભ્યપદેશ્ય, ( નિવિકલ્પ ) અને ૨ વ્યવસાયાત્મક ( સવિકલ્પ ) એમ એ પ્રકારનુ છે. જેને જૈનો નિરાકાર અને સાકારના નામથી આળખે છે.
6
તે પ્રત્યક્ષ જ્ઞાનના અાગિ પ્રત્યક્ષ ૧, અને ચેાગિપ્રત્યક્ષ ર એવા બે ભેદ છે. તેમાંથી ઇંદ્રિયા અને પન્ના ના સનિક થી આપણા જેવા ( અયાગિ ) ને ઉત્પન્ન થતા જ્ઞાનને અગિ પ્રત્યક્ષ ’ કહેવામાં આવે છે. તેના નિર્વિકલ્પ ૧, અને સવિક. ૯૫ક ૨. એ એ ભેદ છે, જે વસ્તુની સામાન્યથી આળખાણુ કરાવે તે નિવિ કલ્પક ૧ અને જે વસ્તુના વિશેષ પરિચય કરાવે તે સવિકલ્પકજ્ઞાન. જેમ આ દેવદત્ત છે, આ દેવેદ્રકુમાર છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
- દેશ, કાળ, સ્વભાવથી દૂર રહેલા અર્થને જે ગ્રહણ કરે તે ગિપ્રત્યક્ષ ગણાય છે. તેના ચુકતયેગિપ્રત્યક્ષ ૧, અને ચુંજાનેગિ પ્રત્યક્ષ ૨ એવા બે ભેદ છે. તેમાંથી ગધર્મ વિગેરેની સહાયતા પૂર્વક, આત્મા અને અંતઃકરણના સંયેગથી, બાહ્ય પદાર્થના સગની અપેક્ષા રાખ્યા વિના, સમાધિમાં એકાગ્રતા રાખનાર પુરૂષને જે જ્ઞાન થાય તે “યુક્તચાગિપ્રત્યક્ષ કહેવાય છે. આવું જ્ઞાન પણ નિર્વિકલ્પ ગણાય છે. કેમકે વિકલ્પ અવસ્થામાં સમાધિની એકાગ્રતા થઈ શકતી નથી. આ નિર્વિકલ્પજ્ઞાન ઉત્કૃષ્ટ ગિ સિવાય અન્યને હતું નથી.
સમાધિની અવસ્થામાં આત્મા, મન વિગેરેના સાગથી ઉત્પન્ન થતા રૂપ વિગેરેના જ્ઞાનને “યું જાગિપ્રત્યક્ષ એવું નામ આપવામાં આવે છે. યુકતગિઓને વિચારણા કર્યા વિના જ સર્વદા સર્વ વસ્તુનું જ્ઞાન થાય છે, ત્યારે મુંજાનાગિઓને વિચાર કરવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તે નિર્વિકલ્પ સવિકલ્પ બન્ને પ્રકારનું હોય છે. એમ બને જ્ઞાનમાં તફાવત છે.
અનુમાન પ્રમાણે 'वत्पूर्वकं त्रिविधमनुमानं पूर्ववत, शेषवत, सामान्यतो दृष्ट च' - પદાર્થની ઉપલબ્ધિ સ્વરૂપ, બ્રાનિરહિત, નિશ્ચયાત્મક પ્રત્યક્ષ, ધૂમ વિગેરે લિંગના દર્શનથી અને વ્યાપ્તિના સ્મરણ વિગેરેથી થતા અગ્નિ વિગેરેના જ્ઞાનને અનુમાન કહેવામાં આવે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧લ્ડ
વિવેચન-ધૂમ વિગેરે લિંગ અને અગ્નિ વિગેરે લિંગીને પહેલાં અનેક સ્થળે જોયા પછી પર્વત વિગેરે સ્થળમાં ધુમ દેખવાથી “આ સ્થળમાં અગ્નિ અવશ્ય હવે જોઈએ ” કેમકે
જ્યાં જ્યાં ધૂમાડે હોય છે, ત્યાં ત્યાં અગ્નિ જરૂર હોય છે, આવા પ્રકારના પ્રતિભાસ (જ્ઞાન) ને અનુમાન કહેવામાં આવે છે. એ અનુમાન ત્રણ પ્રકારનાં છે. ૧ પૂર્વવ-અન્વય અનુમાન, ૨ શેષવ-કેવલ વ્યતિરેકિ અનુમાન, ૩ સામાન્ય દષ્ટ–અન્વયિ વ્યતિરેક અનુમાન.
એ સૂત્રને બીજી રીતે અર્થ.
પક્ષસત્ત્વ ૧, સપક્ષસર્વ ૨, વિપક્ષાસવ ૩, અબાધિતત્વ ૪ અને અસત્યંતિપક્ષત્વ પ એ પાંચ રૂપે જે હેતુમાં હોય તે હેતુ સાચે સમજવામાં આવે છે. પર્વત વિગેરે. પક્ષમાં ધમ વિગેરે હેતુની વિદ્યમાનતા એ પૂર્વવત્ અનુમાન. ૧, મહાનસ (રસોડું) વિગેરે સપક્ષમાં હેતુની વિદ્યમાનતા એ શેષવત ૨, તળાવ વિગેરે વિપક્ષમાં ધૂમ વિગેરે હેતુનું ન રહેવું એ સામાન્યતે દષ્ટમ ૩. અબાધિતત્વ અને અસઐતિપક્ષત્વ એ ઉપરથી (ચકારથી) સમજવા જોઈએ.
કેવળ અન્વયિ અનુમાન.
જેમ કે સર્વ વસ્તુ પ્રમેય છે, વાચ્ય હોવાથી. અહિં સર્વને પક્ષ કરવાથી દષ્ટાંત મળતું નથી. આવા અનુમાનને
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૦
તવાણાન.
અન્વયિ અનુમાન કહેવામાં આવે છે. બીજી રીતે વસ્તુને કેઈ વિપક્ષ જેમાં ન હોઈ શકે. જેમ કે ધર્મ, અધર્મ, સ્વર્ગ, નરક વિગેરે પદાર્થો કેઈકને પ્રત્યક્ષ છે, પ્રમેય હવાથી, કરતલ (હથેળી) ની માફક. અહિં કે એકના પ્રત્યક્ષને સાધ્યરૂપ માનવાથી વસ્તુને કઈ વિપક્ષ નથી, આવું અનુમાન પણ “અન્વયિ એવા નામથી ઓળખાય છે.
કેવળ વ્યતિરેક અનુમાન. સપક્ષના અભાવવાળા અનુમાનને “વ્યતિરેકિ” એવા નામથી ઓળખવામાં આવે છે. ઉદાહરણસર્વ કાર્ય સર્વ કર્યું હોવું જોઈએ, કદાચિત્ક હેવાથી, જ્યાં જ્યાં સર્વજ્ઞ કર્તકતા નથી હોતી, ત્યાં ત્યાં કાદાચિત્કતા પણ નથી હોતી. જેમકે–આકાશ વિગેરે. આ અનુમાનમાં સર્વને પક્ષ કરવાથી સપક્ષને અભાવ છે. ઉદાહરણ ૨ . જીવતું શરીર ચિતન્યસહિત હોય છે, પ્રાણાદિમત્વ હેવાથી, જ્યાં જ્યાં ચૈતન્યસહિતપણું નથી હોતું, ત્યાં ત્યાં પ્રાણદિમત્વ પણ નથી હતું. જેમ કે ઘટ, પટ, સ્તંભ વિગેરેમાં.
અન્વયવ્યતિરેકિ. જે અનુમાનમાં સપક્ષ અને વિપક્ષ બને હોય, તેવા અનુમાનને “અન્વયિ-વ્યતિરેકિ” એવું નામ આપવામાં આવે છે. જેમકે–આ પર્વત અગ્નિવાળે છે, ધૂમવાળે હોવાથી, જ્યાં જ્યાં ધૂમ હોય, ત્યાં ત્યાં અગ્નિ પણ અવશ્ય હોય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૧
જેમ રસાડા વિગેરેમાં જોવામાં આવે છે. અને જ્યાં જ્યાં અગ્નિ નથી હોતા, ત્યાં ત્યાં ધૂમ પણ નથી હોતા. જેમ નદી, કુવા, તળાવ વિગેરેમાં અહિં સપક્ષ અને વિપક્ષ બન્ને છે.
‘ પૂર્વવત્’ ના ીજો અથ.
કારણુ ઉપરથી કાર્યનું અનુમાન કરવું તે પૂર્વવત્ જેમકે-આ મેઘ વૃષ્ટિને અવશ્ય ઉત્પન્ન કરનાર થવા જોઇએ. કેમકે-ગભીર ગારવ, વીજળીનું વારવાર થવું, મેઘની ઉન્નતદશા, શ્યામકાંતિ વિગેરે વરસાદનાં ચિો માલૂમ પડે છે, જે જે મેઘ આવા પ્રકારના સ્વરૂપવાળા હોય છે, તે તે સ વૃષ્ટિના ઉત્પાદક જોવામાં આવે છે. પૂર્વીના મેઘાની જેમ.
કાઇક એમ શકા કરે કે—આવા મ્હોટા મેઘ પણ કદાચિત વૃષ્ટિના ઉત્પાદક થતા નથી, તેથી આવા નિશ્ચય પ્રેમ કરી શકાય ? ’ તે તેના પ્રત્યુત્તરમાં સમજવું કે તેમાં સારી રીતે કારણનું જ્ઞાન કર્યાં વિના કાના અનુમાન પર આવનાર પુરૂષના દોષ ગણી શકાય. કેમકે નિશ્ચિત કારણા જાણી તે ઉપરથી કરેલું કાર્ય નું અનુમાન અસત્ય થઇ શકતું નથી.
‘ શેષવત્’ નુ અન્ય સ્વરૂપ
કાય. ઉપરથી કારણનું અનુમાન કરવુ તે ‘ શેષવત્’ અનુમાન. જેમકે આ નદીમાં વરસાદનું કાર્ય–જલ્દીથી પાણીનુ પૂર આવવું, ફળ, કુલ, પત્ર, કાષ્ઠ વિગેરેના સમૂહનું આવવું,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૨
તવાખ્યાન.
વિગેરે જોવામાં આવે છે. તેથી અહિં વરસાદ વરસવા રૂપ કારણ બન્યું હોવું જોઈએ. બીજી નદીઓની જેમ.
સામાન્યત દષ્ટમ્” નું સ્વરૂપ. કાર્ય અથવા કારણ સાથે બિલકુલ સંબંધ ન ધરાવનાર હેતુઓથી સાધ્યનો નિશ્ચય કરે. એ “સામાન્યતે દષ્ટ નામનું અનુમાન કહેવાય છે. જેમકે બગલાં વિગેરે જળચર પક્ષિઓને ન છેડનાર આ પ્રદેશ, જલારાયવાળો હો જોઈએ. કેમકે બગલાં વિગેરેની સ્થિતિ અહિં જોવામાં આવે છે. બીજા જેએલા જલાશની જેમ. અથવા કેઈ વૃક્ષ ઉપર સૂર્યને જોયા પછી બીજે પર્વત વિગેરે પ્રદેશ ઉપર સૂર્યને જોઈ તેની ગતિનું અનુમાન કરવું. અથવા આ સમયે આંબા ફળેલા હવા જોઈએ, તેમાં આંબાપાણું હેવાથી, જેએલા બીજા આંબાઓની જેમ. એ વિગેરે પ્રકારના અનુમાનને “સામાન્ય દ્રષ્ટ”એવા નામથી ઓળખવામાં આવે છે.
जुदी व्याख्या.
પૂર્વ પ્રતિપતિની માફક જે પ્રતિપત્તિ થાય તેને “પૂર્વવત્ અનુમાન કહી શકાય. જેમકે સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન વિગેરે ગુણે એક દ્રવ્યના આશ્રિત હેવા જોઈએ, ગુણે હેવાથી રૂપ વિગેરે ગુણોની જેમ.
પ્રસક્તને નિષેધ કરવાથી અને અન્યત્ર પ્રસક્તિને અસંભવ હોવાથી બાકી રહેલાનું જે જ્ઞાન થાય, તે “શેષવત્ "
Page #138
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૧૩,
અનુમાન. ઉદાહરણ–સુખ, દુઃખ વિગેરેમાં ગુણત્વ હોવાથી કઈ પણ આશ્રય વિના તે રહી શકે નહિ. શરીર વિગેરેને તે ગુણોના આશ્રયરૂપે માની શકાય નહિ કેમકે-શરીરના ગુણો રૂપ વિગેરે છે તે તે સર્વને પ્રત્યક્ષ છે. સુખ, દુઃખ વિગેરે ગુણોનું માનસિક પ્રત્યક્ષ તે ફક્ત આત્માને જ થાય છે. એથી સુખ, દુઃખ વિગેરે શરીરના વિશેષ ગુણે છે. એમ કેમ કહેવાય? ઇંદ્રિના કે વિષયેના પણ ગુણ તરીકે તે સુખ, દુઃખ વિગેરેને કબૂલ કરી શકાય તેમ નથી. કેમકે ઇંદ્રિયના ક્ષીણ થયા પછી પણ તે ગુણનું સ્મરણ થઈ આવે છે, તેમજ વિષયે નષ્ટ થયા પછી પણ તે ગુણે અનુભવગેચર થઈ શકે છે. આમ જ્યારે બીજા કેઈ આધારરૂપ દ્રવ્યને સંભવ નથી, ત્યારે શેષ રહેલ આત્માને જ સુખ, દુઃખ વિગેરે ગુણેને આશ્રય માનવો જોઈએ. અને તે આત્મા, શરીર અને વિષ વિગેરેથી ભિન્ન હવે જોઈએ. સુખ, દુઃખ વિગેરેને આધાર હેવાથી, જે “આત્મા શબ્દથી વાચ્ય ન થતું હોય તે સુખ, દુઃખ વિગેરેને પણ આધાર ન થઈ શકે. જેમ શરીર, વિષ વિગેરે.
જે અનુમાનમાં ધર્મિ (પક્ષ) અને સાધનરૂપ ધર્મ પ્રત્યક્ષ હોય, પરંતુ સાધ્યરૂપ ધર્મ સર્વદા પક્ષ હોય; તે અનુમાન “સામાન્યતે દ” કહેવાય છે. જેમકે-ઈચ્છા વિગેરે ગુણે પરતંત્ર છે, ગુણરૂપ હેવાથી, રૂપ વિગેરેની જેમ. અહિં ઈચ્છા વિગેરે ધર્મી અને ગુણત્વરૂપ સાધનધર્મ એ બને પ્રત્યક્ષ છે. અને પરતંત્રતા રૂપ સાધ્યધર્મને આધાર સર્વદા અપ્રત્યક્ષ છે. અથવા જગનું વિચિત્રપણું, અસાધારણ કારણને
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૪
તત્ત્વાખ્યાન.
લીધે હોવુ જોઇએ; વિચિત્રપણું હોવાથી, ચિત્ર વિગેરેની વિચિત્રતાની જેમ.
आगम प्रमाण.
અનુમાન-વ્યાખ્યા.
उपमान प्रमाण.
:
"
જેમાં પ્રસિદ્ધ વસ્તુની સદેશતા ઉપરથી અપ્રસિદ્ધ વસ્તુનું જ્ઞાન થાય તે ઉપમાન પ્રમાણ કહેવાય છે. જેમકેકોઇ એક પુરૂષ ગવય ( રાઝ ) ને ન આળખનાર મનુષ્યને ગાયના જેવુ... રાઝ જાતિનુ પ્રાણી જગલમાં રહે છે ? એવી સમજણ આપી ‘ રોઝ ' પ્રાણી લાવી આપવા કહ્યું. પછી તે મનુષ્ય તપાસ કરતાં · રાઝ ’ પ્રાણીને, કહેલી ઉપમા ઉપરથી ઓળખી લઇ આવે, એમાં સાદૃશ્યજ્ઞાનથી સ’જ્ઞા-સજ્ઞ સ’'ધિ જે પ્રતિપત્તિ કરાવનાર થયું,તે જ ઉપમાન છે.આ પ્રમાણને ‘આગમ’ પ્રમાણમાં સમાવેશ થઇ શકે નહિં, કેમકે ‘આગમ’ પ્રમાણના ઉત્પાદક શબ્દ, ઉપમાન પ્રમાણના સમયમાં પ્રયુક્ત થતા નથી.
’
(
શબ્દ વિગેરે સામગ્રી વિશેષથી ઉત્પન્ન થતા જ્ઞાનને
6
'
"
શાખ્યું ' અથવા આગમ પ્રમાણ ’ કહેવામાં આવે છે. સર્વ કાઈના શબ્દો નહિ, પરંતુ જે વચન આપ્તપુરૂષના ઉપદેશરૂપ હોય તેને જ પ્રમાણુરૂપ માનવામાં આવે છે. આપ્ત પણ તે જ કહી શકાય કે જે સત્યવાદી હાય. સારાંશ એજ છે કે
Page #140
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૧૫
સત્યવાદ આપ્ત પુરૂષના ઉપદેશથી થતા જ્ઞાનને “ આગમ પ્રમાણ” એવું નામ આપવામાં આવે છે.
પ્રમાણુ પ્રકરણ. મેર,
પ્રમાણથી નિશ્ચિત કરેલા પદાર્થને “પ્રમેચ” કહેવામાં આવે છે. તે આત્મા ૧, શરીર ૨, ઈદ્રિય ૩, અર્થ ૪, બુદ્ધિ ૫, મન ૬, પ્રવૃત્તિ ૭, દેષ ૮, પ્રત્યભાવ , ફળ ૧૦, દુઃખ ૧૧ અને અપવર્ગ ૧૨. એમ બાર પ્રકારે મનાય છે. એમાંથી “આત્મા’ શેય છે, પછીના શરીર વિગેરે દશ હેય છે અને
અપવર્ગ ઉપાદેય છે. - સુખ, દુઃખ, ઈચ્છા, પ્રયત્ન વિગેરેને આધાર તે આત્મા, ૧૬જેના દ્વારા ભેગ, ઉપગ વિગેરે કિયા થઈ શકે છે, અર્થાત ભેગેને રહેવાનું સ્થાન તે શરીર, ૨; સ્પર્શન, રસન, પ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઈદ્રિયે ૩, સ્પર્શ ૧, રસ ૨, ગંધ ૩, રૂપક, શબ્દ છે. એ પાંચ અર્થ. અર્થના સ્વરૂપમાં પૃથ્વીને મુખ્ય ગુણ ગધે. જલને મુખ્ય ગુણ રસ, તેજને મુખ્ય ગુણ રૂપ, વાયુને મુખ્ય ગુણ સ્પર્શ અને આકાશને મુખ્ય ગુણ શબ્દ માનવામાં આવે છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ આ ચાર ગુણવાળી પૃથ્વી રૂપ, રસ અને સ્પર્શ એ ત્રણ ગુણવાળું જળ, રૂપ અને સ્પર્શ એ બે ગુણવાળું તેજ મનાય છે. વાયુમાં ફકત સ્પર્શ ગુણ અને શ્રોત્ર રૂપ આકાશમાં ફક્ત શબ્દ ગુણ રહેલો છે. ૪
-
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૬
તત્વાખ્યાન.
બુદ્ધિ ઉપલબ્ધિ જ્ઞાન. એને ક્ષણિક માનવામાં આવે છે. એમાં ભેગ સ્વભાવ હેવાથી અને લેગ સ્વભાવ સંસારનું કારણ હોવાથી એ બુદ્ધિને હેયમાં ગણેલી છે. ૫ ઈદ્રિયે અને પદાર્થને સંબંધ થવા છતાં જેના વડે ઈદ્રિયના વિષયનું જ્ઞાન એક કાળમાં થતું નથી અને ઇંદ્રિયેની અપેક્ષા વિના પણ આંતરિક સુખ દુઃખની ઉપલબ્ધિ થાય છે તે જ મન. મનને અણુ અથવા સૂકમ માનવામાં આવે છે છતાં તેને વિષય સર્વત્ર છે, તેની ગતિ વાયુના વેગની જેમ ઉતાવળી છે અને તે નિત્ય છે. શુભ, અશુભ ફળના કારણભૂત મન, વચન, કાયાને વ્યાપાર તે જ પ્રવૃત્તિ. સંસારપરિભ્રમણના કારણ ભૂત રાગ, દ્વેષ, મેહ વિગેરે દૂષણગણ તે દોષ કહેવાય અને દેહ, ઈદ્રિય વિગેરે પૂર્વના સંઘાતનું ગ્રહણ કરવું તે પ્રત્યભાવ ૯ પ્રવૃત્તિના ગુણદોષથી ઉત્પન્ન થતું સુખ-દુઃખ તે ફળ ૧૦. પીડા અને સંતાપરૂપ તે દુઃખ, અનુકૂળ વેદનીય તે સુખ સુખ, અને દુઃખ અન્ય મિશ્રિત હોવાથી અહિં સુખનું સ્વરૂપ પણ બતાવ્યું છે. ૧૧ આત્યંતિક દુઃખને નાશ અથવા સર્વગુણોથી રહિત આત્મા તે જ અપવર્ગ (મેલ). આ મેક્ષ પણ તત્વજ્ઞાનથી જ થાય છે. ૧૨
સંશય. એક ધર્મિમાં ભિન્ન ભિન્ન પ્રકારના ધર્મો જોવાથી વિકલ્પ ઉપજે તે સંશય. આ સંશય, ધમિના સામાન્ય ધર્મોનું પ્રત્યક્ષ અને વિશેષ ધર્મો સ્મરણમાં હોવા છતાં પણ
કે અન્ય કે અનફળ
મનું સ્વરૂપ
Page #142
--------------------------------------------------------------------------
________________
તત્વાખ્યાન.
૧૧૭ --------------------------------------
---- પ્રત્યક્ષરૂપે ન જણાતા હોય ત્યારે ઉદભવે છે. જેમ દૂર રહેલા મનુષ્ય જેવા જણાતા લાકડાને જેવાથી, લાકડાના અને મનુષ્યના સામાન્ય ધર્મો ઉંચાઈ પહોળાઈ વિગેરે પ્રત્યક્ષ થતાં, મનુષ્યના વિશેષ ધર્મો હાથ, પગ વિગેરે અને લાકડાના વિશેષ ધર્મો વાંકપણું, પિલાણ વિગેરે સમરણમાં હોવા છતાં દૂરથી જોનારને પ્રત્યક્ષ ન દેખાવાથી “આ લાકડું છે કે પુરૂષ? એવે સંશય ઉત્પન્ન થાય છે.
જેની વાંછાથી કાર્યમાં પ્રવૃત્તિ થાય તે કર્તવ્યરૂપે ઈષ્ટ સાધ્ય વસ્તુને પ્રજન કહેવામાં આવે છે. પ્રમા
ના ઉપન્યાસની પ્રવૃત્તિ પણ પ્રજનમૂલક છે. જો કે પ્રોજન પ્રમેયમાં અન્તર્ગત થઈ જાય છે, તે પણ પૃથક દર્શાવવામાં શિની બુદ્ધિના વિકાસનું કારણ ઉપસ્થિત થાય છે એમ સમજવું.
દષ્ટાંત
જેમાં સાયધર્મ અને સાધનધર્મની વ્યાપ્તિને નિર્ણય હવાથી વાદિ, પ્રતિવાદિને વિવાદને અવકાશ ન હોય અને જેના દ્વારા વસ્તુને નિશ્ચય થતું હોય તે ઉદાહરણ દષ્ટાંત કહેવાય છે. જેમકે વનસ્પતિ ચેતનાવાળી હોય છે. વૃદ્ધિ વિગેરે સચેતનનાં ચિ હોવાથી, મનુષ્યની જેમ અહિં સચેતન સાધ્યધર્મ અને વૃદ્ધિ વિગેરે સામાન્યધર્મ એ બને
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮
તત્ત્વાખ્યાન.
મનુષ્યમાં નિર્ણીત કરેલ છે. એ સંધિ વા–િપ્રતિવાહિને વિવાદ ન હેાવાથી, વસ્તુના નિશ્ચય કરાવવામાં દૃષ્ટાંત પણ જરૂરનું છે.
સિદ્ધાંત.
સત ંત્ર સિદ્ધાંત ૧, પ્રતિતંત્ર સિદ્ધાંત ૨, અધિકર સિદ્ધાંત ૩, અને અભ્યુપગમ સિદ્ધાંત ૪, એમ સિદ્ધાંત ચાર
પ્રકારના છે.
सर्वतंत्र.
જે તંત્ર-શાસ્ત્રના અર્થ સર્વ શાસ્ત્રોમાં એક સરખી રીતે સમ્મત હાય, જેમાં સર્વ શાસ્ત્રકારોની સમ્મતિ હાય, કોઇની પણ વિમંતિન હોય, અને પોતાના શાસ્ત્રમાં એને અધિકાર હોય તે સંતત્ર સિદ્ધાંત કહેવાય છે.જેમકે-પ્રમાણ એ પ્રમેયનું સાધન છે, આંખ વિગેરે ઇંદ્રિયા છે, શબ્દ વિગેરે ઇ‘દ્રિચાના વિષયેા છે. એમાં કોઇને વિવાદ ન હેાવાથી તે સતંત્ર સિદ્ધાન્ત કહી શકાય.
જે હકીકત સમાન શાસ્ત્રમાં પ્રસિદ્ધ હાય અને અન્ય શાસ્ત્રમાં ન માનેલી હાય તે પ્રતિતંત્ર સિદ્ધાંત.જેમકે ઇંદ્રિયા, પૃથ્વી વિગેરે પાંચ ભૂતાથી ઉત્પન્ન થાય છે. ’ એવી માન્યતા નૈયાયિક અને વૈશેષિક અને મતમાં પ્રસિદ્ધ છે, ત્યારે સાંખ્યલોકો પાંચ ભૂતથી ન માનતાં અહકારથી ઇન્દ્રિયાની ઉત્પત્તિ સાને છે. સત્કાર્ય વાદિ નૈયાયિકા અને વૈશેષિકા, કાની
Page #144
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
૧૧૮
ઉત્પત્તિ પહેલાં કારણમાં કાર્ય હેવાનું માનતા નથી, પરંતુ કારણ–સામગ્રી મળવાથી અસત્ કાર્યની ઉત્પત્તિ હેવાનું માને છે. જેમ કે માટીમાં ઘડે ન હોવા છતાં માટી, દંડ, ચક વિગેરે કારણ-સામગ્રી મળવાથી ( નવીન) ઉત્પન્ન થાય છે.
માટીમાં ઘડે વિદ્યમાન છે.” એવું માનવામાં આવે તે ( અકિંચિત્કરી) કારણસામગ્રી વ્યર્થ થઈ જાય છે. તેથી પ્રથમ કાર્ય ન હોવા છતાં પણ પાછળથી કારણસામગ્રી મળવાથી ઉત્પન્ન થાય છે. ઉપર જણાવેલ અસત્કાર્યવાદથી વિરુદ્ધ પ્રકારને સાંખ્ય લોકોને સત્કાર્યવાદ છે. તેઓ (સત્કાર્યવાદિસાંખેલકે) કહે છે કે-જે માટીમાં ઘડે વિદ્યમાન જ નથી, તે ઘડાની ઈચ્છા ધરાવતે મનુષ્ય માટીમાં શા સારૂ પ્રયત્ન કરે છે? વસ્ત્રના તાંતણાએ વિગેરેમાં શા માટે પ્રયાસ કરતે નથી? આવા પ્રકારના વાદને “ પ્રતિતંત્ર સિદ્ધાંત” કહી શકાય. अधिकरणसिद्धान्त
જેમાં એકની સિદ્ધિ કરવા જતાં બીજાની પણ સિદ્ધિ પ્રસંગથી થઈ જાય તે અધિકરણ સિદ્ધાંત. જેમકે–કાર્યવ હેતુથી પૃથ્વી, પર્વત વિગેરેમાં બુદ્ધિમાન કર્તાની સિદ્ધિ કરવા જતાં, તેવાં પ્રકારના કાર્યો બનાવવામાં અન્ય સમર્થ ના હેવાથી નિત્ય જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન વિગેરેના આધારભૂત તે વ્યક્તિ હોવી જોઈએ. એવી સિદ્ધિ પ્રસંગથી થઈ જાય છે. अभ्युपगमसिद्धान्त
પિતાને ઈષ્ટ ન હોય તે પણ આગ્રહથી અથવા
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તવાખ્યાન.
ચમત્કાર બતાવવાની ખાતર કઈ પણ પક્ષને સ્વીકારી તેને સમર્થન કરવામાં પ્રયાસ લેવામાં આવે તે “ અલ્પપગમ સિદ્ધાંત” કહેવાય છે. જેમકે શબ્દમાં દ્રવ્યત્વ ન માનનાર નૈયાયિક, આગ્રહથી અથવા પિતાની બુદ્ધિમત્તા દર્શાવવા એમ કહે કેશબ્દ ભલે દ્રવ્ય હોય, પરંતુ તે શું નિત્ય છે કે અનિત્ય? આમાં પ્રથમ શબ્દમાં દ્રવ્યત્વ માની તેના નિત્યાનિત્યત્વને વિચાર કર્યો. એ અભ્યપગમ સિદ્ધાંત છે.
અવયવ. પ્રતિજ્ઞા ૧, હેતુ ૨, ઉદાહરણ ૩, ઉપનય ૪, નિગમ પ એ પાંચ અવયના ભેદ છે. પક્ષધર્મ અને ધર્મનું પ્રતિપાદન કરતું જે વાક્ય તે જ પ્રતિજ્ઞા. જેમકે “આ પર્વત અગ્નિવાળે છે. વિગેરે ૧. જે વચનથી સાધનનું ભાન થાય તે હેતુ જેમકે ધૂમાડાવાળું હોય છે, તે તે સઘળું અગ્નિવાળું હોય છે, જેમકે રસોડું. આવાં ઉદાહરણે અન્વયિ ઉદાહરણ કહેવાય છે. ૨ જે અગ્નિવાળું ન હોય તે ધૂમવાળું પણ નથી હતું. જેમકે-નદી, ફ, તળાવ વિગેરે. આવાં ઉદાહરણ
વ્યતિરેકી કહી શકાય? ૩ ઉપસંહાર દર્શાવનાર વચન ઉપનય ગણાય છે. જેમકે આ પર્વત ધમવાળે છે. ” વિગેરે ૪. જે વાક્ય દ્વારા હેતુના ઉપદેશથી સાધ્યરૂપ ધર્મને ઉપસંહાર કરાય તે નિગમ. જેમકે આ પર્વત ધૂમવાળે હેવાથી અગ્નિવાળે અવશ્ય હે જોઈએ. ૫
તર્ક. જ્યારે વસ્તુનું સ્વરૂપ સારી રીતે સમજી શકાતું ન
Page #146
--------------------------------------------------------------------------
________________
તત્વાખ્યાન.
૧૧
હાય, સંશય ઉત્પન્ન થતું હોય, ત્યારે તે સંશયને નાશ કરી સત્ય સ્વરૂપને નિશ્ચય કરવા વિચારક શકિતથી બુદ્ધિ દેડાવવામાં આવે તે તર્ક. જેમકે-સાંજ સમયે જગલમાં ગએલ કોઈ મનુષ્ય દરથી મનુષ્ય જેવા જણાતા ઝાડના ડુંઠાને જોઈ વિચારે કે – " अरण्यमेतत् सविताऽस्तमागतो
न चाधुना सम्भवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा
માથું માપતિસમાનાનાના” III ભાવાર્થ –આ જંગલ છે, સૂર્ય આથમી ગયું છે, હાલ અહિં મનુષ્ય સંભવ નથી. તેથી નિશ્ચયે પક્ષિ વિગેરેથી યુક્ત એવું આ કામના શત્રુ-મહાદેવના સમાન નામધારી આ લાકડું-ઝાડનું ઠુંઠું (સ્થાણું) જ હોવું જોઈએ.
નિર્ણય. ઉપર જણાવેલ સંશવનાશક તર્ક કર્યા પછી જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય તે જ નિર્ણય. જેમકે આ લાકડું જ છે, મનુષ્ય નથી.
વાદ.
- જેમાં વાદી અને પ્રતિવાદીના પક્ષ તથા પ્રતિપક્ષનું ગ્રહણ થાય તે વાદ. શિષ્ય (વાદિ), ગુરૂની સામે પોતાના પક્ષનું સમર્થન કરે અને ગુરૂના પક્ષમાં ગુરૂએ કરેલા અનુમાનમાં
Page #147
--------------------------------------------------------------------------
________________
૧રર
તવાખ્યાન,
દોષ દર્શાવી આપે, પરંતુ છલ, જાતિ વિગેરેને ઉપગ ન કરે. આવી વાદકથા તત્વનિર્ણય માટે થાય છે.
જલપ. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ. એમ ચતુરંગી સભા સમક્ષ લાભ, પૂજા, ખ્યાતિ વિગેરેની ઈચ્છાવાળે પુરૂષ પિતાના જય માટે અને બીજાઓને પરાસ્ત કરવા સારૂ જે વચન રચના કરવામાં આવે તે જપ કહેવાય છે. તેમાં સાધનના ઉપાલંભને માટે છળ, જાતિ, નિગ્રહસ્થાનને પણ ઉપયોગ કરાય છે. આ ઉપરની વાદકથાને બીજે ભેદ મનાય છે.
વિતડા.
- જે વાદમાં પોતાના પક્ષને સ્થાપન કર્યા વિના ફક્ત બીજાના પક્ષમાં જ દૂષણોને વરસાદ વરસાવવામાં આવે તેને. વિતંડાવાદ કહેવામાં આવે છે.
સારાંશ-સભાપતિ, જય, પરાજય, છળ, જાતિ, નિગ્રહસ્થાન વિગેરેની અપેક્ષા રાખ્યા સિવાય ગુરૂ પૂર્વ પક્ષ સ્વીકારી વાર્તાલાપને પ્રારંભ કરે અને શિષ્ય, કરેલ પૂર્વ પક્ષને ખંડિત કરી ઉત્તરપક્ષને સ્થાપે એવી ગેષ્ઠી વાદકથા ગણાય છે. ત્યારે જલ્પકથામાં તે જ્ય-પરાજય કરવા માટે વાદી અને પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ સમક્ષ પિતપોતાના પક્ષને સ્થાપનસમર્થન કરવામાં છળ, જાતિ નિગ્રહસ્થાનને ઉપયોગ કરીને પણ પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ કરે છે. અને વિતંડાવાદમાં તે સ્વપ
Page #148
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
૧૨૩
ક્ષને સ્થાપ્યા વિના ફક્ત પ્રતિપક્ષને બાધિત કરવા યદ્રા તદ્દા વચનવિન્યાસ કરવાનું હોય છે.
“છળ, જાતિ, નિગ્રહસ્થાન દ્વારા પરપક્ષને દૂષિત કરવા એ સજજનોને શેભાકારક નથી.” આવા આક્ષેપને નૈયાયિકે ગણકારતા નથી. એટલું જ નહિ, પરંતુ તેઓ તે સન્માર્ગની પ્રાપ્તિ માટે એવી રીતે પણ પરાજય કરે એવી ખાસ માન્યતા ધરાવે છે. એમ તેઓના સિદ્ધાંતના નીચે ટાંકેલા કલેક ઉપરથી સારી રીતે સ્પષ્ટ સમજશે.
તુશિક્ષિતતાજેશવાઘાજિતાનના शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपमण्डिताः ? ॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्पतारितः। मा गादिति छलादीनि प्राह कारुणिको मुनिः॥२॥"
ભાવાર્થ –દુઃખે શીખેલા કુતર્કોના અંશના લેશ માત્રથી વાચાળ મુખવાળા બનેલા, વિતંડાના આડંબર યા ગર્વથી વિભૂષિત થયેલા વાદે શું બીજી કઈ રીતે જીતી શકાય તેમ છે? અર્થાત્ નથી. “ગતાનગતિક એવા આ જગતના લેકે તેઓથી ઠગાઈને કુમાર્ગમાં ન ચાલ્યા જાઓ” એવા આશયથી દયાળુ મુનિ (અક્ષપાદઋષિ) એ છળ વિગેરે (ઉપગમાં લેવા) કહ્યું છે. ૧-૨.
પરને પરાસ્ત કરવામાં ધર્મવંસ વિગેરે દેને
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૪
તત્ત્વાખ્યાન.
અવકાશ ન હોવાથી આપત્તિદશામાં છળ વિગેરેથી પણ સ્વપક્ષ સ્થાપન કરે. એવું તેઓ (નૈયાયિકે) નું મંતવ્ય હેવાથી જલ્પકથામાં ચરિતાર્થ કરે છે.
હેત્વાભાસ. વાસ્તવિક (સત્ય) હેતુ ન હોવા છતાં તેના જે જેમાં આભાસ થતું હોય, તે હેત્વાભાસ કહેવાય છે. અસિદ્ધ ૧, વિરુદ્ધ ૨, વ્યભિચારિ ૩, બાધિત ૪, અને સત્મતિપક્ષ પ. એમ પાંચ પ્રકારના હેતુઓ કહેવાય છે.
જે હેતુ પક્ષમાં ન રહેતું હોય, તે હેતુ “અસિદ્ધ કહેવાય છે. જેમકે-ઘટ દ્રવ્ય અરૂપી હેવાથી અહિ જણાવેલ “અરૂપિપણું એ હેતુ (ઘડાને દ્રવ્યરૂપ સિદ્ધ કરવાના) પક્ષમાં રહેતું નથી. કેમકે ઘટદ્રવ્ય અરૂપિ નથી, પરંતુ રૂપી છે. તેથી તે અસિદ્ધ હેતુ ગણાય છે.
જે હેતુ વિપક્ષમાં રહેતે હેય અને સપક્ષમાં ન રહે, તેવા હેતુને “વિરૂદ્ધ એવું નામ આપવામાં આવે છે. જેમકે શબ્દ નિત્ય છે, કાર્યત્વ હેવાથી. અહિં કાર્યત્વ હેતુ નિત્યત્વ રૂપ સાધ્યના વિપક્ષ-ઘટ વિગેરેમાં રહે છે, અને નિત્યત્વના સપક્ષ--આકાશ વિગેરેમાં રહેતું નથી. (નૈયાયિકની દષ્ટિએ આકાશ નિત્ય મનાય છે. ) તેથી આ વિરૂદ્ધ હેતુ કહી રાકાય. ૨ - પક્ષમાં,વિપક્ષમાં સપક્ષમાં રહેનારા હેતુને “વ્યભિચારીક
Page #150
--------------------------------------------------------------------------
________________
તરવાખ્યાન,
૧૨૫,
હેવામાં આવે છે. જેમકે-શબ્દ અનિત્ય છે, પ્રમેયત્વ હોવાથી.અહિ જણાવેલ પ્રમેયત્વવરૂપ હેતુ (પક્ષ)માં, સપક્ષ (ઘટ વિગેરે)માં અને વિપક્ષ (આકાશ વિગેરે)માં રહેતે હેવાથી વ્યભિચારી કહેવાય. ૩.
પ્રત્યક્ષ, આગમ વિગેરે પ્રમાણેથી વિરૂદ્ધ જણાતા જે હેતુને પક્ષમાં પ્રવર્તાવવામાં આવે તેને કાલાત્યયાદિષ્ટ (બાધિત) હેતુ કહેવામાં આવે છે. જેમકે–આ અગ્નિ ઉષ્ણુ નથી, કાર્યત્વ હેવાથી. અગ્નિ ઉભું ન હોય એ પ્રત્યક્ષ અને આગમ અને પ્રમાણેથી વિરૂદ્ધ હોવાથી આ બાધિત હેતુ કહેવાય. ૪.
જેના સાધ્યના અભાવને સાધનાર બીજો હેતુ વિદ્યમાન હોય, તે “સત્પતિપક્ષ” નામથી ઓળખાય છે. જેમકે-શબ્દ અનિત્ય છે, શ્રવણ (કાન) ને પ્રત્યક્ષ હોવાથી, અહિં શબ્દનું અનિત્યપણું સાધવા મૂકેલ હેતુ “શ્રવણ પ્રત્યક્ષ છે, એથી વિરૂદ્ધ “શબ્દ નિત્ય છે, કાર્યત્વ હોવાથી.”એમ જુદા હેતુથી સાધ્યને અભાવ સાધી શકાતે હવાથી “સત્યતિપક્ષ” કહી શકાય. અથવા બીજું ઉદાહરણ આ પર્વત અનિવાળે છે. ધમવાળે હેવાથી.” તેથી વિરૂદ્ધ “ આ પર્વત અગ્નિથી રહિત છે, પાષાણમય હવાથી.” ઉપર પ્રમાણે અહિં પણ એક બીજાના હેતુઓ, એક બીજાના સાધ્યના અભાવે સિદ્ધ કરતા હોવાથી “સમ્પ્રતિપક્ષ” કહી શકાય.
છી.
વાછળ ૧, સામાન્ય છળ ૨ અને ઉપચાર છળ ૩. એમ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૬
તજ્યાખ્યાન.
છળના ત્રણ ભેદ છે. જુદા અભિપ્રાયથી કહેલા વચનને પિતાને અનુકૂળ કલ્પનાથી જૂદા અર્થમાં ઉતારી વાદિને પરાસ્ત કરે તે વાકછળ કહેવાય છે. જેમકે –“નવી કામળ વાળે આ માણસ છે ”એવા આશયથી નીકળેલ “નવલqોડામ” એવા વાકયને વચનછળ કરનાર વાદી આવા અર્થમાં ઉતારે કે–આ મનુષ્ય ૯ નવ કામળ વાળે કયાંથી હોય ? જેને એક કામળ રાખવાની શકિત ન હોય તેની પાસે નવ કામળ છે. એમ કેમ માની શકાય?
સંભાવનાથી અતિપ્રસંગવાળા સામાન્ય ઉપન્યાસમાં હેતુપણું આરોપણ કર્યા પછી એને જે નિષેધ કરે તે સામાન્ય છળ કહેવાય છે. જેમકે “ ! વેનૌ ત્રાધો વિધવારકાઃ ” ભાવાર્થ–આશ્ચર્ય છે કે આ બ્રાહ્મણ વિદ્યાચરણ યુક્ત છે. બ્રાહ્મણની સ્તુતિના પ્રસંગથી બેલવામાં આવેલા આ વાકયને સામાન્ય છળ કરનાર એમ ફેરવી નાખે કે–જે વિદ્યા અને આચરણ યુકત હોવાથી એને બ્રાહ્મણ કહેવામાં આવે, તે (વિદ્યાચરણ યુક્ત) શુદ્રને પણ બ્રાહ્મણ કહે જોઈએ.
ગણ–ઔપચારિક પ્રગમાં મુખ્ય અર્થની કલ્પના કરી ઉપચારને નિષેધ કરે તે ઉપચાર છળ કહેવાય છે. જેમકે–ખાટલામાં માણસના પ્રયત્ન દ્વારા થતા શબ્દોને સાંભળી કેઈએ કહ્યું કે-સંવાદ દોરાનિત ' માંચડા-ખાટ લા અવાજ કરે છે. ત્યારે ઉપચાર છળ કરનાર એમ કહે કેમાંચા કયાંથી શબ્દ કરી શકે? કેમકે તે તે જડ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
- -
-
જાતિ.
જે પક્ષ તથા હેતુ વિગેરેને દુષિત કરવામાં સમર્થ ન હોય, જે ખરી રીતે દૂષણરૂપ ન હોવા છતાં દૂષણરૂપ ભાસે એવા ખંડન કરવા અપાતા અસત્ ઉત્તરેને “જાતિ” એવું નામ આપવામાં આવે છે. એ જાતિ ૨૪ પ્રકારની છે. તે આ પ્રમાણે–સાધર્યસમા ૧, વૈધર્યસમા ૨. ઉત્કર્ષ સમા ૩, અપકર્ષ સમા ૪, વણ્યસમાં પ, અવર્ણસમાં ૬, વિકલ્પસમાં ૭, સાધ્યસમા ૮, પ્રાપ્તિસમા ૯, અપ્રાપ્તિસમા ૧૦, પ્રસંગ સમા ૧૧, પ્રતિદષ્ટાંતસમા ૧૨, અનુત્પત્તિસમા ૧૩, સંશયસમા ૧૪, પ્રકરણસમા ૧૫, અહેતુસમાં ૧૬, અર્થોપત્તિસમાં ૧૭, અવિશેષસમા ૧૮, ઉપપત્તિસમા ૧૯, ઉપલબ્ધિસમા ૨૦, અનુપલબ્ધિસમા ૨૧, નિત્યસમા ૨૨, અનિત્યસમા ૨૩, કાર્યસમા ૨૪.
જેમાં સમાન ધર્મથી ખંડન કરવામાં આવે તે સાધમ્ય સમા જાતિ કહેવાય છે. જેમકે-શબ્દ અનિત્ય છે, કાર્યરૂપ હોવાથી, ઘડાની જેમ. આવા પ્રયોગનું જાતિવાદી આવી રીતે ખંડન કરે કે- અનિત્ય ઘટના સમાનપણાથી, કાર્યરૂપ હેતુ દર્શાવી તમે શબ્દનું અનિત્યપણું સિદ્ધ કરે છે, તેમ અમે એમ કહીએ છીએ કે-શબ્દ નિત્ય છે, અમૂર્ત હેવાથી, આકાશની જેમ. ૧
જેમાં વૈધમ્યથી ખંડન કરાય તે વૈધર્યસમા જાતિ કહેવાય છે. ૨ શબ્દ અનિત્ય છે, કાર્ય પણું હોવાથી. ઘડાની
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૮
તત્ત્વાખ્યાન.
માફક આ પ્રયોગમાં જાતિ વાદિ એમ કહે છે કે-શબ્દ નિત્ય છે, અમૂત્ત પણ હોવાથી. અને તેજ અનિત્યપણું તે મૂત્તમાં પણ દેખવામાં આવે છે. જ્યારે નિત્ય આકાશના વૈધ રૂપ ઘટાર્દિકથી કાર્ય પણાને લઇને શબ્દને અનિત્ય માના છે ત્યારે અનિત્ય ઘટાદિના વૈધર્માંથી અમૂત્તપણાને લઈને શખ્સને નિત્ય પણ માનવા જોઇએ. આ નુ નામ વૈધ સમા જાતિ કહેવાય.
જેમાં ઉત્કર્ષ થી ખ‘ડન કરવામાં આવે તે ઉત્ક સમા જાતિ કહેવાય છે. જેમ કે-કાત્વ હેતુ દર્શાવી ઘટની જેમ, શબ્દનું અનિત્યપણુ સિદ્ધ કરનારને એમ કહેવામાં આવે કે તમે ઘટની જેમ, શબ્દને અનિત્ય કહેા છે, તે ઘટમાં રહેલ મૂત્વ તમારે શબ્દમાં પણ માન્ય કરવું પડશે. અને જો કદાચ ઘટની જેમ શબ્દમાં ભૂત્વ મહિમાના તા ઘટની જેમ અનિત્યત્વ પણ શબ્દમાં ઘટી શકશે નહિ.
જેમાં અપકર્ષ થી ખડન કરાય તે અપક સમા જાતિ કહેવાય છે. જેમકે ઘડાની જેમ શબ્દને અનિત્ય કહેનાર ને આમ કહેવામાં આવે કે તમારા કથન પ્રમાણે ઘડો કોન્દ્રિયથી પ્રત્યક્ષ નથી, તેમ તેની જેવા ( અનિત્ય ) શબ્દ પણ કણેન્દ્રિયથી પ્રત્યક્ષ ન થવા જોઈએ. છતાં કાનથી શબ્દ સ‘ભળાય તે તે ( શબ્દ ) ને ઘડાની જેમ અનિત્ય ન કહેવે જોઇએ.
વન કરવા લાયક તે વણ્ય, તેથી વિપરીત અવ જેમાં વ અને અવશ્ય પણાથી ખંડન કરવામાં આવે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૯
તત્ત્વાખ્યાન.
તે વાઁવસમા જાતિ કહેવાય છે. જેમકે સાધ્યના અને દૃષ્ટાંતના ધર્મો સરખા મનાતા હોવા છતાં શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરવા દૃષ્ટાંતરૂપ મૂકેલ ઘટમાં જેવી રીતે ( કુંભાર, દંડ, ચક્ર વિગેરે કારણસામગ્રીથી ઉત્પત્તિ હોવાથી અનિત્યપણુ રહેલું છે, તેવી રીતે શબ્દમાં ( કઠ, તાલુ, એષ્ઠ વિગેરેના વ્યાપારથી ઉત્પત્તિ હોવાથી) અનિત્યપણુ· નથી. શબ્દના અને ઘટના ધર્માં ભિન્ન ભિન્ન છે. ૫, ૬.
જેમાં ધર્માંતરના વિકલ્પોથી ખડન કરાય તે વિકલ્પસમા જાતિ કહેવાય, કેટલાંક કાર્ગી કામળ હોય છે. જેમકે આકડાનું રૂ, પુલની શય્યા વિગેરે. અને કેટલાંક કાર્યો કહેણુ હાય છે. જેમકે કુહાડા, ઘણુ વિગેરે. તેમ કેટલાંક કાર્યો અનિત્ય હોઇ શકે, તેમાં ઘટ વિગેરે ગણી શકાય. અને કેટલાંક કાર્યો નિત્ય પણ હોઇ શકે, તેમાં શબ્દ વિગેરેના સમાવેશ થઈ શકે. ७
જેમાં સાધ્યની સમતા સ્વીકારી દૃષ્ટાંતનું ખડન કરવામાં આવે તે સાધ્યસમા જાતિ કહેવાય છે. જેમકે-શબ્દને ઘડાની જેવા કહેવામાં આવે તે શબ્દ સાધ્યું છે, તેમ ઘડાને પણ સાધ્ય માનવા જોઇએ. અને જો એમ મનાય તે એનુ ટ્રષ્ટાંત આપવુ ઉચિત ગણી શકાય નહિ. ૮
જેમાં પ્રાપ્તિ, અપ્રાપ્તિના વિકલ્પોના આશ્રય લઇ ખંડન કરવામાં આવે તે પ્રાપ્તિ-અપ્રાપ્તિસમા જાતિ કહેવાય છે. જેમકે-શબ્દમાં અનિત્યતા સિદ્ધ કરવા જે કાત્વ હેતુ દર્શો
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૦
તવાખ્યાન.
વવામાં આવે છે, તે સાધ્યને પ્રાપ્ત કરીને સિદ્ધ કરવા સમર્થ થાય છે, કે સાધ્યને પ્રાપ્ત કર્યા વિના પણ? પ્રત્યુત્તરમાંપ્રાપ્ત કરીને એમ કહેવામાં આવે તે તે ઠીક નથી. કેમકે
જ્યાં સુધી બન્ને વિદ્યમાન ન હોય-એક વિદ્યમાન હોય અને બીજું નષ્ટ થયું હોય, ત્યાં સુધી પ્રાપ્ત કહી શકાય નહિ.. અને કદાચ અપ્રાપ્ત છતાં સિદ્ધ કરવા સમર્થ થાય તે અતિપ્રસંગ દોષ આવશે. ૯-૧૦.
જેમાં પ્રસંગના આપાદનથી ખંડન કરાય તે પ્રસંગસમા જાતિ. જેમકે-તમે અનિત્યની સિદ્ધિમાં કાર્યત્વ હેતુ આપે, છે. પરંતુ કાર્યવની સિદ્ધિમાં કેને હેતુ કરશે ૧૧ ' જેમાં વિપરીત દૃષ્ટાંતથી ખંડન થાય તે પ્રતિદષ્ટાંતસમા જાતિ. જેમકે-શબ્દ અનિત્ય છે, પ્રયત્ન સિવાય બની શકતે નથી માટે, ઘડાની જેમ. એમ કહેનારને જાતિને પ્રયોગ કરનાર જાણ કે-પ્રયત્ન સિવાય ન બનનાર ઘડાને જેમ તમે અનિત્ય કહે છે, તેમ કુવા વિગેરે ખોદતાં થતું આકાશ (પિલાણ), તે પણ પ્રયત્ન સિવાય ન થતું હેવાથી તે (આકાશ) ને પણ અનિત્ય માનવું પડશે. ૧૨ .
જેમાં અનુપપત્તિથી ખંડન કરવામાં આવે તે અનુપપત્તિસમા જાતિ. જેમકે-શબ્દરૂપી ધમ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી કાર્યસ્વરૂપ ધર્મ ક્યાં રહે? ૧૩ ' પૂર્વમાં જણાવેલ સાધમ્યવધર્યાસમાં જાતિને સંશય કરી ઉપસંહાર કરાય, તે તે સંશયસમાં જાતિ કહેવાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૩૧
જેમકે-ઘટના સાધચ્ચેથી કાર્યત્વ હેતુ આપી તમે શબ્દને અનિત્ય માને છે અથવા ઘટના વિધર્યાથી અમૂર્તત્વ હેતુને લઈ શબ્દને નિત્ય માને છે ? ૧૪
બીજો પક્ષ ઉપસ્થિત કરવાની બુદ્ધિથી પ્રગના વિષયરૂપ સાધમ્પસમા અને વૈધર્મેસમાં જાતિને જ પ્રકરણસમા જાતિ કહેવામાં આવે છે. જેમકે-“શબ્દ અનિત્ય છે, કાર્યત્વ હેવાથી, ઘડાની જેમ.” આમ બેલનારને જાતિવાદી કહે છે કે-શબ્દ નિત્ય છે, શ્રવણેન્દ્રિયને પ્રત્યક્ષ હોવાથી શબ્દવની જેમ. ૧૫ - જેમાં ત્રણે કાળમાં અનુપપત્તિ દર્શાવી હેતુનું ખંડન કરવામાં આવે તે હેતુસમા જાતિ કહેવાય છે. જેમકે-સાધન એ સાધ્યની પૂર્વમાં હોય કે પછી? પ્રત્યુત્તરમાં-પ્રથમ સાધન અને પછી સાધ્ય. એમ કહેવામાં આવે તે સાધ્યના અભાવમાં સાધનને પ્રયોગ કેની સિદ્ધિ કરશે? કદાચ બીજો પક્ષપ્રથમ સાધ્ય અને પછી સાધન એમ માન્ય રાખવામાં આવે તે પછી સાધનની શી જરૂર? અને કદાચ બને (સાધ્ય અને સાધન) ને ડાબા જમણા શીંગડાની માફક એકકાળે જ માનવામાં આવે તે આ સાધ્ય અને સાધન એ વ્યવહાર કેમ થઈ શકે? ૧૬.
જેમાં અથપત્તિવડે ખંડન કરાય, તે અર્થપત્તિસમા જાતિ કહેવાય છે. જેમકે–જે અનિત્યત્વના સાધમ્યને લીધે કાર્યત્વ હેતુથી શબ્દને અનિત્ય માનવામાં આવે, તે નિત્ય
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૨
તત્ત્વાખ્યાન.
ત્વના સાધને લીધે શબ્દને નિત્ય પણ માનવા જોઇએ. કેમકે નિત્ય આકાશની સાથે અમૂત્વ રૂપ સાધમ્ય શબ્દમાં પણ વિદ્યમાન છે. ૧૭
જેમાં વિશેષતા લાવી ખડન કરવામાં આવે, તે અવિ શેષસમા જાતિ કહેવાય છે. જેમકે-ઘટના અને શબ્દના જો કાર્ય ત્વરૂપ એક જ ધમ માનશેા, તે સમાન ધર્મના સબથથી જેમ એ બન્નેમાં સમાનતા છે, તેમ સર્વ પદાર્થમાં પણ જરૂર સમાનતા સ્વીકારવી પડશે. ૧૮
ઉપપત્તિવડે જેમાં બડન થાય તે ઉપપત્તિસમા જાતિ કહેવાય છે. જેમકે–તમે શબ્દમાં કાય ની ઉપપત્તિથી અનિત્યતા માના છે, તેમ અમૃતત્વની ઉપપત્તિથી તેમાં નિત્યતા કેમ ન માનવી ? ૧૯
જેમાં ઉપલબ્ધિથી ખ`ડન થાય તે ઉપલબ્ધિસમા અતિ જાણવી. જેમકે શબ્દ અનિત્ય છે, પ્રયત્ન વિના ઉત્પન્ન થતા ન હાવાથી. ' આવું પ્રતિપાદન કરનારને જાતિવાદી એમ કહે કે—અહિ' હેતુ જ અસિદ્ધ છે કેમકે સાધન અથવા હેતુ તે જ કહી શકાય કે જેના વિના સાધ્યની ઉપલબ્ધિ થઈ શકે નહિ, પર’તુ આ સ્થળે ‘ પ્રયત્ન વિના શબ્દના ઉત્પન્ન થઈ શકે ’ એજ અસત્ય ઠરે છે. કારણ કે-વાયુના વેગ વિગેરેથી તૂટતાં વૃક્ષાથી પણ ક્વચિત્ શબ્દની ઉત્પત્તિ થાય છે એ પ્રસિદ્ધ જ છે. ૨૦
એ પ્રમાણે જ અનુપલબ્ધિસમા જાતિ ઉપરથી જુદા
Page #158
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૩૩
પ્રકારની જાણવી. ૨૧ નિત્યસમા ૨૨ અનિત્યસમા ૨૩ અને કાર્ય સમા ૨૪ એ જાતિ પણ જાણી લેવી. ખંડનના પ્રકારે અનંત હોવાથી જે કે જાતિ પણ અનંત થઈ શકે, પરંતુ મુખ્યતયા ૨૪ વીસ પ્રકારની ગણાય છે.
નિગ્રહસ્થાન. જે પ્રતિજ્ઞા હાનિ વિગેરેના આશયથી પ્રતિપક્ષિવાદિના વચનને નિગ્રહ કરવામાં આવે-વાદિને બોલતે બંધ કરી દેવામાં આવે, તે નિગ્રહસ્થાન કહેવાય છે. પ્રતિપત્તિનિગ્રહસ્થાન અને અપ્રતિપત્તિનિગ્રહસ્થાન એવા તેના બે ભેદે છે.
સાધનાભાસમાં સાધનબુદ્ધિ અને દૂષણભાસમાં દૂષણબુદ્ધિ આપવી, એ પ્રતિપત્તિનિગ્રહસ્થાન કહેવાય છે. સાધનમાં દૂષણ ન બતાવવું અને દૂષણને ઉદ્ધાર પણ ન કરે તે અપ્રતિપત્તિનિગ્રહસ્થાન ગણાય છે. પરવાદિને પરાસ્ત કરવાના બે પ્રકાર છે. કર્તવ્યને પ્રાપ્ત ન કરવું અને અકર્તવ્યને પ્રાપ્ત કરવું. આવી જ રીતે અવાન્તર ભેદને લઈને વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિના ભેદથી નિગ્રહસ્થાનના ૨૨ બાવીશ ભેદ છે. તે આ પ્રમાણે–પ્રતિજ્ઞાહાનિ ૧, પ્રતિજ્ઞાન્તર ૨, પ્રતિજ્ઞા વિરોધ ૩, પ્રતિજ્ઞા સંન્યાસ ૪, હેવંતર પ, અર્થાન્તર ૬, નિરર્થક છે, અવિજ્ઞાતાર્થક ૮, અપાર્થક ૯, અપ્રાપ્તકાલ ૧૦, ન્યૂન ૧૧, અધિક ૧૨, પુનરૂક્ત ૧૩, અનનુભાષણ ૧૪, અજ્ઞાન ૧૫, અપ્રતિભા ૧૬, વિક્ષેપ ૧૭, મતાનુજ્ઞા ૧૮, પર્યનુયાપેક્ષણ ૧૯ નિરગુજ્યાનુગ ૨૦, અપસિદ્ધાંત ૨૧ અને હેતાભાસ ૨૨.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૪
તત્ત્વાખ્યાન.
,
હેતુમાં વ્યભિચાર દોષ ઉત્પન્ન કર્યો પછી વાદિના ઢાંતના ધર્મને પેાતાના દૃષ્ટાંતમાં સ્વીકારવા તે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન કહેવાય છે. જેમકે શબ્દ અનિત્ય છે, ઇંદ્રિયદ્વારા પ્રત્યક્ષ થતા હાવાથી, ઘડાની જેમ. ' આમ પ્રતિપાદન કરનાર વાહિને નિગ્રહસ્થાનના પ્રચાતા કહે કે ઇંદ્રિયા દ્વારા પ્રત્યક્ષ થતા સામાન્યને નિત્ય માનવામાં આવતુ. હાવાથી હેતુમાં વ્યભિચાર આવે છે. તેના સમાધાનમાં વાદી જણાવે કે– સામાન્યની માફક ઘટ ભલે નિત્ય હૈા. ’ એમ કહેવાથી શબ્દ અનિત્ય છે.’ એ પ્રતિજ્ઞા નષ્ટ થવાથી પ્રતિજ્ઞાહાનિ થાય છે. ૧
"
પ્રતિજ્ઞાના વિષયના જ્યારે પ્રતિવાદી નિષેધ કરે, ત્યારે તે જ ધમિમાં બીજા હેતુનો આશ્રય લેવા એ પ્રતિજ્ઞાંતર નિ જેમકે-ઉપર પ્રમાણે વ્યભિચાર દોષ બતાવે ત્યારે વાદી જણાવે કે–‘ ઇંદ્રિયા દ્વારા પ્રત્યક્ષ હાવાથી સામાન્ય નિત્ય છતાં વ્યાપક છે, અને શબ્દ તા અવ્યાપક છે. ’ આમાં · શબ્દ અનિત્ય છે ” એવી પ્રથમ પ્રતિજ્ઞા કરનાર વાદીને પ્રતિવાહિએ વ્યભિચાર ઢોષ દર્શાત્મ્યા ત્યારે શબ્દ અવ્યાપક છે’એવી શ્રીજી પ્રતિજ્ઞા કરવી પડી. એ જ પ્ર॰ નિ૦ ૨
6
"
·6
પ્રતિજ્ઞામાં વિરાધ દર્શાવવા તે પ્રતિજ્ઞાવિાષ નિ જેમકે- દ્રવ્યથી રૂપ વિગેરે ગુણા ભિન્ન છે, બીજા અર્થીની અનુપલબ્ધિ હાવાથી. ' એમાં આવી રીતે વિરોધ દર્શાવાય કે–
?
દ્રવ્યથી રૂપ વિગેર ગુણ જો જુદા હાય તા ખીજા પદાર્થોની ઉપલબ્ધિ થઇ શકે જ નહિ; અને કદાચ જે થાય તેા ગુણાથી દ્રવ્ય કે દ્રવ્યથી ગુણા જૂદા છે એમ કેમ કહી શકાય ? ૩
ક
Page #160
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૫
પિતાના પક્ષ તથા સાધનેને પ્રતિવાદી દૂષિત કરે, ત્યારે તેને ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ન હોવાથી કરેલી પ્રતિજ્ઞાને જ અલાપ કરે તે પ્રતિજ્ઞાસંન્યાસ નિ. જેમકે-શબ્દ અનિત્ય. છે” એવી વાદીની પ્રતિજ્ઞામાં પ્રતિવાદી “સામાન્ય ” થી વ્યભિચારણ દર્શાવે, ત્યારે વાદી કહે કે-“શબ્દ અનિત્ય છે” એમ કોણ કહે છે?
પ્રતિવાદીએ કરેલ સામાન્ય હેતુનું ખંડન સાંભળી તેમાં વિશેષણને વધારે કરી બોલવું તે હેત્વન્તર નિ.. જેમકે–પિતે આપેલા હેતુમાં પ્રતિવાદિએ વ્યભિચાર દોષ દર્શાવ્યું, તે પછી તે હેતુને જાતિમત્ વિગેરે વિશેષણ આપવું. ૫
ચાલતી ચર્ચામાં બીજા અનુપયેગિ અપ્રસ્તુત અર્થનું કથન કરવું તે અર્થાન્તર નિહ. જેમકે-“શબ્દ અનિત્ય છે, કતક હોવાથી” આમ કહ્યા પછી કથન કરવું કે– હેતુ’ શબ્દ, ‘હિ ધાતને કૃદંતને “તું” પ્રત્યય લાગવાથી બન્યું છે. આ
ખ્યાતપદ ૧, નામપદ ૨, ઉપસર્ગપદ ૩, અને નિઘાતપદ ૪. એમ પદના ચાર ભેદ છે. એ પ્રસંગને અનુપગિ બોલવું તે. ૬
જે વર્ણને અર્થ થાય જ નહિ, એવા વર્ણવાળી આનપૂવને પ્રયોગ કરે તે અનર્થ નિહ. જેમકે-આ ઘડા અનિત્ય છે, ક-ચ-દ-ન-૫ માં જ-ડ–દ-ગ–અ પડ્યું હોવાથી, ઝ-૮-ધ-ઘ-ભા ની જેમ આવી રીતે અર્થશૂન્ય બોલવું તે અનર્થ નિ..૭
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૬
તન્વાખ્યાન.
જેમાં શબ્દ કિલષ્ટ હેય, પ્રયોગની સિદ્ધિ થઈ શકતી ન હોય, બહુ ધીમેથી ઉચ્ચારણ કરવામાં આવે અને ત્રણ વાર વાક્ય બલવા છતાં પ્રતિવાદી વિગેરેથી સાધન અથવા દુષણ ન સમજી શકાય એવું પ્રતિપાદન કરનાર અવિજ્ઞાત નિ માં આવી જાય છે. એમ કહેવાય છે. ૮
પૂર્વાપરમાં અસંગત જણાતાં પદેના સમૂહથી અસંબદ્ધ વાક્યર્થનું કથન કરવું તે અપાર્થક નિ. જેમકે-આ ઠેકાણે દસ દાડમ છે, છ પૂડલા છે, ખરાબ ભીંત છે. વિગેરે બોલવું. ૯
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન-એ પાંચ અવયવે વિગેરેના ક્રમનું ઉલ્લંઘન કરી અસ્તવ્યસ્ત બલવું. આવી રીતે અનુમાનના કમને નાશ થવાથી પિતાની જેમ અન્યને પ્રતિપત્તિમાં સમય પ્રાપ્ત ન થતો હોવાથી એ અપ્રાતકાલ નિ કહેવાય છે. ૧૦
અન્યને સમજાવવા કરવામાં આવતા પ્રતિજ્ઞા વિગેરે પાંચ અવયવવાળા વાક્યમાંથી એકાદને પ્રયોગ ન કરે તે ન્યૂત નિ૦. ૧૧
એક હેતુ અથવા ઉદાહરણથી પ્રતિપાદન કરેલા અર્થમાં અન્ય અધિક હેતુ અથવા ઉદાહરણ કહેવું એ અધિક નિ. ૧૨
અનુવાદ, રસ્તુતિ અથવા મરોચ્ચારણ સિવાયના શબ્દો કે અર્થને ફરીથી કહેવું એ પુનરૂક્ત નિવે. જેમકે-શબ્દ ' અનિત્ય છે.” “શબ્દ અનિત્ય છે. એમાં શબ્દની પુનરૂક્તિ છે,
Page #162
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૩૦
અને શબ્દના ભાવાથને ખીજા પર્યાય વિગેરેથી પુનઃ પ્રતિપાદન કરવું કે શબ્દ અનિત્ય છે, ધ્વનિ વિનાશી છે. ’- વિગેરે અર્થાથી પુનરૂક્તિ ગણાય છે. ૧૩
સભા તથા વાદિએ ત્રણ વાર કહેવા છતાં કંઈ પણ - લવું નહિ તે અનનુભાષણ નિ॰. ૧૪
વાદ્રિના વાકયને સર્વ સભાએ જાણ્યા છતાં પ્રતિવાદીએ ન જાણવુ· તે અજ્ઞાન નિ. ૧૫
વાદિના પક્ષ ગ્રહણ કરવા છતાં અને તેના અનુવાદ કર્યો છતાં પણ તેમાં ઉત્તર આપવાની પ્રતિભાન પ્રકટે તે અપ્રતિભા નિ॰. ૧૬
પદાર્થોની સિદ્ધિ કરવામાં પોતાની અશક્તિ જાણી કાયૂના વ્યાસંગથી કથાના વિક્ષેપ કરવા તે વિક્ષેપ નિ૦ ૧૭
સ્વપક્ષમાં આપેલા દોષોના ઉદ્ધાર કર્યો સિવાય, તે જ ઢાષા પરપક્ષમાં આરોપણ કરવા તે મતાનુજ્ઞા નિ॰. જેમકેતમે ચાર છે, પુરૂષ હાવાથી. પ્રસિદ્ધ ચારની જેમ, આવી રીતે પોતાના ઉપર અપાએલ ચારપણાના કલકને ઉર્જાર્યો વિના “ તે જ ચારપણું તમારામાં છે. ' એમ પ્રતિપક્ષ તરફ પ્રતિપાદન કરવું તે મતાનુજ્ઞાનિ॰. ૧૮
’
સારી રીતે યુકિતપૂર્ણાંક આવેલ નિગ્રહસ્થાન જણાવ્યા છતાં તેની ઉપેક્ષા કરવી તે પયનચેાજ્યાપેક્ષણ નિ‚ ૧૯
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૮
તત્ત્વાખ્યાન,
નિગ્રહસ્થાનમાં ન આવનાર ઉપર પણ તેને આપ કરે તે નિરગુજ્યાનુગ નિવે. ૨૦
સિદ્ધાંતને સ્વીકાર કર્યા પછી નિયમ વિના કથાને પ્રસંગ કરે તે અપસિદ્ધાંત નિવે. ૨૧
હેત્વાભાસ પ્રથમ જણાવેલ છે. તે પણ નિગ્રહસ્થાનમાં ગણાય છે. ૨૨
नैयायिकोनी विशेष मान्यता.
અર્થની ઉપલબ્ધિમાં પૂર્વે જે હેતુ હોય તે પ્રમાણ અને પછી થાય તે ફળ કહેવાય છે. સ્મૃતિને પ્રમાણરૂપ માનવામાં આવતી નથી. સામાન્ય અને વિશેષ પરસ્પર અત્યંત ભિન્ન છે. ફૂટસ્થ હોય તે નિત્ય મનાય છે. અંધકાર અને છાયા એ બને દ્ર નથી. શબ્દ એ આકાશને ગુણ છે અને તે અમૂતે (અપગલિક) છે. અર્થની પ્રતિપત્તિ ફકત સંકેતવાળા, શબ્દથી જ થાય છે. ધર્મ અને ધર્મમાં પરસ્પર અત્યંત ભેદ છે. અનેકમાં સામાન્ય સમવાય સંબંધથી રહે છે. અદષ્ટ (કર્મ) એ અમૂર્ત છે. અને તે આત્માને વિશેષ ગુણ છે. શરીર, શબ્દ વિગેરે પાંચ વિષયે, પાંચ ઈહિયે, પાંચ પ્રકાર ની બુદ્ધિ, સુખ-દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન અને મન દુઃખરૂપ ગણાતા એ ૨૧ ને અત્યંત ઉચ્છેદ થવે તે જ મોક્ષ મનાય છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૩૯
અહિં સંક્ષેપથી તૈયાયિકમતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ અક્ષપાદસૂત્ર, વાસ્યાયન ભાષ્ય, ન્યાયમંજરી, ન્યાયકુસુમાંજલિ, ન્યાયવાતિક, તાત્પર્યટીકા, તત્વચિન્તામણિ વિગેરે જેવા.
આઠમો પ્રસ્તાવ સમાપ્ત.
Page #165
--------------------------------------------------------------------------
________________
नवमो प्रस्ताव.
સાતમા પ્રસ્તાવમાં “નૈયાયિક દર્શનના આચારનું પ્રતિપાદન કરી, આઠમા પ્રસ્તાવમાં તે જ મતમાં માનેલા પદાર્થોનું નિરૂપણ કર્યા પછી આ નવમા પ્રસ્તાવમાં એમના મંતને કાંઈક વિચાર કરવામાં આવે છે.
શું ઈશ્વર જગતકર્તા હેઈ શકે ?
પૃથ્વી વિગેરે સર્વ પદાર્થને કર્તા ઈશ્વર છે, કાર્યરૂપ હેવાથી, ઘડાની જેમ.” તૈયાયિક મતમાં જણાવવામાં આવતી આવી વ્યક્તિ જ સત્ય નથી. અને જ્યાં સુધી સાધ્યમાં પ્રમા- . ણથી વ્યાપ્તિને નિશ્ચય ન થાય, ત્યાં સુધી વસ્તુની સિદ્ધિ ન જ થઈ શકે એ સુનિશ્ચિત છે.
ઈશ્વરને જગતકર્તા માનનારાઓને એમ પૂછવામાં આવે કે તે ઈશ્વર શું શરીર ધારી છે કે અશરીરી છે? આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં “શરીરધારી છે” એ પક્ષ માન્ય રાખવામાં આવે તે તે ઉપર પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે કે તે ઈશ્વર શું આપણી જેમ દશ્ય શરીરધારી છે કે ભૂત, પિશાચ વિગેરેની જેમ અદશ્ય શરીરધારી છે? આપણી જેમ દશ્ય શરીરધારી છે એ યક્ષતે માન્ય રાખી શકાય તેમ નથી, કેમકે તે જગકર્તા ઇશ્વર કદાપિ કેઈના જોવામાં આવ્યા હોય તેમ સાંભળ્યું નથી,
Page #166
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
૧૪૧
આપણી જેમ દશ્ય શરીરધારી હોય તે શા માટે ન જોવામાં આવે ?
- ઈશ્વર સિવાય પણ તૃણ, વનસ્પતિ, ઇંદ્રધનુષ્ય, અભ્ર, ઉલ્કાપાત વિગેરે કાર્યોને ઉત્પન્ન થતાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, તે ઈશ્વરનું જગત્કર્તુત્વ સિદ્ધ કરવામાં અપાતે કાર્યરત નામને હેતુ વ્યભિચારી થાય છે.
પિશાચ વિગેરેની જેમ તે ઈશ્વરનું શરીર અદ૨ય છે.' એમ કહેવામાં આવે તે એવું શરીર માનવામાં શું તે ઈશ્વરનું અદ્દભુત મહાસ્ય કારણ છે? અથવા આપણાં એવાં કમભાગ્ય છે કે જેથી આપણે તેમના શરીરને જોઈ શકતા નથી. “તે જગત્કતોનું માહાસ્ય તેવું છે કે જેથી તેનું શરીર અન્યના જેવામાં આવતું નથી” એવું પ્રતિપાદન કરવામાં આવે તો તે અપ્રામાણિક કથન સેગન ખાઈ વિશ્વાસ પમાડવા લાયક છે. જગત્કતાં ઈશ્વરના માહાની સિદ્ધિ અદશ્ય શરીર ઉપર આધાર રાખતી હોવાથી અને અદશ્ય શરીરની સિદ્ધિ ઈશ્વરના માહાસ્ય ઉપર આધાર રાખતી હોવાથી અહિ અન્યાશ્રય. દોષ આવે છે.
આપણું ભાગ્યે જ એવાં છે કે જેથી તે જગકર્તાનું શરીર આપણે જોઈ શકતા નથી.” એ પક્ષ જાહેર કરવામાં આવે તે તેમાં સંશય રહેતું હોવાથી તે માન્ય થઈ શકશે નહિ. કેમકે વંધ્યાપુત્ર, શશશંગ વિગેરેની જેમ વિવ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૨
તવાખ્યાન.
માન ન હોવાથી તે ઈશ્વરનું શરીર જોવામાં આવતું નથી કે ભાગ્યની ન્યૂનતાથી ? એને શે નિર્ણય?
તે અનાદિ ઈશ્વર અશરીરી છે. એવી માન્યતાવાળે પણ જાહેર કરવામાં આવે તે દષ્ટાંત દાબ્દન્તિકની વિષમતા થાય છે. કેમકે ઘટ, પટ વિગેરે જે વસ્તુઓ કાર્યરૂપે જોવામાં આવે છે, તે સર્વ શરીરારિ વ્યકિતએ બનાવેલી જેવાય છે, ત્યારે પૃથ્વી વિગેરે કાર્યો અશરીરી ઈશ્વર વ્યકિતથી બને છે. એમ કહેવામાં દષ્ટાંત અને રાષ્ટબ્લિકની સમતા ક્યાં છે?
કુ થતુ સુનાએ ન્યાયથી થોડા વખત માટે એ માની લઈએ તે પણ આકાશની જેવા અશરીરી તે ઈશ્વરમાં જગતની રચના કરવાનું સામર્થ્ય કયાંથી હોઈ શકે એ પણ વિચારણય છે.
“શરીર ન હોવા છતાં પણ કાર્ય કરે છે.” ફકત એમ કહેવાથી ચાલી શકશે નહિ. એમ જ જે કાર્યસિદ્ધિ થતી હોય તો કઈ એમ પણ જણાવે કે આ સર્વ કાર્યો આકાશ બનાવે છે. પરંતુ એવી યુક્તિ વિનાની માન્યતાઓ માન્ય થઈ શકે નહિ. આ ઉપરથી શરીરધારી કે અશરીરી ઈશ્વર જગત બનાવે છે. એ એક પણ પક્ષ સિદ્ધ થતું નથી.
વિશેષમાં જગત્કર્તાને શરીરધારી માનવામાં અનવરથા દેાષ પણ આવે છે. કેમકે શરીરધારી સાવયવ હોય અને તેને પણ કત માનવે જોઈએ. એ કર્તાને પણ કર્તા એમ અનવસ્થા. (નિરવયવને કર્તા હોઈ શકે નહિ.)
Page #168
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૪૩
તૃણ, વનસ્પતિ, વીજળી, ઉલ્કાપાત, ઈદ્રધનુષ્ય, વાદળાં વિગેરે વસ્તુઓ ઈશ્વર વ્યક્તિ વિના વર્તમાન કાળમાં પણ ઉત્પન્ન થતી જોઈએ છીએ. તેથી પ્રત્યક્ષ બાધિત ધમિની પછી હેતુને પ્રયોગ કરવાથી ઈશ્વરને જગત્કર્તા માનવામાં બાધદેષ આવે છે.
જગન્ત ઈશ્વરને ઘણા માનવામાં વિમતિની સંભાવના રહેતી હોવાથી તેઓ એગ્ય કાર્ય કરી શકે નહિ; તેથી જગત્કતેં ઈશ્વર એક મનાય છે. એવી કલ્પના વાળી માન્યતા વિચાર કરતાં યુકિતયુક્ત સમજાતી નથી. કેમકે ઘણી કીડીઓ એકઠી મળીને રાફડે તૈયાર કરે છે, ઘણા કારીગરે મળીને એક મહેલ તૈયાર કરે છે, તેમ જ ઘણી મધમાખીઓ મળીને એક મધપૂડો બનાવે છે. એવી રીતે બીજાં પણ કેટલાંક કાર્યો એવાં જેવામાં આવે છે કે-જેના બનાવનાર અનેક હોવા છતાં તેઓ એકમત થઈ કાર્ય કરે છે. જ્યારે આવાં અલ્પજ્ઞ પ્રાણિઓમાં પણ એકમત જોવામાં આવે છે ત્યારે સર્વજ્ઞ ઈશ્વરે ઘણું હોય તે તેમાં વિમતિ થવાનો સંભવ રહે છે. એ વિચાર ચોગ્ય ભાસતું નથી.
કદાચ એમ કહેવામાં આવે કે-“ઉપર ગણવેલ કાર્યોને કતાં પણ ઈશ્વરજ છે.”તે તેવું કથન વિચારક વિચક્ષણ મનુચ્ચેના અંતઃકરણ ઉપર અસર કરી શકશે નહિ, પરંતુ તે અંધશ્રદ્ધારૂપ જ ગણાશે. અને એમ જૂદા જૂદા કાર્યોના જૂદા જૂદા પ્રત્યક્ષ જણાતા કર્તાઓને અનાદર કરી એક ઈશ્વરને જ સર્વ વરતુઓના બનાવનાર સમજવામાં આવે છે, તે પછી
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૪
તત્ત્વાખ્યાન.
પટ બનાવનાર વણકર અથવા ઘટ બનાવનાર કુંભાર અને સતાનની ઉત્પત્તિમાં માતા-પિતાને સચેાગ એ વિગેરેના વ્યર્થ પ્રયત્ન શા માટે થવા જોઇએ. કેમકે એ સ કાર્યોને પણ ઈશ્વર જ કરે છે. એમ માનવામાં પણ શા માટે અચકાવું જોઇએ ?
• ઘટ વિગેરે કાર્યો તેા કુંભાર વિગેરે બનાવે છે. એ તે પ્રત્યક્ષ જણાતુ હાવાથી તેમાં ના પાડી શકાય તેમ નથી.” એમ કહેતા હૈ। તેા મધપૂડા વિગેરે કાર્યોને પણ મધમાખીએ વિગેરે મનાવે છે. એ પણ સ્હેજ દીધ દૃષ્ટિથી જોનારને સમજાઇ જાય છે. ત્યારે તે કાર્યોના પણ ઈશ્વર કર્યો છે એમ માની લેવામાં શું સાહસ કરાતુ નથી !
આવી રીતે વિચાર કરતાં વિમતિની સભાવનાથી એક જ જગત્કર્તા માનવાની ના પણુ, ભાજન વિગેરેમાં પ થવાના ભયથી જેમ કાઇ કૃપણું મનુષ્ય પોતાના પુત્ર, કલ, વિગેરેને ત્યજી પરદેશમાં પ્રવાસ કરવા ચાલ્યા જાય તેના જેવી ઉપહાસપાત્ર છે.
• તે જગત્કર્તા સર્વાંગત છે. ' એ માન્યતા ઉપર પણ વિચાર થાય છે કે તે શરીરથી સબ્યાપી છે કે જ્ઞાનથી શરીરથી જો વ્યાપક માનવામાં આવે તે સમસ્ત જગતમાં તે જ વ્યાપી ગએલ હાવાથી બીજી વસ્તુઓ રહેવાના અવકાશ મળે જ નહિ. છતાં બીજી વસ્તુ પણ જગમાં રહેલી આપણે જોઈએ છીએ, ત્યારે ઇશ્વરને શરીરથી સર્વવ્યાપક
Page #170
--------------------------------------------------------------------------
________________
તરવાખ્યાન,
૧૪૫
-
માનવા એ પ્રત્યક્ષબધિત થાય છે. અનંત જી તથા અનંત જડ પદાર્થોને મળેલ અવકાશ સર્વ કેઈને ૮ ઇગોચર થાય છે, તે આપથી પણ નિષેધ કરી શકાય તેમ નથી
તે ઈશ્વર જ્ઞાનથી સર્વ વ્યાપી છે.” એ પતે સ્વીકારે તે અમને (જેનોને) તો તે ઈષ્ટ છે. કેમકે અમે ઇશ્વરને સર્વજ્ઞ માનતા હોવાથી કેવળજ્ઞાન દ્વારા તે પરમાત્મા ત્રણે જગમાં વ્યાપ્ત છે. એમ કહેવામાં કોઈ પ્રકારની ક્ષતિ નથી; પરંતુ આપના સિદ્ધાંતમાં-“વિશ્વરચક્ર વિશ્વ મુહં, विश्वतः पाणिरुत विश्वतो बाहू विश्वतः पादः " એવી કૃતિઓથી “ઈશ્વર શરીરથી વ્યાપક છે.” એમ પ્રતિપાદન કરાતું હોવાથી તે ઈશ્વરને જ્ઞાનથી વ્યાપક તે આપનાથી માની શકાશે નહિ. કદાચ એમ પ્રશ્ન કરવામાં આવે કે-“જગત્કર્તાને સર્વવ્યાપકન માનતાં અમુક નિયમિત સ્થળમાં જ રહેલ માનવામાં આવે તે અનિયમિત પ્રદેશનાં કાર્યો તેનાથી કેવી રીતે થઈ શકે?” તેના પ્રત્યુત્તરમાં એમ જાણવું જરૂરનું છે કે-“શું ઈશ્વર આ જગતને શરીરથી બનાવે છે કે સંક૫થી?” આપ આપની માન્યતામાં પ્રથમ પક્ષને મૂકે તે શરીર દ્વારા પૃથ્વી, પર્વત વિગેરે અનંત વસ્તુઓને અનુક્રમે બનાવતાં અનંત કાળમાં પણ તે ઈશ્વરથી સંપૂર્ણતયા જગતની રચના થવી અસંભવિત છે,
હવે “સંકલ્પ માત્રથી જ ઈશ્વર કાર્ય કરી નાખે છે.” એવા બીજા પક્ષને કદાચ આશ્રય લેવામાં આવે તે તે નિય- .
10
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૬.
તન્વાખ્યાન.
મિત પ્રદેશમાં રહીને પણ કાર્યો કરી શકે, એમાં કેઈ દેષને અવકાશ મળતા નથી. તે પછી ઈશ્વરને શરીરથી સર્વવ્યાપક શા માટે કહેવા ? સામાન્ય દેવે પણ નિયત સ્થળમાં રહી સંકલ્પ માત્રથી ઈષ્ટ કાર્ય બજાવી શકે છે તે મહાન સમર્થ ઈશ્વરે આટલે બધે પ્રયાસ શા માટે ઉઠાવવું જોઈએ?
ઈશ્વરને શરીરથી સર્વવ્યાપક માનવામાં બીજા પણ અનેક દેશે આવે છે. જેમકે ઈશ્વર શરીરથી સર્વવ્યાપી હેવાથી તેને અશુચિમાં, નિરંતર અંધકારમય અને દુર્ગધમય નરક વિગેરે બીભત્સ સ્થળમાં પણ વર્તવાને દુઃખદ પ્રસંગ માને પડે કે જે કંઈ પણ ઈશ્વરભક્તને ઈષ્ટ હેય નહિ.
ઉપર્યુક્ત દેષને નિવારવા માટે એમ પ્રતિવિધાન કરવામાં આવે કે–એ દોષ તે જ્ઞાનથી સર્વવ્યાપક માનનાર આપના મતમાં પણ સમાન જ છે. કેમ કે તે ઈશ્વર જ્ઞાનસ્વરૂપથી જ્યારે ત્રણે જગતમાં વ્યાપ્ત છે, તે તેને અશુચિ રસના આસ્વાદનો અને નરકાદિના દુઃખને કડ અનુભવ કરે પડે. આમ જ્યારે તમારે પણ દોષ આવે છે, ત્યારે અમને ઉપાલંભ આપવા આવવું એ અયુકત છે.
જગકર્તા માનનાર મહાશયે જણાવેલ દોષ, જ્ઞાનથી ઈવરને સર્વવ્યાપક માનનારાઓના મતમાં આવી શકે નહિ. એમ દીર્ઘદ્રષ્ટિથી વિચારનારને સહજ દેખાઈ આવે છે. “જ્ઞાન પ્રાધ્યકારિ છે અર્થાત્ વસ્તુને સ્પર્શ કરી ગ્રહણ કરે છે.” એવી માન્યતા ધરાવનાર આય જેવાના મતમાં ઉપરને દોષ
Page #172
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૪૬
આવી શકે, પરંતુ “જ્ઞાન અપ્રાપ્યકારિ છે, જ્ઞાન આત્મામાં રહીને જ વસ્તુને નિશ્ચય કરાવે છે. એવી માન્યતા ધરાવનાર અમારા (જેનોના) મતમાં એ દોષ આવી શકતું નથી.
પ્રસંગોપાત્ત કહેવું જોઈએ કે-જ્ઞાનને પ્રાકારિ માનવાથી ઈશ્વરને શરીરથી વ્યાપક કહેવામાં જે દેશે દર્શાવ્યા તે દેશે જ્ઞાનથી વ્યાપક માનવામાં પણ આવી શકે. જ્ઞાનને પ્રાપ્યકારિ માનનારને પુષ્પમાળા, ચંદન, સ્ત્રી, રસવતી વિગેરે વસ્તુઓ ચિંતનમાત્રથી મળવી જોઈએ, પરંતુ એમ બનતું નથી. તેથી સત્ય માર્ગ તે એજ છે કે-જ્ઞાનને અપ્રાપ્યકારિ માનવું.
“જગતકર્તા સર્વજ્ઞ છે.” એ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી, કેમકે પ્રત્યક્ષ પ્રમાણ ઇંદ્રિયોની સાથે સંબંધ ધરાવતા પદાર્થોને ગ્રહણ કરી શકે છે અને સર્વજ્ઞાપણું એ અતીંદ્રિય છે. તેથી પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જગકર્તા સર્વજ્ઞ છે. એમ નિશ્ચય કરી શકાય નહિ. પરોક્ષ (અનુમાન અને આગમ) પ્રમાણથી પણ જગત્કર્તામાં સર્વત્ર પણું ઘટતું નથી. અનુમાન પ્રમાણ કરતા પહેલાં લિંગલિંગી યા સાધન-સાધ્યના સંબંધ રૂપ વ્યાપ્તિનું જ્ઞાન હોવું જોઈએ. અનુમેય સર્વજ્ઞત્વની સિદ્ધિમાં કોઈ અવ્યભિચારિ હેતુ ન મળતું હોવાથી તેવી વ્યાપ્તિ અહિં છે નહિ. તેથી સાધનના અભાવે સાધ્યને નિશ્ચય કેમ થઈ શકે ? -
; “જગત્કર્તાને સર્વજ્ઞ માન્યા સિવાય જગતની વિચિ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪.
તજ્યાખ્યાન
ત્રતા બની શકે નહિ. માટે એ વિચિત્રતા જ સર્વજ્ઞતાની સિદ્ધિનું સાધન છે. એવું કથન પણ વિચારકેની વિચારણીમાં સન્માન પામતું નથી. કેમકે આ જગત્ બે પ્રકારનું આપણે જોઈએ છીએ, ૧ સ્થાવર ૨ જંગમ, સ્થાવર જગત પણ સચેતન અને અચેતન એમ બે પ્રકારનું જોવાય છે. તેમાંથી જંગમ અને સચેતન સ્થાવર જગની વિચિત્રતા તે પિતાના શુભાશુભ કર્મના પરિપાકથી થાય છે. અને અચેતન સ્થાવર જગતની વિચિત્રતા તે જીના ઉપભેગની ગ્યતાના સાધનરૂપ હોવાથી કારણસામગ્રી મળતાં અનાદિકાળથી પ્રવાહરૂપે રહેલી છે જ; તે પછી તેમાં ઈશ્વરના કર્વ ત્વનું શું પ્રજન?
હવે આગમ પ્રમાણથી તે વિષયને વિચારતાં પહેલાં સહેજ વિકલ્પ થઈ આવે છે, કે શું તે આગમેને ઈશ્વરે બનાવ્યાં છે? અથવા કે અન્ય વ્યક્તિએ બનાવ્યાં છે? કે જે આગામેથી ઈશ્વરનું સર્વપણું સિદ્ધ કરવાનું છે. કઈ જગત્કતૃત્વવાદી ઉપરના વિકલ્પનું એમ સમાધાન કરે કે
એ ઈશ્વરે જ આગમે બનાવ્યાં છે, એથી ઈશ્વરની સર્વજ્ઞતાને સિદ્ધ કરવામાં સાધનરૂપ પણ તે જ છે.” તે એ કથન યુક્ત નથી. કેમકે એવી રીતે માનવાથી તે એ ઈશ્વરના મહ
વમાં મહેટી ન્યૂનતા આવશે. કારણ કે પિતાની મેળે પિતાના ગુણોનું કર્નાન કરવું તે મહાપુરૂષનું લક્ષણ નથી. વ્યવહારથી પણ તે વિરૂદ્ધ છે.
વિશેષતઃ તે ઈશ્વરથી શાસ્ત્રની રચના પણ ઘટી શકતી.
Page #174
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૪૯
નથી. કેમકે શાસ્ત્ર એ વર્ણાત્મક છે. વર્ણો તાલુ, એણ, કંઠ વિગેરે સ્થાનના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. એ વણે ઉત્પન્ન થવાનાં સ્થાને શરીરમાં રહે છે. જગત્કર્તા ઇશ્વરને અનાદિ અશરીર માની તેનાથી વર્ણાત્મક શાસ્ત્રની રચનાની માન્યતા એ વિચક્ષણ મનુષ્યથી ઉપહાસ એગ્ય બને છે. ઈશ્વરને શરીરી માનવામાં પૂર્વે ઘણા દેશે બતાવ્યા છે. આમ હેવાથી ઇશ્વરદ્વારા રચાયેલ આગમ જગત્કર્તા ઈશ્વરની સર્વજ્ઞતા સાધવામાં નિષ્ફળ નીવડે છે.
આગમન કર્તા ઇશ્વરથી ભિન્ન છે. ? એ. બીજો પક્ષ આગળ ધરવામાં આવે તે ત્યાં પણ પ્રશ્નને અવકાશ મળે છે કે ઈકવરથી ભિન્ન માનેલ આગમને કર્તા પુરૂષ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ ?” પ્રત્યુત્તરમાં “સર્વજ્ઞ” કહેવામાં આવે તે બે સર્વજ્ઞ થવાના. ૧ જગત્કર્તા ઈશ્વર અને ૨ આગમને રચનાર. એમ બે સર્વજ્ઞ માનવાથી મુખ્ય માન્યતામાં વ્યાઘાત આવવાને અને એ બન્નેની સર્વજ્ઞતા સિદ્ધ કરવામાં સાધનભૂત પ્રમાણેની ચિંતામાં અનવસ્થા દોષ પણ આવશે.
“આગમ રચનાર અસર્વજ્ઞ છે. એમ કહેવામાં આવે તે પછી તેવા અસર્વજ્ઞથી બનેલા આગમ ઉપર વિશ્વાસ કેમ થઈ શકે ? તથા તે આગમ જગત્કર્તા ઈશ્વરની સર્વજ્ઞતાને કેમ સિદ્ધ કરી શકે ?
પ્રમાણભૂત મનાતા તે આગમમાં પણ પૂર્વાપરમાં વિરોધ આવતું હોવાથી તે આગમજ અપ્રમાણ છે. “I fસ્થતિ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૦
તસ્વાખ્યાન,
સર્વભૂતાનિ ” અર્થાત્ કઈ પણ પ્રાણીને મારવા નહિ. આવું મહાવાક્ય ઉચ્ચાર્યા પછી " षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि । ___अश्वमेधस्य वचनाद् न्यूनानि पशुभिस्त्रिभिः ॥१॥"
ભાવાર્થ–“અશ્વમેધ યજ્ઞમાં મધ્યમ દિવસે પ૯૭ પાંચસત્તાણું પશુઓને હેમ કરે!” તથા “જિનાથ પશુમતિ ” અર્થાત્ “ અગ્નિ સોમદેવ સંબંધી પશુને હોમ કર. ” “ સસરા પ્રાગાપચાર ઘરાનામેત ” અર્થાત્ પ્રજાપતિ માટે ૧૭ પશુઓનું બલિદાન આપવું. આવાં હિંસાને પુષ્ટિ આપનારાં વાક્ય પ્રતિપાદન કર્યા છે. - ફક્ત પરસ્પર વિરૂદ્ધતાવાળાં હિંસા-અહિંસા વિષયનાં જ વાક્ય નથી, પરંતુ સત્ય-અસત્ય વિગેરે વિષયમાં પણ છે. તે આગળ દર્શાવવામાં આવે છે. “રાકૃતં સૂયાત” અર્થાત અસત્ય ન બોલવું. પછી તેથી વિરુદ્ધ ત્રાહ્મજાઈમન નૂત' બ્રાહ્મણે માટે અસત્ય બોલવું. તથા __" न नर्मयुक्तं वचनं हिनस्ति
न स्त्रीषु राजन् न विवाहकाले । प्राणात्यये सर्वधनापहारे
पश्चानृतान्याहुरपातकानि ॥ १ ॥" ભાવાર્થ – રાજા ! હાસ્ય, મશ્કરી સુક્ત વચન,
Page #176
--------------------------------------------------------------------------
________________
તન્વાખ્યાન.
૧૫૧
સ્ત્રીઓના વિષયમાં, વિવાહના સમયમાં, પ્રાણનાશના પ્રસંગમાં અને સર્વ ધનને અપહાર થતું હોય એ પ્રસંગે–એમ પાંચ અસત્ય પાપકારક નથી. તેમાં દેષ નથી.
“પદ્રવ્યf gવત ' અર્થાત–બીજાના ધનને માટીના ઢેફાં જેમ ગણવું-બીજાનું ધન તેના આપ્યા સિવાય લેવું નહિ. એમ કહ્યા પછી આગળ ઉપર “ઘf ગ્રાહ્મણો हठेन परकीयमादत्ते छलेन वा, तथापि नादत्तादानं; सर्व ब्राह्मणेभ्यो दत्तं, ब्राह्मणानां दौर्बल्याद् वृषलाः परिभुञ्जते, तस्मादपहरन् ब्राह्मण: स्वमादत्ते, स्वमेव ब्राह्मणो મુજે, સર્વ વત્તે, સર્વ રાતિ | “કદાચ બ્રાહ્મણ બલાત્યારથી અથવા છળ-કપટથી પરધનગ્રહણ કરે, તે પણ તે અદત્તાદાન કહેવાય નહિ; કેમકે સઘળું બ્રાહ્મણને આપેલું છે. બ્રાહ્મણની દુર્બળતાથી શૂદ્રો પરિભોગ કરે છે. તેથી અપહરણ કરતે બ્રાહ્મણ પિતાનું ગ્રહણ કરે છે. પિતાનું જ ખાય છે, પિતાનું પહેરે છે અને પિતાનું આપે છે.” વિગેરે.
“પુત્રી મતિરિત ” અર્થા– અપુત્રીયાની સદ્ગતિ થતી નથી.” એવું પ્રથમ કહ્યા પછી આગળ જતાં-- “ अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् ।
दिवं गतानि विप्राणामकृत्वा कुलसन्ततिम् ॥१॥" , ભાવાર્થ:-- અનેક હજાર બ્રહ્મચારિ કુમારે વિઝ કુલસંતતિ કર્યા વિના દેવલોકમાં ગયા. ” આમ પ્રતિપાદન
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫ર
તવાખ્યાન,
કર્યું છે. આવી રીતે જે આગમમાં પૂર્વાપર વિધિ વાક્ય દષ્ટિગોચર થતાં હોય તે આગમને પ્રમાણભૂત માની તેના ઉપર વિશ્વાસ કેમ રાખી શકાય? મનુસ્મૃતિ વિગેરે સ્મૃતિના ગ્રંથમાં પણ પૂર્વાપર વિરૂદ્ધતા જોવામાં આવે છે. ત્યારે તેવા ગ્રંથપર શ્રદ્ધા કેમ રાખી શકાય ? તેવા અપ્રામાણિક આગમથી સર્વજ્ઞતાની સિદ્ધિ કેમ થઈ શકે?
ભિચાર કરવાની જરૂર છે કે-સચરાચર જગને રચનાર તે પરમેશ્વરે, સર્વજ્ઞ હેવાથી સર્વ ભાવિભાવના જાણકાર હોવા છતા, જગને ઉપદ્રવ કરનાર, સ્વેચ્છાચારિ અસુરને તથા તવા પ્રકારના પરમેશ્વરને ન માનનાર મનુષ્યને શા માટે ઉત્પન્ન કર્યા? એ પ્રશ્ન વિચારતાં તેમના સર્વજ્ઞપણામાં ન્યૂનતા આવે છે.
હવે જગત્કર્તા જગની રચના કરવામાં સ્વતંત્ર છે? કે પરતંત્ર? એ પ્રશ્ન પણ વિચારવા જેવું છે.
કદાચ ઉપરના પ્રશ્નમાંથી પ્રથમ પક્ષ અર્થાત્ સ્વતંત્ર છે એમ માન્ય રાખવામાં આવે અને તે “જગત્કર્તા દયાળુ છે.” એ પ્રસિદ્ધ છે, તે પછી શા માટે એકને સુખી, એકને દુઃખી; એકને રેગી, અન્યને નીરોગી, એકને રાજા બીજાને રંક, એકને વિદ્વાન એકને મૂર્ખ એકને સ્વામી બીજાને સેવક, એમ પક્ષપાત કરી જગની વ્યક્તિને ભિન્ન ભિન્ન અવસ્થાવાળી બનાવે છે? સમસ્ત જગતને તે દયાળુ જગત્કત એકાંત સુખી શા વાતે નથી બનાવતા?
Page #178
--------------------------------------------------------------------------
________________
તજ્યાખ્યાન.
૧૫૩
કદાચ એમ કહેવામાં આવે કે-જન્માંતરમાં ગ્રહણ કરેલ છે તે લોકોના શુભાશુભ કર્મથી પ્રેરાઈને જગત્કર્તા જગને ભિન્ન ભિન્ન અવસ્થાવાળું બનાવે છે.” તે તેમાં જગત્કર્તાની સ્વતંત્રતામાં હાનિ આવે છે. આમ જ્યારે કર્મથી જ જગતની વિચિત્રતા સિદ્ધ થાય છે, અને આમ ફરી ફરીને પણ એ પક્ષ સ્વીકારવું જ પડે છે, તો પછી “પરમેશ્વર જગતની રચના કરે છે. એવી માન્યતા ઉપર કદાગ્રહ શા સારૂ રાખવો જોઈએ ?
હવે “તે જગ નિત્ય છે કે કેમ?” એ માન્યતા વિચારીએ. નિત્વ એકસ્વરૂપી જગત્કર્તા પરમેશ્વર શું જગને ઉત્પન્ન કરવાના સ્વભાવ વાળે છે, કે જગતને ન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો?
એ બે પક્ષમાંથી પ્રથમપક્ષ સ્વીકારવામાં આવે તે કોઈ વખતે પણ જગની રચના કરવામાંથી તે પરમેશ્વરને નિવૃત્તિ મળી શકે જ નહિ, કેમકે જે કદાચ નિવૃત્તિ પામે તે તેના સ્વભાવની હાનિ થવાથી તે અનિત્ય બની જાય. અને સર્વદા રચના કર્યા જ કરે તે ક્રિયાને અંત પણ આવી શકશે નહિ. તેથી એક કાર્યની પણ સુષ્ટિ થઈ શકશે નહિ. જેમકે–વડે પિતાના આરંભક્ષણથી ઉપાંત્ય ક્ષણ સુધીમાં જલધારણ કરવાની ક્રિયામાં સમર્થ ન હોવાથી નિશ્ચયનયના અભિપ્રાયથીવટ શબ્દના વ્યવહારને પ્રાપ્ત કરી શકે નહિ. . બીજો પક્ષ માન્ય રાખવામાં આવે તે કઈ પણ વખતે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૪
• તસ્વાખ્યાન
તેમનાથી જગત્ બનાવી શકાય જ નહિ, કેમકે તેને તે સ્વભાવ નથી. વિશેષતઃ જગત્કર્તાને નિત્ય એકસ્વરૂપી માનવાથી જગની રચના તેમનાથી સંભવતી નથી, તેમ સંહાર પણ ઘટી શકતું નથી. કેમકે વિવિધ સ્વરૂપવાળાં કાર્યો કરવાથી તે નિત્ય જગત્કર્તામાં અનિત્યત્વને પ્રસંગ આવી જાય. તે આવી રીતે–જગત્કર્તા ઈશ્વર જે સ્વભાવથી જગને બનાવે, તેજ સ્વભાવથી જગતને સંહાર કરે વા અન્યસ્વભાવથી ? એ પ્રશ્નને અવકાશ મળે છે.
એકજ સ્વભાવથી” એ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે સૃષ્ટિ અને સંહાર રૂપ બને કાર્યોને યુગપતુ એકજ કાળમાં થવાને પ્રસંગ આવશે. એક સ્વભાવ વાળા કારણથી ભિન્ન સ્વભાવવાળા કાર્યની ઉત્પત્તિ થાય એ યુક્તિવિરુદ્ધ છે. એમ જે થવા લાગે તે માટીથી ઘડે વિગેરે થાય છે, તેમ પટ વિગેરેની પણ ઉત્પત્તિ થવી જોઈએ. પરંતુ તેમ બની શકતું નથી.
હવે “ ભિન્ન ભિન્ન સ્વભાવથી ભિન્ન ભિન્ન કાર્યો કરે છે.” એ બીજે પક્ષ માનવામાં આવે તે સ્વભાવ ભેદ થવાથી જગકર્તા જગદીશમાં અનિત્યપણું પ્રાપ્ત થાય છે. જેમકે–આ પાર્થિવ શરીર આહારનાં પુદ્ગલેને ગ્રહણ કરવાથી હમેશાં નવું નવું બનતું હોવાથી સ્વભાવભેદ રૂપ હેતુથી અનિત્ય કહેવાય છે. તેમજ અહિ પણ સમજવું-કેમકે ઈશ્વરમાં પણ સુષ્ટિના નિર્માણ સમયે રજો ગુણ સ્વભાવ, સૃષ્ટિના સંહાર પ્રસંગે તેમાં તમે ગુણ સ્વભાવ, સુષ્ટિની સ્થિતિના વ્યાપારમાં સવગુણ સવભાવ મનાતા હોવાથી સ્વભાવભેદ સાક્ષાત સ્વી
Page #180
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
૧૫૫
કારાય છે. કાર્યોની ભિન્નતાથી સ્વભાવમાં ભેદ અને સ્વભાવભેદ થતાં અનિત્યપાછું આવવાનું. સ્વભાવને ભેદ થવે એ જ અનિત્યનું લક્ષણ છે.
ધારો કે ક્ષણવાર માટે ઈશ્વરને-જગકર્તાને નિત્ય માનવામાં આવે, પરંતુ તે નિરંતર સુષ્ટિની રચના કેમ કરતા નથી ? “પિતાની ઈચ્છા હોય તે બનાવે, અન્યથા નહિ એમ પ્રત્યુત્તર મળે તે પૂછવાની આવશ્યકતા છે કે-ઈચ્છા પણ પિતાની સત્તાને આધીન થઈને જ સ્વસ્વરૂપ ને પ્રાપ્ત કરતી હોવાથી શા માટે સર્વદા પ્રવૃત્તિ કરાવતી નથી ?
ઈશ્વરમાં આઠ ગુણની અધિકરણતામાં પણ કાર્યના ભેદથી અનુમેય ઈચ્છા પણ વિષમ રૂપ હેવાથી અનિત્યતા રોકી શકાય તેમ નથી.
આ જગમાં બુદ્ધિમાનની પ્રવૃત્તિ સ્વાર્થ અથવા કરૂણા ભાવથી થતી જોવામાં આવે છે. જગત્કર્તા જગદીશ્વર કૃતકૃત્ય હોવાથી સ્વાર્થ માટે જગની રચના કરે એ સંભવી શકતું નથી. “કરૂણું ભાવથી સૃષ્ટિની રચના કરે છે.” એમ કહેવામાં આવે તો તે કથન પણ અયુકત માલુમ પડે છે કેમકે-દુઃખી પ્રાણિનાં દુઃખને દૂર કરવાની ઈચ્છા તે કરૂણા કહેવાય છે. જગતની રચના થયા પહેલાં જેને શરીર ઇંદ્રિય વિગેરે ન હોવાથી દુખ પણ ન જ હોઈ શકે, ત્યારે, કેનાં દુઃખ દૂર કરવા માટે ઈશ્વર કરૂણ લાવી જગતની રચના કરે છે ! એ વિચારવાની આવશ્યકતા છે...
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫
તત્ત્વાખ્યાન.
"
જગતું નિર્માણ થયા પછી દુઃખ જીવાને જોઇ ઈશ્વરને કરૂણા ઉત્પન્ન થાય છે.’ એમ કહેવાથી તો અન્યાન્યાશ્રય દ્વેષ આવશે. એથી શ્રેષ્ઠ તા એજ છે કે જગદીશ્વરને જગત્ની રચના કરવાનું કષ્ટ ન જ આપવું.
એ અનાદિ નિત્ય ઈશ્વર શુ' મુકત છે કે અમુકત ? એ પ્રશ્ન પણ વિચારવા જોઇએ. · અનાદિમુક્ત છે ’ એમ તા કહી શકાશે નહિ. કેમકે જ્યારે એ સમસ્ત પ્રકારની ઉપાધિથી મુક્ત થયા ત્યારથી આગ્નિ થઇ જાય છે તે અનાદિ મુક્ત કેવી રીતે કહી શકાય ?
ܕ
ખીજો પક્ષ · અનાદિ નિત્ય ઈશ્વર અમુકત છે. ' એમ કહેવા જતાં તે સમસ્ત જીવાને ઈશ્વર માનવા પડશે. કેમકે સ'સારવત્ સવ આત્માએ તેવા પ્રકારના જ છે.
જગત્કર્તા જગની રચના શા હેતુથી કરે છે. એ સબધમાં ૧૦ દસ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ૧ જગતની રચના કરવામાં શુ' ઈશ્વરની યથારૂચિ કારણ છે? ૨ અથવા ક– પરતંત્ર થઇને પ્રવૃત્તિ કરે છે ? ૩ અથવા ધમ વિગેરે માટે પ્રયાસ છે ? ૪ અથવા કીડા-કુતુહલથી તે પ્રયાસ કરે છે ? ૫ અથવા નિગ્રહાનુગ્રહ માટે તેમના પ્રયત્ન છે ? ? અથવા સુખની ઉત્પત્તિ માટે પરિશ્રમ છે ? છ અથવા દુઃખના વિનાશ સાટે પદ્ધતિ છે ?૮ અથવા ભૂત પ્રત્યવાયના ક્ષય કરવાની ચેષ્ટા છે? હું અથવા આગામિ પ્રત્યવાયના પ્રતીકાર માટે ઉપાય છે ? અથવા ૧૦ સ્વભાવથીજ પ્રવૃત્તિ છે ?
Page #182
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૫૭
પ્રથમ પ્રકારને માન્ય રાખવામાં આવે તે સુષ્ટિના ક્રમમાં વિપર્યાસ પણ થવા જોઇએ. યથારૂચિએ જયારે જગત્ અનાવે છે, ત્યારે એકજ નિયમથી સૃષ્ટિ રચતાં સ્ત્રીમાં પુરુષનાં લક્ષણે અને પુરૂષમાં સ્ત્રીનાં લક્ષણા વિગેરે યથેચ્ટ પણાથી ઘટના થવી જોઇએ. આ દોષ આવવાથી પ્રથમ પ્રકાર મનાશે નહિ.
બીજો પ્રકાર માનવાથી ઈશ્વરમાં સ્વતંત્રતા રહેતી નથી. બીજાના આશ્રયથી જે કામ કરે તે સ્વતંત્ર કહી શકાય જ નહિ. આ તેા જડ ક સમૂહને આધીન થાય છે, સામાન્ય જગજીવાની જેમ જગદીશ પણ એમ પરતંત્ર રહે એ નહિ ઈચ્છવા ચેાગ્ય છે.
૩ જા પ્રકારની માન્યતા સ્વીકારવી પણ ચુક્ત નથી; કેમકે સવથા કૃતકૃત્યને ધર્મ વિગેરે કાઇ પણ કાર્યની અપેક્ષા હાઈ શકેજ નહિ.
૪ થા પ્રકાર પણ ઉપેક્ષા કરવા લાયક છે, કેમકે ક્રીડા વિગેરે ખાળજીવાને શેલે, ઈશ્વર જેવા વીતરાગ પરમપુરૂષને તે તે હાસ્યાસ્પદ જ ગણાય.
૫ મે પ્રકાર પણ માનવા લાયક નથી. નિગ્રહ અર્થાત્ બીજાને શિક્ષા કરવી અને અનુગ્રહ અર્થાત્ ઉપકાર કરવા એ અન્ને રાગ-દ્વેષ વિના હાઇ શકે નહિ. રાગ-દ્વેષ જેમાં રહેલા હાય તેને વીતરાગ પરમેશ્વર કેમ કહી શકાય ?
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૮
તત્ત્વાખ્યાન.
૬ ઠ્ઠો, છ મા, ૮ મા, હું મા પક્ષ પણ વિચારતાં યુક્તિયુક્ત ભાસતા નથી. કેમકે અનાદ્વિ નિત્ય સજ્ઞ પરમેશ્વરને સુખ તે સદા હોય જ. દુઃખ હાઇ શકે નહિ. તેમની દુઃખવિનાશ અને સુખ માટે પ્રવૃત્તિ સંભવે જ નહિ, અને પ્રત્યવાચ પણ તેમને ન હોઇ શકે. પ્રત્યવાય તે અજ્ઞાનિ જીવાને સભવે; પ્રત્યવાય જ ન હોય તા તેના વિનાશ માટે પ્રવૃત્તિ કયાંથી થાય ? અને ભવિષ્યના પ્રત્યવાયની કલ્પના પણ વ્યર્થ છે.
૧૦ મા પ્રકાર પણ માન્ય રાખી શકાય તેમ નથી. કેમકે જગદીશનો સ્વભાવ જ જગત્ની રચના પ્રવૃત્તિના હોય તા નિવૃત્તિ પામવાની તેમને શી જરૂર ? કિંતુ ઈશ્વર પોતે સ્વભાવે જ જગત્ની રચના કરે છે, તે પછી તેમને નિત્ય, વ્યાપક, સર્વજ્ઞ વિગેરે પ્રકારનાં વિશેષણાથી યુકત કહેવાની પણ શી આવશ્યકતા ? સ્વભાવથી જ સંસારચક્ર ફર્યો કરે છે. એમ કહેવામાં પણ શી અડચણુ ?
એ બધા પ્રયાસ ઇશ્વરને જગત્કર્તા માનવાથી ઉડાવવા પડે છે, એથી વીતરાગ પરમેશ્વરને જગત્ની રચના કરનાર ન માનતાં તેમને ફક્ત સાક્ષી માની કા માત્ર પોતપોતાની સામગ્રીના સમુદાયથી અને છે, એમ જ માનવું સર્વોત્તમ છે.
"
‘ જગત્કર્તા જગત્ ન બનાવે તે તેની ઉત્પત્તિ કેમ થઇ શકે ? ' એ પ્રશ્નના પ્રત્યુત્તર એટલેા જ છે કે-‘ કર્મ, સ્વભાવ, ઉદ્યમ, નિયતિ અને કાળ એ પાંચ કારણેાના સમુદાયથી જગતનાં સ કાર્યાં અને છે.’
Page #184
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૫૨
૮ કમ તેા જડ છે, તે શુભાશુભ ફળ કેમ આપી શકે ? ? એવા પ્રશ્નને પ્રત્યુત્તર દ્વીધ વિચાર કરતાં સહજ સમજી શકાશે કે-જેમ લેહુચુ'ખક જડ હોવા છતાં પણ દૂર રહેલ લાઢાને ખેંચી પેાતાની પાસે લાવે છે, અથવા જેમ કેમેરા જડ હાવા છતાં પદાર્થ માત્રની આકૃતિને ખેંચી લે છે, જેમ ફાનાગ્રાફ જડ હોવા છતાં સર્વ પ્રકારના શબ્દો ગ્રહણ કરી તેવા પ્રકારના શબ્દો સભળાવી શકે છે; તેમ કમ પણ શુભાશુભ ફળ આપી શકે છે. જડ વસ્તુઓમાં પણ વિવિધ પ્રકારની અદ્ભુત શકિતયેા રહેલી છે. એકાંત એવા નિયમ નથી કે જડ કાંઈ કાર્ય કરી શકે નહિ, જૈને ફકત કવાદી નથી, કિંતુ ઉપર જણાવેલા પાંચ કારણેાના સમુદાયથી સંસારનાં સર્વ કાર્યો થાય છે, એમ માન્યતા ધરાવે છે. એ વિષયનુ વિશેષ વિવેચન ‘ જૈનદર્શોન’ માં કરવામાં આવશે. ઉપરની માન્યતા સાથે ગીતા પણ સહમત થાય છે. જૂએ ગીતા અ. ૫ મે, લેાક ૧૪.
'
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगः स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥ "
ભાવાર્થ :—“ પ્રભુ લેાકનું કર્તૃત્વ, કમ અને કફળના સચેગ એમાંથી કાંઈ બનાવતા નથી; પરંતુ સ્વભાવ પ્રવૃત્તિ કરે છે. ૧
""
ઇશ્વરને જગત્કર્તા માનવાથી પુરૂષોએ પોતાના પુરુષાને અકિચિત્કર બનાવી નાખ્યુ છે. ઘણાં મનુષ્યાને આપણે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૦
તવાખ્યાન,
-
-
એવું બોલતા સાંભળીએ છીએ કે-જૈસી ઈશ્વકી મરજી હોગી, વૈસા બનેગા.' વિગેરે. એવાં વાક બેલી આપણે આપણી હીનસવતા પ્રકટ કરીએ છીએ. વા વચને કહેવાથી અથવા સાંભળવાથી કાર્યમાં મન્દાદ- થવાય છે. ભારતની અવનતિ થવાનું કારણ સૂક્ષ્મદષ્ટિથી જોઈએ તે ઈશ્વરકતૃત્વવાદ જણાશે કે જેમાં પિતાના પુરૂષાર્થને આશ્રય લેવામાં નથી આવ્યું. તે માટે એ વિષયમાં પુરૂષાર્થને પ્રાધાન્ય આપી બુદ્ધિપૂર: વક વિચાર કરવામાં આવશે, તે સત્યતત્વ સત્વર સમજવામાં આવી જશે કે અનાદિ જગની રચના કરનાર કેઈ: હોઈ શકે નહિં.”
જગકર્તુત્વવાદમીમાંસા સમાસ
Page #186
--------------------------------------------------------------------------
________________
નૈયાયિક મતનાં પ્રમાણેનું પર્યાલચન.
ઇંદ્રિના સંનિકર્ષથી ઉત્પન્ન થતા જ્ઞાનને “પ્રત્યક્ષ” એવા નામથી ઓળખવાની તૈયાયિકેની માન્યતા, વિચાર કરતાં વ્યાજબી લાગતી નથી. કેમકે--જેમ અનુમાન વિગેરેમાં પરની અપેક્ષા રહેતી હોવાથી તેને “પક્ષ” નામથી ઓળખવામાં આવે છે, તેમ આ (માનવામાં આવેલા પ્રત્યક્ષ) માં પણ આત્મા સિવાય પર જડ પાર્થિવાદિ ઇંદ્રિને સંનિકર્ષ, પ્રકાશ દ્રવ્ય વિગેરેની અપેક્ષા રહે છે, તે તે જ્ઞાનને “પ્રત્યક્ષ” કેમ કહી શકાય ? “પરોક્ષ” શા માટે ન કહેવામાં આવે ? પ્રત્યક્ષનું લક્ષણ જ એવું છે કે “જે જ્ઞાનની ઉત્પત્તિમાં આત્મા સિવાય પરની અપેક્ષા ન રહેતી હોય.’
એવી રીતે ઉત્પન્ન થતા જ્ઞાનને જે કદાચ વ્યાવહારિક પ્રત્યક્ષ માનવામાં આવે તે કાંઈ હાનિ નથી, પરંતુ પારમાર્થિક પ્રત્યક્ષ માનવું ઉચિત નથી. તે જ્ઞાનને પારમાર્થિક પરાક્ષ અને વ્યાવહારિક પ્રત્યક્ષ માનવું જોઈએ. નિયાયિક મતની ઈઢિયે સબધિ માન્યતા
ઉપર વિચાર “પૃથ્વીથી ઘાણેન્દ્રિય, જલથી રસનેન્દ્રિય, તેજથી ચક્ષુરિન્દ્રિય, વાયુથી સ્પર્શનેન્દ્રિય અને આકાશથી શ્રવણેન્દ્રિય ઉત્પન્ન થાય છે.” એવી તૈયાયિકેની માન્યતા બુદ્ધિ
11
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૨
તન્વાખ્યાન.
મામ્ મનુષ્યમાં માન્ય થઈ શકતી નથી. તેઓ એમ પ્રતિપાદન કરે છે કે “ઘાણેન્દ્રિય પૃથ્વીથી બનેલી છે, કેમકે રૂપ વિગેરેમાંથી તે કેવળ ગંધનેજ ગ્રહણ કરે છે; કુંકુમના ગંધને પ્રકાશ કરનાર ગાયના ઘીની માફક.” આવા અનુમાનથી ઘાણેન્દ્રિયમાં પાર્થિવત્વ સિદ્ધ કરવાની તેઓની ચેષ્ટા નિરર્થક થાય છે. કેમકે આ અનુમાનમાં આપેલ હેતુ વ્યભિચાર દેવાળે છે. તેલનું મર્દન કર્યા પછી સૂર્યનાં કિરણે ઉપર પડે ત્યારે ગંધની અભિવ્યક્તિ થવા છતાં તેમાં પાર્થિવત્વ હોતું નથી. તથા પૃથ્વી ઉપર પાણી સિંચવાથી-પાણી ગંધનું અભિવ્યંજક હોવાથી ગંધ પ્રકટ થવા છતાં તેમાં પાર્થિવત્વ સિદ્ધ થતું નથી. એથી ઉપર્યુકત હેતુ વ્યભિચારી સમજ.
રસના-જિહા પાણીથી બનેલી છે, રૂપ વિગેરેની મધ્યમાં રસનું જ ગ્રહણ કરતી હોવાથી, સાથવાના રસના પ્રકાશક પાણીની જેમ. ” આવા અનુમાનથી “ રસનેન્દ્રિય પાણથી બનેલી છે. એવું સિદ્ધ કરવાની તૈયાયિકેની આકાંક્ષા પૂર્ણ થઈ શકતી નથી. કેમકે અહિં પણ, ઉપર જણાવ્યા મુજબ ખાણમાંથી નીકળતા લવણ, ખારે વિગેરે પદાર્થોમાં રસની પ્રકટતા હોવા છતાં પાણીથી ઉત્પત્તિ કહી શકાય તેમ નહિ હેવાથી હેતુ વ્યભિચાર દોષવાળે છે. એમ માનવું પડશે.
ચક્ષુરિન્દ્રિય તેજથી બનેલ છે, રસ વિગેરેમાંથી
Page #188
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૬૩
ફકત રૂપનેજ ગ્રહણ કરતી હોવાથી, પ્રદીપની જેમ.” તેઓનું આવું કથન ઉચિત નથી. કેમકે–હીરા, માણેક, પન્ના, રત્ન વિગેરેમાં ફકત રૂપનું પ્રકાશકપણું છે, પરંતુ તૈજસ નથી. કૃતિ, મુકતાવલીની ટીકા દિનકરી વિગેરે ગ્રંથમાં સુવર્ણ, હીરા, માણેક વિગેરેને પાર્થિવ તરીકે સિદ્ધ કરેલ હોવાથી તેજસ માની શકાશે નહિ.
સ્પર્શનેન્દ્રિય વાયુથી ઉત્પન્ન થાય છે, રૂપ વિગેરેમાંથી ફકત સ્પર્શને ગ્રહણ કરતી હોવાથી, પાણીમાં રહેલા શીતળસ્પર્શના અભિવ્યંજક વાયુની જેમ. ” આવું તે લોકોનું માનવું આદરણીય થઈ શકશે નહિ. કેમકે કપૂર વિગેરેથી પણ પાણીમાં રહેલ શીતળ સ્પર્શ પ્રકટ થાય છે, પરંતુ કપૂર વિગેરે પદાર્થો વાયુથી બનતા સાંભળ્યા નથી. આવી રીતે હેતુમાં વ્યભિચાર દોષ આવતું હોવાથી વ્યાપ્તિ અસિદ્ધ થવાથી સ્પર્શનેન્દ્રિયની વાયુથી ઉત્પત્તિ માનવી અયુક્ત છે.
“શ્રોવેન્દ્રિય આકાશથી ઉત્પન્ન થાય છે,રૂપ વિગેરેમાંથી ફક્ત શબ્દને જ ગ્રહણ કરતી હોવાથી.” આ પ્રમાણેની નૈયામિકેની કલ્પના વિચાર કરતાં વ્યાજબી જણાતી નથી. કેમકે શબ્દ એ આકાશને ગુણ નથી, પરંતુ પુદ્ગલસ્વરૂપ છે. જે એમ માનવામાં ન આવે તે અરૂપી શબ્દથી આકાશની જેમ આઘાત-પ્રત્યાઘાત વિગેરે કાંઈ પણ થવું ન જોઈએ, છતાં થાય છે. એ આપણે સાક્ષાત જાણીએ છીએ. મેઘના ગગડાટે,
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪
તત્ત્વાખ્યાન.
સિંહની ગર્જનાઓ, તેપ વિગેરેના શબ્દોથી ગર્ભિણી સ્ત્રીએના ગર્ભ પણ છૂટા થઈ જાય છે, કાયર કંપતા પલાયન કરી જાય છે. વિગેરે બનતું જોઈએ છીએ—સાંભળીએ છીએ. ફ્રેનેગ્રાફ વિગેરે સાધનો પણ શબ્દની પુગલતાને ઘણું સારે ટેકો આપે છે.
આ ઉપરથી સહજ સમજી શકાય તેમ છે કે--અમુક ઇંન્દ્રિય અમુક ભૂતથી ઉત્પન્ન થાય છે. એવી માન્યતા અપ્રામાણિક ઠરતી હોવાથી ઉપેક્ષણીય છે.
ખરું જોતાં ઈન્દ્રિયેના બે ભેદ પાડી શકાય છે - દ્રવ્યન્દ્રિય, ૨ ભાવેન્દ્રિય. ઇન્દ્રિય પર્યાપ્તિ નામકર્મ વિગેરેને ઉદય આવવાથી ઇન્દ્રિયગ્ય પરિણામથી જે નિયમિત રૂપે પરિણમેલી હોય તે શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શનું જ્ઞાન થવામાં નિમિત્તભૂત શરીરના કાન વિગેરે બાહા આકારે કન્સેન્દ્રિય કહી શકાય. અને ભાવેન્દ્રિય તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી ઉત્પન્ન થએલી લબ્ધિ-ઉપગરૂપ શકિતને કહેવામાં આવે છે. તેવા પ્રકારની શકિતને પ્રાદુર્ભાવ જે ન થયે હેય તે દષ્ટિગોચર થતી કઈ પણ વસ્તુની ઓળખાણ થઈ શકે નહિ. ફક્ત દ્રન્દ્રિયની વિદ્યમાનતા માત્રથી ભૂત-પિશાચ વિગેરેનું તથા પરમાણુનું નિરીક્ષણ થઈ શકે નહિ. ક્ષયે પશમરૂપ એક પ્રકારની વિશેષ શકિત માનનારા જૈનો પરમાણુઓના તથા ભૂતપિશાચ વિગેરેના અસાક્ષાત્કારમાં એજ શકિતને અભાવ કારણ તરીકે દર્શાવી પિતાની માન્યતાને અબાધિત કરવામાં
Page #190
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
૧૬૫
સફળતા મેળવી શકે. લચ્છુપગ રૂપ ભાવેન્દ્રિય તે રૂપ વિગેરે પદાર્થના વિષયે ગ્રહણ કરનાર આત્માના વ્યાપાર રૂપ છે. આવી રીતે મન પણ ૧ દ્રવ્યમન અને ૨ ભાવમન એમ બે પ્રકારનું છે, આ સંબંધિ વિશેષ વક્તવ્ય “જૈન દર્શન માં પ્રકટ કરવામાં આવશે.
“ઈન્દ્રિયે વસ્તુને પ્રાપ્ત કર્યા પછી વિષયને પ્રકાશ કરે છે. ચક્ષુ, સ્પર્શનેન્દ્રિય વિગેરેની જેમ વસ્તુને પ્રાપ્ત કરી ગ્રહણ કરે છે, કેમકે તેમાં બાહેન્દ્રિયત્ન છે. ” આવું તેઓનું મન્તવ્ય માન્ય કરતાં પહેલાં વિચારવાની જરૂર છે કે––બાદેન્દ્રિય એટલે શું? શું બાહ્ય પદાર્થોમાં અભિમુખપણું હોવાથી તેને બાહેન્દ્રિય કહેવામાં આવે છે. અથવા બાહ્ય પ્રદેશમાં રહેલ હેવાથી ? એ બે વિકલ્પમાંથી પ્રથમ પક્ષ માનવામાં આવે તે વ્યભિચાર દેષ આવે. કેમકે મન પણ બાહ્ય અર્થના ગ્રહણમાં અભિમુખ હોવા છતાં પ્રાધ્યકારિ નથી. લક્ષ્યને મૂકી અલક્ષ્યમાં રહેનાર હેતુને વ્યભિચાર દષચુકત ગણવામાં આવે છે.
બીજે પક્ષ માન્ય રાખવામાં આવે તે હેતુમાં અસિદ્ધ દોષ આવશે. કેમકે, તેઓના સિદ્ધાન્તમાં “ ગોલકમાં રહેલી તે દ્રવ્યને આશ્રય કરવા વાળી રશ્મિ જ ચક્ષુરૂપે મનાય છે, તેને બાહા દેશમાં રહેવાનું માનતા નથી.” ઇંદ્રિયત્વની સમાનતા હોવા છતાં મનને જેમ અપ્રાપ્યકારિ માનવામાં આવે છે, તેમ જ ચક્ષુમાં પણ અપ્રાપ્યકારિત્વ કેમ ન મનાય ? કેમકે ઇંદ્રિયત્ન રૂપ હેતુ તે બન્નેમાં સમાન છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૬
તત્વાખ્યાન,
- હવે ચક્ષુ શું ગોલક રૂપ છે ? અથવા રશિમરૂપ? એ વિચારીએ. “ચક્ષુ ગેલક રૂપ છે,”એ પ્રથમ પક્ષ સ્વીકારી શકાય તેમ નથી, કેમકે–ગોલક સ્વરૂપ ચક્ષુ તે પિતાના પ્રદેશને મૂકી અન્યત્ર જઈ શકે નહિ અને એ ચક્ષુને પ્રાપ્ય કારિ માનવામાં આવે, ત્યારે તે તેને જ્યાં ઘટ, પટ વિગેરે વસ્તુ હોય ત્યાં જવું જોઈએ. પરંતુ તેમ બનતું નથી એ પ્રત્યક્ષ છે.
“ચક્ષુ રશ્મિરૂપ છે.” એવો બીજો પક્ષ પણ માન્ય થઈ શકશે નહિ. કેમકે રશ્મિરૂપ–કિરણસ્વરૂપિ ચક્ષુ કદાપિ જોઈ શકાતું નથી, અર્થની જેમ, તેના સ્વરૂપને પ્રતિભાસ ન થતું હોવાથી. કદાચ ગાયમાં ગત્વ જેમ દેખાય છે, તેમ જે જોવામાં આવે, તે પછી વિવાદ રહેજ નહિ.
. “ઇંદ્રિય અને અર્થના સન્નિકર્ષથી “પ્રત્યક્ષ થાય છે? એમ માનનાર તૈયાયિકેને આપણે પૂછીએ કે–અર્થ પ્રદેશમાં આપ લેકેની રશ્મિ સાથે અન્ય લેકેનાં લેચનેને સંનિકર્ષ ન હોવા છતાં માની લઈએ તે અન્યનાં નેત્ર સાથે આપનાં નેત્રો પણ પ્રત્યક્ષ થવાં જોઈએ.
ચક્ષને પ્રાપ્યકારિ માનવાથી અગ્નિ સમીપ જવાથી બળવાને, તરવાર કુહાડાની :નજદીક જવાથી છેદાવાને, કાંટા ઉપર જવાથી વિંધાવાને, એમ અનેક દેને પ્રસંગે ઉપસ્થિત થશે. તેથી ચક્ષુને અપ્રાપ્યકારિ માનવું એ શ્રેયસ્કર છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
તન્વાખ્યાન.
૧૬૭
ચક્ષુને પ્રાકારિ માનવા સંબંધિ વિશેષ જિજ્ઞાસુઓએ ન્યાયમંજરી, ન્યાયવાતિક વિગેરે ગ્રંથે જેવા અને તેને અપ્રાપ્યકારી સિદ્ધ કરનાર જૈન ન્યાયના સ્યાદ્વાદરત્નાકરાવતારિકા, સમ્મતિતર્ક વિગેરે ગ્રંથે અવલકવા. યુતિયુકત સમજાય તે પક્ષપાતને દૂર કરી મધ્યસ્થભાવથી સ્વીકારવું.
પ્રમાણુ-પર્યાલોચન. અભિમત વસ્તુના સ્વીકારમાં તથા અનભિમત વસ્તુના તિરસ્કારમાં જે સમર્થ હોય તે પ્રમાણુ કહેવાય છે, પરંતુ નૈયાયિકે પ્રત્યક્ષની ઉત્પત્તિમાં માનેલ ઈદ્રિયસંનિકર્ષ તથા આલોક સંગ વિગેરે જડ પદાર્થ પ્રમાણરૂપ હોઈ શકે નહિ. જે પિતાને નિશ્ચય કરાવવામાં સાધકતમ ન હોય, તે અન્યને નિશ્ચય કરાવવામાં કયાંથી હોઈ શકે? ઘટ, પટ વિગેરેની જેમ. સંનિકર્ષ વિગેરે પિતાના નિશ્ચયમાં કરણરૂપ બની શકે નહિ, સ્તંભ વિગેરેની જેમ. જે પિતાના નિશ્ચયમાં સાધકતમ ન હોય તે અન્ય અર્થના નિશ્ચયમાં પણ કુંભ વિગેરેની જેમ સાધકતમ છે, એમ કેવી રીતે કહી શકાય? આ ઉપરથી સક્નિકર્ષ વિગેરે જડ પદાર્થો પ્રમાણ કહી શકાય નહિ.
પ્રમાણુરૂપે સ્વીકારેલ જ્ઞાન પણ નિશ્ચયાત્મક હોવાથી સંશય વિપર્યય, અનધ્યવસાયનું વિધિ હેવાથી પ્રમાણુરૂપે મનાય છે. સારાંશ નિશ્ચયાત્મક જ્ઞાન જ પ્રમાણરૂપ છે, અને અન્ય અપ્રમાણ છે, એમ માનવું નિર્દોષ છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૮
તત્ત્વાખ્યાન.
અનુમાનની માન્યતા ઉપર દૃષ્ટિપાત.
નૈયાયિકા પક્ષસત્વ વિગેરે પાંચ રૂપવાળા હેતુને સાચા હેતુ માને છે, પરંતુ તે પાંચ રૂપે હેત્વાભાસમાં પણ સ‘ભવી શકે છે. જે રૂપ હેતુ તથા હેત્વાભાસ એ બન્નેમાં રહે તે હેતુ યથા છે. એમ કેમ કહી શકાય ? અને જયાં સુધી હેતુવાકય સાચું ન હોય, ત્યાં સુધી અનુમાન પણ કેમ થઇ શકે ? નીચે જણાવ્યા મુજબ પાંચ રૂપા હેત્વાભાસ થઇ શકે છે, તે આ પ્રમાણેઃ—
તે બાળક શ્યામ છે. મિત્રા નામની સ્ત્રીને પુત્ર હેાવાથી, જોવાતા તેના બીજા પુત્રાની જેમ. ’ આ અનુમાનમાં આપેલ હેતુ પાંચ રૂપવાળા હેાવા છતાં પણ હેત્વાભાસ છે. વાસ્તવિક સ્વરૂપ વિચારીએ તે સાધ્ય વિના જેની ઉપપત્તિ બિલકુલ ન થઇ શકતી હોય તે જ હેતુ સાચા ગણી શકાય, પરંતુ ફ્કત પાંચ રૂપવાળા હોય તે હેતુ સત્ય જ હાય એવી માન્યતા તે ભૂલભરેલી છે. એથી અનુમાન પ્રમાણુની માન્યતાને પણ આઘાત પહોંચે છે.
ઉપમાન ઉપર વિચાર.
ગવય ( રાઝ ) નહિ જાણનારા મનુષ્યને કેાઇએ સમજાવ્યું કે ગાયના જેવા જે હોય તે ગવય કહેવાય. એમ સરખામણી આપી સમજાવ્યા પછી તે મનુષ્ય વનમાં ગયા આદ જયારે તેવા પ્રાણીને જીવે ત્યારે પહેલાં જણાવેલા ઉપમાન
Page #194
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
થી થતા સંજ્ઞાસંગ્નિ જ્ઞાનને “ઉપમાન પ્રમાણ” એવું નામ અપાય છે. પરંતુ તેને પૃથક્ પ્રમાણુ કહેવું તે ઠીક નથી.
જેમ એક વાર ઘડાનું જ્ઞાન થયા પછી ફરી તે વસ્તુને જોતાં “આ ઘડે છે” એવા ઉત્પન થતા જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે, તેમ ઉપર જણાવેલ ઉપમાનને પણ પ્રત્યભિજ્ઞા જ કેમ ન કહી શકાય? “પ્રસિદ્ધરાજસ્થત સTષ્યવાધનમુપમા ” અર્થાત્ પ્રસિદ્ધ સાધર્મથી સાધ્યનું સાધન કરવું તે ઉપમાન. આવી સૂત્રની વિરૂદ્ધમાં પ્રસિદ્ધ વૈધચ્ચેથી સાધ્યનું સાધન થતું હોય ત્યાં કયું નામ આપવું તેને વિચાર કરે પડશે. એથી સરળ માર્ગ તે એજ છે કે–તે ( ઉપમાન પ્રમાણ) ને પ્રત્યભિજ્ઞામાં અન્તર્ભાવ કરી દે. એમ કરવાથી કાંઈ હાનિ નથી. આ વિષયનું વિશેષ સ્વરૂપ “જૈનદર્શન માં જણાવીશું.
આગમપ્રમાણ.
જે આગમને પ્રણેતા અનાત હોય અથવા જેમાં અસંબદ્ધ, અપ્રામાણિક, હિંસામય, પરસ્પર વિરૂદ્ધ ઉપદેશ આપવામાં આવ્યો હોય તે આગમને પ્રમાણરૂપે કેમ માની શકાય ? શ્રુતિ, સ્મૃતિઓ વિગેરે નિહાળીએ છીએ તે તેવું જ કંઈ વિચિત્રપણું જોવામાં આવે છે. નૈયાયિક અર્થની ઉપલબ્ધિમાં હેતુને પ્રમાણુ કહે છે. હેતુને અર્થ જે નિમિત્ત માત્ર કરવામાં આવે તો તે સર્વકારક સાધારણ હેવાથી પ્રમિતિના કર્તા, કર્મ
Page #195
--------------------------------------------------------------------------
________________
१७०
તસ્વાખ્યાન.
વિગેરે સર્વમાં પ્રમાણપણના વ્યવહારને પ્રસંગ આવે. સર્વ કારકેને પ્રમાણરૂપે માનવાં પડે કે જે આપણને ઈષ્ટ નથી.
યદિ હેતુને ફકત કરણકારકરૂપે સ્વીકાર કરવામાં આવે અને અન્ય કારકેની ઉપેક્ષા કરવામાં આવે, તે જ્ઞાનને જ પ્રમાણુ કહેવું યુકત ગણાશે, ઈદ્રિયસંનિકર્ષ વિગેરેને પ્રમાણુ કહી શકાશે નહિ. કેમકે જેની વિદ્યમાન દશામાં અર્થની ઉપલબ્ધિ થાય તે જ કારણ કહેવાય છે. ઈદ્રિયસંનિકર્ષ વિગેરે સામગ્રી વિદ્યમાન હોવા છતાં જ્યાં સુધી તેવા પ્રકારને ક્ષયપશમ અથવા ઉપગ ન હોય ત્યાં સુધી અર્થની ઉપલબ્ધિ કદાપિ થઈ શકતી નથી. આથી અર્થની ઉપલબ્ધિમાં જે અત્યંત સાધક હોય તે જ પ્રમાણ ગણવું જોઈએ. તેવું અત્યંત સાધક સ્વપરવ્યવસાયિ જ્ઞાન જ પ્રમાણરૂપે કહી શકાય, પરંતુ સંનિકર્ષ વિગેરે તે પ્રમાણરૂપ માની શકાય નહીં.
જ્યારે આવી રીતે પ્રમાણની માન્યતા જ અપ્રામાણિક છે, ત્યારે તે પ્રમાણથી નિશ્ચિત કરાતા ૧૬ પદાર્થો તે પ્રામાણિક કેમ થઈ શકે ? અર્થાત્ પ્રમાણની માન્યતા અયથાર્થ થતાં ૧૬ પદાર્થની માન્યતા પણ અસિદ્ધ થઈ જાય છે. તે પણ એ ૧૬ પદાર્થોની માન્યતા કેટલી દૂષિત છે, તે દર્શાવવામાં આવે છે.
- “આત્મારૂપ પ્રમેય સર્વથા નિત્ય છે.” “અચુતનુજપસ્થિરાવમા નિત્યમ' અર્થાત–નાશ ન પામનાર,
Page #196
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૧
ઉત્પન્ન ન થનાર, સ્થિર, એક સ્વભાવે રહેનાર વસ્તુ નિત્ય ગણાય છે. આવી રીતે નિત્યના લક્ષણથી યુકત આત્માને માનનાર નૈયાયિકને બહુ વિચાર કરવાની જરૂર છે. જીવની એક ગતિમાંથી પ્રશ્રુતિ અને બીજી ગતિમાં ઉત્પત્તિ થાય છે, જીવ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિને પામે છે. જીવને એક સરખે સ્વભાવ સદા રહી શકતું નથી. આ જીવ નરક ચેનિમાંથી નીકળી મનુષ્ય થાય છે, મનુષ્ય એનિમાંથી નીકળી દેવ થાય છે, ત્યાંથી નીકળી તિર્યંચ થાય છે. બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં અને તેમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે. તે જીવ અમુક વસ્તુને કર્તા, જોક્તા, સંબંધી મનાય છે. એમ આપણે વ્યવહારમાં સાક્ષાત જોતા હેવાથી ઉપર્યુક્ત નિત્યના લક્ષણથી વિરૂદ્ધ સ્વભાવવાળા તે આત્માને સર્વથા નિત્ય માની શકીએ નહિ. એ સ્વાભાવિક છે. આમ કૂટસ્થ નિત્ય માનવાથી કઈ જાતને વ્યવહાર થઈ શકશે નહિ.
નિત્યનું યથાર્થ લક્ષણ આ પ્રમાણે માનવામાં આવે કે તમારા વ્યર્થ નિત્યમ” અર્થાત્ “જે પિતાના મૂળ સ્વભાવથી વ્યય ન પામે તે નિત્ય છે.” તે કઈ જાતને દેષ આવશે નહિ. આત્માના પર્યાયે ભલે બદલાયા કરે, મનુષ મરીને દેવ, દેવમાંથી નીકળી મનુષ્ય, ત્યાંથી તિયચ, નારી ભલે થયા કરે, બાલ્ય વિગેરે અવસ્થામાંથી યુવા વિગેરે અન્ય અવસ્થાઓને ભલે પ્રાપ્ત કરે, પરંતુ તે આત્માને અસલ સ્વભાવ ચેતન્ય” તે દરેક ગતિમાં અને દરેક સ્થિતિમાં અવશ્ય વિદ્યમાન હોય છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૨
તવાખ્યાન.
નિયાયિકે આમ જણાવે કે “ આત્માને ફૂટસ્થ નિત્ય માનવામાં પણ કર્તવ, ભેસ્તૃત્વ, જન્મ, જરા, મરણ વિગેરે સર્વ ઘટી શકે છે. તે આવી રીતે-જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન વિગેરેને જે સંબંધ કરે તે કર્તૃત્વ, સુખ-દુઃખ સંવેદનને જે સંબંધ તે ભકતૃત્વ અપૂર્વ શરીર, ઈદ્રિય, બુદ્ધિ વિગેરેની સાથે સંબંધ થવે તે જન્મ; ગ્રહણ કરેલા પ્રાણેનેવિગ તે મરણ, ધર્મધર્મની અપેક્ષાથી આત્માને શરીરસહિત મન વિગેરેની સાથે સંબંધ બરાબર રહે તે જીવન; શરીર, ઇંદ્રિય વિગેરેનો નાશ કરવો તે હિંસા કહેવાય છે. વિગેરે”
ફૂટસ્થ નિત્યવાદિનું ઉપર્યુકત કથન યુકિતયુકત ન હોવાથી માની શકાય તેમ નથી. કેમકે તેઓના મતમાં જ્યારે પૂર્વાવસ્થાને બિલકુલ ત્યાગ નથી, ત્યારે જ્ઞાનાદિના સમવાયની ઉપપત્તિ પણ કેમ થઈ શકે ? કારણ કે–પૂર્વાવસ્થાના ત્યાગ પૂર્વક ઉત્તરાવસ્થાને પ્રાપ્ત કરવી તે જ સંબંધ કહી શકાય, પરંતુ તે સંબંધ તે ફૂટસ્થ નિત્યવાદિયેના મતમાં ઘટી શકતા નથી, સંબંધ વિના સંબંધિમાંનુ કતૃત્વ પણ કેમ ઘટે? ‘પૂર્વરૂપને-પૂર્વાવસ્થાને ત્યાગ કરે છે,” એમ જે કદાચ કહેવામાં આવે તો તેમાં નિત્યત્વ રહી શકશે નહિ, એ પણ વિચારણીય છે.
આત્માને સર્વથા નિત્ય અને વ્યાપક માનનારાનૈયાયિક તેમાં પરિણામાન્તર માની શકે નહિ. એથી સંબંધમાં કર્તૃત્વ, જન્મ વિગેરે થઈ શકશે નહિ. ગત્યાદિ નામકર્મસહકૃત પૂર્વ
Page #198
--------------------------------------------------------------------------
________________
તજ્યાખ્યાન.
૧૭૩
પર્યાયને ત્યાગ તે મરણ અને ઉત્તર પર્યાયને પ્રાપ્ત કરવા તે જન્મ. આ પર્યાયે નિત્યવાદિના મતમાં ખપુષ્પ જેવા છે. આવી રીતે ફૂટસ્થ નિત્યસ્વરૂપ આત્મા વિગેરે પદાર્થોને માન નારાઓના મતમાં જન્મ, મરણને અભાવ થવાને. અને તેના વિના સંસાર, બન્ધ, મોક્ષ વિગેરેની વ્યવસ્થાને વિનાશ થશે.
હું સુખી, હું દુઃખી, હું ઘટ વિગેરેને જાણું છું.” ઈત્યાદિ અહંશબ્દવિયક પ્રતીતિ શરીરાવચ્છિન્ન આત્મામાં જ થઈ શકે છે, અન્યત્ર થતી નથી. આત્માને જે વ્યાપક માનવામાં આવે તે સર્વને સર્વ સ્થળે તેવા પ્રકારની પ્રતીતિ થવી જોઈએ. એકના સુખે અન્ય સુખી થવા જોઈએ અને એકના દુઃખથી અન્ય દુઃખી થવા જોઈએ, એકના ભોજન કરવાથી ભેજન નહિ કરનારા અન્યને પણ સુધાની શાન્તિ થવાનો પ્રસંગ આવશે. એકના સૂવા, ઉઠવા, બેસવા, ચાલવાથી અન્યને પણ તે ક્રિયાઓ કરવાને પ્રસંગ પ્રાપ્ત થશે. આવી રીતે સર્વ ક્રિયાઓમાં વ્યવહારમાં સંકરેદેષ ઉપસ્થિત થશે. અથવા આત્માને સર્વત્ર વ્યાપક માનવાથી આત્મા સર્વત્ર વ્યાપી થઈ જવાથી કાંઈ પણ કિયા થઈ શકશે નહિ. આ દોષના નિવાર ણમાં એમ કહેવામાં આવે કે શરીરની ભિન્નતા હોવાથી એ દોષ આવી શકશે નહિ.” તે પછી શા માટે આત્માને વ્યાપક માનવો? આત્માને વ્યાપક ન માનવામાં આવે તે શેિ દોષ? આત્માને સર્વથા નિત્ય માનવામાં પ્રત્યક્ષ પ્રમાણથી વિરોધ દર્શાવ્યા. અનુમાન પ્રમાણથી વિરોધ હવે બતાવવામાં આવે છે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૪.
તત્વાખ્યાન.
આત્મા વ્યાપક નથી, કેમકે બીજાં વ્યાન્તર અસાધારણ સામાન્ય રૂપે હોવા છતાં અનેક હેવાથી, ઘટ વિગેરેની જેમ. અહિ એક દ્રવ્યથી અન્ય દ્રવ્યને દ્રવ્યાન્તર સમજવાનું છે, અથવા બીજી રીતે પણ અનુમાન થઈ શકે –
આત્મા આકાશ વિગેરેની માફક વ્યાપક નથી, કેમકે આકાશ, કાળ, દિશા વિગેરેથી ભિન્ન હેવા છતાં ઘટ વિગેરેની જેમ દ્રવ્ય પણું હેવાથી. - આત્મા પરમમહત્વ પરિમાણનું અધિકરણ નથી, કારણ કે ચેતન હોવાથી જે પરમમહત્વનું અધિકરણ હેય તે ચેતન હોઈ શકે નહિ, આકાશ વિગેરેની જેમ. ઈત્યાદિ અનુમાનથી પણ આત્માની વ્યાપકતાનું નિરાકરણ થઈ જાય છે.
તેઓના આગમના પ્રણેતા અનાપ્ત હોવાથી તેઓનું આગમ તે પ્રમાણરૂપ થઈ શકશે નહિ. આત્માની વ્યાપકતા સિદ્ધ કરવામાં ઉપમાન પ્રમાણ પણ સહાયક થઈ શકશે નહિ. કારણ કે–આત્મા અમૂર્ત હોવાથી તેને ઉપમાન આપી શકાય તેમ નથી. આવી રીતે કઈ પણ પ્રમાણથી આત્મા વ્યાપક સિદ્ધ થતું નથી.
નિયાયિક મતમાં આત્માની વ્યાપકતા તે એક બાજુએ રહી, પ્રથમ આત્માની જ સિદ્ધિ ક્યાં થઈ શકે તેમ છે? આત્માની સિદ્ધિમાં જ્ઞાન વિગેરે ગુણે તે પ્રમાણુરૂપે ઉપયોગી થઈ શકે તેમ નથી, કેમકે તે જ્ઞાન વિગેરે ગુણોને તે તેઓ
Page #200
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
૧૭૫
આત્માથી ભિન્ન હોવાનું માને છે. જે જેનાથી સર્વથા ભિન્ન હોય, તે તેને ગુણ છે એમ કેમ કહી શકાય ? જેમ ઊંટ ગર્દભથી ભિન્ન હોવાથી તેને તેને ગુણ માની શકાતું નથી તેમ જ્ઞાન વિગેરે ગુણેને આત્માથી ભિન્ન માની તે તેના ગુણ છે, એમ કહેવાનું સાહસ કરી શકાય નહિ. આમ જ્યારે આત્માને જ અભાવ થઈ જાય છે, ત્યારે પ્રમાણ, પ્રમેય વિગેરે પદાર્થોના પરિજ્ઞાનથી મેક્ષની પ્રાપ્તિ કેને થવાની? એ વિચારવા લાયક થઈ પડશે. જ્ઞાન વિગેરે આત્માના ગુણે છે અને તે તેનાથી કથંચિઠ્ઠ અભિન્ન તથા ભિન્ન છે. એ “જૈનદર્શન’ માં સવિસ્તર જણાવવામાં આવશે.
નૈયાયિકમત પ્રવર્તક મહર્ષિએ છળ, જાતિ, નિગ્રહસ્થાન, જલ્પ કથા, વિતંડાવાદ, હેત્વાભાસ વિગેરેને પણ મેક્ષનાં અંગરૂપ માની અન્ય વાદિયેને પરાજય કરવામાં તેને ઉપયોગ કરવા સુશિષ્યોને શિખવ્યું છે. તસ્વાતવને વિચાર કર્યા સિવાય કેવળ શુષ્ક બકવાદને વિતંડાવાદ કહેવામાં આવે છે, તે અને બીજા છળ વિગેરે કે જેનું સ્વરૂપ પ્રથમ જણાવ્યું છે, તેને ઉપદેશ કરનારા ભવાનિદિને પણ પરમકારૂણિક વિશેષણવિશિષ્ટ કરવા એ અગાધ બુદ્ધિમત્તાનું કામ છે.
નૈયાયિકના છળ વિગેરે કથનને હેતુ દર્શાવનારા શ્લેકે આ સ્થળે ટાંકવા ઉચિત છે, તે આ પ્રમાણે – “ સુરક્ષિતકુતારાશવપાર્જિતાનનાદા
जेतुं किमन्यथा शक्या वितण्डाटोपमण्डिताः ? ॥१॥
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૬
તવાખ્યાન,
*
*
*
*
*
गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादितिच्छलादीनि प्राह कारुणिको मुनिः ॥२॥"
ભાવાર્થ –દુઃખ પૂર્વક શીખેલ કુતર્કોના અંશથી જેઓનાં મુખે વાચાળ થએલાં છે, એવા વિતંડાવાદના આડં. બરથી વિભૂષિત થયેલા વાદિયે અન્યથા (જે છળ વિગેરેને ઉપયોગ ન કરવામાં આવે તે) કેવી રીતે જીતી શકાય ?
ગતાનગતિક લોકસમૂહ તેઓથી ઠગાઈને કુમાર્ગમાં ન જાય” એવા હેતુથી કરૂણાવંત ઋષિજીએ છળ વિગેરે કહેલ છે.
આમ છળ વિગેરે કરવામાં કઈ દેષ નથી, કિન્ત લાભ જ છે. આવી મહર્ષિની એક્ષેપગિની શિક્ષા છે. નૈયાયિકે પ્રથમ દર્શાવેલ ૧૬ પદાર્થોના તત્વજ્ઞાનથી મોક્ષ માને છે, પરંતુ વાસ્તવિક સ્વરૂપ વિચારીએ તે તે ૧૬ પદાર્થોમાંથી પ્રત્યેકનું જ્ઞાન અથવા સમુદાયનું જ્ઞાન મેક્ષ આપવામાં કારણભૂત થઈ શકે નહિ, એમ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. કેમકે ફકત એકલા જ્ઞાનમાત્રથી જ મુકિત થઈ શકતી નથી. જે એમ જ મુકિત થતી હોય તે તપ, જપ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, સંન્યસ્તાવસ્થા વિગેરે કિયા અનુષ્ઠાને નિષ્ફળ થવાથી તેને કેઈ આદર આપેજ નહિ.
કદાચ તેઓ (નૈયાયિક) તરફથી એમ કહેવામાં આવે કે– અમે કાંઇ કિયાને નિષેધ કરતા નથી, તત્વજ્ઞાન,
Page #202
--------------------------------------------------------------------------
________________
લાખ્યાન,
૧૭
પૂર્વક ક્રિયા કરવાથી મોક્ષ થાય છે, એમ અમારી માન્યતા છે, એ કથન સત્ય છે, પરંતુ તફાવત ફકત આટલેજ રહે છે કે–જેને તત્ત્વ તરીકે આપે માનેલ છે, તેમાંથી એક પણ પદાર્થ તવરૂપ ઘટી શક્તિ નહિ હેવાથી તે પદાર્થોના જ્ઞાનને તત્વજ્ઞાન કહી શકાય નહિ; એથી એવા તાત્વિકજ્ઞાન વિનાની ક્રિયાથી મોક્ષ કેમ મેળવી શકાય ? પ્રમાણની પર્યાલોચના તે થઈ ગઈ. હવે પ્રમેય પદાર્થ તપાસીએ– - નચિકે આત્મા ૧, શરીર ૨, ઇદ્રિય ૩, અર્થ ૪, બુદ્ધિ ૫, મન ૬, પ્રવૃત્તિ ૭, દેષ ૮, પ્રત્યભાવ ૯, ફળ ૧૦, અને અપવર્ગ ૧૨. આ પ્રમાણે પ્રમેયના બાર ભેદે જણાવે છે, પરંતુ તેમાંથી શરીર, ઇંદ્રિય, બુદ્ધિ, મન, દોષ, ફળ અને દુઃખ એ ૭ ને સમાવેશ કથંચિત્ આત્મામાં થઈ શકે તેમ છે. કેમકે સંસારી આત્મા શરીર સાથે તાદામ્ય સંબંધ ધરાવે છે. આત્માને પહેલાં પ્રમાતા ઠરાવી પછી પ્રમેયમાં ગણવે તે પણ યુકત નથી. ઈદ્રિય, બુદ્ધિ, અને મને એ ત્રણે પ્રમિતિના સાધન-કારણરૂપ હેવાથી પ્રમાણરૂપ થઈ શકે, પરંતુ પ્રમેય કેમ કહી શકાય ? દોષ એ રાગ, દ્વેષ અને મોહરૂપ હોવાથી સંસારી આત્માથી કથંચિત્ અભિન્ન છે. મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી થતું શુભાશુભ ફળ પ્રવૃ ત્તિથી ભિન્ન કહી શકાય નહિ. પ્રવૃત્તિ રાગ, દ્વેષ અને મેહરૂપ હાવાથી દેષથી ભિન્ન ન ગણાવવી જોઈએ. દુઃખ એ મનના વ્યાપારરૂપ છે. મન જ પ્રમેયરૂપ થઈ શકતું નથી, એમ ઉપર જણાયું છે. તે દુખ પ્રચાર કેમ થઈ શકે? શબ્દા વિગેરે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તત્ત્વાખ્યાન.
ઇંદ્રિયાના ફ્રળમાં અન્તર્ભાવ થઇ જાય છે. પ્રેષભાવ તથા અપવગ વિગેરે આત્માના પરિણામાન્તર રૂપ હોવાથી ત્માથી ભિન્ન કહી શકાય નહિ. આમ પ્રમેયના ૧૨ શેદમાંથી એ પણ પ્રમેય રૂપે સિદ્ધ થઇ શકતા નથી.
પ્રમેયનુ વાસ્તવિક સ્વરૂપ વિચારીએ તે દ્રવ્ય પર્યાય સિવાય અન્ય કાંઈ પ્રમેય ન હેાઇ શકે. તેએએ માનેલા સશય વિગેરે તત્ત્વા પણ તત્ત્વાભાસ છે. તે સ તત્ત્વાનુ અવલાકન પ્રથમ કરેલુ હોવાથી અહિ તેનું પુનઃ પિષ્ટપેષણ કરી ગ્રન્થગારવ કરવા અમારી ઇચ્છા નથી.
શું આત્મા સર્વવ્યાપક છે ?
આત્મા વ્યાપક છે, એવી તૈયાયિકાની માન્યતા ઉપર પૂર્વે લખાઈ ગયેલું હાવા છતાં પુનઃ તે વિષયને વિશેષ દઢતાથી પ્રતિપાદન કરવાના અમારા એજ ઉદ્દેશ છે કેસત્ય તત્ત્વ ઉપર સારી રીતે વિચાર કરવાની વારવાર આવશ્યકતા છે. એથીજ રહસ્ય સમજી શકાય, એવા ગહન વિચારણીય વિષયને મધ્યસ્થ બુદ્ધિથી વિચારતાં જિજ્ઞાસુએને સત્ય જ્ઞાન થાય છે.
આત્માને સર્વ વ્યાપક ન માનતાં શરીરવ્યાપક માનવા ોઈએ, જેમ રૂપ વિગેરે ઘડાના ગુણા ઘડાથી બહાર માલૂમ પડતા નથી, તેમજ ચૈતન્ય વિગેરે આત્માના ગુણા પણ દે પરિમાણુ આત્માથી અન્યત્ર પાષાણ વિગેરેમાં લેવામાં
Page #204
--------------------------------------------------------------------------
________________
તાખાન.
૧૭૮
આવતા નથી. કદાચ પ્રતિપક્ષ તરફથી એમ કહેવામાં આવે કેપુષ્પ વિગેરેમાં રહેલા ગંધ વિગેરે ગુણે પિતાના સ્થાનને ત્યાગ કરી અન્યત્ર પણ જોવામાં આવે છે. તે યુકત નથી. કેમકે પુપ વિગેરેના ગંધ વિગેરે ગુણે પિતાના ગુણોને ત્યાગ કરી અન્યત્ર જતા નથી, કિંતુ તેવા પ્રકારના ગંધવાળાં પુદગલે (ગુણ) જે વસસિકી અથવા પ્રાદેગિકી ગતિવડે અન્યત્ર જાય છે. આથી પણ એજ વિશેષ સ્પષ્ટ થાય છે, કે જ્યાં જ્યાં ગુણે ઉપલબ્ધ થાય-જોવામાં આવે ત્યાં ત્યાં તેઓને આધાર–ગુણી અવશ્ય હોય છેજ.
ભિન્ન દેશમાં રહેલા મંત્રે સેંકડોજન દૂર રહીને પણ આકર્ષણ–ઉચ્ચાટન વિગેરે કરે છે. તે મંત્ર વિગેરે ગુણિના આકર્ષણ ઉચ્ચાટન વિગેરે ગુણે આવી રીતે ગુણિને ત્યાગ કરી અન્યત્ર પણ જ્યારે જોવામાં આવે છે ત્યારે ગુણિને ત્યાગ કરી ગુણે અન્યત્ર હોઈ શકે જ નહિ. એ નિયમનું નિશ્ચળ કયાં રહે છે?” આમ પ્રતિપાદન કરનારે ધ્યાનમાં રાખવું જોઈએ કે-આકર્ષણ-ઉચ્ચાટન વિગેરે ખાસ માના ગુણ નથી, પરંતુ મંત્રના અધિષ્ઠાયક દેવેને તે મહિમા છે. અસાધારણ શકિત ધરાવનાર દેવે પોતાના સામર્થ્યથી તેમ કરે તેથી અમારા કથનમાં દેષને અવકાશ મળતું નથી.
આત્મા સર્વ વ્યાપક નથી, કારણ કે તેના ગુણે સર્વત્ર ઉપલબ્ધ થતા નથી, જેના ગુણે સર્વત્ર ઉપલબ્ધ થતા ન હેય તે સર્વવ્યાપી કહી શકાય નહિ, જેમ ઘટ વિગેરે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૦
તત્ત્વાખ્યાન.
કદાચ ઉપર જણાવેલ અનુમાનની વ્યાપ્તિમાં આ પ્રમાણે વિરોધ દર્શાવવામાં આવે કે આત્માને “અદષ્ટ નામને વિશેષ ગુણ સર્વ ઉત્પન્ન થતાં પદાર્થોમાં નિમિત્ત માત્ર છે, જે એમ ન હોય તે અન્ય દ્વિીપમાં રહેલ કનક, રત્ન, ચંદન, અંગના વિગેરે અમુક નિયમિત પ્રદેશમાં રહેલ પુરૂષને ઉપભગ ચગ્ય કેમ થઈ શકે? આમ આત્માને ગુણ સર્વત્ર રહેતું હોવાથી આત્માને સર્વ વ્યાપી કેમ ન માને?” એ વિરોધના પરિહારમાં સમજવું જરૂરનું છે કે અદષ્ટ નામના આત્માના ગુણને સર્વત્ર સિદ્ધ કરવામાં કોઈ પણ સાધન નહિ હવાથી આત્માને સર્વ વ્યાપક મનાવવા પ્રયાસ નિષ્ફળ છે.
“અગ્નિનું ઉર્વજવલન, વાયુનું તિર્યા ગગમન વિગેમાં “અદષ્ટ” કારણ છે.” આવું કથન ઉચિત નથી, કેમકે તેમાં તે લઘુ, ગુરુ, ગુરુલઘુ, અગુરુલઘુ વિગેરે ગુણે કારણ છે, અથવા સ્વભાવ જ કારણ છે. જેમ કે-અગ્નિમાં બળવાને સ્વભાવ છે. જ્ઞાન, બુદ્ધિ વિગેરે આત્માના ગુણે શરીર વ્યાપક આત્મામાં જ જણાતા હેવાથી એ ગુણોવાળા આત્માને દેવસ્થા ન માનતાં સર્વવ્યાપક શા માટે માનવે? શરીરાવચ્છિન્ન આત્માને જ મુક્તિ મળી શકે, પરંતુ સર્વવ્યાપક આત્માને મુકિત મળી શકે નહિ. -
મુકિત –મીમાંસા. " તૈયાયિકો એમ માને છે કે “ મુકતાવસ્થામાં આત્માના નવ વિશેષ ગુણેને સંતાન અત્યંત નાશ પામે છે, કેમકે તે
Page #206
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૮૧
સંતાન રૂપ છે, પ્રદીપના સંતાનની જેમ, જે જે સંતાન હાય છે, તેના અત્યંત નાશ થાય છે. જેમ પ્રદીપના સતાનાથાય છે; તેમ અહિં પણ બને છે. વિશેષતઃ—જ્યાં સુધી આત્માના વાસના રૂપ વિશેષ ગુણ્ણાના ઉચ્છેદ ન થાય ત્યાં સુધી આત્ય’તિક દુઃખની વ્યાવૃત્તિ થઇ શકે નહિ. સ'સારરૂપી સ્તંભના મૂલભૂત ધર્માંધમ થી જ સુખ-દુઃખના સ*ભવ રહે છે, જ્યારે તે ધર્માંધમના જ ઉચ્છેદ થઇ જાય; ત્યારે તેનું કાય–શરીર વિગેરે કયાંથી હાઇ શકે ? શરીરના અભાવમાં આત્માને સુખ-દુઃખ ન જ હોઇ શકે. સારાંશ એજ છે કેઆત્માના ગુણાના ધ્વંસ એ જ અપવ છે. ''
ઉપર્યું કત નૈયાયિકાનું કથન કેટલે અંશે યુકત છે ? એ વિચારીએ. ઉપર જે સંતાન નામને હેતુ દર્શાવવામાં આળ્યેા છે, તે સંતાન શું સ્વતંત્ર અપરાપરની ઉત્પત્તિક્ષ છે ? અથવા એકના આશ્રય લેનાર એક ખીજાની ઉત્પત્તિરૂપ છે. ? આ એ પક્ષમાંથી જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે વ્યભિચાર દોષ આવશે. કેમકે એક પછી એક ઉત્પન્ન થતા ઘટ, પટ વિગેરે પર્યાયામાં પણ સંતાનત્વ તેા છે, પરંતુ તેના અત્યંત ઉચ્છેદ થતા નથી. જો ીજો પક્ષ માનવામાં આવે તે તેવું સતાનત્વ પ્રદીપમાં પણ નથી અને કથંચિત્ સાધ્ય તે ત્યાં પણ છે. તથા વ્યભિચાર દોષ પણ ઉપસ્થિત થવાને. કેમકે—પરમાણુમાં પાકથી ઉત્પન્ન થયેલ સૂપ વિગેરેમાં તેવા પ્રકારનું સંતાનત્વ હેાવા છતાં અત્યંત ઉચ્છેદ્યરૂપ સાધ્ય નથી.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૨
તવાખ્યાન.
વાસ્તવિક સ્થિતિ તપાસીએ તે સ્યાદ્વાદવાદિના મંતવ્ય પ્રમાણે કઈ પણ સ્થળે કઈ પણ વસ્તુને અત્યંત ઉચછેદ ઘટતું નથી. દ્રવ્યસ્વરૂપે આપેલ હેતુ વિરુદ્ધ છે. એમ પણ કેમ ન કહી શકાય? માટે તૈયાયિકના પૂર્વોકત અનુમાન પ્રમાણે મુકતાવસ્થામાં આત્માના જ્ઞાન વિગેરે ગુણેને અત્યંત ઉચછેદ થવાથી આત્મા નિર્ગુણ થઈ જાય છે. એવી માન્યતા સિદ્ધ નહિ થતી હોવાથી ત્યાજ્ય છે.
નૈયાયિકે “નહિ હૈ સરાહ્ય શિકિvaतिरस्ति ' ' अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः' ભાવાર્થ-શરીરધારિને પ્રિયાપ્રિય-સુખ-દુઃખને અભાવ નથી હોતું અને અશરીરી મુકતાત્માને પ્રિયાપ્રિય-સુખદુઃખ સ્પર્શ કરી શકતાં નથી.” આ શ્રતિનું પ્રમાણ આપી મુકતાત્માને સર્વથા સુખ-દુઃખ ન હોવાનું માને છે. એ માન્યતા તરફ દૃષ્ટિપાત કરીએ –
સૂફમહષ્ટિથી ઉપર સૂચવેલ કૃતિ પર ધ્યાન આપીશું તે સહજ સમજી શકાશે કે-તેમાં અમુકતાત્માને જે સુખ -દુઃખેને અભાવ જણાવવામાં આવે છે, તે એક બીજા સાથે સંબંધ ધરાવતાં અદષ્ટના પરિપાકથી ઉત્પન્ન થયેલાં વિષયજન્ય સાંસારિક સુખ-દુખે જ સમજવાં જોઈએ, જેમ વિષમિશ્રિત અન્નમાંથી વિષને ત્યાગ કરી ફકત અનને. ઉપગ કરી શકાતું નથી, તેમ દુઃખમિશ્રિત સાંસારિક સુખમાંથી દુઃખને ત્યાગ કરી ફકત સુખને જ ગ્રહણ કરી
Page #208
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૮૩
શકાતું નથી. દુઃખના ત્યાગમાં સાંસારિક સુખને પણ ત્યાગ કરવું પડે છે, અને સાંસારિક સુખને ત્યાગ કરતાં તેની સાથે સંબંધ ધરાવનાર દુઃખને પણ ત્યાગ થઈ જાય છે જ. કેમકે સાંસારિક સર્વ સુખ દુઃખે વેદનીય કર્મના વિપાકરૂપ છે, તે કર્મને જ જ્યારે સર્વથા નાશ કરી નાંખવામાં આવે ત્યારે તે કર્મથી ઉત્પન્ન થનાર સાંસારિક સુખ-દુખે સંભવી શકે નહિ. એ બુદ્ધિગમ્ય યુકિતયુક્ત કથન છે, પરંતુ વિદનીય કર્મને ક્ષય થવાથી ઉત્પન્ન થનાર, ક્ષાયિક, વિષ સાથે સંબંધ ન ધરાવનાર, પારમાર્થિક, નિરતિશય, અનપેક્ષ, અક્ષય, અનન્ત, ઐકાન્તિક, આત્યંતિક, આત્મિક સુખ હેવાને નિષેધ કેમ કરી શકાય?
સાંસારિક સુખ જેમ દુઃખમિશ્રિત-દુઃખ સાથે સંબદ્ધ હોય છે, તેમ પારમાર્થિક સુખ માટે નથી. તે સુખ સાથે દુઃખને બિલકુલ અંશ હેતું નથી. કેમકે સાંસારિક સુખ–દુઃખ શારીરિક હોય છે. અને મુકતવસ્થાનું સુખ એ ફકત આત્મિક હોય છે. શરીર સાથે સંબંધ ધરાવનાર દુઃખમિશ્રિત સુખ શરીરના નાશ સાથે નાશ પામે છે. સાંસારિક સુખ-દુઃખનું મૂળ શરીર મુકતાવસ્થામાં હેતું નથી. તેથી તે શરીરાશ્રિત સુખ–દુઃખ પણ મુકિતમાં હોતાં નથી, કિંતુ અક્ષય આત્યંતિક આત્મિક સુખ તે અવશ્ય હોય છે જ. આ કથનને સ્મૃતિ પણ ટેકે આપે છે. " मुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद् दुष्पापमकृतात्मभिः "॥१॥
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૪
તત્ત્વાખ્યાન.
ભાવાથઃ—જ્યાં બુદ્ધિગ્રાહ્ય, અતીન્દ્રિય, આત્યંતિક અને અકૃત આત્માઓથી દુર્લભ એવુ` સુખ હોય છે; તેને મામ જાણવા
કદાચ એમ કહેવામાં આવે કે અયં રાલુ વિપ્રમુ ૪: મુલી સંજ્ઞાતઃ ’ અર્થાત્ આ મનુષ્ય રોગથી મૂકાયા એથી સુખી થયા. આવા વાકયની જેમ આ સ્થળે સુખ શબ્દ કત દુઃખના અભાવના જ વાચક છે, તા તે યુકત નથી. કેમકે આ સ્થળે વપરાયેલ સુખ શબ્દ મુખ્ય સુખના વાચક છે. આત્યંતિક અને અતીન્દ્રિય એવાં વિશેષણ્ણા જ એ અને પુષ્ટિ આપે છે.
k
જે મેાક્ષમાં સુખનું સંવેદન ન હોય, જ્યાં જ્ઞાન વિગેરે આત્માના ગુણ્ણાની વિદ્યમાનતા ન હોય; તેવા મેથ્યુ માટે બુદ્ધિશાલી મનુષ્યાંની પ્રવૃત્તિ કેમ થઇ શકે ? ગાતમ મહર્ષિ પણ એથી જ કહે છે કેઃ—
“ वरं वृन्दावने रम्य क्रोष्टृत्वमभिवाञ्छितम् । न तु वैशेषिकीं मुक्ति गौतमो गन्तुमिच्छति ।। १ ।। "
ભાવાર્થ:—રમણીય વૃંદાવનમાં શિયાળપણું ચાહવુ શ્રેષ્ઠ છે, પરંતુ ગોતમ ઋષિ વૈશેષિક લેાકોથી મનાતી મુતિને પ્રાપ્ત કરવા ઇચ્છતા નથી. મુતિના વિષયમાં બન્નેના સરખા અભિપ્રાય હાવાથી આ શ્લાક અહિં ટાંકવામાં આવ્યે છે.
એ તે સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે–મુકતાવસ્થામાં ૧ તૈયાયિકાની મુકિત પણ વૈશેષિકાના મતને મળતી છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૧૮૫
પાષાણ જેવા જડ રૂપ જ બની જવાનું હોય, તેના કરતાં તે ટાકા સંસારને જ વધારે પસંદ કરે કે જ્યાં દુઃખ સાથે પણુ વચ્ચે વચ્ચે સુખના આસ્વાદ અને જ્ઞાનના અનુભવ મળે છે. અલ્પમતિ પણ બિલકુલ સુખ ન હોય તેવા સ્થાનમાં જવા કરતાં અલ્પસુખવાળા સ્થાનમાં રહેવાનુ ચાહે, એ સ્વાભાવિક છે.
નૈયાયિકા ઉપરના કથનનું આવી રીતેસમાધાન કરે કે– “ સંસારમાં દુઃખ વિનાનું ફ્કત એકલું સુખ તેા મળી શકતું નથી જ, દુઃખ અવશ્ય ત્યાગ કરવા લાયક છે. દુ:ખમિશ્રિત સુખમાંથી પૃથક્કરણ કરી એકલા દુઃખના જ ત્યાગ થઈ શકે તેમ નથી. આવી આવશ્યકતા હોવાથી દુઃખ સાથે સુખના પણ ત્યાગ કરવા પડે છે. સવથા દુઃખના ઉચ્છેદ કરવા જતાં
સ્વ સુખની આહુતી આપવી પડે; એ પણ શ્રેષ્ઠ જ ગણી શકાય, એવા કાણુ મંદમતિ હોય કે–જે સ્વલ્પ સુખ ખાતર અગણિત દુઃખ સહન કરે ? એથી સર્વથા સુખ-દુઃખ વિનાના મેક્ષ ઇચ્છવા ચૈાગ્ય છે જ. ”
મધુથી ખરડાયેલ તરવારની જેવુ' સાંસારિક સુખ દુઃખ રૂપ હાવાથી ત્યાગ કરવા લાયક છે, તેથી મુમુક્ષુએ ત્યાગ કરે પણ છે; પરંતુ તેઓ ભવિષ્યમાં મળનાર આત્યંતિક સુખને લક્ષ્યમાં રાખીને જ ત્યાગ કરે છે. વિષયનિવૃત્તિથી ઉપન્ન થનાર, વસવેદ્ય, અનુભવસિદ્ધ એવુ' સુખ જો મેક્ષમાં ન હાય તા એ મેાક્ષને લેાકેા ચાહતાં વિચાર કરે. વિષમિશ્રિત મધુ સદ્દેશ સુખને ત્યાગ કરવાની આકાંક્ષા પણ વારતવિક
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૬
તત્ત્વાખ્યાન.
સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. જેમ પ્રાણિયાને સાંસારિક સ્થિતિમાં સુખ ઇષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે; તેમ મેક્ષમાં પણ દુઃખની નિવૃત્તિ ઇષ્ટ છે, પરંતુ સુખની નિવૃત્તિ ઈષ્ટ નથી. મુકિતમાં જો આત્મિક સુખ ન હાય તા લેાકેાની પ્રવૃત્તિ તે મેળવવા તરફ્ થાય નહિ, છતાં થાય છે. માટે મેક્ષમાં અવૈષયિક આત્યંતિક સુખ હાય છે જ. એમ માનવુ જોઇએ.
“ જો સુખ સંવેદનરૂપ મેાક્ષ માનવામાં આવે, તેા તેના ઉપર રાગ થાય અને રાગ તે બંધનરૂપ હોવાથી રાગી મનુષ્યને મેાક્ષ કેવી રીતે મળી શકે ? એવા હેતુથી સુખ સ`વેદન રૂપ મેક્ષ માનવામાં આવતા નથી. ” નૈયાયિકાનું આવું કથન ન્યાય્ય નથી, કેમકે—વિષયાકિની પ્રવૃત્તિમાં હેતુભૂત સાંસારિક સુખમાં રાગ ધારણ કરવો તે જ ખંધનરૂપ થઇ શકે. પરંતુ મેક્ષ સંબંધિ સુખ તરફ રાગ તે સાંસારિક સુખની નિવૃત્તિમાં કારણભૂત હાવાથી બંધનરૂપ કેમ કરી શકાય ? મેાક્ષની સ્પૃહારૂપ રાગ પણ જ્યાં સુધી પરમેષ્કૃષ્ટકેટિ-પકશ્રેણિમાં આરુઢ ન થાય ત્યાં સુધીજ રહી શકે છે. તેવી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતાં તત્કાળ તેવા રાગ પણ સ્વયં દૂર થઈ જાય છે. એથીજ મોક્ષે મને ૨ યંત્ર, નિઃસ્પૃહૉ મુનિસત્તમઃ ' એવાં વાકય દૃષ્ટિગોચર થાય છે. એથી સુખસ`વેદનરૂપ મા માનવામાં રાગ વિઘ્નરૂપ થઇ શકતા નથી એ સ્પષ્ટ છે. ( સત્ય રૂપી સૂર્ય તરફ રાગની આશકારૂપી યહ્રાતદ્વા ધૂલિપ્રક્ષેપ વ્યથ થાય છે. ) ખરૂં જોતાં તે દુઃખનિવૃત્તિરૂપ મેક્ષ માનનારાઓના મતમાંજ એ દોષ ઘટી શકે છે. કેમકે જ્યાં સુધી
Page #212
--------------------------------------------------------------------------
________________
તત્વાખ્યાન.
૧૮૭
દુખની નિવૃત્તિ કરવા કષાયકલુષિત ભાવ-દ્વેષ હેય, ત્યાં સુધી માક્ષ કેમ મળી શકે? કારણ કે-દ્વેષ સંસારમાં પતન કરાવે છે. તેથી સમસ્ત કર્મોને ક્ષય એજ મોક્ષ છે.” એમ માનવામાં દેષને લેશ પણ અવકાશ મળતું નથી.
સ્યાદ્વાદવાદિને અમુક અપેક્ષાએ બુદ્ધિ વિગેરે ગુણોને મુકતાવસ્થામાં કથંચિત ઉચ્છેદ માનવામાં હાનિ નથી. નૈયાયિકે બુદ્ધિને જ્ઞાનના પર્યાયરૂપ કહે છે. સ્યાદ્વાદવાદિયે મતિ ૧, અત ૨, અવધિ ૩, મન:પર્યવ ૪, અને કેવલજ્ઞાન ૫, એમ પાંચ પ્રકારનાં જ્ઞાન માને છે. તેમાંથી પ્રથમનાં ચાર સાન ક્ષાપશમિક હોવાથી પંચમ ક્ષાયિક કેવળજ્ઞાન પ્રકટ થતાં નષ્ટ થઈ જાય છે. આવી રીતે નિયાચિકેના મતને મળતા થઇ શકાય છે, પરંતુ કેવળજ્ઞાન તે ક્ષાયિક, નિષ્કલંક, આત્મસ્વરૂપ હોવાથી મુકતાવસ્થામાં રહે છે જ.
- ઉપસંહાર. - જનધર્મ
” અર્થાત્ ધર્મ અને અધર્મને ક્ષય એજ મેક્ષ છે. મુકિતમાં ધર્મ અને અધર્મને અભાવ હેવાથી, તેનાથી ઉત્પન્ન થતાં સાંસારિક વૈષયિક સુખ-દુઃખો હતાં નથી, પરંતુ વિષયથી નિરપેક્ષ, પરમાર્થિક આત્યંતિક સુખ અવશ્ય હોય છે.
જેમ તૈયાયિકે મેક્ષમાં આત્માના વિશેષ ગુણેને ઉચ્છેદ માને છે, તેમ જેનો પણ અમુક અપેક્ષાએ માને છે. અપેક્ષા
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮
તવાખ્યાન,
સમજમાં આવી જાય તે લગાર માત્ર વિરે રહી શકે નહિ જેમકે ઇચ્છા અને દ્વેષ એ બન્ને મેહરૂપ મનાય છે, જેનો સુકતાવસ્થામાં મેહને વિનાશ માને છે. અજરામર સ્થાનમાં જનાર આત્મા કૃતકૃત્ય હોવાથી તેને ક્રિયા વ્યાપારરૂપ પ્રયત્ન હેતે નથી, એમ સ્યાદ્વાદવાદિયે સ્વીકારે છે છતાં વીયન્તરાયના ક્ષયથી ઉત્પન્ન થતુ અનન્ત સામર્થ્ય તે મુક્તાવ
સ્થામાં અવશ્ય મનાય છે. સંસ્કાર તે મતિજ્ઞાનરૂપ હોવાથી મિહના વિનાશમાંજ વિનષ્ટ થઈ જાય છે. સારાંશ એટલેજ છે કે-એક્ષમાં આત્માના ક્ષાયિક ગુણો અવશ્ય રહે છે. સત્યતત્વ જિજ્ઞાસુ વિચારક વર્ગને આ ગ્રંથમાંથી કાંઈક જાણવાનું જરૂર મળશે. એ સત્યતત્તવને દર્શાવી સ્વપરનું હિત સધાવવામાં આ ગ્રંથ કઈ પણ અંશે ઉપકારક નીવડશે તે હું મારા પરિશ્રમની સફલતા માનીશ. મધ્યસ્થ સજજને આ ગ્રંથથી શ્રેય સાધે. એજ આકાંક્ષા સાથે વિરમવામાં આવે છે. ૩ નિત્તા
આઠમો પ્રસ્તાવ સમાપ્ત,
Page #214
--------------------------------------------------------------------------
________________
प्रस्ताव नवमो.
E
વૈશેષિક દર્શનકારે માનેલા પદાર્થોનું આચાર સહિત આ પ્રસ્તાવમાં પ્રતિપાદન કરવામાં આવશે. જો કે ઈશ્વર વિષયની માન્યતા નૈયાયિકેના જેવી જ હોવાથી તેનું અત્ર વિવેચન કરવામાં આવતું નથી, તે પણ સુષ્ટિસંહારની વિધિના પ્રતિપાદનદ્વારા કંઈક કહેવામાં આવશે.
જગતને કર્તા વ્યાપક સર્વજ્ઞ એવી છે કે વ્યકિત. હોય તેને અનાદિ અનન્ત ઈશ્વરરૂપે સમજવું.
કણુદ વષિની ઓળખાણુ. - આ મતના પ્રથમ પ્રચારક કણદ નામના મહર્ષિ હતા.' તેઓને કણાદ નામ આપવામાં એક દન્તકથા પણ શ્રવણગોચર થાય છે. તેઓ ગલીઓમાં પડેલા ચેખા વિગેરે. ધાન્યના કણેને એકઠા કરીને આહાર કરતા હોવાથી કણાદ. એવું સાર્થક નામ પ્રચલિત થયું. તેજ કણાદ મહર્ષિની અગાડી મહેશ્વરે ઉલૂકના રૂપથી આ મતને પ્રચાર કરેલ હોવાથી આ દર્શનનું નામ ઐકય પણ સમજવું. આજ વાતની પુષ્ટિ પ્રશસ્તપાદભાષ્યના પ્રાન્તને બ્લેક પણ કરી આપે છે –
योगाचारविभूत्या यस्तोषयित्वा महेश्वरम् । चके वैशेषिकं शास्त्रं तस्मै कणभुजे नमः ॥
( જુઓ કાશીમાં છપાયેલ પૃ. ૩૨૯).
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૦
તત્ત્વાખ્યાન.
ભાવા—યાગ અને આચારની વિભૂતિ દ્વારા જેણે મહેશ્વરને ખુશી કરીને વૈશેષિક શાસ્ર મનાવેલ છે તે કણાદ ઋષિને નમસ્કાર થાએ.
તથા તેજ઼ ભાષ્યની પ્રસ્તાવનાના અગીઆરમાં પૃષ્ઠમાં આ પ્રમાણે પણ જણાવેલ છે-પળાવાય મુયે સ્વયમીશ્વરऊलुकरूपधारी प्रत्यक्षीभूय द्रव्य-गुण-कर्म-सामान्य-विशेष समवायलक्षणं पदार्थ षट्कमुपदिदेश तदनु स महर्षिर्लोकानुकम्पया षट्पदार्थ रहस्य प्रपञ्च न पराणि सूत्राणि रथयां चकार ।
ભાવાર્થ –મહાદેવે પોતે કણાદ મુનિની અગાડી ઉલુક (ઘુવડ) નું રૂપ ધારણ કરીને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય-આ છ પદાના ઉપદેશ કર્યો. ત્યાર આાદ તે મહર્ષિ એ લેાકાની અનુકપાને લઇને છ પદાર્થોના રહસ્યના ફેલાવા કરવા સારૂ સૂત્રોની રચના કરી. આ ઉપરથી એમ સ્પષ્ટ સમજાય છે કે–મહાદેવે તે ધ્રુવળ છ પદાર્થના નામ માત્રથીજ ઉપદેશ કરેલ છે, પરન્તુ તે પદાર્થોને સૂત્રમાં ઝુમ્નન કરી વિસ્તાર રૂપે સ્પષ્ટ સમજાવાનુ કામ તા મહર્ષિ કણાદ કરેલુ છે. તે મહષિ પશુપતિના ભકત હાવાથી તેમનુ પાશુપત પણ શ્રીનું નામ સમજવુ. કાન્તના જે શિષ્યા હાય કાણાદ કહેવાય છે.
તે
હવે વૈશેષિક દર્શન નામ આપવાનું કારણ સમજાવવામાં આવે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
તરFRખ્યાન
૧૯૧
વિશેષ એ છ પદાર્થનું પાંચમું તત્વ છે, તે દરેક નિત્ય દ્વવ્યની ઉપર તથા એક પરમાણુ બીજા પરમાણુથી ભિન્ન છે. વિશેષ હોવાથી. આ પ્રકારે પરમાણુઓનું ભેદ જ્ઞાન કરાવવામાં કારણભૂત તરીકે વિશેષ પદાર્થ માનવામાં આવેલ છે તેના અવલંબનથી પ્રવૃત્તિ થયેલી હોવાથી આ દર્શનનું વૈશેષિક દર્શન નામ આપવામાં આવેલ છે. એ તે ઉપલક્ષણ હોવાથી છ પદાર્થોને માનવાવાળા વૈશેષિક કહેવાય અને તેનું જે દર્શન કહેતાં મન્તવ્ય, તે વૈશેષિક દર્શન કહેવાય.
આ દર્શનના સાધુઓના આચાર–વેષ વિગેરે નૈયાયિકેની માફકજ છે. એજ કારણથી પિષ્ટપેષણ કરવામાં આવતું નથી.
તનું નિરૂપણ. द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायानां षण्णां पदार्थानां साधर्म्यवैद्याभ्यां तत्वज्ञानं निःश्रेयसहेतुः ।
પ્રશસ્તપાદભાષ્ય પૃ. ૬ કાશીમાં છપાયેલ છે તે. ભાવાર્થ-દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાયઆ છ પદાર્થોનું સાધમ્ય–વૈધમ્ય દ્વારા જે તત્ત્વજ્ઞાન થાય, તેનેજ મોક્ષનું કારણ સમજવું. આ પ્રાચીન લેકેનું સન્તવ્ય છે. નવીન લોકો અભાવ સહિત સાત પદાર્થોનું સાધ
ર્ય વૈધ દ્વારા જે જ્ઞાન થાય તેને એક્ષનું કારણ માને છે અને તે મિક્ષ પણ એકવીસ પ્રકારના દુખના ધ્વંસરૂપ સમજે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૨
તત્ત્વાખ્યાન.
આ મતમાં જે ક ́ઇ પદાર્થોનુ. વિવેચન કરવામાં આવશે, તે પ્રશસ્તપાદભાષ્ય અને તેની ટીકા, ન્યાયકન્દલી મુક્તાવલી તેની ટીકા દિનકરી વિગેરે ગ્રન્થાના આધારે સમજવું'
अथ के द्रव्यादयः पदार्था, किंच तेषां साधर्म्य वैधर्म्य च । तत्र द्रव्याणि पृथिव्यप्तेजोवाय्वाकाशकाल दिगात्ममनांसि सामान्यविशेषसंज्ञयोक्तानि न वैवतद् व्यतिरेकेणान्यसंज्ञानभिधानात् ।
પ્રશસ્તપાદભાષ્ય-પૃ૦ ૮.
ભાવાર્થ :-દ્રવ્ય, ગુણ વિગેરે પદાર્થોનું સ્વરૂપ કેવા પ્રકારનુ છે તથા તેના અવાન્તર ભેદ કેટલા છે અને તેઓનુ સાધસ્ય ધમ્ય શી ચીજ છે તે સર્વ અનુક્રમે બતાવવામાં આવે છે.
જેમાં દ્રવ્યત્વ નામના અપર સામાન્યના સમન્ય હોય તે દ્રવ્ય કહેવાય, અથવા કાની સમવાયિ-કારણુતા જેમાં હાય તે પણ દ્રવ્ય કહેવાય. તેના નવ ભેદ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન યા અંતઃકરણ, આ નવ તત્ત્વા સામાન્ય રૂપે દ્રવ્યના નામે ઓળખાય છે. આથી અધિક બીજા દ્રબ્યા ન હેાવાથી સૂત્રમાં એવકારના પ્રયોગ કરવામાં આવેલ છે. જો બીજા પણ કદાપિ વિદ્યમાન હાત તા પૃથ્વી વિગેરે ની માફ્ક એના પણ નામ-નિર્દેશ કરવામાં આવત. જ્યારે છે જ નહિ ત્યારે ક્યાંથી કરવામાં આવે સહેજ સમજી શકાય,
Page #218
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
કર્મના ભેદ. દ્રવ્યને ઓળખાવવા માટે બીજું પણ લક્ષણ છે. જે ગુણ અને ક્રિયાને આધારભૂત તે દ્રવ્ય કહેવાય. આ લક્ષણ પણ બીજાઓમાં ઘટતું ન હોવાથી આથી અધિક દ્રવ્ય છેજ નહિ એ પણ ખૂબ ધ્યાનમાં રાખવું.
અધિકની શંકા અને તેનું સમાધાન. પ્રશ્ન–અન્ધકાર, છાયા વિગેરેમાં પણ દ્રવ્યનું જે લક્ષણ બાંધવામાં આવેલ છે તે સંપૂર્ણ રીતે ઘટે છે, તથા પ્રત્યક્ષ પ્રમાણથી નીલ ગ્રુપ દ્વારા તેનું પ્રત્યક્ષ થતું હોવાથી અન્ધકાર, છાયાને દ્રવ્ય માનવામાં બાધક કેઈ છેજ નહિ. અનુમાન પ્રમાણ પણ તેમાં દ્રવ્યપણું સિદ્ધ કરી આપે છે. રૂપાદિ ગુણો હોવાથી પૃથ્વી વિગેરેની માફક શીત સ્પર્શ હેવાથી શીત સ્પર્શના આધારરૂપે એને દ્રવ્ય સમજવું. આ અન્ધકાર બીજે છે, આ એથી ન્યારો છે, એવા પ્રકારની ભિન્ન ભિન્ન પ્રતીતિને લઈને, આ અન્ધકાર ચાલ્યા ગયે, આ બીજો આબે, વિગેરે ક્રિયાઓને લઈને પણ દ્રવ્ય માનવામાં લગાર માત્ર જ્યારે અડચણ નથી ત્યારે શા માટે એને જુદું દ્રવ્ય ન માનવું જોઈએ ?
ઉત્તર–અન્ધકાર, છાયા વિગેરેને તેજના અભાવ રૂપ માનવાથી સર્વ વ્યવહારની ઉપપત્તિ થાય છે, તે શા માટે જુદા પદાર્થ તરીકે અન્ધકાર, છાયાને માનવું જોઈએ?
13
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૪
તજ્યાખ્યાન,
પ્ર–અભાવ રૂપ માનવામાં તે અભાવમાં રૂપાદિ ગુણે તથા ગમનક્રિયા વિગેરે જે પ્રતીત થાય છે તે છેજ નહિ તે તેની ઉપપત્તિ કેવી રીતે કરશે ?
ઉ.રૂપાદિ ગુણે તે વાસ્તવિક રીતે જોતાં એમાં છે જ નહિ, કિન્તુ ખાલી બ્રાન્તિ જ છે.
પ્ર–બ્રાન્તિ તે ત્યાંજ હોઈ શકે કે જ્યાં ઉત્તરકાલમાં આધજ્ઞાન થતું હોય. જેમકે પ્રથમ દરની દેરીની અન્દર સર્પજ્ઞાન થયું. જ્યારે તેની પાસે ગયા ત્યારે યથાર્થ દેરીનું જ્ઞાન થવાથી સર્પનું જ્ઞાન નિવૃત્ત થયું. તેવાજ સ્થલમાં પ્રવેમના સર્ષના જ્ઞાનને ઉત્તરકાલમાં થયેલ દેરીને જ્ઞાનની અપેસાએ બ્રાન્તિ રૂપ માની શકાય. પરંતુ અન્ધકાર, છાયા વિગેરેમાં જે રૂપાદિ ગુણોનું તથા ગમનાગમન કિયાનું જ્ઞાન થાય છે, તે જ્ઞાનને ભ્રાન્તિરૂપ ઠરાવવામાં કોઈપણ કાળમાં બાધકશાન થતું જ નથી. આ અન્ધકાર નીલરૂપવાળું નથી તથા આમાં શીત સ્પર્શ પણ નથી; કિન્તુ ઉષ્ણ સ્પર્શ છે. આવા પ્રકારનું બાધક છે જ નહિ. ત્યારે કહે કે એને બ્રાન્તિ રૂપે માનવાનું શું કારણ છે, તથા કિરણાવવીકાર પણ અન્ધકારને દ્રવ્ય માનવામાં પ્રમાણભૂત છે—તમે હજુ વ૮ ની પરાपरविभागवत् प्रसिद्ध द्रव्य वैधान्नवभ्यो भेटुमर्हति ।
ભાવાર્થ –અન્ધકાર ગમનકિયાવાળું તથા નીલરૂપ, પરત્વ, અપરત્વ અને વિભાગ વિગેરે ગુણ વાળું છે તથા પ્રસિદ્ધ દ્રની સાથે વિધર્મતા હોવાથી નવ દ્રવ્યોથી અલગ માનવું જોઈએ.
Page #220
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
૧૯ષ
–અન્ધકાર, છાયા વિગેરેને દ્રવ્ય માનવામાં બીજે તે કઈ પણ દેશ કે નથી, તે પણ એને અલગ દ્રવ્ય માનવામાં અને તેના અવયની કલ્પના કરવામાં ગૌરવ દેષ આવતું હોવાથી અલગ દ્રવ્ય રૂપે સ્વીકારવામાં એ બે પદાર્થો આવતા નથી. કિન્તુ તેજના અભાવરૂપ તે બેદ્ર સમજવા. વળી સૂત્રકારે પોતે પણ નવથી અધિક દ્રવ્ય જ્યારે બતાવ્યા નથી ત્યારે અમારાથી અલગ કેમ માની શકાય? આ વાત મુક્તાવલીની ટીકા દિનકરીમાં સ્પષ્ટરૂપે સમજાવેલ છે. પૃષ્ટ ૬૧ થી લઈ ૬૪ સુધી એનું વિવેચન કરવામાં આવેલ છે. આ સામાન્યરૂપે દ્રવ્યની સમજુતી આપવામાં આવી છે.
સામાન્ય રૂપે ગુણેના ભેદે. રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયન આ સત્તર ગુણોને સૂત્રકારે સૂત્રમાં સાક્ષાત્ બતાવેલા છે. ગુરૂત્વ, દ્રવત્વ, નેહ, સંસ્કાર, અદષ્ટ અને શબ્દ આ સાત ગુણેને સૂત્રમાં રહેલા ચકારથી સૂચિત કરેલા છે. એકંદર વીસ ગુણેને માનવામાં આવેલ છે.
કર્મના ભેદ. ઉલ્લેષણ, અપક્ષેપણું, આકુચન, પ્રસારણ અને ગમનઆ પાંચ ભેદે છે. બ્રમણ, રેચન, સ્પન્દન, ઊર્ધ્વજવલન, તિર્યક્રપતન, નમન, ઉત્તમન વિગેરે કર્મના ભેદે ગમનરૂપ હોવાથી તેઓને ગમનમાં અન્તર્ભાવ કરવામાં આવે છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૬
તત્ત્વાખ્યાન.
ઉલ્લેષણ વિગેરે જો કે ગમનરૂપ હાવાથી તેના પણ ગમનમાં અન્તર્ભાવ થઈ શકે છે.તાપણુ શિષ્યવને સ્પષ્ટ રૂપે જ્ઞાન થાય એટલા માટે અલગ બતાવવામાં આવે છે,
સામાન્યના ભેદ.
6
"
પર સામાન્ય અને અપર સામાન્ય એવી રીતે સામાજ્યના બે ભેદ છે. અઁ સત્ ગુણઃ સન્ મે સત્ ' દ્રવ્ય છે, ગુણ છે અને કમ છે, એવા જ્યાં પ્રતિભાસ થાય ત્યાં આ ત્રણ પદાર્થની ઉપર સત્તાના સમન્યથી પર સામાન્ય માનવામાં આવે છે. એવુ જ મહા સામાન્ય ખીજું નામ છે. દ્રશ્યત્વ, ગુણત્વ, કત્વ, તેમાં દ્રવ્યત્વ વિગેરે ધર્મો એક એક પદાર્થોમાં રહેલા હાવાથી અલ્પ વિષયને લઈને તેઓનું અપર સામાન્ય નામ આપવામાં આવે છે. પર સામાન્ય તા અનુવૃત્તિ તથા વ્યાવૃત્તિ રૂપ પણ છે.
વિશેષના ભેદ્દે.
નિત્ય દ્રવ્યની ઉપર રહેવાવાળા અને પરમાણુઓમાં એક બીજાના ભેદ જ્ઞાનમાં કારણ ભૂત જે હોય તે વિશેષ કહેવાય. તેના અનન્ત ભેદો છે. પરમાણુ વિગેરે જેટલા નિત્ય પદાર્થો તેટલા વિશેષા સમજવા.
સમવાય.
એક બીજાને છોડીને નહિ રહેવાવાળા જે આધાર આધે
Page #222
--------------------------------------------------------------------------
________________
તરજાખ્યાન.
૧૯૭,
યભૂત પદાર્થો તેને સંબન્ધ થવામાં અર્થાત્ આ તત્ત્વમાં પટ છે, આ લાકડામાં કબાટ છે, એવું જ્ઞાન થવામાં જે નિમિત્ત હેય તેને આ ઠેકાણે સમવાય કહેવામાં આવે છે. તેના અવાક્તર ભેદ નહિ હેવાથી તે એકજ છે.
સાધમ્ય વેધસ્યનું સ્વરૂપ. અસ્તિપણું, સ્વરૂપવત્તા, યપણું, વાચ્યપણું, પ્રમેયપણું વિગેરે ધર્મોને દરેક પદાર્થમાં સરખી રીતે રહેવાપણું હોવાથી તે ધર્મોનું છ પદાર્થોની સાથે સાધમ્ય સમજવું.
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ–આ પાંચની અન્દર, સમાયિપણું તથા અનેકપણું આ બે ધર્મોનું સાધયે છે.
સત્તા સંબન્ધરૂપ સાધમ્ય દ્રવ્ય, ગુણ, કર્મ આ ત્રણમાં સમજવું.
કારણવાળા પદાર્થોમાં કાર્ય પણું, અનિત્યપણું આ છે ધર્મોનું સામ્ય છે. પરમાણુનું પરિમાણ, દ્વયશુકનું પરિમાણ, આકાશ, કાલ, દિશા, આત્મા, આચારનું પરિમાણ આટલા પરિમાણમાં કેઈનું કારણુપણું નહિ હોવાથી આટલા પરિમાણને છેવને દ્રવ્યાદિ ત્રણની અંદર કારણુપણારૂપ સાધમ્ય છે.
પૃથ્વી, જલ, તેજ, વાયુ અને મન–આ પાંચમાં ક્રિયાપાશું તથા મૂર્ણપણારૂપ બે ધર્મોને લઈને સાધમ્ય સમજવું.
આકાશ, કાલ, દિશા, આત્મા, આ ચારમાં વ્યાપકપણું તથા પરમ મહત્ત્વ આ બે ધર્મોને લઈને સાધમ્ય સમજવું.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮
તવાખ્યાન,
પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ પાંચમાં ભૂતપણું, જુદી જુદી બાહા ઇન્દ્રિયથી ગ્રહણ કરવાપણું તથા વિશેષ ગુણરૂપ ધર્મોને રહેવાથી તેઓનું તે સાધમ્ય સમજવું.
પૃથ્વી વિગેરે ચાર દ્રવ્યની અન્દર દ્રવ્યનું આરંભકપણું તથા ગુણ-આ બે ધર્મોને લઈને સાધમ્ય સમજવું.
પ્રત્યક્ષપણું, રૂપપણું, દ્રવત્વ, આ ત્રણ ધર્મોને પૃથ્વી, જલ અને તેજમાં રહેલા હોવાથી તેઓનું તે સાધમ્ય સમજવું.
પૃથ્વી, પાણીમાં ગુરૂત્વને સમવાય તથા રસના સમવાયને લઈને સાધમ્ય સમજવું.
વિશેષ ગુણને લઈને પાંચ ભૂતમાં સાધચ્ચે રહેલ છે.
પૃથ્વી, જલમાં નૈમિત્તિક દ્રવત્વનું સામ્ય છે. એવી રીતે દરેક ઠેકાણે જે ધર્મો જેમાં ઘટતા હોય, તે તેઓના સાધર્મે, અને જે ન ઘટતા હોય તે તેઓનું વૈધમ્ય સમજવું.
દ્રવ્યનું વિશેષ રૂપથી નિરૂપણ પ્રશસ્તભાષ્ય પૃ. ૨૦
પૃથ્વીત્વ જાતિને જેમાં સંબન્યું હોય તે પૃથ્વી કહેવાય, અથવા અન્ય ગુણવાળી જે હેય તે પૃથ્વી કહેવાય. રૂપ, રસ, ગન્ય, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સાગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરૂત્વ, વત્વ અને સંસ્કાર–આ દ પૃથ્વીના
Page #224
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૧૯૯
ગુણે સમજવા. રૂપના પાંચ ભેદ છે–શુકલ, નીલ, રક્ત, પીત અને કૃષ્ણ ગન્ધના બે ભેદ છે–સુરભિ ગન્ધ અને દુરભિ ગ. રસના પાંચ ભેદ છે–મધુર, ખાટે, તીખે, કડ, કષાયેલ.. સ્પર્શના ત્રણ ભેદ-શીત, ઉષ્ણ, અનુષ્ણશીત. બીજા ગુણના અવાન્તર ભેદે પ્રસંગે કહેવામાં આવશે.
પૃથ્વીના બે ભેદ છે-નિત્ય, બીજી અનિત્ય. પાર્થિવ પરમાણુને નિત્યપૂથ્વી સમજવી. અનિત્ય પૃથ્વીના શરીર, ઈન્દ્રિય અને વિષયરૂપ ત્રણ ભેદ સમજવા.
શરીરના બે ભેદ-નિજન્ય અને અનિજન્ય. દેવતાએ તથા ત્રષિએનાં શરીર તે શુક શેણિતની અપેક્ષા રાખ્યા સિવાય ધર્મ વિશેષ સહિત પરમાણુ થકી ઉત્પન્ન થયેલ છેવાથી તે શરીર અનિજન્ય સમજવું.
કીડી, મંકી વિગેરે ક્ષુદ્ર જતુઓનું શરીર અધર્મવિશેષસહિત પરમાણુથી ઉત્પન્ન થયેલ હોવાથી તે શરીર અનિજ કહેવાય.
શકશેણિતના સંનિપાતથી ઉત્પન્ન થયેલ નિજન્ય શરીરના બે ભેદે છે.– જરાયુજ, બીજુ અંડજ. મનુષ્ય, પશુ. મૃગ વિગેરેનું જરાયુજ સમજવું.
અર્થાત–પિતાનું શુક્ર અને માતાનું શનિ એ. ચીજને સંબન્ધ થયા બાદ જઠરાગ્નિના સંબધથી - તના આરંભક પરમાણુમાં પ્રથમના રૂપને નાશ પછી.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૦
તેવાજ ખીજા ગુણ્ણાની ઉત્પત્તિ થયા બાદ ઢચણુકથી લઇને કલલ પર્યંન્ત થાય છે. તેમાં અન્તઃકરણના પ્રવેશ થાય છે. પરન્તુ મનને શરીરાશ્રિત માનવામાં આવેલ હોવાથી પ્રથમની શુક્રશાણિત અવસ્થા શરીરરૂપ ન હાવાથી તે અવસ્થામાં કેવી રીતે માની શકાય ? માટે કલલાવસ્થામાં માનવુ' ઉચિત ગણાય, તેજ કલલ અવસ્થાની અન્દર માતાના આહારના રસ લગાર લગાર સંક્રમ થાય છે. અષ્ટને લઇને ફરીથી જઠરાગ્નિ ના સંબન્ધથી લઇ કલલ અવસ્થાના આરંભક પરમાણુમાં ક્રિયા વિભાગાદિ ક્રમથી કલલ શરીરના નાશ થયા બાદ અષ્ટ વશથી ઉત્પન્ન થઈ છે ક્રિયા જેમાં—એવા આહારના પરમાણુઆ મળીને ખીજું શરીર આરભ કરે છે. આ પ્રકારની કલ્પના નિરન્તર શરીરના વિષયમાં સમજવી.
પક્ષી તથા સરીસૃપેનુ' અ’ડજ શરીર સમજવુ,
પ્રાણઇન્દ્રિયની સમજણુ
ગન્ધને ગ્રહણ કરવાવાળી અને પૃથ્વીના અવયવાથી અનેલી હાવાથી ઘ્રાણેન્દ્રિય પાર્થિવ કહેવાય છે. પાર્થિવ વિષચના ત્રણ ભેદ છે. નીચી ઉ‘ચી પૃથ્વી પ્રાકાર છટા વિગેરે માટી રૂપ પાર્થિવ વિષય સમજવા.પત્થરની શિલા સૂર્યનીલકાન્તાદિ મણિ, વજ્ર, હીરા વિગેરે પાષાણુ રૂપ પાર્થિવ વિષય સમજવા.
ઘાસ, ઘઉં, જવ વિગેરે ઓષધિ, પુષ્પ અને ફળવાળાં
તત્ત્વાખ્યાન.
Page #226
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૨૦૧
વૃ, પુષ્પ સિવાય ફળ ના હોય તે વનસ્પતિ, ઉદુમ્બર વિગેરે, લતા, ગુલ્મ–આ સર્વ સ્થાવર પૃથ્વી સમજવી. ઉપભેગનું જે સાધન હોય તે વિષય કહેવાય, એજ વિષયપદનો અર્થ સમજ.
જલનું નિરૂપણ. - શીત સ્પર્શવાળું જે હોય તે જળ કહેવાય. તેમાં રૂપ, રસ, સ્પર્શ, દ્રવત્વ, સ્નેહ, સંખ્યા, પરિમાણ, પૃથર્વ, સાગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરૂત્વ સંસ્કાર–આ ચાદ ગુણે છે. રૂપ કેવળ અભાસ્કર શુકલ સમજવું. રસ મધુર સમજ. સ્પર્શ શીત સમજે. દ્રવત્વ સ્વભાવ સિદ્ધ હોવાથી સાંસિદ્ધિક સમજવું. તે જલના બે ભેદે છે. એક નિત્ય, બીજું અનિત્ય. નિત્ય પરમાણું રૂપ છે. અનિત્ય કાર્યરૂપ છે. તેના ત્રણ ભેદ છે. શરીર, ઈન્દ્રિય, વિષય. શરીર કેવળ અનિજ વરૂણ લેકમાં પ્રસિદ્ધ છે. તે પણ પાર્થિવ અવયના ભેગા મળવાથી ઉપભોગનું સાધન થઈ પડે છે, કેવળ જલના શરીરથી ઉપભેગ બની શકે નહિ, કિન્તુ જલની પ્રધાનતા હોવાથી તે શરીર જલીય કહેવાય છે.
જલના અવયવોથી બનેલી રૂપાદિની મધ્યમાં રસનું જ ગ્રહણ કરતી હોવાથી સકતુના રસને પ્રકાશક જલની માફક રસના ઈન્દ્રિય પણ જલની બનેલી હેવી જોઈએ.
નદી, તળાવ, કુવા, ટાંકુ, સમુદ્ર, હિમ અને કરા વિગેરે જલના વિષયે સમજવા,
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૨
તત્વાખ્યાન.
તેજનું નિરૂપણ. ઉષ્ણ સ્પર્શ જેમાં હેય તે તેજ કહેવાય. રૂપ, રસ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, દ્રવત્વ, સંરકાર–એ અગીઆર ગુણે તેજમાં સમજવા. રૂપ ભાસ્વર શુકલ છે. સ્પર્શ ઉષ્ણ હોય છે. તેના બે ભેદ છે. નિત્ય અને અનિત્ય. નિત્ય તેજ પરમાણુનું સમજવું. કાર્યરૂપ
અનિત્યના ત્રણ ભેદ છે. શરીર, ઇન્દ્રિય, વિષય. પાર્થિવ અવચના સંયેગ સહિત તેજથી બનેલું તેજસ શરીર કેવળ અનિજ છે, અને તે પણ આદિત્ય લેક સિવાય બીજે સમજવું નહિ.
પૃથ્વી વિગેરેના અવયથી અભિભૂત નહિ થયેલ એવા તેજના અવયવથી બનેલી અને ગબ્ધ વિગેરે ગુણેમાંથી કેવળ રૂપનું જ ગ્રહણ કરતી હોવાથી ચક્ષુ ઈન્દ્રિય તૈજસ છે. દિવ્ય, આદર્ય, ભામ, આકરજ લાકડાં વિગેરેથી ઉત્પન્ન થયેલ ઉર્વજવલન સ્વભાવવાળે, પકાવવું, બાળવું વિગેરે કાર્યો કરવામાં જે સમર્થ હોય તે ભામ તેજ કહેવાય. વિજળી વિગેરે દિવ્ય તેજ કહેવાય. કરેલા આહારને રસાદિ રૂપે બનાવવામાં જે કારણ હોય તેવા જઠરાગ્નિને આદર્ય તેજ કહેવામાં આવે છે. સુવર્ણ વિગેરે આકરજ તેજ કહેવાય.
Page #228
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૦૩
વાયુતત્ત્વનિરૂપણ.
: પાકથી પેદા નહિ થયેલ એવા અનુષ્ટુાશીત સ્પર્શ વાળે જે ડાય તે વાયુ કહેવાય.
સ્પર્શી, સંખ્યા, પરિમાણુ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ અને સંસ્કાર–આ નવગુણ્ણા વાયુમાં સમજવા. તેના બે ભેદ છે. નિત્ય અને અનિત્ય. નિત્યવાયુ પરમાણુ રૂપ સમજવા. અનિત્યવાયુના ત્રણ ભેદ છે. શરીર, ઇન્દ્રિય, વિષય, પૃથ્વીના અવયવા સહિત વાયુથી બનેલું અાનિજ મરૂત લાકમાં છે.
પૃથ્વી વિગેરેના અવયવાથી અભિભૂત નહિ થયેલ એવા વાયુના અવયવોથી બનેલી અને સ્પર્શ'ને ગ્રહણ કરવા વાળી સ્પર્શનઇન્દ્રિય વાયુની સમજવી. રૂપાદિની મધ્યમાં સ્પર્શીને ગ્રહણ કરવાવાળી હાવાથી શરીરમાં લાગેલ જલની શીતળતાના પ્રકાશક ૫ ખાના પવનની માફક સ્પર્શી શબ્દ વિગેરે વાયુને ઓળખવાનાં ચિહ્નો સમજવાં. રૂપાદિ ગુણાથી રહિત જે આ સ્પર્શ માલુમ પડે છે તેના આધાર કાઇ હાવા જોઇએ. સ્પશ પણુ* હાવાથી પૃથ્વીના સ્પર્શની માફક. જે પાંદડાંમાં શબ્દ સભળાય છે તે સ્પશવાળા દ્રવ્યના સચેાગથી ઉત્પન્ન થયેલા હાવા જોઇએ. દડના અભિઘાતથી થયેલ ભેરી શબ્દની માફ્ક પાંદડાં વિગેરેનુ આકાશમાં જે અસ્થાન છે, તે સ્પર્શીવાળા દ્રવ્યના સયાગનુ કાર્ય હાવુ' જોઈએ. પ્રયત્ન, વેગ વિગેરે કાર
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૪
તાખ્યાન
ણના અભાવમાં પણ અવસ્થાનપણું હોવાથી. જળની ઉપર રહેલ પાંદડાની જેમ. વૃક્ષ વિગેરેનું કંપવું તે પણ સ્પર્શવાળા દ્રવ્યના સંગથી થયેલું હોવું જોઈએ. વિલક્ષણ કપપણું હેવાથી નદીના પૂરથી હણાયેલા વેતસ વિગેરેના કંપની માફક. આ સર્વે અનુમાનથી વાયુની સિદ્ધિ સમજવી. તે પ્રત્યક્ષ નહિ હોવાથી એની સિદ્ધિમાં અનુમાન પ્રમાણ આપવામાં આવેલ છે. શરીરમાં રહેલ વાયુના પાંચ ભેદ છે – અપાન, વ્યાન, ઉદાન, સમાન અને પ્રાણ. આ ભેદ પણ ક્રિયાની ભિન્નતાથી કરવામાં આવેલા છે. મળ, મૂત્ર વિગેરેને નીચે લઈ જવાનું જે વાયુ કામ કરે તેને અપાન વાયુ કહેવામાં આવે છે. આહારથી બનેલ રસ અને ધાતુ વિગેરેને ગર્ભ નાડીમાં જે વાયુ ફેલા કરે તેને વ્યાન વાયુ કહેવામાં આવે છે.
અન્ન, પાન વિગેરેને ઊર્વ લઈ જવાનું જે વાયુ કામ કરે તેને ઉદાન વાયુ કહેવામાં આવે છે. આહારને પકાવવા માટે જઠરાગ્નિને સર્વ ઠેકાણે સરખી રીતે લઈ જવાનું જે વાયુ કામ કરે તે સમાન વાચુ કહેવાય. મુખ, નાસિકા દ્વારા , જે વાયુ કાઢવામાં આવે તે પ્રાણ વાયુ કહેવાય. પ્રશસ્ત ભાષ્ય, પૃષ્ટ ૩૮.
સુષ્ટિસહારનું નિરૂપણ બાર હજાર વર્ષને ચતુગ કહેવાય. એવા હજાર ચતુ
Page #230
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૦૫
ઈંગને એક બ્રહ્માને દિવસ. એવા સો વર્ષના છેડે વર્તવાવાળા જે બ્રહ્માજી, તેની મુક્તિ કાલમાં સંસારની વિવિધ અવસ્થામાં વારંવાર નવા શરીરને ગ્રહણ કરી થાકી ગયેલા તથા ગર્ભવાસના દુઃખેથી દુઃખિત થયેલા પ્રાણીઓને રાત્રિમાં વિસામે લેવાની ખાતર અર્થાત્ કેટલાક કાલ સુધી સર્વ દુઃખને શાન કરવા સારૂ મહાદેવને જગતને સંહાર કરવાની ઈચ્છા થાય છે. તેની પછી શરીર ઈન્દ્રિ અને મહાભૂતને આરંભક તથા દરેક આત્માની અન્દર રહેલ જે અદષ્ટ તેની શક્તિને પ્રતિબન્ધ (કાવટ) થાય છે, તે વખતે ભાવિકાસમાં તેજ કાલમાં તેજ શરીર, ઈન્દ્રિ, મહાભૂત વિગેરેની ઉત્પત્તિ જે થવા વાળી છે તે બન્ધ થાય છે, તથા ઉત્પન્ન જે થયેલ છે તેના વિનાશ માટે મહાદેવને સંહારની ઈચ્છા સહિત આત્મા અને પરમાણુના સંગથી ક્રિયા ઉત્પન્ન થાય છે. તેજ ક્રિયા દ્વારા શરીર ઈન્દ્રિમાં પરંપરા કારણભૂત જે પરમાણુઓ તે વિભક્ત–પૃથક થઈ જાય છે. પછી પ્રથમ સંગ જતે રહે છે. એવી રીતે પ્રથમ નાશને લઈ છેવટના પરમાણુ સુધી. નાશ થાય છે. છેવટે પરમાણુઓ જ માત્ર છુટા છુટાં રહે છે. તેવી જ રીતે પૃથ્વી, જલ, તેજ, વાયુ આ ચાર ભૂતને પણ અનુક્રમે નાશ થતાં થતાં જુદાં પડેલાં કેવળ પરમાણુઓ જ બાકી રહે છે, ત્યારે ધર્માધર્મ સંસ્કાર વિગેરેથી જોડાયેલ જીવાત્માએ પણ તેટલે જ કાળ બ્રહ્માજીના સે વર્ષ પર્યા પ્રાણુને સંબંધે ન હોવા છતાં પણ સંસ્થિત છે એમ સમજવું. આ સંહારનું સવરૂપ સમજવું.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૬
તવાખ્યાન,
-~~~-~ ~~~~~~~~~~~~~~~~~~~
હવે સૃષ્ટિસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. આવી રીતે સંહાર કર્યા બાદ તેજ જીવાત્માઓને સુખ દુઃખાદિના અનુભવ કરાવવાની ખુદ ઈશ્વરને ઈચ્છા ઉત્પન્ન થાય છે, તેજ વખતે દરેક જીવાત્માઓની અન્દર અદષ્ટને સંબન્ધ કરાવવામાં આવે છે. ત્યાર બાદ પ્રાપ્ત થયેલ અદષ્ટની અપેક્ષાથી પવનના પરમાણુમાં ક્રિયા ઉત્પન્ન થાય છે. તે પવન પરમાણુઓને પરસ્પર સંગ થવાથી ઢયણુક વિગેરે ક્રમથી લઈ કઈ પણ ઠેકાણે વિઘાતને ન પામતે એ આકાશની અન્દર મહાવાયુ ઉત્પન્ન થાય છે, અને તે વાયુની અન્દર જલના પરમાણુથી થકાદિ ક્રમથી લઈ મહટા. ઉછાળા મારતે મહાસમુદ્ર ઉત્પન્ન થાય છે. પછી તેજ સમુદ્રમાં પૃથ્વીના પરમાણુથી દ્વચક વિગેરે કાર્યક્રમને લઈ મહા પૃથ્વી ઉત્પન્ન થાય છે, તે પછી તેજ સમુદ્રમાં તૈજસ પર માણુથી પ્રયાણુક વિગેરે કાર્યોને લઈને ઝળહળતે મહાતેજેરાશિ ઉત્પન્ન થાય છે. આ ચારે મહાભૂત ઉત્પન્ન થયા બાદ મહેશ્વરના સંકલ્પ માત્રથી પાર્થિવ પરમાણુસહિત તૈજસ પરમાણુથી એક મહેટા ઈડાને પ્રારંભ કરવામાં આવે છે, અને તેજ ઈડાની અન્દરથી ચાર મુખવાળા સકળ લેકના પિતામહ એવા બ્રહ્માને સકલ ભુવનની સાથે ઉત્પન્ન કરીને તેમને પ્રજા બનાવવાના કાર્યમાં જોડવામાં આવે છે.
અતિશય, વૈરાગ્ય, એશ્વર્યથી યુકત અને ઈશ્વરથી પ્રેરાયેલા બ્રહ્માજી પણ દરેક ના કર્મના વિપાકને જાણીને તથા કર્મોને અનુકૂળ છે જ્ઞાન, ભેગ અને આયુષ જેનું એવા
Page #232
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૦૭
અનુદેવ ઋષિની સાથ પિતૃગણાને તથા મુખ, ખાડું, ઉરૂ અને પાદથી ચાર વર્ણોને મનાવીને તથા બીજા પણ ઉંચ નીચ ભૂત બનાવીને જેને જેવા પ્રકારનું કર્મ હોય તેને તેવા રૂપમાં જોડવા. ઉલટુ* કરી શકે નહિ તેટલા માટે પ્રેરણા કરવી. આ સર્વ કાના લાભ બ્રહ્માજીને આપવામાં આવેલા છે.
આકાશદ્રવ્યનિરૂપણ.
આકાશ, કાલ, દિશા આ ત્રણ દ્રવ્યેામાં અવાન્તર ભેદ નહિ હાવાથી વ્યકિતના અભેદને લઇને એમાં ક્ષતિ માનવામાં આવી નથી, કિન્તુ આ ત્રણ સનાએ પારિભાષિક સમજવી.
શબ્દ, સંખ્યા, પરિમાણુ, પૃથક્ક્ષ, સચેાગ, વિભાગ આ છ ગુણા તેની અંદર છે.
શબ્દને આકાશના ગુણુ માનવામાં યુક્તિ બતાવવામાં આવે છે.
ચક્ષુથી ગ્રહણ કરવાને અયેાગ્ય હાવ! છતાં પણ બીજી માહ્ય ઇંદ્રિયથી ગ્રહણ કરવા લાયક જાતિવાળા હાવાથી સ્પર્શની માફક શબ્દ પણ વિશેષ ગુણ છે. આ અનુમાનથી શબ્દમા વિશેષ ગુણપણું સિદ્ધ થયું.
તે શબ્દરૂપ વિશેષ ગુણના આધાર ભૂત દ્રવ્ય કાઈ હાવુ જોઇએ. સુખની જેમ શબ્દ, તે, સ્પવાળા દ્રવ્યના વિશેષ ગુણ ન હોવા જોઇએ. વિશેષગુણ હાવાથી આથી કાઈ એક સ્પ વિનાનું આધાર ભૂત દ્રવ્ય સિદ્ધ થયું.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૮
તવાખ્યાન,
દિશા, કાળ અને મનને પણ શબ્દ ગુણ નથી. બાહ્ય ઇન્દ્રિયોથી ગ્રહણ કરવા લાયક હોવાથી રૂપની જેમ આજ હેતુથી આત્માને પણ વિશેષ ગુણ નથી, કેમકે આત્માને કઈ પણ ગુણ બાહ્ય ઇન્દ્રિયેથી ગ્રહણ કરવા લાયક છેજ નહિ.
આ અનુમાને થી આઠ પૈકી કઈ પણ દ્રવ્ય આધાર રૂપે સિદ્ધ થતું નથી, ત્યારે જે અવશિષ્ટ આકાશ દ્રવ્ય રહ્યું તેજ શબ્દનું અધિકરણ સમજવું. આની સિદ્ધિ માટે શબ્દ સિવાય બીજું કઈ પણ લિંગ છેજ નહિ.
તે આકાશ દ્રવ્ય એક છે, વ્યાપક છે. તેનું સમાન તથા અસમાન બીજું કંઈ પણ કારણ ન હોવાથી તે નિત્ય છે. દરેક જીવાત્માને શબ્દની ઉપલબ્ધિમાં આકાશ દૈત્રરૂપથી નિમિત્ત છે. જેથી શબ્દ સંભળાય તેવા આકાશને છત્રરૂપ આકાશ કહેવામાં આવે છે. શ્રેત્રરૂપ આકાશ વિદ્યમાન હવા છતાં પણ ઉપભેગનું સાધનભુત અને મધુર કટુતાદિ શબ્દ વિષયક સુખ-દુખનું કારણ રૂપ અદષ્ટ તેવા પ્રકારનું નહિ હેવાથી બધિરને શબ્દ ન સંભળાય તેમાં આકાશને લગાર માત્ર દેષ સમજ નહિ, હિતુ એમાં ભાગ્યને જ સમજે.
કાલદ્રવ્યનિરૂપણ પર, અપર, યુગપત, ચિર, ક્ષિપ્ર, સવાર, મધ્યા, સાયંકાળ, દિવસ, માસ, વર્ષ વિગેરે કાળને ઓળખવામાં ચિને સમજવાં.
Page #234
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૦૯
હીરાલાલ મણીલાલથી મેાટા છે. મણીલાલ હીરાલાલથી નાના છે. આ સે। વર્ષોંને છે, આ વીસ વર્ષના છે. આવા પ્રકારના ન્હાના ન્હાટાના જે વ્યવહાર થાય છે તે કાલિક પરાપરત્વને લઇને સમજવું. મ્હોટા હુંય તે પર કહેવાય; ન્હાના હૈાય તે અપર કહેવાય. તથા સવકાની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશમાં પણ કાલ દ્રવ્ય નિમિત્ત સમજવું. અને જો કાલ માનવામાં ન આવે તે ક્ષણ, લવ, નિમેષ, કલાક, મુત, પ્રહર, રાત્રિ, પક્ષ, યુગ, કલ્પ, મન્વન્તર, પ્રલય, મહાપ્રલય વગેરેના વ્યવહાર મની શકે નહિ, માટે કાલ દ્રવ્ય જરૂર માનવુ' જોઇએ.
સંખ્યા, પરિણામ, પૃથક્ત્વ, સંચેોગ, વિભાગ-આ પાંચ ગુણા કાલના સમજવા. તે એક છે, તેપણુ ઉપાધિભેદને લઈને ભિન્ન ભિન્ન રૂપે માનવામાં આવે છે. વળી સ કાર્યોના આરભની સમાપ્તિ, સ્થિતિ, વિનાશ વિગેરે ઉપાધિના ભેદથી જપા પુષ્પના સ’નિધાનવાળા મણીની જેમ નાના ભેદા
સમજવા.
દિશાનું નિરૂપણુ.
મૂત્ત દ્રવ્યને અવધિ બનાવી પ્રયાગથી કાશી પૂર્વમાં છે, કાશીથી પ્રયાગ પશ્ચિમ છે, અમદાવાદથી પૂના દક્ષિણમાં છે, પૂનાથી અમદાવાદ ઉત્તરમાં છે વગેરે જે વ્યવહાર થાય છે તેમાં જે નિમિત્ત હૈાય તે દિશા કહેવાય. તેના દૃશ ભેઢા છે.-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, નૈઋત્ય, અગ્નિ,
14
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧
તવાખ્યાન.
વાયવ્ય, ઉર્વ દિશા અને અર્ધ દિશા. સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સાગ, વિભાગ આ પાંચ દિશાના ગુણે સમજવા. પરમ મહર્ષિ લોકેએ મેરૂની ચારે બાજુએ પ્રદક્ષિણા ફરતે એવા સૂર્યના સંગવિશેષરૂપ દિશાઓનાં દશ નામ કલ્પવામાં આવ્યાં છે. વ્યવહારને માટે મહેન્દ્રી, વૈશ્વાનરી, યામ્યા, નૈઋતી, વારૂણું, કોબેરી, ઐશની, બ્રાહ્મી,નાગી. દિશા તે એકજ છે, તે પણ ઉપાધિના ભેદથી વ્યવહારને માટે દશ ભેદ પાડ વામાં આવ્યા છે.
આત્મદ્રવ્યનિરૂપણ. આત્મત્વના સંબંધથી આત્મા કહેવાય છે. તે અતીન્દ્રિયને લઈને પ્રત્યક્ષ નહિ હેવાથી અનુમાન પ્રમાણદ્વારા તેની સિદ્ધિ કરવામાં આવે છે. શબ્દ વિગેરેની ઉપલબ્ધિ જે માલુમ પડે છે તે ઈન્દ્રિયરૂપ કારણથી થયેલી હોવી જોઈએ. ક્રિયાપણું હોવાથી. છેદન ક્રિયાની જેમ, આથી ઇન્દ્રિમાં કરણપણું સિદ્ધ થયું.
જે કારણ હોય તે કર્તા સિવાય કાર્ય કરી શકે નહિવાંસલાની માફક; જેમ વાંસલ કરણ હોવાથી સુથાર રૂપ કર્તા સિવાય લાકડાં કાપવાની ક્રિયા એકલો કરી શકતું નથી, તેમ ઈન્દ્રિમાં કરણપણું હેવાથી કર્તા સિવાય સ્વતંત્ર રીતે ઉપલબ્ધિ ક્રિયા કરી શકે નહિ. ક્રિયાપણું હેવાથી છેદન ક્રિયાની માફક જ્ઞાનને કેઈપણ આધાર હવે જઈએ. શરીર, ઈન્દ્રિ અને મન તે અજ્ઞ હોવાથી જ્ઞાનના આધાર થઈ શકે
Page #236
--------------------------------------------------------------------------
________________
તન્વાખ્યાન.
૨૧૧
નહિ, તથા શરીર પતે પાંચ ભૂતનું કાર્ય હેવાથી ઘટાદિની જેમ શરીરને ધર્મ જ્ઞાન ઘટી શકે નહિ. ઈન્દ્રિયેને નાશ થયા બાદ પણ તે દ્વારા અનુભવેલા પદાર્થનું સ્મરણ થાય છે, માટે વાંસલાની જેમ ઇન્દ્રિયને પણ ધર્મ જ્ઞાન ઘટી શકે નહિ. મન પણ ભૂતનું કાર્ય હેવાથી તથા સ્વયંકરણ હેવાથી પણ ઇન્દ્રિયની જેમ મનને ધર્મ જ્ઞાન ઘટી શકે નહિ. જ્યારે બીજું કઈપણ દ્રવ્ય આધાર રૂપ બની શકતું નથી ત્યારે તેને આધાર જે હોય તે આત્મા કહેવાય.
તેવીજ રીતે શરીરમાં રહેલી હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારયેગ્ય પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ જે ચેષ્ટાઓ તે દ્વારા પ્રયત્નવાળે આત્મા પણ સિદ્ધ થાય છે–સારથિની જેમ. જેવી રીતે સારથિ રથને ખરાબ રસ્તામાંથી દૂર કરી સારા માર્ગમાં પિતાના પ્રયત્નથી પ્રવૃત્તિ કરાવે છે તેમજ આત્માની અંદર પણ સમજવું.
ભાવાર્થ-હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવાર રૂપ ચેષ્ટાએ તે પ્રયત્નવાળાએ કરેલી હેવી જોઈએ-રથની જેમ. તથા સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ વિગેરે પણ આત્માના અનુમાનમાં હેતુઓ સમજવા.
હું સુખી, હું દુઃખી વિગેરે જે પ્રતિભાસ થાય છે તે શરીરમાં ઘટી શકે નહિ મૃત શરીરની માફક. તેજ વાત સ્પષ્ટ રીતે સમજવામાં આવે છે. સુખ દુઃખ વિગેરે શરીર અને ઇન્દ્રિયેના વિશેષ ગુણ નથી, અવ્યાખ્ય-વૃત્તિ હેવાથી. જે
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૨
તસ્વાખ્યાન.
શરીર અને ઈન્દ્રિયેના વિશેષ ગુણ છે તે રૂપાદિની જેમ વ્યાપ્યવૃત્તિ હોય છે. આજ કારણથી શરીરના ગુણે થઈ શકે નહિ.
અથવા જ્યાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી જે ગુણો રહે તે યાવઃ દ્રવ્યભાવિ કહેવાય, અને ત્યાં સુધી જે ન રહે તે અયાવદ્ દ્રવ્યભાવિ કહેવાય.
અયાવદુ દ્રવ્યભાવિ સુખાદિ શરીરના વિશેષ ગુણો નથી, કેમકે રૂપાદિની જેમ શરીરના જેટલા ગુણ છે તે યાવદુ દ્રવ્ય ભાવિ છે, અને સુખાદિમાં અયાવદ્ દ્રવ્યભાવિત્વ સ્વભાવિક છે માટે શરીરને ગુણ કેવી રીતે મનાય ?
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સાગ, વિભાગ આ ચદ ગુણો આત્માના સમજવા. તેમાં બુદ્ધિ આત્માની અન્દર સમવાય સંબન્ધથી રહેલી છે. આત્મા જ્ઞાનનું તે સંબન્ધથી અધિકરણ છે. આત્મા અને જ્ઞાન પરસ્પર ભિન્ન રહેવા છતાં સમવાય સંબન્ધથી આત્મા જ્ઞાનનું અધિકરણ છે. આથી એ સિદ્ધ થયું કે આત્મા જ્ઞાનસ્વરૂપ નથી. કિન્તુ જ્ઞાનને આધાર છે. બુદ્ધિથી લઈ પ્રયત્ન સુધીના તમામ ગુણે આત્માનું અનુમાન કરાવી શકે છે. ધર્મ, અધર્મ પણ બીજે ઠેકાણે રહેલ માનવામાં આવે તે આત્માની અન્દર સુખાદિના ઉપભેગનું સાધન થઈ શકે જ નહિ. કારણ બીજે રહીને કાર્યને બીજે
Page #238
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૨૧૩
w
ઠેકાણે પેદા કરી શકે નહિ, માટે કાર્ય-કારણનું અધિકરણ એકજ માનવામાં આવે છે.
પૂર્વમાં અનુભવેલા પદાર્થનું મરણ હાલમાં જે થાય છે તેનું કારણ અનુભવ તે હેઈ શકે નહિ, એ તે પ્રથમ જ નષ્ટ થઈ ગયે. તેમજ તુચ્છ અભાવ પણ કારણ થઈ શકે નહિ અને કારણ વિના કાર્ય પણ થઈ શકે નહિ એ વાત ચેકસ છે. માટે સ્મરણનું કારણ જે હોય તેને આ ઠેકાણે સંસ્કાર કહેવામાં આવે છે. આત્મા અનંત હોવાથી એની સંખ્યા પણ અનન્ત સમજવી, તથા એક બીજાથી ભિન્ન હેવાથી પૃથકત્વ ગુણ પણ તેમાં મનાય છે. આત્માને ઘણું માનવામાં કારણ પણ દર્શાવવામાં આવે છે.
પ્રશ્ન–જે આત્માને એક જ માનવામાં આવે તે જેમ બાલ્યાવસ્થામાં અનુભવેલા પદાર્થનું વૃદ્ધાવસ્થામાં સમરણ થાય છે, જેમ પહેલાં મને સુખ થયું હતું, દુઃખ થયું હતું, તેમજ બીજા શરીરે અનુભવેલા પદાર્થનું સ્મરણ પણ થવું જોઈએ, કેમકે અનુભવ કરવાવાળો તે દરેક શરીરમાં એકજ છે.
ઉ૦-માયા ઉપાધિ ભિન્ન હોવાથી બીજા શરીરે અનુભવેલાનું સ્મરણ થઈ શકે નહિ.
પ્રહ-માયા પણ આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે, સત છે કે અસત્ છે. ભિન્ન માનવામાં બે પદાર્થો સિદ્ધ થાય છે. અભિન્ન માનવામાં બ્રહ્યાજ ખાલી રહેવાને, તે પછી
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૪
તત્વાખ્યાન.
પ્રપંચ કેવી રીતે ઉત્પન્ન થવાને માટે એકાન્તમાં બેસી વિચાર કરવાથી આત્મા નાના છે એમ કહેવામાં લગાર માત્ર વિરૂદ્ધતા છેજ નહિ, અને તે વ્યાપક હોવાથી એના પરિમાણને પરમમહત્ પરિમાણુ કહેવામાં આવે છે. સર્વ મૂર્ત દ્રવ્યને સંબન્ધ એનું નામ જ આ ઠેકાણે વ્યાપકપણે સમજવું.
સુખાદિ ગુણે પણ આત્માની અન્દર મનના સંયોગથી થયેલા હોવાથી એમાં સવેગ ગુણ પણ માનવામાં આવે છે. તેમજ વિભાગ પણ સમજે. - આત્માને નાના માનવામાં આવશે તે અનુક્રમે સર્વ આત્માની મુક્તિ થવાથી સંસારને ઉછેદ થવાને.
આત્મા અપરિમિત માનેલા હોવાથી આ દોષ અત્ર લાગુ પી શકતું નથી. તેનીજ પુષ્ટિ પ્રશસ્તપાદ ભાષ્યના પૃ. ૮૮ માં આપેલ ન્યાયવાતિકને લૈક સારી રીતે કરી આપે છે.
" अत एव च विद्वत्सु मुच्यमानेषु सन्ततम् । * બ્રહ્માજી નવાના નવઢિશૂન્યતા” | * ભાવાર્થ_નિરન્તર દરેક આત્માઓની મુક્તિ થયા. છતાં પણ બ્રહ્માંડની અન્દર જીવાત્માઓ અનન્ત હોવાથી એની
ન્યતા કદાપિ થવાની નહિ. જ્યાં વસ્તુ અપરિમિત હોય ત્યાં શૂન્યતાની શંકા પણ આકાશપુષ્પ જેવી સમજવી.
મન નિરૂપણ ...ન્યાયકર્દૂલી પૃ. ૯૦ આ મનપણાના સંબન્ધથી મન કહેવાય. આત્માને સર્વ ઈન્દ્રિયની સાથે એક કાલમાં સંબધ બરાબર થાય છે, અને
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૫
ઇન્દ્રિયાને પણ ઘટાદિ પદાર્થોની સાથે ખરાખર સમન્ય છે. એમ હોવા છતાં પણ જે વખતે રૂપાદિ ગુણ્ણાના અનુભવ થાય છે તેજ વખતે ગન્ધાદિ ગુણાના થતા નથી. તથા સુખના અનુભવકાલમાં દુઃખના અનુભવ થતા નથી, માટે ઇન્દ્રિયાથી જુદું એક કરણ માનવું જોઈએ જેના ચક્ષુઇન્દ્રિયની સાથે સંબન્ધ થવાથી રૂપાદિ ગુણાનું જ્ઞાન થયુ અને ઘ્રાણેન્દ્રિયની સાથે સબન્ધ જેના ન થવાથી ગન્ધાદિનું ન થયું તેનું નામજ અન્તઃકરણુ યા મન સમજવું
તત્ત્વાખ્યાન.
આત્મા, ઇન્દ્રિયા અને પદાર્થો તે ત્રણના સબન્ધ કાની ઉત્પત્તિમાં ઇન્દ્રિયા સિવાય બીજા કરણની અપેક્ષાવાળા છે, કેમકે આ ત્રણની વિદ્યમાનતામાં પણ કાર્ય દેખાતું નથી. માટી જેમ ઘડાની ઉત્પત્તિમાં ભાર વિગેરે બીજી સામગ્રી હોવા છતાં પણ દ’ડરૂપકરણ સિવાય તેથી ઘડા બનતા નથી, તેમજ આત્મા, ઇન્દ્રિયેા અને પદાર્થો આ ત્રણના સબન્ધ હોવા છતાં જેની અપેક્ષાથી જ્ઞાન–સુખાદિની ઉત્પત્તિ થાય છે તેનુ નામજ મન સમજવું. આ અનુમાનથી મન સિદ્ધ થયું. બીજી પણ પ્રમાણ આપવામાં આવે છે.
સ્મરણ ઇન્દ્રિયથી પેદા થાય છે—જ્ઞાન રૂપ હોવાથી. ગન્ધ વિગેરેની માક. આ વાત શ્રાદ્રેન્દ્રિય વિગેરેથી બની શકે નહિ, કેમકે બધિર વિગેરેને શ્રેત્ર વિગેરેના વ્યવહાર ન હેાવા છતાં પણ સ્મરણ થાય છે, માટે સ્મૃતિનુ જે કારણ તે પણ મન સમજવું.
Page #241
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
તે મનને વિભુ માનવામાં સર ઇન્દ્રિયાની સાથે સંબન્ધના પ્રસ`ગ આવવાથી એક કાલમાં સર્વાંઇન્દ્રિયવિષચક જ્ઞાનની આપત્તિ આવવાની. આ દોષથી મચવાની ખાતર મનને પરમાણુરૂપ માનવામાં આવે છે.
પ્ર—લાંબુ ખાજું ખાવામાં એક કાલમાં પાંચ ઇન્દ્રિયાનુ જે જ્ઞાન થાય છે તે જ્ઞાન મનને અણુ માનવામાં નહિ થાય.
૩૦-કમલના સે પત્રને વિધવાની જેમ મન પેાતે અત્યન્ત લધુ હાવાથી જલદી નાના ઇન્દ્રિયવિષયક જ્ઞાન થતું માલૂમ પડે છે; વાસ્તવિક રીતે તેા જ્ઞાન અનુક્રમેજ થાય છે, પરન્તુ ઘણું જલદી થતું હેાવાથી યાગપદ્યની ભ્રાન્તિ માલૂમ પડે છે.
સખ્યા, પરિમાણુ, પૃથ, સચાગ, વિભાગ, પરત્વ, અપરત્વ અને સ`સ્કાર આ આઠ ગુણા મનમાં સમજવા.
દ્રવ્યનિરૂપણના સ ર.
નવ દ્રવ્યમાં આકાશ, કાલ, દિશા, આત્મા, મન આ પાંચ દ્રવ્ય તે સર્વથા નિત્ય છે.
જેના ઉત્પાદ ન થાય, નાશપણ ન થાય, ફ્રૂટસ્થ એકજ સ્વભાવવાળું જે હોય તે નિત્ય કહેવાય. તે પાંચમાં પણુ મન સિવાય બાકીનાં ચાર વ્યાપક દ્રવ્ય છે. મન અણુસ્વરૂપ છે. પૃથ્વી વિગેરે ચાર દ્રવ્યમાં પણ પરમાણુએ નિત્ય છે, અને જે કાર્ય સ્વરૂપ પૃથ્વી વિગેરે છે તે સર્વ અનિત્ય છે. પૃથ્વી,
Page #242
--------------------------------------------------------------------------
________________
વાગ્યાન,
૨૧૭
જલ, તેજ, વાયુ, આકાશ આ પાંચને ભૂત નામ આપવામાં આવેલ છે. તેમાંથી આકાશને બદલે મન ઉમેરવાથી તે પાંચ મૂર્ત નામ છે. જગને ઉત્પાદ, વિનાશ વિગેરે જેવા પ્રકારને છે તે બતાવવામાં આવી ગયે.
સર્વ પૃથ્વીમાં તેજના સંગથી રૂપાદિની પરાવૃત્તિ માનવામાં આવે છે. જલ વિગેરેમાં કઈ પ્રકારથી રૂપાદિની પરાવૃત્તિ થતી જ નથી. વૈશેષિક લકે પરમાણુમાં પાક માને છે. નૈયાયિક લેકે અવયવમાં માને છે. તેજ વાત સ્પષ્ટ રૂપે જણાવવામાં આવે છે.
અવયવિની સાથે ગાઢ જોડાયેલા અવયવેમાં પાકને સમ્ભવ નથી, પરંતુ જ્યારે તીવ્ર અગ્નિના સંગથી અવયવી નષ્ટ થઈ સ્વતંત્ર પરમાણુ રૂપ બની જાય છે. ત્યારે તે પરમાણુઓ પાકી જવાથી પછી તેના સંગથી પ્રયાણુકથી લઈ અનુક્રમે તેજ નીંભાડામાં પાછો ન ઘટે તૈયાર થાય છે.
ભાવાર્થનીંભાડામાં નાંખ્યા બાદ તીવ્ર અગ્નિના સંયોગથી પ્રથમ ઘટ સર્વથા નષ્ટ થઈ પરમાણુ સ્વરૂપ બની જાય છે અને પછી પરમાણુમાં પાક થઈ અનુક્રમે પ્રયણુક વિગેરે બનતાં બનતાં ન ઘટે તૈયાર થાય છે. તેજના અતિવેગને લઈ પૂર્વના ઘટને સર્વથા નાશ અને નવા ઘટની ઉત્પત્તિ થાય છે.
નયાચિકેને અભિપ્રાય, અવયવી પિતે છિદ્રવાળી હોવાથી અગ્નિના સૂક્ષમ
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૮
તવાખ્યાન.
અવયવે તે છિદ્રમાં પ્રવેશ કરીને આખા ઘટને પકાવી દે છે. જ્યારે આવા સહેલા ઉપાયથી કાર્ય થતું હોય, ત્યારે શા માટે ઘટથી લઈ પરમાણુ સુધી નાશ માને અને ફરીથી ઘટની ઉત્પત્તિની નવીન કલ્પના કરવી જોઈએ ? કલ્પના પણ ત્યાં કરાય જ્યાં દોષ ન આવતે હેય. પરંતુ આ ઠેકાણે તે શૈરવ દેષ પણ આવે છે, માટે વૈશેષિક લોકોનું કથન યુક્તિસંગત નથી એમ નૈયાયિકેને આશય છે.
ગુણેમાં સાધાર્ય–વૈધમ્યની સમજણ.
દ્રવ્યની માફક ગુણવાળા તથા ક્રિયાવાળા ન હોવાથી ગુણરહિતપણું તથા કિયારહિતપણું ગુણોનું સામ્ય સમજવું.
રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, પરત્વ, અપરત્વ, ગુરૂત્વ, દ્રવત્વ, નેહ, વેગ-આ દશ ગુણ મૂર્ત દ્રવ્યમાં રહેતા હોવાથી મૂર્તગુણપણું એમાં સાધર્યું છે.
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ-આ નવ ગુણે અમૂર્ત એવા આકાશ, કાલ, દિશા અને આત્મા આ ચાર દ્રવ્યમાં રહેલા હોવાથી અમૂર્ત ગુણપણું એનું સાધમ્ય સમજવું.
સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ-આ પાંચ ગુણે મૂર્વ અમૂર્ત ઉભયમાં રહેલ હોવાથી ઉભયગુણપણું એનું સાધમ્ય સમજવું
Page #244
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન
૨૧૮
સંગ, વિભાગ, કિત્વ વિગેરે સંખ્યા, દ્વિ પૃથકૃત્વ વિગેરે ગુણે અનેક દ્રવ્યમાં રહેલા હોવાથી અનેક દ્રવ્યગુણ પણું એનું સાધમ્ય સમજવું. બાકીના ગુણે એક એક દ્રવ્યમાં રહે છે.
રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, સ્નેહ, સ્વભાવસિદ્ધ દ્રવત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ-આ સોળ ગુણે સ્વાશ્રય દ્રવ્યને બીજાથી વ્યાવૃત્તિ કરાવવાવાળા હોવાથી એનું વિશેષગુણપણું સાધમ્ય સમજવું. નામ પણ એનું વિશેષગુણ આપવામાં આવે છે. સંખ્યા, પરિમાણ, પૃથસ્કવ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરૂત્વ, નૈમિત્તિક, દ્રવત્વ, વેગ-આ દશ ગુણોમાં સામાન્ય ગુણપણું સાધર્યું છે.
રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, શબ્દમાં બાહ્ય એક એક ઈન્દ્રિયથી ગ્રહણ કરવાપણારૂપ સાધમ્યું છે. સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયેગ, વિભાગ, પરત્વ, અપરત્વ, દ્રવત્વ, વેગ, નેહ આ દશ ગુણેમાં ચક્ષુ અને સ્પર્શ આ બે ઈન્દ્રિયથી ગ્રહણ કરવાપણું હોવાથી બેઈન્દ્રિય પ્રત્યક્ષપણું સામ્ય છે. , બુદ્ધિ, સુખ, દુઃખ, ઈછા, દ્વેષ, પ્રયત્ન આ છ ગુણોમાં માનસિક પ્રત્યક્ષ થવા પણારૂપ સાધમ્ય છે - ગુરૂત્વ, ધર્મ, અધર્મ, ભાવના આ ચાર ગુણે અતીન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી તેનું તે સાધમ્ય સમજવું.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૦
તવાખ્યાન.
અપાકજ રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, પરિમાણ, એકત્વ, એક પૃથકત્વ, ગુરૂત્વ, દ્રવત્વ, સ્નેહ, વેગ આ અગીઆર ગુણેમાં કારણ ગુણપણું સાધર્યું છે. કારણમાં જેવા ગુણ હોય તેવાજ ગુણ કાર્યમાં આવે છે. દષ્ટાન તરીકે જુએ-તતુમાં જેવા ગુણે હેય તેવા ગુણે પટમાં આવે છે, અને માટીમાં જેવા ગુણે હોય તેવાજ ગુણવાળ કા ઘડે બને છે.
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ આ દશ ગુણોને, આત્મા અને આકાશ તેનું કારણ બીજુ કોઈપણું દ્રવ્ય ન હોવાથી એ ગુણમાં અકારણ ગુણપણું સાધમ્ય છે.
બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ ભાવના, શબ્દ, ફૂલનું પરિમાણ, ઉત્તર સંગ નૈમિત્તિક દ્વવત્વ, પરત્વ, અપરત્વ, અને અપાકજ રૂપાદિ આ સર્વ ગુણ સગથી પેદા થતા હોવાથી સગજયગુણપણું એમાં સામ્ય છે.
બુદ્ધિથી લઈને ભાવના સુધીના ગુણે આત્મા અને મનના સાગથી થાય છે, શબ્દ, ભેરી અને આકાશના - ગથી, રૂનું પરિમાણ શિથિલ સોગથી, ઉત્તર સાગ - ગથી, નૈમિત્તિક દ્રવત્વ અગ્નિના સંગથી, પરત્વ, અપરત્વ દિશા કાલ અને વિપિનચ ના પિંડના સગથી પાર્થિવ રૂપાદિ અગ્નિના સાગથી પેદા થાય છે. માટે એ સર્વ ગુણ સગ" ન્ય કહેવાય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૨૨૧
ww
w
*
*
*
*
*
*
* *
સોગ, વિભાગ અને વેગ આ ત્રણ ગુણે ક્રિયાજન્ય છે. પરત્વ, અપરત્વ, દ્ધિત્વ, સંખ્યા, દ્વિપૃથકત્વ આ ચાર ગુણે અપેક્ષાબુદ્ધિથી પેદા થતા હોવાથી અપેક્ષા બુદ્ધિજન્યત્વ, એનું સામ્ય છે.
ગુરૂત્વ, વત્વ, વેગ, પ્રયત્ન, ધર્મ અધર્મ, સંગ આ ગુણોમાં ક્રિયાનું કારણ પણું સામ્ય છે.
રૂપ, રસ, ગબ્ધ, અનુષ્ણશીત સ્પર્શ સંખ્યા, પરિમાણ એક પૃથકત્વ, સ્નેહ, શબ્દ આ ગુણમાં અસમવાય કારણુતા રૂપ સાધર્યું છે. - જે અન્યથા સિદ્ધ ન હોય અને કાર્યની પૂર્વમાં નિયમથી રહેવાવાળું હોય તે કારણ કહેવાય. તેના ત્રણ ભેદ છે–સમવાય કારણ, અસમાયિકારણ અને નિમિત્તકરણ.
જેમાં જે સમવાય સંબન્ધથી ઉત્પન્ન થાય છે તેનું સમાયિકારણ કહેવાય. જેમ તંતુઓ પટનું, કપાલ ઘડાનું સમાયિકારણ છે તેમ સર્વત્ર સમજવું.
સમવાય અને અસમાયિત્વ આ બેમાંથી કઈ એક સંબન્ધથી જે કારણ હોય અને આત્માના ગુણાથી ભિન્ન હેય તે કાર્યનું અસમવાચિકારણ કહેવાય.
જેમ તંતુને સંગ અને પટે આ બંને તંતુમાં સમવાય સંબન્ધથી રહેતા હોવાથી તંતુ સંગ પટનું અસમવાય કારણ સમજવું તથા કપાલનું રૂપ કપાલમાં સમવાયસંબત્પથી રહે છે, અને ઘટનું રૂપ કપાલમાં રૂપસમવાયિ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨
તત્ત્વાખ્યાન.
ઘટના સમવાય હોવાથી એકાધિકરણને લઈને કપાલનું રૂપ ઘટના રૂપનુ' અસમવાયિકારણ સમજવુ'. આ એથી જે ભિન્ન કારણ હાય તે નિમિત્ત કારણ કહેવાય, સમવાયિકારણતા દ્રવ્યમાં, અસમવાયિકારણતા ગુણમાં અને નિમિત્તકારણતા સર્વાંમાં સમજવી.
બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધ અધર્મ, ભાવના નામના સસ્કાર આ ગુણામાં કેવળ નિમિત્તકારણતા સમજવી.
સચેાગ, વિભાગ, ઉષ્ણુ, સ્પર્શ, ગુરૂત્ય, દ્વવત્વ, વેગ આ ગુણામાં અસમવાયિકરણતા તથા નિમિત્ત કારણુતા સમજવી. ઉપરોકત સવ એક બીજાનું સાધમ્ય સમજવું. એથી વિષરીત જે હાય તે વૈધમ્ય સમજવું,
ગુણનુ વિશેષ નિરૂપણ.
રૂપના પાંચ ભેદ છે—લાલ, પીળું, લીલું, કાળું, ધાળુ, આ પ્રાંચે પ્રકારનાં રૂપે ચક્ષુ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ છે. પૃથ્વી, જલ, તેજ આ ત્રણ દ્રવ્યમાં રહે છે. જલ અને તેજના પરમાણુનુ રૂપ નિત્ય છે. પાર્થિવ પરમાણુનું અગ્નિના સયોગથી નાશ થતુ' હાવાથી પૃથ્વીનું સર્વ રૂપ અનિત્ય છે,
ખાટો, કડવા, તીખા, ખારા, મધુર એ રસના પાંચ ભેદ્દે સમજવા. જિલ્હાથી એનુ* પ્રત્યક્ષ થાય છે. પૃથ્વી અને પાણી સિવાય ખીજામાં રસ માનવામાં આવ્યે નથી. પૃથ્વીમાં પાંચ પ્રકારના છે. જલમાં એકલા મધુર છે. જીવનની પુષ્ટિ, ખલ,
Page #248
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૨૭
આરોગ્યતા વિગેરેમાં નિમિત્ત છે. જલના પરમાણુમાં નિત્ય છે. પૃથ્વીમાં અનિત્ય સમજ.
ગન્ધના બે ભેદ છે.-સુગન્ધિ, દુર્ગન્ધિ. નાશિકાથી એનું પ્રત્યક્ષ થાય છે. પૃથ્વી સિવાય બીજે ઠેકાણે માનવામાં આવેલ નથી અને અનિત્ય છે.
શીત, ઉષ્ણ, અનુગ્ગાશીત સ્પર્શના ત્રણ ભેદે છે. વગ ઇન્દ્રિયથી એનું પ્રત્યક્ષ થાય છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ આ ચાર દ્રવ્યમાં છે. કઠિન, શિથિલ વિગેરે તે સંગવિશેષ સમજવા. સ્પર્શવિશેષ રૂપે માનવા નહિ.
જલ, તેજ, વાયુ આ ત્રણના પરમાણુને છેડીને બાકી સર્વત્ર અનિત્ય છે.
પાથી થયેલ રૂપાદિની સમજણ. કાચા ઘડાની અંદર અગ્નિને સગ થવાથી ઘડાને આરમ્ભ કરવાવાળા પરમાણુઓની અંદર કિયા ઉત્પન્ન થાય છે. પછી તે ક્રિયા દ્વારા ઘડાને વિભાગ થાય છે, ત્યાર બાદ સંયેગને નાશ. જ્યારે તે સંપૂર્ણ નષ્ટ થઈને સ્વતંત્ર પરમાણુ રહે છે ત્યારે પરમાણુમાં અગ્નિ સંગની ઉષ્ણતાને લઈને શ્યામરૂપ વિગેરેને નાશ થાય છે, અને એથી વિલક્ષણ અગ્નિના સંયેગની ઉણતાને લઈને તેમાં લાલરૂપ વિગેરે ઉત્પન્ન થાય છે. તે પછી ભેગી લોકેના અદષ્ટની અપેક્ષાથી ઉત્પન્ન થયેલા પાકજ પરમાણુમાં કિયા ઉત્પન્ન થયા બાદ પરસ્પર સંગ થવાથી કયણુક વિગેરેના ક્રમથી ઘટાદિ કાર્ય
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૪
તવાખ્યાન.
દ્રવ્ય ઉત્પન્ન થાય છે. આવી રીતે દરેક ઠેકાણે રૂપાદિનું પરાવર્તન સમજવું.
સંખ્યાનિરૂપણ. એક, બે, ત્રણ, ચાર એવા વ્યવહારમાં જે કારણ હોય તે સંખ્યા કહેવાય. તેના બે ભેદ છે. એક દ્રવ્ય સંખ્યા, બીજી અનેક દ્રવ્ય સંખ્યા. જેનું આશ્રય દ્રવ્ય એક હેય તે એકદ્રવ્યસંખ્યા કહેવાય, જેનું આશ્રય દ્રવ્ય અનેક હોય તે દ્રવ્ય કહેવાય આકાશ, કાળ, દિશા, જલાદિ પરમાણુ વિગેરેમાં રહેલી સંખ્યા એક દ્રવ્ય સંખ્યા. અનેક દ્રવ્ય સંખ્યા તે. બે થી પરાર્ધ પર્યન્ત સમજવી. દ્વિત્વાદિ સંખ્યા અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે. તેના નાશથી નાશ પામે છે.
પરિમાણુનિરૂપણ.
માન વ્યવહારમાં જે કારણ હોય તે પરિમાણ કહેવાય. તેના ચાર ભેદ છે. અણુપરિમાણ, મહત પરિમાણ, હસ્વ પરિ. માણ, દીર્ધ પરિમાણ. મહત પરિમાણના બે ભેદ છે. એક નિત્ય, બીજુ અનિત્ય. આકાશ, કાલ, દિશા, આત્મા આ ચારમાં જે પરમ મહત્ પરિમાણ છે તે નિત્ય સમજવું. તે ચાર દ્રવ્ય વ્યાપક તથા નિત્ય હોવાથી એનું પરિમાણ પણ નિત્યજ હોય.
ઘટાદિ વિગેરેમાં મહતું પરિમાણ અનિત્ય સમજવુંતેના નાશથી પરિમાણને પણ નાશ થતું હોવાથી અનિત્ય કહેવામાં
Page #250
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
२२५
કઈ પણ બાધ નથી. અપરિમાણના બે ભેદ-નિત્ય અને અનિત્ય. પરમાણુનું આણુ પરિમાણુ નિત્ય સમજવું. કયગુકમાં અનિત્ય સમજવું. તથા કેરી, લીંબુ, બેર વિગેરેમાં ન્હાના મોટાને વ્યવહાર આપેક્ષિક સમજ. લાંબા ટુકાની અપેક્ષાથી હસ્વ દીર્ઘને વ્યવહાર સમાજ સેળ હાથના કપડાથી બાર હાથને ટુંકે, અને બાર હાથથી સેળ હાથને લાંબે એવી રીતે સર્વત્ર સમજવું. આ ચાર પ્રકારના પરિમાણમાં જેને આશ્રય નાશ પામતે હેાય તે પરિમાણને પણ નાશ સમજ.
પૃથકવનિરૂપણ. ઘટથી પટ જુદે છે એવા વ્યવહારમાં જે કારણ હોય તે પૃથકત્વ કહેવાય. તેના બે ભેદ–એક દ્રવ્ય પૃથકત્વ, અને અનેક દ્રવ્ય પૃથકત્વ. જેનું આશ્રય દ્રવ્ય એક હેાય તે એક દ્રવ્ય પૃથકત્વ કહેવાય, અને જેનું આશ્રય દ્રવ્ય અનેક હેય તે અનેક દ્રવ્ય પૃથકત્ર કહેવાય. જેમ એક સંખ્યા પરમાણુમાં નિત્ય છે અને કાર્ય દ્રવ્યમાં કારણગુણપૂર્વક હોય છે તથા આશ્રયના નાશથી નાશ પામે છે, તેમજ એક પૃથકત્વ પણ સમજવું. જેમ દ્વિત્વાદિ સંખ્યા અપેક્ષા–બુદ્ધિથી પિદા થાય છે, તેના નાશથી નાશ પામે છે તેમ અનેક પૃથકત્વ પણ સમજવું સંખ્યા અને પૃથકત્વના ભેદની સમજણ સંખ્યાપણું પર સામાન્યની અપેક્ષાથી એકત્વ દ્ધિત્વ
એક હોય
અને અનેક
કેવાય, અને
Im
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૬
તરવાખ્યાન.
જેમ અપર સામાન્ય છે તેમ પૃથકત્વ પર સામાન્યની અપેક્ષાથી એક પૃથકત્વાદિક અપર સામાન્ય નથી.
1. સવેગનું નિરૂપણ
આ દ્રવ્યને આ દ્રવ્યની સાથે સંબન્ધ થયે. એવા વ્યવહારમાં જે કારણ હોય તે સંગ કહેવાય. દ્રવ્ય, ગુણ અને કર્મમાં પણ તે કારણ છે. તત્ સાગ પટનું કારણ, કપાલને સંગ ઘટનું કારણ આત્માને મનને સંગ બુદ્ધિ વિગેરે ગુણનું કારણ ભેરીને આકાશને સંગ શબ્દનું કારણ પ્રયત્નવાળા આત્મા અને હાથને સગ હાથની ક્રિયાનું કારણ–એમ સર્વત્ર સમજવું. પ્રથમ જુદાં હોય અને પછી જે દ્રવ્યનું આપસમાં મળવું તે સંગ કહેવાય. તેના ત્રણ ભેદ છે–અન્યતરકર્મ જન્ય, ઉભયકર્મજન્ય અને ત્રીજો સંગજન્ય.
બે પદાર્થોમાંથી એકની ક્રિયાથી જે સંગ ઉત્પન્ન થાય તે અન્યતરકજન્ય કહેવાય. જેમ પર્વતની સાથે મનુષ્યને સગ, પક્ષીને ઉડી બેસવાથી વૃક્ષની સાથે પક્ષીને સંગ, વિગેરે સમજવા.
ઉભયની ક્રિયાથી જે સોગ થાય તે ઉભયકર્મ જન્ય કહેવાય.
બે મલેને આપસમાં દેવને આવવાથી થયેલે તે, બે પાડાઓને સામા આવવાથી થયેલ તે, ઘણા તંતુઓ અને
Page #252
--------------------------------------------------------------------------
________________
તન્વાખ્યાન,
૨૨૭
તુરીના સંગથી પટ અને તુરીને સંગ, કપાલને દંડના સંગથી ઘટ અને દંડને સંયોગ પેદા થાય છે. આ સર્વ સંગજન્ય સંયોગો સમજવા. પરમાણુઓને આકાશપ્રદેશમાં વર્તવારૂપ સંગ તે અન્યતરકમ જન્ય સમજ.
વિભુ પદાર્થોને પરસ્પર સંગ છેજ નહિ. સંગને નાશ કઈ ઠેકાણે વિભાગથી થાય છે અને કોઈ ઠેકાણે આશ્રચના નાશથી થાય છે.
વિભાગનું નિરૂપણું. આથી આ જુદે થયે” એવા વ્યવહારમાં જે કારણ હોય તે વિભાગ કહેવાય. વસ્તુને પ્રાપ્ત કરીને પછી જુદું પડવું એનું નામ વિભાગ સમજ. શબ્દ અને વિભાગ આ બેમાં વિભાગ કારણ છે. તેના ત્રણ ભેદ છે. બેમાંથી એકની ક્રિયાથી ઉત્પન્ન થયેલે વિભાગ અન્યતરકર્મજન્ય કહેવાય.
બેની ક્રિયાથી ઉત્પન્ન થયેલ વિભાગ ઉભયકર્મજન્ય કહેવાય.
વિભાગથી થયેલે વિભાગ વિભાગજન્ય વિભાગ કહેવાય..
વૃક્ષ, પર્વત વિગેરેમાંથી જુદા પડેલા મનુષ્ય, કપિ વગેરેમાં અન્યતરકર્મ જન્મ વિભાગ કહેવાય. એ મલેના જુદા પડવાથી ઉભયકર્મજન્ય વિભાગ કહેવાય. વિભાગજન્ય વિભા
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૮
તત્ત્વાખ્યાન,
ગના બે ભેદ છે. એક કારણના વિભાગથી ઉત્પન્ન થયેલ વિભાગ બીજે કારણ-અકારણના વિભાગથી ઉત્પન્ન થયેલ વિભાગ.
દરેક વિભાગ ક્ષણિક હેવાથી ઉત્તર સંગ સુધી તેની સ્થિતિ માનવામાં આવે છે. કોઈ ઠેકાણે સંગથી અને કઈ ઠેકાણે આશ્રયના નાશથી વિભાગને નાશ માનવામાં આવે છે.
પરત્વ–અપરત્વનિરૂપણ.
આ પદાર્થથી આ પદાર્થ પર છે, તથા એથી આ અપર છે, એવા વ્યવહારનું જે કારણ હોય તે પરત્વ અપરત્વ કહેવાય. તેના બે ભેદ છે--એક દિશાથી થયેલ અને બીજું કાલથી થયેલ.
દૂર અને નજીકના વ્યવહારમાં દિશાકૃત પરત્વ અપરત્વ સમજવું. અને હાના હેટાના વ્યવહારમાં કાલકૃત પરત્વ અપરત્વ સમજવું.
ભાવાર્થ-કાશીની અપેક્ષાએ પ્રયાગથી પટણા દૂર છે. મુંબઈની અપેક્ષાએ અમદાવાદથી પૂના દૂર છે. તેવી જ રીતે પ્રયાગની અપેક્ષાએ કાશીથી પટણા નજીક છે. અમદાવાદની અપેક્ષાએ મુંબઈથી પૂના નજીક છે. આવે ઠેકાણે દિશાએ કરેલ પરત્વ અપરત્વને વ્યવહાર સમજ. પચાસ વરસ વાળાની અપેક્ષાએ સે વરસવાળ મટે છે. સે વર્ષ વાળાની અપેક્ષાએ પચાસ વાળો માને છે. આ વ્યવહાર કાલથી થયેલા. સમજ. અપેક્ષા-બુદ્ધિના નાશથી એને નોંશ થાય છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
તજ્યાખ્યાન.
૨૨
ભાવાર્થ–જે કાલમાં બીજા અવયવ દ્વારા વિભાગ થાય છે તે કાલમાં અપેક્ષા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તે વિભાગથી જે કાલમાં સંગને વિનાશ થાય છે તેજ કાલમાં પરત્વ ઉત્પન્ન થાય છે. પછી સગને નાશ થવાથી તેના આશ્રયથી ઉત્પન્ન થયેલ પરત્વ ગુણને નાશ સમજવે. એવી રીતે અપરત્વમાં પણ સમજવું.
બુદ્ધિનિરૂપણ. . બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ સર્વ પર્યાયે સમજવા. પદાર્થો અનન્ત હેવાથી દરેક અર્થને પ્રકાશ કરવાવાળી બુદ્ધિ પણ અનન્ત સમજવી. જો કે તે બુદ્ધિના અનન્ત ભેદ અર્થના અનન્ત ભેદને લઈને છે, તે પણ સંક્ષેપથી તેના બે ભેદે છે – વિદ્યા, બીજી અવિદ્યા. તેમાં પણ વિદ્યાના ચાર ભેદ છેસંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન.
સંશયનું સ્વરૂપ. જેના સામાન્ય ધર્મો દેખવામાં આવતા હોય, અને વિશેષ ધર્મો જે કે દેખાતા ન હોય પરંતુ સ્મરણમાં તે જરૂર હોય એવા સ્થલમાં અધર્મને લઈને સંશય પેદા થાય છે કે આ શું લાકડું છે કે પુરૂષ!
અર્થાત–કે એક પુરૂષ જંગલમાં ગયા બાદ લાકડાના ને પુરૂષના ઉંચાઈ, પહોળાઈ વિગેરે સરખા ધર્મોને - જોયા. બાદ વક પિલાણ હાથ પગ વિગેરે બીજા ધર્મો,
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૦
તન્યાખ્યાન,
નિમિત્તના અભાવે જોવામાં ન આવ્યા, પરંતુ પૂર્વમાં દેખેલા હોવાથી સ્મરણ તે બરાબર છે. ત્યારે વિચાર થયે કે–આ બે વિરૂદ્ધ ધર્મો એકમાં તે સંભવી શકે નહિ; તેમ સામાન્ય ધર્મો દેખાતા હેવાથી અભાવ પણ માની શકાય નહિ ત્યારે તે વખતે સંશય પેદા થાય છે. તેના બે ભેદ છે–એક અન્તઃસંશય અને બીજે બાહ્ય સંશય.
કેઈએક નૈમિત્તિક પુરૂષે કંઈક ગ્રહ-સંચારાદિ નિમિત્ત પ્રાપ્ત કરીને સારું થયું હતું અથવા થશે, નરસું થયું હતું યા થશે–આ આદેશ કર્યા બાદ તેના વાકયથી તેમજ થયું. પછી બીજા કેઈ વખતે જ્યારે સારા નરસા વિષયમાં કહેવામાં આવ્યું ત્યારે તેથી ઉલટું ફલ માલુમ પડયું. મનમાં વિચાર થયે કે જે નિમિત્તબલથી પ્રથમ કહ્યું હતું, તેજ નિમિત્તબલથી અત્યારે પણ કહેવામાં આવ્યું છતાં ફલ ઉલટું કેમ થયું. આ વિચાર થયા બાદ સંશય થયે-જે હને પિતાને નિમિત્તજ્ઞાન થયું હતું તે શું સાચું છે કે હું ? આનું નામ અન્તઃસંશય સમજ.
બાહા સંશયના બે ભેદ છે--પ્રત્યક્ષ વિષયમાં અને અપ્રત્યક્ષ વિષયમાં. આ શું લાકડું છે કે પુરૂષ છે એ પ્રત્યક્ષ વિષચમાં. અને એકલું શીંગડું જેવાથી સંશય થાય કે આ ગાય છે કે રેઝ ! એ પક્ષ વિષયમાં સમજ.
વિપર્યયસ્વરૂપનિરૂપણ. વિપર્યયના બે ભેદ છે. પ્રત્યક્ષ વિષયમાં અને અપ્રત્યક્ષ
Page #256
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
૨૩૧
વિષયમાં, પિત્ત, કફ અને વાયુ દેશવાળી ઈન્દ્રિયે જેને હોય એવા પુરૂષને યથાર્થ આલોચન કર્યા સિવાય તથા અધર્મ સહિત આત્મા મનના સંયેગથી શંખમાં પીળાપણાનું જ્ઞાન, ગાયમાં અશ્વનું જ્ઞાન જે થાય તે પ્રત્યક્ષ વિષયક વિપર્યય કહેવાય. નિત્યમાં અનિત્યનું, અનિત્યમાં નિત્યનું, આત્મામાં જડનું, જડમાં આત્માનું જે જ્ઞાન, સુખમાં દુઃખનું, દુઃખમાં સુખનું, શાક્યાદિ બીજા દર્શનમાં આ શાકય દર્શનજ સાચું છે, કારણમાં અકારણનું, અહિતમાં હિતનું જે જ્ઞાન થાય તે પરોક્ષ વિષયક વિપર્યય સમજ,
અનધ્યવસાયસ્વરૂ૫.
અનધ્યવસાયના બે ભેદ છે. પ્રત્યક્ષ વિષય, બીજે પરોક્ષ વિષય. ચિત્ત બીજા વિષયમાં લાગેલું હોવાથી અને વિશેષ જ્ઞાનને અથી હેવાથી પ્રસિદ્ધ પદાર્થમાં, આ શું! એ જે ખ્યાલ આવે તેનું નામ અનધ્યવસાય કહેવાય.
અર્થા–પનસના વૃક્ષમાં આ વૃક્ષ છે, શાખાવાળું છે એ તે અધ્યવસાય છે, પરંતુ આનું પનસ નામ છે એ ઉપદેશ ન હોવાથી તથા જેને વિશેષ નામની ખબર નથી એવા પુરૂષને મનમાં એમ થાય છે કે એનું નામ શું હશે. એટલા ખ્યાલ માત્રથી જ્યાં સંજ્ઞાવિશેષનું અવધારણ ન થાય ત્યાં તેને અધ્યવસાય કહેવામાં આવે છે, આ પ્રત્યક્ષ વિષય અનધ્યવસાય સમજ. નાળીએર દ્વીપમાં રહેવાવાળા
Page #257
--------------------------------------------------------------------------
________________
ર૩ર
તજ્યાખ્યાન
જગલી મનુષ્યને ગાયના ગળાની પાસે રહેલી એકલી ગલકબળ દેખવાથી આ પ્રાણી કેણ હશે એ જે ખ્યાલ થાય તે અપ્રત્યક્ષ અનધ્યવસાય સમજ.
સ્વનિરૂપણ. શરીરના વ્યાપાર દ્વારા ગમનાગમનથી દિવસમાં પરિશ્રાન્ત થયેલા પ્રાણીને રાત્રિમાં પરિશ્રમની શાન્તિ માટે તથા કરેલા આહાર પાણીને રસાદિ રૂપે પરિણામ પમાડવાની ખાતર તથા અદષ્ટ કરાવેલ પ્રયત્નની અપેક્ષા દ્વારા આત્મા અને મનના સંગથી મનમાં જે ક્રિયાને સંતાન ઉત્પન્ન થયેલે છે તેથી બાહ્ય ઈન્દ્રિયેના સંબન્ધરહિત આત્માના પ્રદેશમાં નિશ્ચલરૂપે મન રહે છે એવા સમયમાં પ્રલીનમનસ્ક પુરૂષ કહેવાય છે.
અને જ્યારે મન પ્રલીન થાય છે ત્યારે ઇન્દ્રિયનો સમૂહ પણ પોતાના વ્યાપારથી શાન્ત થઈ જાય છે, અને તે પ્રલીન મનની અવસ્થામાં પ્રાયે પ્રાણ તથા અપાન વાયુના સંતાનને નીકળવા પ્રવેશ કરવા રૂપ પ્રવૃત્તિ થયા બાદ સ્વાપ એવા સંસ્કારથી તથા પૂર્વે અનુભવેલા વિષયથી પણ દેશકાલથી વ્યવહિત એવા અસદુભૂત વિષયમાં પ્રત્યક્ષ સંવેદનરૂપ સ્વપ્નજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના ત્રણ ભેદ છે. સંસ્કારપાટવથી થતું સ્વપ્નજ્ઞાન, ધાતુદોષથી થતું સ્વપ્નજ્ઞાન અને ત્રીજ અદષ્ટથી થતું સ્વપ્નજ્ઞાન. ઉદાહરણ અનુક્રમે-કમી યા કે મનુષ્ય જે અર્થનું ચિત્તવન કરી સુઈ રહ્યા હોય ત્યારે
Page #258
--------------------------------------------------------------------------
________________
તરવાખ્યાન
સંસ્કારના અતિશયથી તેનું સ્મરણ થાય છે. વાતપ્રકૃતિવાળે પુરૂષ સ્વપ્નમાં આકાશગમનને જુએ છે. પિત્તપ્રકૃતિવાળો અગ્નિમાં પ્રવેશ, સુવર્ણને પર્વત, સૂર્યને ઉદય વિગેરે જુએ છે. કલેમપ્રકૃતિવાળે નદી સમુદ્ર વિગેરેમાં તરવાનું, અને હિમના પર્વત વિગેરેને જુએ છે. આ સર્વ ધાતુદોષનાં ઉદાહરણે સમજવાં.
અદકનું ઉદાહરણ પિતે અનુભવેલા યા નહિ અનુભવેલા પ્રસિદ્ધ યા અપ્રસિદ્ધ પદાર્થમાં જે શુભ સૂચક ગજ ઉપર આરોહણ, છત્ર ચામરાદિને લાભ વિગેરેનું સ્વપ્નમાં જે જ્ઞાન થાય તે સર્વ સંસ્કારસહિત ધર્મથી સમજવું.
તેલનું મર્દન, ગર્દભ, ઉંટ વિગેરે ઉપર ચઢવું એવું જે સ્વપ્નજ્ઞાન થાય તે સર્વ સંસ્કારસહિત અધર્મથી સમજવું.
અત્યન્ત અપ્રસિદ્ધ પદાર્થનું જે સ્વપ્નજ્ઞાન થાય તે કેવલ અદષ્ટથી સમજવું.
વિદ્યાનું નિરૂપણ. તેના ચાર ભેદ છે. પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ અને આર્ષ. ઇન્દ્રિય અને અર્થના સંબન્ધથી ઉત્પન્ન થયેલ અને બ્રાન્તિરહિત એવું જે જ્ઞાન તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. દ્રવ્યાદિ પદાર્થો પ્રમેય કહેવાય. આત્મા પ્રમાત, ગુણ દોષ માધ્યસ્થ દર્શન પ્રમિતિ કહેવાય. ગુણ દર્શન ઉપાદેયનું જ્ઞાન તે દોષ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૪
તસ્વાખ્યાન.
દર્શન હચેનું જ્ઞાન તે માધ્યસ્થ દર્શન ગુણ દેષ સિવાયનું જ્ઞાન તે. આ મતમાં પ્રમાણ બે છે. પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ પ્રમાણના ભેદે લક્ષણ વિગેરે સર્વ તૈયાયિકના સમાન હેવાથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. વિશેષની આકાંક્ષા વાળાએ પ્રશસ્તપાદ ભાષ્યના પૃ. ૧૮૬–૧૮૭ સુધી ન્યાયકન્દલી પૃ. ૧૮૬-૨૦૦ સુધી જોઈ લેવી. નૈયાયિકના દર્શનમાં પણ ખૂબ પ્રતિપાદન કરવામાં આવેલ હોવાથી પિષ્ટપેષણ ન થાય તેટલા માટે મુલતવી રાખવામાં આવેલ છે.
અનુમાનનિરૂપણ. હેતુનું દર્શન અને વ્યક્તિના સ્મરણ પૂર્વક જે સાધ્ય પદાર્થનું જ્ઞાન થાય તેને અનુમાન કહેવામાં આવે છે. હેતુનું લક્ષણ–પ્રશસ્ત પાદ ભાષ્ય પૃ. ૨૦૦ માં આ પમાણે છે.
" यदनुमेयेन संबद्धं प्रसिद्धं च तदन्विते । ___ तदभावे च नास्त्येव तल्लिङ्गमनुमापकम् ॥" " विपरीत मतो यत् स्यादेकेन द्वितयेन वा । . વિદ્ધાદ્ધિવિશ્વમાં પત્રવીત " .
ભાવાર્થ––જેને સિદ્ધ કરવાની ઈચ્છા હોય તે ધર્મવાળા પક્ષમાં તે વિદ્યમાન હોય, તથા જેમાં તે સાધ્ય ધર્મને નિશ્ચય હોય તેવા સપક્ષમાં પ્રસિદ્ધ હોય, તથા તેજ સાધ્યધર્મના અભાવવાળામાં તે બિલકુલ ન હોવું જોઈએ એવા હેતુને
Page #260
--------------------------------------------------------------------------
________________
તન્વાખ્યા.
અનુમિતિનું કરણ માનવામાં આવે છે. ઉપલક્ષણથી બાઇ દેષ તથા સતપ્રતિપક્ષ દેષ આ બેથી પણ રહિત હાય. અર્થાતુ-પક્ષસત્ત્વ, વિપક્ષાસત્વ, સપક્ષસત્વ, અબાધિતત્વ અસત્રતિપક્ષત્વ આ પાંચ રૂપ જેમાં હોય તે હેતુ સાચ્ચે કહેવાય. આ પાંચ રૂપમાંથી કઈ એક રૂપથી પણ રહિત હોય તે અસત્ય હેતુ કહેવાય. બીજાં આગમ વિગેરે પ્રમાણે પણ અનુમાનથી જુદાં સમજવાં નહિ ધૂમની માફક વ્યાપ્તિબલથી અર્થનું પ્રતિપાદન કરવાવાળું આપ્તવચનરૂપ શબ્દ પણ અનુમાજ છે; અમુક શબ્દને આ સાચા અર્થ છે. એવું જ્યાં સુધી માલૂમ ન પડે ત્યાં સુધી તે અર્થનું શબ્દ દ્વારા પ્રતિપાદન થઈ શકે જ નહિ, અને જ્યારે સાચે અર્થ જાણવામાં આવી જાય ત્યારે ધૂમની માફક અર્થના પ્રતિપાદનમાં તે શબ્દ હેતુ સમજ. આનું નામ અનુમાન સમજવું.
ઉપમાનને અનુમાનમાં અન્તર્ભાવ. રેઝને નહિ જાણનાર નાગરિક પુરૂષે જેને રોઝનું યથાર્થ જ્ઞાન છે એવા વનેચરને કહ્યું કે ગવાય કે હેય, ત્યારે જવાબમાં એમ જણાવ્યું કે ગાયના જે રેઝ હોય. તે જ વખતે જંગલમાં ગયા બાદ તે વ્યકિત જોવામાં આવવાથી પૂર્વમાં શ્રવણ કરેલ વનેચરનું વાકય પણ યાદ અને પછી યથાર્થ રેઝનું જ્ઞાન થયું કે આનું નામ જ રેઝ છે. આને તૈયાયિક લેકે ઉપમાન પ્રમાણ કહે છે. આ વિષયમાં વૈશેષિક લેકેનું કહેવું એમ છે કે આ રેઝનું જ્ઞાન પણ વનેચરના વાકયથી
Page #261
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
થયેલું હોવાથી જેમ શબ્દ પ્રમાણને અનુમાનમાં અન્તર્ભાવ થાય છે, તેમજ વાક્ય સાંભળવાથી પેદા થયેલ રેઝના જ્ઞાન રૂ૫ ઉપમાન પ્રમાણને અનુમાનમાં અન્તર્ભાવ કરવાથી કંઈ પણ બાધ છેજ નહિ, માટે જુદું પ્રમાણ ન માનવું જોઇએ.
અર્થોપત્તિને અનુમાનમાં અન્તર્ભાવ. માવજીભાઇ દિવસે ખાતા નથી અને પુષ્ટ તે માલૂમ પડે છે, ત્યારે રાત્રિભોજનની કલ્પના અવશ્ય કરવી જોઈએ, કેમકે ભેજન સિવાય પુષ્ટપણું બની શકે જ નહિ. આવા સ્થલમાં બીજા લેકે અથપત્તિ પ્રમાણ માને છે, ત્યારે વૈશેષિક લેકે એને અનુમાનમાં અન્તર્ભાવ કરે છે. શાન્તિલાલની માફક માવજીભાઈ પણ રાત્રિભૂજન કરવાવાળા છે. દિવસમાં ભેજન નહિ કરીને પણ પુષ્ટ માલુમ પડતા હોવાથી. આવી રીતે દરેક અર્થપત્તિને અનુમાનમાં અન્તર્ભાવ કરે.
સંભવને અનુમાનમાં અતર્ભાવ. હજારની સંખ્યા પણ સની સાથે સંબન્ધ વાળી છે. સેની ગણતરી પૂર્વક હજારની ગણતરી થતી હેવાથી. અભાવ પ્રમાણને પણ અનુમાનમાં અન્તર્ભાવ.
જેમ ઉત્પન્ન થયેલું કાર્ય કારણસંતાન સૂચવે છે, તેમ ઉત્પન્ન નહિ થયેલું કાર્ય પણ કારણના અભાવમાં હેતુ રૂપે સમજવું.
Page #262
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
જેમ આ વડના ઝાડ નીચે યક્ષ છે એવું એતિહ્ય જે બેટા વાકય રૂપ હોય તે પ્રમાણ છે. અને જે સાચા વાકય રૂપ હેય તે તેને અનુમાનમાં અન્તર્ભાવ સમજો.
સ્મૃતિવિદ્યાનિરૂપણ. પરિફુટ અભ્યાસથી સંસ્કાર પેદા થાય છે અને તે દ્વારા આત્મા મનના સોગથી પૂર્વમાં દેખેલ યા સાંભળેલ યા અનુભવેલ પદાર્થનું સમરણ કરે છે. આ સ્મૃતિ પણ પ્રમાણરૂપ નથી, કેમકે પૂર્વમાં અનુભવેલા પદાર્થને યાદ કરાવીને ચરિતાર્થ થયેલી હેવાથી. માટે પૂર્વ વિજ્ઞાનને જ પ્રમાણ માનવું, મરણને નહિ.
આર્થવિદ્યા નિરૂપણું. વેદ બનાવવાવાળા મહર્ષિઓને ત્રિકાળવિષયક અતીન્દ્રિય પદાર્થ ધર્મ, અધર્મ વિગેરે આગમમાં પ્રતિપાદન કરેલા હોય અથવા ન હોય તે પણ તે સર્વ પદાર્થમાં આત્મા મનના સગથી તથા ધર્મ વિશેષને લઈને યથાર્થ સંવેદન રૂપ પ્રાતિજ્ઞાન પેદા થાય છે તેને આ ઠેકાણે આર્ષ કહેવામાં આવે છે. તે પણ બતાવેલ પ્રામાણથી અલગ છે એમ સમજવાની ભલ કરવી નહિ.
બુદ્વિનિરૂપણું સમાપ્ત.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૮
તત્ત્વાખ્યાન. .
બાકીના ગુણનું નિરૂપણ. પુષ્પમાલા વિગેરે ઈચ્છિત પદાર્થને સમીપમાં રહેવાથી તથા ઈષ્ટ પદાર્થની ઉપલબ્ધિવિષયક ઈન્દ્રિયાર્થના સંનિકર્ષથી અને ધર્માદિની અપેક્ષા યુકત આત્મા મનના સાગથી સુખ વિષયક સંવેદન, અનુરાગ, નેત્રની પ્રસન્નતા, મુખને પ્રસાદ વિગેરેને પેદા કરાવવાવાળું જે હોય તે સુખ કહેવાય. તે સુખ અનુગ્રહસ્વભાવવાળું હોય છે; અતીત વિષયમાં સ્મૃતિથી થાય છે અને અનાગત વિષયમાં સંકલ્પથી પેદા થાય છે.
દુખસ્વરૂપ. ઉપઘાતસ્વભાવવાળું હોય તે દુઃખ કહેવાય. તે પણ અનિષ્ટ પદાર્થ ઉપલબ્ધિ વિષયક ઈન્દ્રિયાથે સંબન્ધથી તથા અધર્મયુકત આત્મા મનના સંગ દ્વારા અસહિષ્ણુતા, ઉપઘાત, દીનતા, મુખમલિનતા વિગેરેને પેદા કરાવવાવાળું જે હોય તે દુઃખ સમજવું.
ઈચ્છા સ્વરૂપ. - પિતાને માટે યા પરને માટે અપ્રાપ્ત વસ્તુની જે પ્રાર્થના તેનું નામ ઈચ્છા. તે પણ આત્મા મનના સાગથી તથા સુખ સ્મૃતિ વિગેરેની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે. તે ઈચ્છા પણ સ્મૃતિ પ્રયત્ન ધર્માધર્મ વિગેરેનું કારણ રૂપ છે. કામ, અભિલાષા, રાગ, સંકલ્પ, કારૂણ્ય, વૈરાગ્ય, ઉપધા, ભાવ વિગેરે ઇચ્છાના ભેદ સમજવા. મૈથુનની ઈચ્છા કામ કહેવાયભોજનની
Page #264
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૩૮
ઇચ્છા અભિલાષા; વારંવાર વિષયમાં આસકિતપણુ* તે રાગ,અનાસન ક્રિયાની ઇચ્છા તે સકલ્પ. સ્વાની અપેક્ષા સિવાય પર દુઃખના નાશની ઈચ્છા તે કારૂણ્ય. દોષ દેખવાથી વિષયના ત્યાગની ઇચ્છા વૈરાગ્ય. બીજાને ઠગવાની ઇચ્છા ઉપધા. આકારથી માલૂમ પડેલી ઈચ્છા ભાવ કહેવાય. ચિકીર્ણાં, જિીર્ણો વિગેરે ક્રિયાના ભેદથી ઇચ્છાના પણુ ભે સમજવા.
દ્વેષસ્વરૂપ
અન્દરથી હૃદયને ખાળવાવાળા જે હોય તે દ્વેષ કહેવાય જેની વિદ્યમાનતામાં આત્મા પ્રજવલિત માલૂમ પડે તે દ્વેષ સમજવે. તે પણ પ્રયત્ન, સ્મૃતિ અને અષ્ટનુ કારણરૂપ સમજવા. અમુકને મારી નાંખુ એવા પ્રયત્ન દ્વેષથી થાય છે. વેદના અને નાશ કરવાવાળામાં દ્વેષ કરવાથી ધમ થાય છે, તેજ વેદના અને પાલન કરવાવાળામાં દ્વેષ કરવાથી અધર્મ થાય છે. ક્રોધ, દ્રઢ, મન્યુ, અક્ષમા, અમષ વિગેરે દ્વેષના ભેા સમજવા.
પ્રયત્નનું સ્વરૂપ.
પ્રયત્ન, સરંભ, ઉત્સાહ વિગેરે પર્યાયે। સમજવા. તેના એ ભેદ છે. જીવન પૂર્ણાંક, બીજો ઇચ્છા પૂર્વક. સુતેલા પ્રાણીની પ્રાણ, અપાન વાયુની ક્રિયા પ્રયત્નપૂર્વક સમજવી. હિતાહિત પ્રાપ્તિ-પરિહારમાં જે સમય હાય તે ઇચ્છા દ્વેષ પૂર્વક પ્રયત્ન સમજવા.
Page #265
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન,
ગુરૂત્વનું સ્વરૂપ જલ અને પૃથ્વીની પતનક્રિયામાં જે કારણ હોય તે ગુરૂત્વ કહેવાય. તે અપ્રત્યક્ષ છે તે પણ પતનક્રિયા દ્વારા એનું અનુમાન થઈ શકે છે. જ્યારે આ વૃક્ષથી ફલ નીચે પડ્યું ત્યારે એમાં ભારે પડ્યું છે એમ અવશ્ય માનવું જોઈએ. તથા તેને સંગ, પ્રયત્ન અને સંસ્કારનું વિધિ સમજવું.
દ્રવ્યત્વનું સ્વરૂપ. સ્પન્દન કહેતાં રેલે ચાલ, પાતળાપણું વિગેરે ક્રિયાનું જે કારણ હોય તે દ્રવત્વ કહેવાય. તેના બે ભેદ છે, સાંસદ્ધિક અને બીજું નૈમિત્તિક. સ્વભાવસિદ્ધ દ્રવત્વ પાણીમાં જ છે. વૃતાદિ પૃથ્વી, સુવર્ણ વિગેરેમાં નૈમિત્તિક દ્રવત્વ સમજવું
| સ્નેહસ્વરૂપ - નેહપાને વિશેષ ગુણ છે. આ વિગેરેને પિઝા બનાવવામાં શરીર વિગેરેની શુદ્ધિમાં, મદુપણ વિગેરેમાં સ્નેહ કારણ છે.
સંસ્કારનું સ્વરૂપ. તેના ત્રણ ભેદ છે. વેગ, ભાવના અને સ્થિતિસ્થાપક વેગ મૂર્તિમાન પાંચ દ્રવ્યમાં છે.
ભાવના નામને સંસ્કાર આત્માને ગુણ છે. અનુભવેલા પદાર્થની સ્મૃતિમાં તથા પ્રત્યભિજ્ઞાનમાં કારણભૂત છે. જ્ઞાન
Page #266
--------------------------------------------------------------------------
________________
ર
મદ દુઃખાદિના વિરાધિ છે. યુનુષ વૃક્ષની શાખા નેતરની સોટી વિગેરેને નમાવીને મૂકી દીધા પછી જે પૂર્વ અવસ્થાની પ્રાપ્તિમાં જે કારણ હાય તેને સ્થિતિસ્થાપક સંસ્કાર કહેવાય.
વડ્યાખ્યાન.
ધનુ' સ્વરૂપ.
ધમ એ પુરૂષના ગુણવશેષ છે.તેનું આચરણ કરવાવાળાને ધમ પાતે સુખ અને સુખનું સાધન મેક્ષ વિગેરે સારા કાર્યાં. માં કારણભૂત છે. તે ધમ પુરૂષના શુભ સંકલ્પથી પેદા થાય છે. તેનાં સાધના ધર્મમાં શ્રદ્ધા, પ્રાણિઓના હિતનુ ચિન્તન, સત્યવચન, ચારિત્યાગ, બ્રહ્મચર્ય, નિષ્કપટભાવ, ક્રોધત્યાગ, શુચિ દ્રવ્યનું ( સાત્વિક પદા'નુ' ) સેવન, દેવની ભિકત, ઉપવાસ, અપ્રમાદ આ સર્વ સામાન્ય ધર્મોનાં સાધના સમ જવાં, વિશેષ સાધન—
સારા લાકથી ક્ષત્રિય વૈશ્ય પાસેથી દ્રવ્યનું ગ્રહણ કરવું, અધ્યયન, અધ્યાપન, યજ્ઞ વિગેરે બ્રાહ્મણનાં ધમ સાધના સમજવાં. સમ્યક પ્રજાનું પાલન, ખરાબ ઢાકાને કબજામાં રાખવા, યુદ્ધથી જ્યાં સુધી વિજય ન મળે ત્યાં સુધી અથવા પ્રાણાન્ત સુધી પણ વિરામ પામવું નહિ વિગેરે ક્ષત્રિયાને ધ મનાં સાધના સમજવાં.
લેવા દેવાના વ્યવહાર કરવા, ખેતીનું કાર્ય કરવું, પશુઆને પાલન કરવાં વિગેરે વૈશ્યાને ધર્મનાં સાધના સમજવાં. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના શ્રાધીન રહેવું, વૈકિ
16
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૨
તન્વાખ્યાન.
મંત્ર સિવાયની ક્રિયાઓ કરવી, વેદ ભણવામાં અનધિકારિ પણું વિગેરે અને ધર્મનાં સાધને સમજવા
ગુરૂકુલમાં નિવાસ કરે, નિરન્તર અગ્નિમાં હેમ કરે, જંગલથી લાકડાં લાવવાં, ભિક્ષા ભેજન કરવું, ગુરૂ મહારાજની સેવા વિગેરે બ્રહ્મચારીને ધર્મના સાધને સમજવા.
યતિ, સાધુ, સંન્યાસી, પરિવ્રાજક વિગેરે સાધુનાં પર્યાય નામે છે. તે સાધુપણું બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ આચારમાં કઈપણ આશ્રમવાળો હોય તેને યતિ થવામાં કંઈ પણ બાધ નથી. અનુક્રમે ચારે આશ્રમ સેવવા જ જોઈએ એ નિયમ નથી. તેજ વાતની પુષ્ટિમાં ન્યાયકન્ટલી કારને અભિપ્રાય પૃ ૨૦૭ માં છે કે –
यदहरेवाऽस्य श्रद्धा भवति तदहरेवाय प्रवजेत्
જે દિસે શ્રદ્ધા થાય તે જ દિવસે સર્વને ત્યાગ કરી યતિ પણને પ્રાપ્ત કરે. એમાં આશ્રમનું કંઈ પણ કામ નથી. કોઈ પણ આશ્રમમાં હોય, પરંતુ સાધુ થવામાં વૈરાગ્ય-વાસનાયુક્ત શ્રદ્ધાજ કારણ છે. તે
ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, આ પાંચ યનું સેવન, શાલીયા વૃત્તિ, યાયાવર વૃત્તિ, સંતોષવૃત્તિ વિગેરે ગૃહસ્થને ધર્મનાં સાધને સમજવાં.
વલ્કલ, ચામડું, દાઢી, મુચ્છ, નખ, રેમ વગેરેનું
Page #268
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૨૪૩
ધારણ કરવું, અતિથિના ખાધા પછી જે શેષ બાકી રહે -તેનું ભજન કરવું વિગેરે વાનપ્રસ્થને ધર્મનાં સાધને સમજવાં.
યમ, નિયમ વિગેરે ખબ દઢતા પૂર્વક પાળવા આ પતિએને ધર્મનાં સાધને સમજવાં.
અધર્મનિરૂપણ.
અધર્મ પણ આત્માને ગુણ વિશેષ સમજે. તેનું આચરણ કરવાવાળાને અહિત દુઃખ વિગેરેની પ્રાપ્તિ થાય છે. આજ કારણથી ધર્મશાસ્ત્રમાં અધર્માચરણને નિષેધ કરવામાં આવે છે. હિંસા, અસત્ય, ચેરી, પરદેશગમન, અસતેષ વિગેરે અધર્મનાં સાધને સમજવાં.
જ્ઞાન વિનાના અને રાગદ્વેષવાળા પુરૂષને ડાં અધર્મ સહિત ધર્મમાં ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ કરવાથી પિતાના આશયને અનુકૂલ બ્રહ્મ, ઈન્દુ, પ્રજાપતિ, પિતૃલેક, મનુષ્યલોક વિગેરેમાં ઉત્પન્ન થયા બાદ ઈષ્ટ ઈન્દ્રિય વિષયક સુખાદિની પ્રાપ્તિ થાય છે. થડ ધર્મ સહિત ઘણા અધર્મથી પ્રેતયોનિ, તિર્યચનિ વિગેરે સ્થાનમાં જવાથી અનિષ્ટ ઇન્દ્રિયના વિષયે મળવાથી દુઃખાદિની પ્રાપ્તિ થાય છે.
અધર્મસહિત પ્રવૃત્તિરૂપ ધર્મથી ચાર ગતિમાં વાર-વાર પરિભ્રમણ કસ્તે સંસારને અન્ય પ્રાપ્ત કરે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
તજ્યાખ્યાન
જ્ઞાનપૂર્વક ધર્મના સેવનથી વિશુદ્ધ કુલમાં ઉત્પન્ન થયા બાદ વિનાશના ઉપાયને જાણનાર આચાર્યને સમાગમ કરી છે પદાર્થનું તત્વજ્ઞાન મેળવ્યા બાદ અજ્ઞાનની વૃત્તિઓ રૂપ બાલચેષ્ટાથી ઉદાસીન થયેલ મહાત્માને રાગદ્વેષે શાન્ત થવાથી નવીન ધર્માધર્મો ઉત્પન્ન થતા નથી, અને પૂર્વમાં જે ઉત્પન્ન થયેલા હોય તેને ઉપભેગ કરી નિરોધ કરવામાં આવે છે. તદનન્તર ઈન્જન વિનાના અગ્નિની માફક નિબજ આત્માને શરીરની નિવૃત્તિ થાય છે, અને નવા શરીરની ઉત્પત્તિનું કઈ કારણ ન હોવાથી નવું શરીર ઉત્પન્ન થતું નથી. તેજ વખતે દુઃખને અત્યંત નાશ થાય છે, એનું નામજ મક્ષ છે. તે દુઃખના એકવીશ ભેદ છે. છ ઇક્રિયે, છે વિષયે, છ બુદ્ધિએ, શરીર, મન, દુઃખ, આ એકવીશ દુઃખનું કારણ હેવાથી એને દુઃખરૂપ કહેવામાં આવે છે, અને તેના અભાવનું નામ મેક્ષ સમજવું. ન્યાયકન્ટલીકર પણ આ વાતને પુરવાર કરી આપે છે પૃ. ૨૮૦. આત્માના વિશેષ ગુણેને સર્વથા નાશ સહિત આત્માનું જે અવસ્થાન તેનું નામજ મેક્ષ.
શબ્દગુણનું નિરૂપણ. શબ્દ આકાશને ગુણ છે. વણેન્દ્રિયથી એનું પ્રત્યક્ષ થાય છે. તે ક્ષણિક છે. તેના બે ભેદ છે. વર્ણાત્મક અને બીજે ધ્વનિરૂપ. અકારાદિ વણે જ્યાં સ્પષ્ટ માલુમ પડે તે વર્ણાત્મક શબ્દ સમજ. શંખ વિગેરેના શબ્દ ધ્વનિરૂપ સમજવા.
Page #270
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
૨૪૫
નવી, તળાવ, સમુદ્ર વિગેરેના તરંગોની જેમ એક શબ્દથી બીજો શબ્દ, બીજાથી ત્રીજે એવી રીતે ઉપન્ન થતાં થતાં જ્યારે કાન સુધી આવે ત્યારે તેનું ગ્રહણ થાય છે.
કર્મસ્વરૂપનિરૂપણ - મૂર્ત દ્રવ્યમાં રહેવાવાળું, બીજામાં નહિ રહેવાવાળું અને ગુણથી જે રહિત હોય તે કર્મ કહેવાય. તેના પાંચ ભેદ છે. ઉલ્લેપણું, અવક્ષેપણું, આકુંચન, પ્રસારણ, ગમન. પત્થર વિગેરે વસ્તુને ઉચે ફેંકવાની જે કિયા તે ઉલ્લેપણ કર્મ કહેવાય. તેજ વસ્તુને નીચે ફેંકવાની જે કિયા તે અવક્ષેપણ કર્મ કહેવાય. હાથ પગ વિગેરેને સંકેચ કરવાની જે કિયા તે આકુંચન કર્મ કહેવાય. તે અવયને ફેલાવવાની ક્રિયાને પ્રસારણ કહેવામાં આવે છે. જવા આવવાની ક્રિયાને ગમન કહેવામાં આવે છે. આત્મત્વ પુરૂષવની માફક કર્મત્વને પર્યાય ગમન પણું સમજવું. ભ્રમણ વિગેરેની વ્યાખ્યા પૂર્વ કરવામાં આવી છે, માટે અત્ર તેનું વિવેચન કરવામાં આવતું નથી.
સામાન્યસ્વરૂપનિરૂપણ. - નિત્ય હાઈ કરીને પણ અનેક પદાર્થોમાં સમવાય સંબન્ધથી જે રહે તે સામાન્ય કહેવાય. તેના બાધક બતાવવામાં આવે છે. જે ધર્મ એક વ્યકિતામાં રહે તે ધર્મ સામન્ય ન કહેવાય, જેમ આકાશત્વ, દિશાપણું, કાલાપણું.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૬
તવાખ્યાન,
ઘટત્વ, કલશવ, કુંભત્વ વિગેરે પર્યાય ધર્મો પણ જાતિ કહેવાય નહિ. દરેકની અન્દર ઘટવ જાતિથી જ કામ ચાલી જાય છે. આ ઉદાહરણે તુલ્ય ધર્મમાં જાતિ નહિ માનવાનાં સમજવાં.
એકના અધિકરણમાં જ્યાં બીજાને અત્યન્ત અભાવ આવતે હેય, પરંતુ તે બંને ધર્મો એક ઠેકાણે રહેતા હોય તે ધર્મો પણ જાતિ કહેવાય નહિ. જેમ ભૂતત્વ અને મૂત્વ. ભૂતત્વના અધિકરણ આકાશમાં મૂર્ણપણાને અભાવ છે, અને મૂર્ણપણાના અધિકારણ મનમાં ભૂતપણાને અભાવ છે, છતાં પણ પૃથ્વી, જલ, તેજ, વાયુ આકાશની અન્દર તે બંને ધર્મો રહેતા હોવાથી સંકર દોષને લઈને આ બે ધર્મો જાતિ રૂપે માનવામાં આવ્યા નથી.
જાતિની ઉપર જાતિ માનવામાં અનવસ્થા દેશ આવવાથી સામાન્યપણું પણ જાતિ નથી.
વિશેષની ઉપર જાતિ માનવાથી વિશેષ રૂપની હાનિને લીધે વિશેષની ઉપર પણ જાતિ માનવામાં આવી નથી.
પર, અપર વિગેરે ભેદે તે પૂર્વ કહેવામાં આવેલા હોવાથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી.
જે સ્વભાવથી એક પિંડમાં સામાન્ય રહે છે તેજ રવભાવથી બીજા પિંડમાં પણ રહે છે. દિવ્ય, ગુણ, કર્મથી જુદા પદાર્થ તરીકે સામાન્યને માનવામાં આવે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
રા
વિશેષનુ નિરૂપણુ પૂ કરવામાં આવેલ હોવાથી અન્ન તેનું વિવેચન કરવામાં આવતુ નથી.
તત્ત્વાખ્યાન.
સમવાયનિરૂપણ.
આ કુંડામાં દહીં છે તેની માફક આ તતુમાં પટ છે, આ તૃણુમાં કટ છે, આ દ્રવ્યમાં ગુણ છે તથા કમ છે, ગુણમાં ગુણત્વ છે, કમ માં કમત્વ છે, આ દ્રવ્ય ગુણ ક ની ઉપર સત્તા છે, આ નિત્ય દ્રવ્યમાં વિશેષ છે; આવા પ્રકારની જે પ્રતીતિ થાય છે તે પણ સબન્ધવિશેષ માન્યા સિવાય ઘટી શકેજ નહિ; અને જે એના સબન્ધવિશેષ હોય તેનુ નામજ સમવાય. ગુણુ ગુણિના, ક્રિયા અને ક્રિયાવાળાના, અવયવ અને અવવિના, જાતિ અને વ્યકિતને, નિત્ય દ્રશ્ય અને વિશેષના સમવાય સઅન્ય સમજવા.
અભાવનુ નિરૂપણ.
નવીન લેાકેા અભાવને પણ પદાથ રૂપે માને છે. તેના ચાર ભેદ છે. પ્રાગભાવ, પ્રધ્વ`સાભાવ, અન્યોન્યાભાવ,
અત્યન્તા ભાવ.
આ ભૂતલમાં ઘડો થશે એવી પ્રતીતિ જ્યાં થાય તેને પ્રાગભાવ કહેવામાં આવે છે,
આ ઠેકાણે ઘડો ફૂટી ગયા એવી પ્રતીતિના વિષયને પ્રધ્વસાભાવ કહેવામાં આવે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૪૮
તવાખ્યાન. ~~~-~~--------
ઘટ, પટ નથી એવી પ્રતીતિના વિષયને અન્યાભાવ કહેવામાં આવે છે. આ ભૂતલમાં ઘડે નથીજ આ પ્રતીતિના વિષયને અત્યન્તા ભાવ કહેવામાં આવે છે.
ઉપરોકત પ્રાચીન લેકના મન્તવ્ય પ્રમાણે છ પદાથનું, અને નવીન લેકેની માન્યતા પ્રમાણે સાત તનું સંક્ષેપથી સ્વરૂપ બતાવવામાં જે આવેલું છે તે પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયકદલી. ટીકા, મુકતાવળી, દિનકરી વિગેરે ગ્રન્થના અનુસારે સમજવું. વિશેષજિજ્ઞાસાવાળાઓને તે ગ્રન્થ અવલોકવાની ભલામણ કરી આ દર્શનની અવ સમાપ્તિ કરવામાં આવે છે.
ઇતિ વિશેષિક દર્શન.
Page #274
--------------------------------------------------------------------------
________________
प्रस्ताव दशमो.
વૈશેષિકદર્શનની સમાલાચના.
આ દન કયારે ઉત્પન્ન થયું અને કેવી રીતે થયુ એ બીના જ્યાં સુધી જનસમાજના જાણવામાં ન આવે ત્યાં સુધી તેની ઉપર સત્યાસત્યના નિ ય કેવી રીતે બાંધી શકાય ! તેટલા માટે જો કે એની ઉત્પત્તિ એના મત પ્રમાણે તે જોઇ ગયા, પરન્તુ બીજાઓનેા તેના ઉપર કેવા અભિપ્રાય છે તેની ઉપર પણ ઢષ્ટિપાત જરૂરના ધારી કરવામાં આવે છે.
पंचसयाचोयाला तइआ सिद्धिं गयस्स वीरस्स पुरि અન્તનિયાપ તેરાસિવિઠ્ઠી ઉપન્ના-વિશેષાવશ્યક પૃ. ૯૮૧ માં. કાશીમાં છપાયેલ છે તે. પરમાત્મા મહાવીરનું નિર્વાણ થયા બાદ પાંચસે ચુમાલીસ વર્ષે અંતર'જીકા નગરીમાં વૈશેષિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ.
આવું કંઇક વિવેચન : તે ગ્રન્થના અનુસારે કરવામાં આવે છે.
અન્નર'જીકા નગરીની બાહિર ભૂતગૃહ નામના ચૈત્યમાં શ્રીગુપ્ત નામના આચાર્ય મહારાજ ખીરાજમાન થયા હતા. તે સમયે તેજ નગરીમાં અલશ્રી નામનેા રાજા હતા. તે વખતે
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૦
તવાખ્યાન.
આચાર્યશ્રીને રેહ ગુપ્ત નામને શિષ્ય બીજા ગામમાં વિચરતે હતે. કેઈ એક દિવસે રેહગુપ્ત આચાર્યશ્રીને વન્દન કરવા સારૂ અંતરંજીકા નગરીમાં આવ્યું. તે સમયે પિઠ્ઠશાલ નામના પરિવ્રાજક મહર્ષિ પતે પેટ ઉપર લેઢાને પાટે બાંધી હાથમાં જાબુના વૃક્ષની ડાળ લઈ શહેરમાં પરિભ્રમણ કરતે હતે. નગરના લોકેએ આવા પ્રકારનું વૈતુક જોઈ પ્રશ્ન કર્યો કે આપને આમ કરવાનું શું કારણ. ઉત્તરમાં પરિવ્રાજક મહર્ષિએ જણાવ્યું જે મારું પેટ જ્ઞાનથી ભરેલું હોવાથી પેટ ફીને તે જ્ઞાન નીકળી ન જાય તેની ખાતર પેટ ઉપર લેઢાને પાટે બાંધવામાં આવ્યો છે, અને જબુદ્ધીપની અન્દર મારે પ્રતિવાદી કેઈ નહિ હોવાથી પ્રતિવાદીને અભાવ સૂચવવા માટે જંબુના વૃક્ષની ડાળ હાથમાં રાખી ફરું છું. આ બે નિમિત્તથી તે મહાત્માનું નામ પણ પિટ્ટશાલ પ્રચલિત થયું.
કદાચ કોઈ ખુણે રહી ગયું હોય તેને જગાડવા માટે આખા શહેરમાં પટની ઉલ્લેષણ પણ પિતે કરાવી છે. જેને વાદ કરે હેય તે મારી પાસે આવી જાઓ. આવા પ્રકારની ઉદ્દઘોષણા નગરમાં પ્રવેશ કરતા રેહગુપ્ત સાંભળી અને તરત જ કહ્યું કે હું તમારી સાથે વાદ કરવા તૈયાર છું. તમે ઉષણ બંધ કરાવે. આવી રીતે વાદની પ્રતિક્ષા વૃદ્ધાવસ્થાવાળા આચાર્યશ્રીને કહ્યા સિવાય તેણે સ્વીકારી લીધી, અને જ્યારે ગુરૂ પાસે આવીને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવે ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે તે મહર્ષિ જલ્પકથા, વિતંડાકંથામાં નિપુણ હેવાથી અને
Page #276
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૫:.
સાથે સાથે વિદ્યાશકિત પણ પાસે હોવાથી તમે તેમાં ફાવી શકશે નહિ. માટે આ કાર્ય વિચાર કર્યા સિવાય કર્યું લાગે છે. કદાચ તે હારશે તે પણ વિદ્યાને પ્રયોગ કરી તમારે પરાજય કરવા ઘણી કોશિશ કરશે. તે કારણથી સાહસ કામ કરવું યોગ્ય ગણાય નહિ. વિદ્યાનાં નામે – विच्छु सप्पे मुसग भिगी वराहीय काग पाभाइ एयाहिं વિકાઈ નોર vf વાનો ગુનો ભાવાર્થ–-વિછીની વિદ્યા, સર્ષવિદ્યા, મૂષક વિદ્યા, મૃગીવિદ્યા, વરાહીવિદ્યા, કાકવિદ્યા, પિતાકી વિદ્યા, આ વિદ્યાઓને પ્રવેગ જેની ઉપર કરવામાં આવે તે મનુષ્યને વિદ્યાધિષ્ઠાત્રી દેવતા તેવા રૂપથી નાશ કરવાને ઉપદ્રવ કરે. આ વાત સાંભળી રહગુપ્ત કર્યું કે ત્યારે હવે શું કરવું. જે થયું તે ખરૂં. વાદ તે અવશ્ય કરે. આવા પ્રકારને હગુપ્તને વિચાર જાણી આચાર્યશ્રીએ જણાવ્યું જે ગભરાઈશ નહિ. મારી પાસે પણ એની વિદ્યાને નાશ કરવા વાળી બીજી વિદ્યાઓ છે, કે જે ખાલી પાઠ માત્ર કરવાથી જ કાર્ય સિદ્ધિ કરી આપે છે. તેના નામ––
मोरी नउली बिराली वग्घी सिंहीय उलुगि उवाइ एयाओ विज्जाओ गिण्य परिव्वाय महणोओમેરી વિદ્યા, નકુલી વિદ્યા, બિડાલી વિધા, વ્યાઘ્રી વિદ્યા, સિંહી વિદ્યા, ઉલકી વિદ્યા, ઉલાવકી વિદ્યા–આ સાત વિદ્યાઓ એની પ્રતિ પક્ષી હેવાથી જો કે તને હરકત કરશે નહિ, તે પણ રજોહરણ મંત્રીને આવું છું તે પણ સાથ લઈ જા. જ્યારે તે મહર્ષિ સાત વિદ્યા સિવાય પણ ગર્દભી વિદ્યાને પ્રયોગ કરે ત્યારે તું પણ તે રજોહરણને પ્રયાગ કરજે એટલે
Page #277
--------------------------------------------------------------------------
________________
રિયર
તવાખ્યાન.
તારી પાસેથી ભાગીને તે મહર્ષિ પાસે જઈ તેમની ઉપર મૂત્ર પુરીષેત્સર્ગ વિગેરે કરશે, તેથી તેમની સભામાં હાંસી થવાની અને એને બલશ્રી મહારાજા નગર બહાર કાઢી મૂકશે. સાથ તમારે વિજય થવાને
ગુરૂ કૃપાથી સર્વ સામગ્રી મેળવી રહગુપ્ત રાજ સભામાં ગયો અને તે પરિવ્રાજક પણ ત્યાં આવ્યા. રેહગુપ્ત જણા
વ્યું જે તમારી ખુશીમાં આવે તે પૂર્વ પક્ષ કરે, હું ઉત્તર આપીશ. ત્યારે સમયને ઓળખી પરિવ્રાજકે પણ હગુપ્તને ઈષ્ટ, અને જેથી ખંડન થઈ શકે જ નહિ એ પ્રશ્ન કર્યો. - શુભ અશુભ રાશિની માફક તેવા પ્રકારની ઉપલબ્ધિ થતી હોવાથી જગતમાં જીવ અને અજીવ આ બે રાશિ છે. આ પક્ષ સર્વથા ઈષ્ટ છે તે પણ અભિનિવેશને લઈને ખંડન કરવા માટે ઉત્તરમાં જણાવ્યું કે તમારું કથન ઠીક નથી, કેમકે રાશિ ત્રણ પણ દષ્ટિ ગોચર થાય છે-અધમ, મધ્યમ અને ઉત્તમ. આ ત્રણ રાશિની માફક બીજા પ્રકારની ઉપલબ્ધિ થતી હોવાથી જીવ, અજીવ અને નેજીવ આ ત્રણ રાશિ જગતમાં છે, જીવ મનુષ્યાદિ, અજીવ ઘટાદિ અને ગિરેલીનું કાપેલું પુછડું થોડી વાર તરફડે છે તે દેશવિશેષ જીવ કહેવાય. આ વાત સાંભળી ચૂપ થઈ ગયેલ પરિવ્રાજકને બીજી કંઈ પણ યુકિત યાદ નહિ આવવાથી વિદ્યાને પ્રગ અજમાવ શરૂ કર્યો. ત્યારે રેહગુપ્ત પણ તેમજ કર્યું. છેવટ તેમાં ફાવી નહિ શકવાથી મહર્ષિ પાસે જે છેલ્લું શસ્ત્ર ગભીવિવાનું હતું તે અજમાવ્યું. ત્યારે આપણે પણ ગુરૂમંત્રિત
Page #278
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૨૫૪
રજોહરણને પ્રયોગ કર્યો. તે વખતે ગર્દભી વિદ્યા ગર્દભની માફક ભુકીને તે મહર્ષિની ઉપર પેસાબ અને જંગલ કરવાથી તમામ સભામાં તેનિન્દાને પાત્ર થશે અને બલશ્રી મહારાજાએ તેને નગર બહાર કર્યો. રેહગુપ્ત ખુશી થયા. જ્યારે વિજ્ય મેળવી આચાર્ય મહારાજશ્રીની પાસે આવી સર્વ વાત કહી સંભળાવી ત્યારે આચાર્ય શ્રીએ જણાવ્યું કે યુકિતયુકત વાત હેવા છતાં પણ રાશિ ત્રણની જે સ્થાપના કરી તે ઘણું - ગ્ર કાર્ય કર્યું. માટે ફરીથી તે સભામાં જઈ માફી માગી આવો. આચાર્યશ્રીની કેટલી બધી સત્યનિષ્ઠતા છે તે ઉપરેકત તેઓશ્રીના કથનથી જ જણાઈ આવે છે. પિતાને વ્હાલે શિષ્ય હોવા છતાં પણ જ્યારે અસત્ય પક્ષને સ્વીકાર કરી પરાજય કરી આવ્યું તે પણ તેનું લગાર માત્ર સન્માન ન કર્યું, ઉલટ તિરસ્કાર જાહેર કર્યો. આનું નામજ સત્યપરાયણતા. સમજવી. સભામાં માફી માગવાની જ્યારે ના પાડી અને ઉલટુ ગુરૂશ્રીને શાસ્ત્રાર્થ કરવાનું આહાન કર્યું ત્યારે શાન્તમૂર્તિ આચાર્યશ્રીએ બલશ્રી રાજાની સભામાં ધર્મવાદની પ્રણાલીથી છ માસ પર્યત શાસ્ત્રાર્થ કર્યો. છેવટે હારવાનો સમય આવ્યે તેપણ રેહગુપ્ત પિતાને મિથ્યા અભિનિવેશ છેડે નહિ. ત્યારે ગુરૂશ્રીએ તેની સાથે સર્વ વ્યવહાર બન્ય કર્યો. આ વાતથી ચીડાયેલ રહગુપ્ત ષ પદાર્થની પ્રરૂપણ પૂર્વક નવીન મતની સ્થાપના કરી. જ્યારે આવેશમાં આવે ત્યારે મનુષ્યને કંઈ પણ ભાન રહેતું નથી એ વાતનું બરાબર સ્પષ્ટીકરણ કરી આપ્યું. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષા અને સમવાય આ છ પદાર્થો તેમના કપેલા સમજવા.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૪
તવાખ્યાન.
ઉલક ગેત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી લુક્ય નામ અને છ પદાર્થોને માનતા હેવાથી એમનું ષડેલુય નામ સમજવું.
આ સર્વ બીના વિશેષાવશ્યકમાં પૃ. ૯૮૧ થી ૧૦૦૩ સુધી વિવેચન કરીને સારી રીતે જણાવવામાં આવી છે.
આ ઉપરથી સહેજ સમજી શકાય તેમ છે કે ખુદ ઈશ્વરે ઘુવડનું રૂપ ધારણ કરી કણાદ ઋષિ અપર નામ રેહગુપ્તની આગળ છ પદાર્થોને ઉપદેશ કર્યો એમાં કેટલી સત્યતા છે તેને વિચાર કરવાનું કાર્ય વાંચક વર્ગને સેંપવામાં આવે છે. પિતે કપેલા પદાર્થોને ઈશ્વરપ્રણીત કહેવરાવવાની ખાતર ઈશ્વરને જ ઘુવડના રૂપનું ધારણ કરવાનું કંલક આપવું તે સારા મનુષ્યને શેભા સ્પદ કહેવાય નહિ. વળી ઈશ્વરને બીજી કોઈ પણ રીતે ઉપદેશ આપવાનું યાદ ન આવ્યું કે જેથી ઘુવડનું રૂપ ધારણ કર્યું. અશરીરિ ઈશ્વરને કઈ વાર ઘુવડનાં તે કઈ વાર વરાહના અને કઈ વાર મચ્છનાં રૂપે બનાવવાની કલ્પના કરવી, આવી અસંબદ્ધ વાતે શ્રદ્ધાળુ ભકતે સિવાય બીજાઓના મને મદિરમાં કેવી રીતે નિવાસ કરી શકે એને વિચાર આપ પોતેજ કરશે. આ સિવાયની ઇશ્વર વિષયની માન્યતા નૈયાયિકના જેવી હેવાથી નૈયાયિક દર્શનની સમાલોચનાના પ્રસ્તાવમાં વિવેચન કરેલ હોવાથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી.
આ દર્શનના પ્રથમ પ્રણેતા ઐલુકય વંશીય કણાદ ઋષિ હોવાથી આ દર્શન અનાદિ કાલનું છે એમ તે કઈ પણ કહેવાનું સાહસ કરી શકે જ નહિ. હવે પદાર્થોને વિચાર કરવામાં આવે છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
૨૫૫
દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય વિશેષ, સમવાય આ છ પદાર્યો છે. તેમાં પણ પ્રથમ સામાન્ય, વિશેષની સમાલોચના કરવામાં આવે છે. સામાન્ય પદાર્થ એક છે, નિત્ય છે, તેના અવવયે નહિ હોવાથી તે અવયવરહિત છે અને અક્રિય તથા સર્વગત છે. વિશેષ, નિત્ય દ્રવ્યને એક બીજાની સાથે ભેદ જ્ઞાન કરાવવામાં કારણભૂત છે. આ બન્ને પદાર્થો આપસમાં અત્યન્ત ભિન્ન છે. આ મન્તવ્ય ઉપર વિચાર કરવામાં આવે છે.
ગાયની અન્દર, આ ગાય છે આ ગાય છે એવી એક આકારવાળી સામાન્ય બુદ્ધિ થવાથી જેમ દરેક ગાયની ઉપર ગેત્વ સામાન્ય માનવામાં આવે છે. તેમજ નિત્ય દ્રવ્યની ઉપર રહેલ વિશેષની અન્દર પણ આ વિશેષ છેઆ વિશેષ છે એવી એક આકારવાળી સામાન્ય બુદ્ધિ થતી હોવાથી તેમાં પણ સામાન્ય માનવુ જોઈએ.
પ્રદ્રવ્ય, ગુણ, કર્મ સિવાય બીજા પદાર્થોમાં સામાન્ય જ્યારે શાસ્ત્રકારે માનેલું નથી ત્યારે વિશેષ પદાર્થની ઉપર સામાન્ય છે એમ અમારાથી કેવી રીતે માની શકાય ?
ઉ૦ દ્રવ્યાદિ ત્રણ પદાર્થની અન્દર એક આકારવાળી સામાન્ય બુદ્ધિ રૂપ સામાન્ય માનવામાં જે નિમિત્ત છે તે નિમિત્ત વિશેષની ઉપર પણ સામાન્ય માનવામાં વિદ્યમાન છે તે શા માટે વિશેષની ઉપર સામાન્ય ન માનવું જોઈએ? : તેવીજ રીતે ઘટત્વ સામાન્ય ગોત્વ સામાન્ય વિગેરેની ઉપર
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૬
તાખ્યાન.
પણ સામાન્ય બુદ્ધિ થતી હાવાથી સામાન્યની ઉપર પણ સામાન્ય કેમ ન માનવુ જોઇએ? અનવસ્થા દોષ તા ખીજ અંકુરની માક કારણસામગ્રીની સદભાવદશામાં અન્યથા સિદ્ધ જેવા સમજવા, કેમકે કારસામગ્રી જો સ"પૂર્ણ ડાય તે તે પેાતાનુ કાર્ય અવશ્ય કરે એમાં બીજાની વાટ જોવાનુ કઇ પણ પ્રયોજન છેજ નહિ.
વળી સામાન્યને પણ વિશેષરૂપ માનવું પડશે. આ ગેાત્વ ઘટત્વથી જુદું છે, એવા પ્રકારની એક બીજાથી વ્યાવૃત્તિ કરાવવાવાળી વિશેષ બુદ્ધિને લઈને સત્તા સામાન્ય પણ ગાત્ર સામાન્ય વિગેરેથી ભિન્ન કહેતાં વિશેષ છે. નિત્ય દ્રવ્યની ઉપર માનેલા વિશેષ પદાર્થની માફક આથી એ સિદ્ધ થયું કે સામાન્યને વિશેષ રૂપ અને વિશેષને સામાન્ય રૂપ બનવાથી આ સામાન્ય જ છે, વિશેષ નથી તથા 1 વિશેષજ છે, સામાન્ય નથી એવા પ્રકારના નિયમ જે આંધવામાં આવેલ છે તે પણ રહેશે નહિ. સત્તાના સબન્ધથી વસ્તુમાં સત્ત્વ માનવામાં પ્રશ્નના અવકાસજ કર્યાં છે.
પ્ર૦ સત્તાના સબન્ધથી વસ્તુમાં જે સત્ત્વ માનવામાં આવે છે તે શુ' વસ્તુની અન્દર સ્વરૂપથી સત્ત્વ નહી હાવા છતાં પણ સત્તાના સબન્ધથી વસ્તુમાં સત્ત્વ માને છે, અથવા સ્વરૂપથી સત્ પદા'માં પણ સત્તાના સબન્ધ થવાથી સત્ત્વ માનેા છે.
ઉ॰ પ્રથમ પક્ષ માનવામાં તે સ્વરૂપથી અસત્ પદામાં પણ સત્તાને સહઅન્ય થવાથી જેમ સત્ત્વ માનવામાં આવે છે તેમજ આકાશપુષ્પ, શશશૃંગ વિગેરેમાં પણ
Page #282
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૨૫૭:
સત્ત્વ માનવું પડશે, કેમકે સ્વરૂપથી અસત્ જેમ દ્રવ્યાદિ પદાર્થો છે તેમ આકાશપુષ્પ વિગેરે પણ સ્વરૂપથી અસત છે. તે એકમાં સ્વરૂપથી અસત હોવા છતાં પણ સત્વ માનવું અને બીજામાં ન માનવું એનું શું કારણ, તેને વિચાર આપજ કરશે. આ કારણથી પ્રથમ પક્ષ આદરણીય નથી. હવે રો બીજો પક્ષ. જ્યારે દરેક પદાર્થમાં સ્વરૂપથી સર્વ વિદ્યમાન છે ત્યારે સત્તાના સંબન્ધથી બીજુ સત્ત્વ માનવાની શી જરૂર છે ? કેમકે સામાન્ય પદાર્થ માન્યા સિવાય પણ વસ્તુમાં સત્તા તે આપે માની લીધી તે પૃથક સામાન્ય પદાર્થ માનવાની બીજી જરૂર શાની રહી? વળી તે સામાન્ય દરેકની ઉપર વર્તે છે એવું જે માનવામાં આવશે તે દરેક વસ્તુનું સ્વરૂપ જેમ દરેક વસ્તુની અંદર વર્તતું હોવાથી તે એકજ છે એમ કહેવામાં કઈ પણ બુદ્ધિમાનું સાહસ કરી શકે નહિ. તેમ દરેક વસ્તુની ઉપર વર્તતું સામાન્ય પણ સ્વરૂપની માફક અનેક હોવા છતાં પણ એકજ છે એમ કઈ પણ કહી શકે નહિ એને વિચાર કરશે. - ઘણા દ્રવ્યમાં જો કે તે સામાન્ય રહે છે તે પણ અમે તે એકજ માનીશું એ કથન પણ ઠીક નથી, કેમકે એવી રીતે માનવાથી તે એમાં સદેશપણું આવવાથી સામાન્યપણું જ ઉ જવાનું અને સંદેશ નહિ માનવામાં તે પરમાણુની માફક દ્રવ્યાદિ પદાર્થોમાં રહેવાપણું બની શકશે નહિ.
દરેક વસ્તુમાં વતવા છતાં પણ અમે એને એકજ મા નીએ છીએ એ પણ કથન યુક્તિવિરૂદ્ધ સમજવું; કેમકે એમ
17
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૮
કહેવા કરતાં તે! ખવિષાણુની માફક છેજ નહિ એમ કહેવામાં શી અડચણ છે ? આવી રીતે વિચાર કરતાં, જ્યારે કોઇ પણ રીતે સામાન્ય વિશેષ પાર્થી સિદ્ધ થઇ શકતા નથી. ત્યારે એને પદાથરૂપે માનવાની શી જરૂર છે ? સામાન્ય અને વિશેષ એ બન્ને પદાર્થારૂપ નથી, કિન્તુ પદાર્થના ધ રૂપ છે તેમ જૈન દનકાર માને છે. ધર્મોને જો પદાર્થ રૂપે માનવામાં આવે તે તે અનન્ત હોવાથી છ પદ:ૌજ છે, અધિક છેજ નહિ એવા જે નિયમ બાંધવામાં આવેલ છે તે બિલકુલ રહેશે નહિ, એ વાતના મ વિચાર કરશે. વસ્તુના ધર્માં કેવી રીતે છે તે પણ સમજાવવામાં આવે છે.
તત્ત્વાખ્યાન.
ખરી, કાંધ, પૂછ્યું, શીંગડાં, ગલકબલ વિગેરે ગાયાના જે સરખા ધમ રૂપ પર્યાય છે તેને સામાન્ય કહેવામાં આવે છે. તથા કાળી ગાય, ધેાળી ગાય, પીળી ગાય, ચિત્ર ગાય વિગેરે આપસમાં જે ભિન્નતા માલૂમ પડે છે તેવા વલક્ષણ ધર્મ રૂપ પર્યાયને વિશેષ કહેવામાં આવે છે. તેવી રીતે જલ ધારણ કરવું, વચમાંથી પહેાળાપણુ, ગળુ' શ’ખના જેવા આકારવાળું વિગેરે ધર્માં દરેક ઘટમાં સરખા હોવાથી તે સરખા ધર્મરૂપ પર્યાયને સામાન્ય સમજવું, અને સેનાને ઘડા, ચાંદીના, ત્રાંબાના, પીત્તળના, લેઢાના, કાળા, પીળે, ધોળા, લાલ રંગવાળા વિગેરે વિલક્ષણ ધર્મ રૂપ પર્યાયને વિશેષ સમજવુ', નિત્ય દ્રવ્યો પણ આવી રીતે સામાન્ય-વિશેષ સ્વરૂપજ છે, તેા એના માટે અલગ પદાર્થ માનવાની જરૂર કાંઇ પણ રહેતી નથી. સામાન્ય-વિશેષરૂપ વસ્તુના પર્યાયે પણ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫
સ્વસ્વરૂપની અપેક્ષાએ વસ્તુથી કથ'ચિત્ અભિન્ન છે, અને પરરૂપની અપેક્ષાએ ભિન્ન પણ છે. પરંતુ એકાન્તથી અમુક ધર્મ અમુકથી ભિન્ન છે તથા અભિન્નજ છે એમ માનવામાં કોઇ પણ યુક્તિ છે જ નહિ. કિન્તુ દરેક ધર્મો પોતપેાતાના ધની સાથે કથ`ચિત ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે.
પૃથ્વી વિગેરે ચાર દ્રવ્યની સમાલેાચના.
તત્ત્વાખ્યાન.
પૃથ્વી, પાણી, તેજ, વાયુ આ ચારની મધ્યમાં દરેક્ના પરમાણુએ સવ થા નિત્યજ છે, ઘટાદિ વિગેરે તમામ કાર્યો સર્વથા અનિત્યજ છે.
જેના કદાચિત્ પણુ ઉત્પાદ ન થાય, વિનાશ ન થાય અને સદા સ્થિર એક સ્વભાવ રહે તે નિત્ય કહેવાય, આ નિત્યનુ લક્ષણ સમજવું.
આવા પ્રકારના વેશેષિકની માન્યતા ઉપર વિચારઃ—
પરમાણુ પૃથ્વી વિગેરે ચાર દ્રવ્યને સથા નિત્ય માનવામાં આવે તે યણુક વિગેરે કાર્યો તેથી કેવી રીતે ખની શકે, અને જયારે તેથી કાય ઉત્પન્ન થાય છે એમ માનવામાં આવે ત્યારે તે સ્થિરતાસ્વભાવરૂપ નિત્યત્વના લક્ષણને આપ કેવી રીતે ઘટાવી શકશે ?
ફ્રૂટસ્થ નિત્ય પણ માનવુ... અને તેથી કાર્યની ઉત્પત્તિ પણ માનવી એ તે માતા જ્ગ્યા જેવા ન્યાય સમજવે. સ્થિરતા સ્વભાવરૂપ નિત્ય એ પરમાણુને આવીને અંયુકત
'
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૦
તસ્વાખ્યાન.
થવાથી કયક વિગેરે કાર્ય થાય છે આ પણ વિચારણીય છે. જ્યારે સ્થિર સ્વભાવ વાળા પરમાણુઓ પિતાને સ્થિરતા સ્વભાવને ત્યાગપૂર્વક આવીને બે મળી ગયા, ત્યારે એનું નામ દ્વયણુક પાડવામાં આવ્યું. આથી એમ સહજ સમજી શકાય છે કે સ્વભાવભેદરૂપ પરિણામાન્તર થવા છતાં પણ જે એને અનિત્ય માનવામાં ન આવે તે જગતમાં અનિત્યની કથાનેજ લેપ થવાને. તથા એક બીજી વાત પણ પ્રસંગે યાદ આવે છે. સંહાર કાલમાં ગુણ કિયાથી રહિત પરમાણુઓ માત્ર કેવલ છુટા છુટાં રહે છે, અને જ્યારે સુષ્ટિ કરવાની ઇચ્છા મહેશ્વરને થાય છે ત્યારે ભેગી લેકેના અદષ્ટના વસથી પરમાણુઓમાં ક્રિયા ઉત્પન્ન થાય છે, પછી વિભાગ સંગ, અગ્નિસાગ, ઈશ્વર-ઇચ્છા વિગેરે કારણકલાપથી રૂપાદિ ગુણની ઉત્પત્તિ દ્રયકાદિ કાર્યથી લઈ મહાપૃથ્વી વિગેરે ઉત્પન્ન થાય છે. આ વાત ન્યાયકન્દલીમાં પૃ૦ પર માં જણાવી છે.
આ ઉપરથી એ સમજવાનું છે જે સંહાર કાલ પર્યન્ત ગુણ-કિયારહિત ખાલી પરમાણુઓ રહે છે, અને સુષ્ટિ કાલમાં ગુણ ક્રિયા પેદા થતી હોવાથી તેણે કરી સહિત પરમાણુથી દ્વયણુક વિગેરે કાર્યો માનવામાં આવે છે. આ કથન પણ પરમાણુની અનિત્યતા સિવાય બીજું શું સૂચવે છે ? જ્યારે ઉપરોકત નિત્યનું લક્ષણ જેમાં રહે ત્યારે તેમાં કઈ પણ કાલમાં ગુણ ક્રિયા રહિત પરિણામપણું અને કેઈ કાલમાં ગુણ કિયાવાળા પરિણામપણું–આવા પ્રકારનું વિલક્ષણ પરિ
Page #286
--------------------------------------------------------------------------
________________
૧
ામપણું પરમાણુમાં અનિત્યતા માન્યા સિવાય કેવી રીતે માની શકાય એના વિચાર આપ
તેજ કરશે.
તત્ત્વાખ્યાન.
એક બીજું પણ યુક્તિ વિરૂદ્ધ માલૂમ પડે છે તે એ કે એકાન્ત નિત્ય માનવામાં અનુક્રમે યા યુગપત્ આ બેમાંથી કોઇ પણ રીતે કાય થઈ શકવાનુ ંજ નહિ. જ્યારે અપરિણામી એકાન્ત નિત્યથી પરિણામી રૂપ કાર્ય થાય ત્યારે તે મૂળમાં કુઠાર રૂપ એકાન્ત નિત્યતાની જ હાનિ થઈ જાય.
એકાન્ત અનિત્યતાના વિચાર.
હ્રચણુક વિગેરે કાર્યો સ થા અનિત્ય છે એમ પણ કહી શકાયજ નહિ, જોકે ચણક વિગેરે પર્યાયના ઉત્પાદ અને વિનાશ થતા માલૂમ પડે છે. પુદ્ગલ દ્રવ્યપણું તે ખરાખર કાયમ રહે છે. પર્યોય તે એક ખીજા પરિણામથી બદલાતા જાય છે, પરન્તુ દ્રવ્યપણું તે રહ્યાજ કરે છે, અને જો તેને પણ નાશ માનવામાં આવે તેા કોઇ પણ કાર્ય કોઈ પણ કાળે થવુ જોઇએ જ નહિ.
પરમાણુ સ થા નિત્ય છે, ઘટાઢિ સથા અનિત્ય છે એમ પણ કદાપિ માની શકાયજ નહિ, કિન્તુ દરેક પદાર્થો નિત્યાનિત્ય છે. પરમાણુ પણ નિત્યાનિત્ય છે અને ઘટાઢિ પણ નિત્યાનિત્ય છે. પરમાણુઓના હ્રયણક વિગેરે પરિણામને ઉત્પાદ થવાથી પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે તેા પણ પુન્દ્ગલ દ્રવ્ય પણાના વિનાશ નહિ થવાથી તેની અપેક્ષાએ નિત્ય
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૨
તવાખ્યાન.
જ છે એમ સમજવું. જે પોતાના પુગલાદિ દ્રવ્યથી વિનાશન પામે તેને નિત્ય કહેવામાં આવે છે. પરમાણુઓથી ઉત્પન્ન થયેલ કયણુક વિગેરે કાર્યોમાં પુદ્ગલ દ્રવ્યપણું કાયમ રહેવાને લીધે નિત્યના લક્ષણને ઘટવાથી કઈ પણ ઠેકાણે દોષને અવકાશ રહેવાને નહિ.
એવી રીતે ઘટાદિ કાર્યોમાં પણ ઘટ રૂપ પરિણામને નાશ થાય છે તે પણ પુદગલ દ્રવ્ય પણું તે જરૂર તે ઠેકાણે જોવામાં આવે છે માટે ઘટાદિ કાર્યોને પણ કથંચિત નિત્ય માનવામાં કોઈ પણ પ્રકારને બાધ છે જ નહિ. જૈનદર્શનમાં તમામ કાર્યો નિત્યાનિત્ય છે, એકાન્તથી નિત્ય પણ કેઈ નથી અને કેઈ અનિત્ય પણ નથી. પ્રસ્તુતમાં પૃથ્વી વિગેરે ચાર દ્રવ્યમાં પણ પરમાણુઓને જેમ નિત્ય માનવામાં આવે છે તેમ અનિત્ય પણ માનવામાં આવે છે. તથા ઘટાદિ કાર્યોને પણ પર્યાયથી અનિત્ય અને દ્રવ્યથી નિત્ય માનવામાં આવે છે. જ્યારે આવા પ્રકારની વ્યવસ્થાથી સર્વ પ્રકારને વ્યવહાર બની શકે છે, ત્યારે વૈશેષિકનું કથન કેવી રીતે માની શકાય એને એકાન્તમાં બેસી ખૂબ વિચાર કરશે.
શરીરવિચાર.
મનુષ્ય વિગેરેનાં શરીર પાર્થિવ છે. આ કથન કેવા પ્રકારની યુકિતવાળું છે તે વક્ષ્યમાણ કથનથી સહજ સમજાશે.
સૂક્ષ્મ શરીર (લિંગ શરીર ) વિના કેવલ શુદ્ધ આત્માથી
Page #288
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન,
૨૬૩
તે સ્થૂલ શરીરનું ગ્રહણ થઈ શકે જ નહિ એ વાત તે નિવિવાદ સિદ્ધ છે. સૂક્ષ્મ શરીર તે છે કે જેને કાણુ શરીર કહેવામાં આવે છે. તેની વર્ગણ તે સર્વથી ભિન્ન અને ઘણું જ સૂમ છે. તે પાર્થિવ નથી કિન્તુ સાત વર્ગણ ઉપરની આઠમી વર્ગણા છે..
તે શરીર સર્વ શરીરનું મૂળ કારણ છે. કેવલ તે દ્વારા ઉપભોગ થઈ શકતો નથી, પરંતુ જ્યારે તે આદારિક અથવા વૈકિય શરીરનું ઉપદાન થાય છે ત્યારે દરેક પ્રકારના ઉપભેગો થઈ શકે છે. કામણ શરીર સહિત શરીરપર્યાપ્તિનામ કર્મ અંગે પાંગ નામ કર્મ વીર્યાન્તરાયને શપશમ પૂર્વક આદારિક વર્ગણથી મનુષ્ય તિર્ય“ચેના શરીર બને છે.
તથા કામણ શરીરસહકૃત શરીરપર્યાપ્તિ નામકર્મ યુકત વક્રિય વર્ગથી દેવ નારકીનાં શરીર બને છે. આ સર્વ શરીરે સનિક છે. અમેનિક તા કેઈ પણ શરીર નથી. તે
નિઓના ઘણા ભેદો છે. તેમાં ક્યા જીવને કઈ નિ હોય તેનું સ્પષ્ટીકરણ જૈન દર્શનમાં કરવામાં આવશે.આથી એ વાત સ્પષ્ટ થઈ કે મનુષ્યનાં શરીર જે કે સોનિક છે તે પણ પાર્થિવ નથી. દેવતાઓનાં શરીર વૈક્રિય હોવાથી તેમાં શુક શેણિત વિગેરે કઈ પણ ધાતુ જે કે નથી તે પણ એ અનિક છે એવી તે ભૂલ લગાર માત્ર કરવી નહિ; તેમ પાર્થિવ છે એમ પણ સમજવું નહિ. એના માટે તે વૈક્રિય વર્ગણા બીજા શરીરની વર્ગણા કરતાં ભિન્ન છે. જલીય શરીર વરૂણ લેકમાં, તૈજસ શરીર આદિત્ય લેકમાં, વાયવીય શરીર મરૂત
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૪
તવાખ્યાન,
લેકમાં છે, અને તે પણ અનિક છે. આ કથન પણ વિચારસહ નથી.
વરૂણ લેક શબ્દથી કેઈ દેવવિશેષ સમજતા હે તે તે ભ્રમમૂલકજ છે, કેમકે એ કઈ પણ દેવવિશેષ નથી કે
જ્યાં વૈક્રિય શરીર સિવાય પણ જલનું શરીર હોય, અને વરૂણ જે અપકાય સમજતા હે તે તેમાં લગાર માત્ર અડચણ નથી, કેમ કે અમે પણ જલને અપકાય માનીએ છીએ, અને તેનું પણ શરીર તેવા પ્રકારનું આદારિક છે. - તેવી જ રીતે તૈજસ શરીર આદિત્ય લેકમાં છે. આવી રીતે પ્રતિપાદન કરીને તૈજસ શરીરને ઠેકે કેવલ આદિત્ય લેકને જ આપ એ પણ સમજણને ફેરફારજ સમજ, કેમકે આહારને પકાવવામાં તથા તેજલેશ્યા વિગેરે મૂકવામાં કારણભૂત તૈજસ શરીર જ્યારે જગતના તમામ ને ઉપયેગી હોવાથી એકલા આદિત્ય લેકમાં જ તૈજસ શરીર માનવું અને બીજાઓને ન માનવું તે પણ પદાર્થને નહિ જાણવાનું ફલ છે. વળી તેને માન્યા સિવાય ઉપરોકત કાર્યને નિર્વાહ પણ આપ કેવી રીતે કરશે. જઠરાગ્નિ પણ તૈજસ શરીરજ છે, જ્યારે તેને સર્વત્ર માનશે ત્યારે તૈજસને પણ માનવું જ પડશે. આકાશમાં જે આ દેખાય છે તે તે સ્ફટિક મણિનું - તિષનું વિમાન છે, અને આપણને એને તાપ જે માલૂમ પડે છે તે પણ આપ નામ કર્મના ઉદયને લઈને બાદર પૃથ્વીકાયને જ સમજ. સૂર્ય તે એની અન્દર રહેલ. અને વૈકિય શરીરવાળે દેવવિશેષ છે. તે તમામ દેવેનાં શરીર વૈક્રિય
Page #290
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
૨૬૫
હાય છે એ દ્વારા અનેક પ્રકારની ક્રિયા થઇ શકે છે. પરન્તુ જેને આપ તેજ કહો છે તેવા તેજનું શરીર તા કાઈ પણ જીવને છેજ નહિ, અને જેને તેજસ શરીર કહેવામાં આવે છે, તે પણ ઔદારિક અથવા વૈક્રિય શરીર દ્વારાજ ઉપભોગનુ સાધન બને છે. તથા વાયુ લેાકમાં વાયુનુ શરીર છે, આ વાકય પણ વિશ્વસનીય નથી, કેમ કે એવા કોઈ પણ દેવવિશેષ નથી કે જેનું શરીર વાયુનું હાય, અને જે વાયુ લેાકથી પવનને લેવામાં આવે તે તેનુ” પણુ શરીર આદારિક છે, પરન્તુ વાયુનુ શરીર તેા કાઇને છે જ નહિ. આથી એ સિદ્ધ થયું કે પાર્થિવ શરીર, જલનું શરીર, તેજનું શરીર, વાયુનું શરીર–આ ચારમાંથી કોઇ પણુ શરીર છેજ નહિ, પરન્તુ શરીરના પાંચ પ્રકાર છે—આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાણુ. તેમાં તૈજસ કાણુ શરીર તા સર્વ જીવાને સર્વદા હોય છે. જ્યાં સુધી મુકિત ન મળે ત્યાં સુધી તે કાયમ રહેવાનુ આદારિક તે મનુષ્ય અને તિય‘ચાને જ હોય છે. અને સ્વાભાવિક વૈક્રિય તે દેવતા નારકીનેજ હાય છે, અને કૃત્રિમ વૈક્રિય તા ચારે ગતિમાં મળી શકે છે. એનુ વિશેષ વિવેચન જૈનદર્શનમાંથી સમજવું.
ઇન્દ્રિયાના વિચાર.
ઘ્રાણેન્દ્રિય પૃથ્વીની છે, જિન્હા ઇન્દ્રિય જલની છે, ચક્ષુ ઇન્દ્રિય તેજની છે અને સ્પર્શીનેન્દ્રિય વાયુની છે. શ્રવણેન્દ્રિય આકાશરૂપ છે, આ માન્યતા પણ ખરાખર વિચારને અવકાશ આપે છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જ્યાખ્યાન.
ઇન્દ્રિયનું વાસ્તવિક સ્વરૂપ. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ ઇન્દ્રિયેના બે ભેદ છે, ભાવેન્દ્રિયના પણ બે ભેદ છે. લબ્ધીન્દ્રિય અને ઉપયેગેન્દ્રિય. જે ઈન્દ્રિયથી જે વિષયનું જ્ઞાન થતું હોય તે જ્ઞાનનું આવારક જે કર્મ તેના ક્ષપશમને લબ્ધીન્દ્રિય કહેવામાં આવે છે, અને તેને વિષયના પરિચ્છેદ કરવામાં આત્માના વ્યાપારવિશેષને ઉપયેગેન્દ્રિય કહેવામાં આવે છે.
શ્રવણેન્દ્રિયના પણ બે ભેદ છે. નિવૃતીન્દ્રિય અને બીજી ઉપકરણેન્દ્રિય.
નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મ નિમિત્તક કર્મ વિશેષથી બનેલ કર્ણશખુલી વિગેરે શરીરના પ્રદેશને નિવૃતીન્દ્રિય કહેવામાં આવે છે.
નિવૃતીન્દ્રિયનો ઉપઘાત ન થવા દેવામાં તથા અનુગ્રહ કરવામાં જે ઉપકારક હોય તે ઉપકરણેન્દ્રિય કહેવાય.
ઉપરોક્ત દ્રવ્ય ભાવમાંથી કેઈની અન્દર પણ વૈશેષિક લેકે એ માનેલી ઇન્દ્રિયોને સમાવેશ થઈ શકતો નથી.
સર્વથા જડ હેવાથી ભાવેદ્રિયમાં પણ એની ગણના થઈ શકે નહિ.
અને એક એક ભૂતથી એક એક ઈન્દ્રિય બનેલી હોવાથી કન્દ્રિયમાં પણ સમાવેશ થઈ શકતું નથી, તથા સર્વથા જડ હોવાથી વિષયને પરિછેદ પણ કેવી રીતે કરાવી શકે ?
Page #292
--------------------------------------------------------------------------
________________
તેવાખ્યાન.
૨૬૭
કદાચ એમ કહેવામાં આવે કે મને દ્વારા વિષયને પરિછેદ થાય છે માટે આ દેષને અવકાશ નથી. આ કથન પણ બુદ્ધિગ્રાહ્ય નથી, કેમકે આપના મતમાં મન પણ પરમાણુરૂપ જડ છે, તે આપજ બતાવશે કે તેવા જડ મનથી પણ વિષયને પરિચ્છેદ કેવી રીતે થઈ શકે.
એના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે આત્મા તેિજ વિષયને પરિચ્છેદ કરે છે, ઈન્દ્રિયે તે કેવલ નામમાત્ર છે. એનું નિરાકરણ તે કુંથુ વિગેરે સૂમ પ્રાષ્ટ્રિમાં પણ આત્મા તે બરાબર છે, માટે ત્યાં પણ પંચેન્દ્રિયના વિષયને પરિચછેદ થવો જોઈએ, તથા અમુક જીવને અમુક ઈન્દ્રિયે હેય એવું પણ આપના મતમાં કેઈ ઠેકાણે જણાવવામાં આવ્યું નથી. વળી વિષયના પરિચ્છેદમાં વધ્યા તુલ્ય હેવાથી ઇન્દ્રિયની માન્યતાજ નકામી થઈ જવાની.
પ્ર. ઘાણેન્દ્રિય ગન્ધને ગ્રહણ કરે છે, અને ગન્ધ તે પૃથ્વીને ગુણ છે. રસનેન્દ્રિય રસને ગ્રહણ કરે છે, અને રસ તો જલને ગુણ છે. ચક્ષુ રૂપને ગ્રહણ કરે છે, અને રૂપ તે તેજને ગુણ છે, સ્પર્શેન્દ્રિય સ્પર્શને ગ્રહણ કરે છે, અને સ્પર્શ તો વાયુને ગુણ છે. શ્રવણેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે અને શબ્દ તે આકાશને ગુણ છે. જે ઈન્દ્રિય જેથી બનેલી હેય તે તેના ગુણને ગ્રહણ કરે છે. આથી પાંચે ઈન્દ્રિયે પૃથ્વી વિગેરે ભૂતથી બનેલી છે એ સિદ્ધ થાય છે.
ઉ. ધ્રાણેન્દ્રિયને જે પાર્થિવ માનવામાં આવે તે જેમ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૮
તવાગ્યાન.
પૃથ્વી સંબન્ધિ ગન્ધગુણનું તેનાથી પ્રત્યક્ષ થાય છે તેમ બીજા રસાદિ તેર ગુણનું પણ ગ્રહણ થવું જોઈએ. એવી શી રાજઆજ્ઞા છે કે ગન્ધનું જ ગ્રહણ થાય, બીજાનું ન થાય ? તથા રસનાથી રસની માફક ગધાદિ તેર ગુણોનું પણ પ્રત્યક્ષ થવું જોઈએ, ચક્ષુથી રૂપની જેમ રસ વિગેરે તમામ ગુણનું પ્રત્યક્ષ થવું જોઈએ, કેમકે તેજ પુદ્ગલ છે, અને જેમાં રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ વિગેરે ગુણે હોય તે પુગલ કહેવાય. પરમાણુમાં પણ આ ચાર ગુણ તે બરાબર છે અને શબ્દ વિગેરેને પણ પુદ્ગલ દ્રવ્યના સ્કન્ધ સમજવા. આથી તેજમાં પણ જ્યારે પુદ્દગલપણું સિદ્ધ થયું, ત્યારે તેના તમામ ગુણનું ચક્ષુથી પ્રત્યક્ષ આપના નિયમ પ્રમાણે કેમ ન થાય? તથા સ્પર્શનેન્દ્રિચથી સ્પર્શની માફક રૂપાદિ ગુણનું પણ ગ્રહણ થવું જોઈએ.
પ્ર. જેવી રીતે ઘાણ વિગેરે ઈન્દ્રિયોથી ગન્ધના પ્રત્યક્ષની માફક રૂપાદિ ગુણેના પ્રત્યક્ષની આપત્તિ અમારા મતમાં આવે છે એમ આપ જણાવે છે તેવી જ રીતે આપના મતમાં પણ તે આપત્તિ તે બરાબર છે. તે જે દોષ પિતાની અન્દર આવતું હોય તેને ઉદ્ધાર કર્યા સિવાય બીજામાં તે દેષનું આરે પણ કરવું એ પણ બુદ્ધિમતા કહેવાય નહિ.
ઉ. અમારા મતમાં તે દેષને અવકાશ બિલકુલ છે જ નહિ, કેમકે જેવા પ્રકારની લબ્ધિ ઈન્દ્રિયે હેય તેવા પ્રકારને દ્રન્દ્રિયદ્વારા બંધ થાય છે. અર્થાત્ જે વિષયને ક્ષયે પશમ તે ઇન્દ્રિયથી તે વિષયનોજ બંધ થાય; બીજાને થઈ શકેજ નહિ તો પછી આપ જ કહે કે આ દોષને અવકાશ અમારે ત્યાં
Page #294
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
૨૬૯
રહે છે ખરો? એ તે કેવલ દ્રવ્યેદ્રિયને જ માનતે હોય તેને ત્યાંજ આ દેષને અવકાશ રહે એ વાત ખૂબ ધ્યાનમાં રાખશે.
શબ્દ આકાશને ગુણ નથી, કિન્તુ પુદગલરૂપ છે, એ વાતનું સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવશે. જ્યારે શબ્દ આકાશને ગુણ નથી ત્યારે આકાશને ગુણ હેવાથી શ્રોત્ર રૂપ આકાશ શબ્દને ગ્રહણ કરે છે. આ કથન યુક્તિયુક્ત છે કે કેમ. એનો વિચાર કરે વિચારકેનેજ એગ્ય છે.
પૃથ્વી વિગેરેના વિષયનું નિરૂપણ.
પ્રાકાર, ઈટે, માટી, પાષાણુ, શિલાઓ, સૂર્યકાન્તાદિ મણુઓ, વા, હીરા, તૃણ, ઘાસ, ધાન્ય વિગેરે એષધિ, પુષ્પ ફલ વાળાં વૃક્ષો-લતા, કેતકી, બીજોરાં વિગેરે, તથા પુષ્પ, ફલ વિનાની વનસ્પતિઓ આ તમામને પૃથ્વીના વિષયે સમજવા. જે ઉપભેગનું સાધન હોય તે જ વિષય કહેવાય. આ વૈશેષિકની માન્યતા ઉપર વિચારને અવકાશ.
પૃથ્વીના બે ભેદ છે. એક સજીવ, બીજી નિજીવ. પિતાના. આયુષ કર્મને સંબન્ધ જે પૃથ્વીકાય છને પુરો થયે હેય તે નિર્જીવ પૃથ્વી ખાલી પુદ્ગલરૂપ જડ છે, અને જેને આયુષ કર્મને સંબધ ક્ષીણ થયા નથી તે સજીવ પૃથ્વી સમજવી. ઈ., પત્થર, શિલાઓ, હીરા, મણિઓ, સોનું, ચાંદી, તાંબુ, પીતળ, જસત, શીશુ વિગેરે તમામ ધાતુઓ, દરેક પ્રકારની માટી, રત્ન, વજ, ખાણનાં મીઠાં પરવાળાં આ તમા-.
Page #295
--------------------------------------------------------------------------
________________
२७०
તત્ત્વાખ્યાન,
મની અંદર શસ્ત્ર વિગેરેના સંબન્ધથી આયુષ કર્મને જેને ક્ષય થયે હોય તે નિર્જીવ; બાકીના સજીવ. આ સિવાય તમામ પ્રકારની વનસ્પતિને પણ પૃથ્વીમાં ગણના કરવી તે ઠીક નથી, તેજ વાત સમજાવવામાં આવે છે. સ્થાવરની અન્દર પણ વનસ્પતિ નામકર્મ ભિન્ન છે. અને પૃથ્વી-કાય નામકર્મ ભિન્ન છે, તથા વનસ્પતિ સંજ્ઞા ભિન્ન છે અને પૃથ્વી સંજ્ઞા પણ ભિન્ન છે. પૃથ્વીકાય રૂ૫ એકેન્દ્રિય જાતિ ભિન્ન છે અને વન
સ્પતિ-કાયરૂપે એકેન્દ્રિય જાતિ ભિન્ન છે, તથા પૃથ્વીકાય રૂ૫ તિર્યંચ ગતિ ભિન્ન છે અને વનસ્પતિકાય રૂપ તિર્યંચ ગતિ ભિન્ન છે. તથા પૃથ્વીકાયનાં શરીરની અપેક્ષાએ વનસ્પતિ કાયનાં શરીરે ઉચાઈ વિગેરેમાં ભિન્ન રૂપે માનવામાં આવેલાં છે, તથા જેમ વનસ્પતિકાયમાં નિગદની ગણના છે તેમ પૃથ્વીકાયમાં નથી. તથા વનસ્પતિકાયના છ જેમ અનન્ત છે તેમ પૃથ્વીકાયના નથી, તથા કાર્યો પણ એક બીજામાં ભિન્ન છે. આવી રીતે જ્યારે અનેક પ્રકારની ભિન્નતા જોવામાં આવે છે ત્યારે બંનેને એક કેવી રીતે માની શકાય ? એમ હવા છતાં પણ જે એક માનવાની ભાવના હોય તે આખા જગતને કે એક રૂપથી એક માની ભે; અને તેમાં કંઈ પણ અડચણ નથી. પરંતુ તેમ કરતા તે નથી. તે શા માટે આ બેને જુદા ન માનવા જોઈએ ?
વળી સુવર્ણને તેજ માનવું એ પણ બ્રાન્તિ જ છે, કેમકે આપે તેજમાં તે ભાસ્વર શુકલ રૂપ સિવાય બીજું કંઈ પણ રૂપ માનેલું છેજ નહિ, અને સુવર્ણમાં તે પીતરૂપ
Page #296
--------------------------------------------------------------------------
________________
તત્વખ્યાન.
ર૭
છે. કદાચ એમ કહેવામાં આવે કે સુવર્ણ માં જે પીતરૂપની પ્રતીતિ થાય છે તે તે બ્રાન્તિરૂપ હેવાથી સુવર્ણને તેજ માનવામાં કંઈ પણ બાધા નથી. આ કથન આપશ્રીનું યુક્તિવિરૂદ્ધ છે. પૂર્વોકત બ્રાન્તિનું લક્ષણ જ્યારે ઘટતું નથી, ત્યારે સુવ
ના પીત રૂપને ભ્રાન્તિ રૂપે કેવી રીતે માની શકાય ? તે મુવ કુતમ્ પીળું એનું ઓગળે છે વિગેરે પ્રતીતિને પામર લેકને પણ ખ્યાલ છે. તે અનુભવ વિરૂદ્ધ તથા યુક્તિવિરૂદ્ધ વાત કેવી રીતે માની શકાય ? આવી તમામ ખાણમાં ઉત્પન્ન થયેલી ધાતુઓને તેજ ન સમજતાં પૃથ્વી રૂપ સમજવી.
આકાશતત્વવિચાર. શષ્ટ ગુણને આધાર હોવાથી રૂપાદિના આધારની માફિક આકાશને પણ દ્રવ્ય તરીકે જે માનવામાં આવેલ છે તેના ઉપર વિચાર કરવામાં આવે છે.
વિશેષ ગુણે પિકી શબ્દ પણ એક વિશેષ ગુણ છે, અને જે વિશેષ ગુણ હોય તેને આધાર દ્રવ્ય પણ હોવું જોઈએ એમ કહીને સામાન્યરૂપે કેઈ એક દ્રવ્યને શબ્દના આધાર રૂપે માને છે અથવા તે નિત્ય એક અમૂર્ત વ્યાપક એવા દ્રવ્યના આધાર તરીકે માને છે? આ બે પ્રકને પૂછવામાં આવે છે. તેમાં જે પ્રથમ પક્ષ માનશે તે અમને પણ ઈષ્ટજ છે, કેમ કે પુદગલ દ્રવ્યને શબ્દના આશ્રય રૂપ સ્વીકારવામાં લગાર માત્ર સંકેચ છેજ નહિ, અને બીજો પક્ષ માનવામાં વ્યભિચાર દેષ જેવી રીતે આવે છે તે સમજાવવામાં
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭ર
તવાગ્યાન,
-~
આવે છે. દષ્ટાન્ત તરીકે જણવેલ રૂપાદિ ગુણે તે અનિત્ય મૂર્વ એવા અનેક ઘટાદિ વ્યકિતમાં વર્તે છે, માટે હેતુ પણ તેવાજ પક્ષમાં રહે છે અથવા એના વિરેાધી બીજા પક્ષમાં રહે છે. આવા પ્રકારના સંશયને અવકાશ મળવાથી આપને હેતુ સંદિગ્ધ વ્યભિચારષવાળે છે એમ કેમ ન કહી શકાય? આથી એ સિદ્ધ થયું કે શબ્દના આધાર રૂપે આકાશ દ્રવ્યને સિદ્ધ કરવાની જે ભાવના રહી તે ભાવના જ્યારે શબ્દને પિદુગલિક દ્રવ્ય રૂપે માનવામાં આવ્યું ત્યારે ક્યાંથી રહે તેને વિચાર આપજ કરશે.
શબ્દમાં દિગલિક દ્રવ્યની સિદ્ધિ.
સ્પર્શ, અલ્પત્વ, મહત્વ, પરિમાણ, સંખ્યા વિગેરે ગુણેને આધાર લેવાથી શબ્દ પણ દ્રવ્ય છે. જે જે સ્પર્શાદિ ગુણેને આશ્રય હેય તે દ્રવ્ય કહેવાય. આંબળાં, બેર, લિંબુ વિગેરેની માફક.
પ્ર-ઘટ વિગેરેની માફક શબ્દમાં પણ સ્પર્શ છે, એ કથન અનુભવવિરૂદ્ધ માલુમ પડે છે, કેમ કે શબ્દમાં જે સ્પર્શ હોય તે તેને અનુભવ થવે જોઈએ; Bતે તે નથી; માટે સ્પર્શ નથી એમ કહેવામાં શી અડચણ છે?
ઉ૦ ઢેલ, કાંસી, તેય વિગેરેના શબ્દને મુદુગરની માફક જ્યારે કાનમાં સ્પર્શદ્વારા અભિપાત થાય છે, ત્યારે તેવા હેટા અવાજના અભિઘાતથી સારા માણસો પણ કાન ફૂટ
Page #298
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
08
વાથી અધિર થઇ જાય છે. લેાકેા પણ આવી રીતે કહે છે કે આ અવાજ અન્ય કરાવેા, અમે તે મહેરા થઇ ગયા, કાન ફૂટી ગયા, બિલકુલ સ ́ભળાતું નથી. આવા પ્રકારના અનુભવ યુદ્ધના મેદાનમાં રહેવાવાળાને તથા મીલે વગેરેમાં રહેવાવાળાઓને સારી રીતે થઇ શકે. આ બધી બીના સ્પર્શવાળા ફ્રેન્ચ સિવાય થઇ શકેજ નહિ. કોઈ પણ મનુષ્ય એમ કહેતા નથી કે આકાશના અભિધાતથી મારા કાન ફૂટી ગયા, કેમકે અભિધાત તે સ્પવાળા દ્રવ્ય સિવાય બીજા કાઈ પણ દ્રવ્યમાં છેજ નહિ, માટે કેવી રીતે કહી શકાય ? તથા આ અવાજ ન્હાનેા છે, આ મ્હોટી છે એ થન પણ રાખ્તમાં પરિમાણુ ગુણને સિદ્ધ કરી આપે છે. તથા અમુકના શબ્દો ઘણા છે, અમુકના થોડા છે આ વ્યવહાર શબ્દમાં સખ્યા ગુણને સિદ્ધ કરી આપે છે. તથા આના ૧ર મીઠી છે, આના કટુ છે આવા ગુણે પશુ શબ્દમાં દ્રવ્યપણુ સિધ્ધ કરી બતાવે છે.
જ્યારે આ તમામ નિમિત્તોથી શબ્દમાં દ્રવ્યપણુ સિદ્ધ થાય છે, ત્યારે શબ્દને ગુણુ માનીને તેના આધારરૂપે આકાશની સિદ્ધિ કરવી એ તા નરી ભ્રાન્તિ નહિ તે ખીજું શું સમજવુ' ?
તથા વત માન કાલમાં નાગાફ વિગેરે સાધને પણ શબ્દમાં દ્રવ્યપણાની સિદ્ધિનાં સમજવાં, જો કદાચ શબ્દને દ્રવ્યરૂપ માનવામાં ન આવે તેા રેકર્ડની અ ંદર ખીજાએ ઉચ્ચારેલા શબ્દોના સગ્રહ કેવી રીતે થઈ શકે ? જેમ ગુણને લઈને
18
Page #299
--------------------------------------------------------------------------
________________
:૨૭૪
વાગ્યાન.
બીજાના અદષ્ટનું અવતરણ બીજામાં થઈ શકતું નથી, તેમ શબદને પણ ગુણ રૂપ માનવામાં આવે તે તેને પણ ઉતારે રેકર્ડમાં ન થવું જોઈએ, અને થાય છે તે ખરે. માટે શબ્દને દ્રવ્ય સમજ.'અને જ્યારે શબ્દ દ્રવ્ય છે, ત્યારે તે દ્વારા આકાશની સિદ્ધિ પણ આકાશપુષ્પસમાન સમજવી. પરંતુ સવારામારા– જે અવગાહામાન પદાર્થોને અવકાશ આપે તે આકાશ કહેવાય. આનું સ્પષ્ટીકરણ જેન-દર્શનમાં કરવામાં આવશે.
' કાલતત્વવિચાર. અમુથી અમુક મોટો છે, અમુક ન્હાને છે વિગેરે કાલિક પરત્વ અને કાલિક અપરત્વને વ્યવહાર કાલ તત્વ સ્વીકાર્યા સિવાય બની શકે નહિ, માટે કાલને દ્રવ્ય માનવામાં આવે છે. જેવી રીતે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે મનુષ્યના કમભાવિ પર્યા છે તેવી રીતે ન્હાના-મેટાપણું પણ પર્યાયરૂપ જ સમજવું, અને પર્યાયે પણ દ્રવ્યથી કથંચિત અભિન્ન છે. તે શા માટે મુખ્ય રૂપથી કાલ તત્વને માનવું જોઈએ? વર્તન, પરિણામ, ક્રિયા વિગેરેને પણ જીવાજીવ તત્વેના પર્યાયે જ સમજવા. કાલ તે કેવલ સૂર્યની ગતિદ્વારા મનુષ્ય ક્ષેત્રમાં ઉપચરિત દ્રવ્ય છે, વાસ્તવિક રૂપે નથી; તેનું સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવશે.
- હિશાતત્વવિચાર. દિશા પણ આકાશપ્રદેશથી જુદી નથી. આકાશપ્રદેશ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૫
નેજ દિશા રૂપે કલ્પવામાં તમામ વ્યવહારની ઉપપત્તિ થઈ શકે છે. અર્થાત્--આકાશપ્રદેશની શ્રેણિમાંજ સૂર્યના ઉદયને લઇને મૂત્ત દ્રવ્યને અવિધ રૂપે માનવાથી પૂર્વ પશ્ચિમના વ્યવહાર જ્યારે દષ્ટિ ગોચર થાય ત્યારે શા માટે દિશાને પૃથક્ દ્રવ્ય તરીકે માનવુ' જોઇએ ?
તત્ત્વાખ્યાન.
પ્ર૦ કોઇ એક મૂત્ત દ્રવ્યને અવધિ રૂપ બનાવીને અસુકથી આ પૂર્ણાંમાં છે, આ પશ્ચિમમાં છે આવા પ્રકારની પ્રતીતિને લઈને દિશાને પણ દ્રવ્ય તરીકે માન્યા સિવાય આ વ્યવહારની ઉપપત્તિ કેવી રીતે કરશે ?
ઉ॰ અમુક દેશની અપેક્ષાએ અમુક દેશ પૂર્વમાં છે, અમુક પશ્ચિમમાં છે આ વ્યવહાર પણ દેશદ્રવ્યની કલ્પના સિવાય બની શકતા ન હોવાથી તેને માટે પણ દશમુ* દેશદ્રવ્ય તમારા મત પ્રમાણે તેા માનવું જોઈએ.
ન
પ્રશ્ન દેશવિષયક વ્યવહારની ઉપપત્તિ તે પૂર્વ વિગેરે દિશાઓના નિમિત્તને લઇને જ્યારે સિદ્ધ થાય છે ત્યારે શા માટે દેશ દ્રવ્ય સ્વીકારવુ જોઇએ ?
ઉ॰ જ્યારે આકાશપ્રદેશને લઇને તમામ ઉપરોકત વ્યવહાર સિદ્ધ થાય છે ત્યારે ક્રિશાને પણ શા માટે દ્રવ્યરૂપ માનવું જોઈએ ? પૂર્વાદ્ધિ તમામ ક્રિશાસબન્ધિ વ્યવહારો આકાશપ્રદેશના અવલ ખનથીજ સમજવા.
આત્મતત્ત્વવિચાર.
ચાર્વીક વિગેરે નાસ્તિક મતાનુ નિરાકરણ કરી અનેક
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૬
તવાખ્યાન,
અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કરવા પ્રયત્ન જે કર્યો તે તે બહુજ સારૂં કયું; પરતુ આત્માથી જ્ઞાન ભિન્ન છે તે પણ સમવાય સંબન્ધથી આત્મામાં રહે છે અને આત્મા વ્યાપક છે એ બાબતે ઉપર વિચાર કરવામાં આવે છે.
પ્ર. જ્ઞાનને જે સર્વથા આત્માથી ભિન્ન માનવામાં આવે તે જેમ બીજાના જ્ઞાનથી આપણને વસ્તુને પરિચય થતું નથી તેમ પોતાના જ્ઞાનથી પણ પોતાને વસ્તુની ઓળઆણ ન થવી જોઈએ.
ઉ૦ સમવાય સંબધથી જે આત્માની અન્દર જે જ્ઞાન રહેલું હોય તે જ આત્મામાં તેજ જ્ઞાન વસ્તુની ઓળખાણ કરાવતું હોવાથી આ દેશને અવકાશ છેજ નહિ, એમ પણ કહેવાનું સાહસ કદાપિ ન કરવું, કેમકે સમવાય તે એક નિત્ય અને વ્યાપક હોવાથી સર્વત્ર વર્તમાન છે અને આત્મા પણ સર્વત્ર આપના મત પ્રમાણે વ્યાપક છે. ત્યારે એકના સાનથી બીજાને પણ વસ્તુની ઓળખાણ કેમ ન થાય? તથા જેમ ઘટમાં રૂપાદિ ગુણ સમવાય સંબન્ધથી રહેલા હેવાથી તેના નાશથી તેના આધારભૂત ઘટને પણ નાશ થાય છે, તેમજ જ્ઞાન પણ આત્માની અન્દર સમવાય સંબન્ધથી રહેલું છે, અને તે પણ ક્ષણિક હોવાથી તે જ્ઞાનના વિનાશ થવાથી આત્માને પણ વિનાશ અને તેની સાથે અનિત્યપણાની આપત્તિ પણ આવવાની. - પ્ર. આત્મામાં જ્ઞાન સમવાય સંબન્ધથી રહે છે, આ
Page #302
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
૨૭૭
વાત વાર માટે સ્વીકારવામાં આવે તે પણ તે સમવાય જ્ઞાન અને આત્માને ક્યા સંબન્ધથી સંબન્ધ કરાવે છે એ પ્રશ્ન તે જરૂર ઉપસ્થિત થવાને.
ઉર્વ બીજા સમવાય સંબધેથી પ્રથમ સમવાય જ્ઞાન અને આત્માને સંબન્ધ કરાવે છે, એમ કહેવામાં આવે તે અનવસ્થા દેષ આવવાને. કદાચ અવસ્થા દોષના ભયથી એમ જણાવવામાં આવે કે પ્રથમને સમવાય સ્વસ્વરૂપથીજ જ્ઞાન અને આત્માને સંબન્ધ મેળવી આપે છે, ત્યારે તે જ્ઞાખ તેિજ આત્માની સાથે સ્વસ્વરૂપથી સંબધ છે એમ કહેવામાં શી અડચણ છે? શા માટે સમવાય નામને પદાર્થ મન જોઈએ?
પ્રદ જેમ દી સ્વભાવથી જ પિતાને ને પરને પ્રકાશ કરે છે તેમ સમવાય પણ તેવા સ્વભાવવાળા હોવાથી પોતાની સાથે જ્ઞાન અને આત્માને સંબન્ધ કરાવશે, માટે સમવાય પદાર્થ પણ માન જોઈએ. ' 'ઉ૦ આત્માને પણ તેવા પ્રકારને સ્વભાવ કેમ ન માનવામાં આવે કે જ્ઞાનની સાથે પિતાની મેળેજ સંબ થાય છે. તે પછી સમવાયની શી જરૂર છે ? તથા દીવાનું દૃષ્ટાંત પણ તમારા પક્ષમાં ઘટી શકશે નહિ. જુઓ દી તેજ દ્રવ્ય છે અને પ્રકાશ તેને ધર્મ છે. ધર્મ-ધમિને આપ સર્વથા ભિન્ન માને છે ત્યારે આપજ બતાવીએ ભેદભાવની અન્દર દીવાને પ્રકાશરૂપ માનવામાં બીજું કયું સાધન આપની પાસે
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૮
તસ્વાખ્યાન.
રહ્યું? અને જ્યારે આપના મત પ્રમાણે દીવામાં પ્રકાશ રૂપતા સિદ્ધ થતી નથી ત્યારે સ્વપરપ્રકાશકસ્વભાવનું દષ્ટાંત આપી સમવાયને સિદ્ધ કરવાને મને રથ આકાશપુષ્પસમાન સમજ. અને જ્યારે સમવાય સિધ્ધ ન થયે ત્યારે આત્માથી ઘટની માફક સર્વથા ભિન્ન જ્ઞાનને આત્મામાં સંબન્ધ કેવી રીતે ઘટી શકશે એને વિચાર આપજ કરશે. - બીજી પણ પ્રસંગોપાત્ત એક વાત યાદ આવે છે. જે દીવાની સાથે પ્રકાશને અત્યન્ત ભેદ માનીને પણ સ્વપરપ્રકાશકપણું માનવામાં આવે તે ઘટ, પટ વિગરે બીજી ચીજે શે ગુન્હો કર્યો કે પ્રકાશની માફક ભિન્ન હોવા છતાં પણ દીવાને સ્વપર પ્રકાશક માન, ઘટ, પટ વિગેરેને ન માનવા? આ તે ન્યાયથી તદ્દન વિરૂદ્ધજ કહેવાય.
વળી સમવાયને જે સ્વપરને સંબન્ધ કરાવવાને સ્વભાવ છે તે સ્વભાવ સમવાયથી ભિન્ન છે કે અભિન્ન છે? ભિન્ન છે એમ જે પથમ પક્ષ માનવામાં આવે તે સમવાયને જ સ્વપર સબધ કરાવવાને સ્વભાવ છે, બીજાને નથી એમ કેવી રીતે કહી શકાય? આ દેશના ડરથી બીજે અભિન્ન પક્ષ માનવામાં આવે તે સમવાય માત્ર બાકી રહે; સ્વભાવ તે હવામાં ઉડી જાય.
આ સમવાયની અન્દર સમવાય છે એવી બુધિ જેમ સમવાય સિવાય પણ ઉત્પન્ન થાય છે તેમ આત્માની અન્દર જ્ઞાન છે એવી બુદ્ધિ પણ સમવાય પદાર્થ સ્વીકાર્યા સિવાય માનવામાં આવે તે શે બાધ છે એને વિચાર કરશે.
Page #304
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
- આત્મા કર્તા જ્ઞાન કરણ અને કર્ણાકરણને જ્યારે સુથાર વાંસલાની માફક ભેદભાવ પ્રસિદ્ધ છે ત્યારે જ્ઞાન અને આત્મા. ને અભેદભાવ કેવી રીતે માની શકાય?
દૃષ્ટાંતની વિષમતાને લઈને આ કથન પણ યુક્તિસિદ્ધ માલુમ પડતું નથી. તે વાત યુક્તિપુર સર સમજાવવામાં: આવે છે.
જ્યારે વાંસલે બાહ્ય કરણ છે અને જ્ઞાન આભ્યન્તર કરણ છે ત્યારે આ બન્નેનું સાધમ્ય કેવી રીતે હોઈ શકે?
વળી એમાં કરણતા અપ્રસિદ્ધ છે એમ પણ ન સમજવું. જુઓ સ્યાદ્વાદમંજરી પૃ. ૪૮ કાશીમાં છપાએલ છે તે.
જળ વિધ સેવં વાહ્યાભ્યૉર કુવૈ |
यथा लुनाति दात्रेण मेरुं गच्छति चेतसा" ॥
બે પ્રકારનાં કરણે વિદ્વાન લેક બતાવે છે. એક બાહ્ય બીજું આભ્યન્તર.જેમ ધાન્ય લણવાની ક્રિયામાં દાતરડું બાહ્યા કરણ છે તેમજ મેરૂગમન કિયામાં મનને આભ્યન્તરકરણ સર્વથા વસ્તુથી ભિન્ન છે એમ બતાવવામાં જ્યારે આવે ત્યારે દષ્ટાન્ત દાન્તિકનું સામ્ય ઘટી શકે. પરંતુ એમ તે. કંઈ છે જ નહિ તે ખાલી કથનમાત્રથી કેવી રીતે માની શકાય?
Page #305
--------------------------------------------------------------------------
________________
તયાખ્યાન.
- વળી બાહ્યકરણમાં રહેલા તમામ ધર્મો આભ્યન્તર કરણમાં માની શકાય તેમ પણ નથી, છતાં જે માનવામાં આવે તે દેશને અવકાશ જરૂર રહે
ટીન ક્રુષા હેવત્તઃ અરતિ–દીવા દ્વારા ચસુથી દેવદત્ત પોતે પદાર્થનું અવેલેકન કરે છે. આ ઠેકાણે દીવાની માફક દેવદત્તની સાથે ચક્ષુને પણ સર્વથા ભેદભાવને પ્રસંગ આવવાને. હવે વાંસલે પણ સુથારથી એકાન્ત ભિન્ન નથી એ વાત સમજાવવામાં આવે છે.
આ લાકડાને આ વાંસલા વડે હું ઘડીશ, આવી રીતે જ્યાં સુધી વાંસલાને ગ્રહણ કરવાના પરિણામથી પરિણત ન થયેલ હોય ત્યાં સુધી તેને ગ્રહણ કર્યા સિવાય લાકડાને ઘડી શકે જ નહિ, પરંતુ જ્યારે તેવા પ્રકારના પરિણામથી પરિણત થાય ત્યારે જ તેવા પ્રકારના પરિણામની અન્દર વાંસલે પણ તે લાકડાને ઘડવામાં વ્યાપારવાળે થાય અને પુરૂષ પણ થાય. આવી રીતે એ કાર્યનું સાધકપણું બંનેમાં હેવાથી તેને લઈને વાંસલાની સાથે સુથારને અભેદ ઘટી શકે, ત્યારે આપજ કહેશે, આવા ઠેકાણે પણ જ્યારે અભેદ ભાવની ઉત્પત્તિ થતી હોય ત્યારે સર્વથા ભેદભાવ કેવી રીતે માની શકાય?
તેવીજ રીતે આ જ્ઞાન વડે હું અર્થને જાણું છું એવા પ્રકારના પરિણામથી પરિણત થઈ જ્યારે જ્ઞાનને ગ્રહણ કરીને અર્થને નિશ્ચય કરીશ, ત્યારે તે સંવિત્તિરૂપ એક કાર્યના સાધક પણાને લઈને જ્ઞાન અને આત્માને અભેદ બરાબર
Page #306
--------------------------------------------------------------------------
________________
તવાખાન..
૨૨.
ઘી શકે અને જ્યારે કર્તા કરણમાં કથચિત અભેદ સિહ. થયે ત્યારે સંવિત્તિરૂમ કાર્ય આત્મામાં રહે છે કે વિષયમાં આ બે પ્રશ્નને અવકાશ જરૂર રહે છે.
સંવિત્તિ રૂપ કાર્ય આત્મામાં છે એ પ્રથમ પાક માનવામાં આવે ત્યારે તે કંઇ પણ વકતવ્ય જેવું છે જ નહિ, કેમકે એ વાત તે અમે પણ કબૂલ કરીએ છીએ. અને જે ઘટપર્યાદિ. વિષયમાં સંવરિરૂપ કાર્ય રહે છે એમ- બીજે પક્ષમાનવામાં આવે તે આત્માને અનુભવ થાય છે એ જગત પ્રસિદ્ધ વાતને નિર્વાહ કેવી રીતે કરશે ?
પ્રજ્ઞાન અને આત્માને અભેદ માનવામાં કકરણચણું કેવી રીતે ઘટાવી શકશે?
ઉ૦ જેમ સર્ષ આત્મા વડે કરીને પોતાના આત્માને વીટે છે; આવા ઠેકાણે જેવી રીતે અભેદ કન્નુકરણ ભાવ દષ્ટ ગોચર થાય છે તેવી જ રીતે આત્મા અને જ્ઞાનમાં પણ ક7કરણ ભાવ સમજો.
પ્ર. સર્પના દષ્ટાન્તમાં જે કન્નુકરણ ભાવ બતાવ્યું તે તે કપેલે લેવાથી વાસ્તવિક રીતે કેવી રીતે માની શકાય?
ઉ૦ સેંકડો કલ્પનાથી પણ પત્થરને થાંભલે પિતાની મેળે પિતાને વાટે છે એમ તો કેઈથી પણ કહી શકાય તેમ છે જ નહિ; એને સપનું દાન્ત એવું નથી કે બીજીના અનુભવથી બહાર હેય. ત્યારે તે દુષ્ટાન્તમાં કન્નુકરણભાવ પરિ
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૨
તન્વાખ્યાન.
કલ્પિત છે એમ આપનાથી કેવી રીતે કહી શકાય? માટે અભેદમાં પણ કર્તકરણભાવ છે એ વાત દઢતા પૂર્વક સમજવી.
વળી ચૈતન્ય શબ્દ પણ આમા અને જ્ઞાનને અભેદ સંબન્ધ સિદ્ધ કરી આપે છે. આત્મા ચેતન છે એ વાત તે આપ પણ માને છે. એ ચેતનને ભાવ કહેતાં જે સ્વરૂપ તેનું નામ ચૈતન્ય કહેવાય, અને જે જેનું સ્વરૂપ હેય તે તેનાથી ભિન્ન છે એમ તે કહી શકાય જ નહિ. જેમ વૃક્ષનું સ્વરૂપ વૃક્ષથી ભિન્ન નથી તેમ ચેતન મહારાજાનું જ્ઞાન સ્વરૂપ તેનાથી જુદું છે એમ કહેવાને કર્યો આસ્તિકશિરોમણિ સાહસ કરી શકે ? અર્થાત્ કઈ પણ નહિ.
ઉપરોકત કથનથી એ સિદ્ધ થયું કે જ્ઞાન આત્માથી સર્વથા જુદું નથી, કેમકે સર્વથા જુદું માનવામાં અનેક દેનું આગમન થાય તેમ છે. માટે જુદું કેઈથી માની, શકાય તેમ નથી.
આત્માની વ્યાપકતાને વિચારતૈયાયિક લેકેની સમાચનાના પ્રસ્તાવમાં કેટલેક કરવામાં આવે છે, તે પણ પ્રસંગે પાત્તથી કંઈક કહેવામાં આવે છે.
દિશા, કાલ, અને આકાશ આ ત્રણ દ્રવ્યથી ભિન્ન હવા છતાં પણ દ્રવ્યપણું હોવાથી ઘટાદિની માફક આત્મા પણ વ્યાપક નથી.
Page #308
--------------------------------------------------------------------------
________________
-------
~
તત્ત્વાખ્યાન.'
૨૪ -------------~-~~~-~~ આત્માને આપ લોકો ઘણુ અને વ્યાપક જ્યારે માને છે, અને+દીવાને પ્રકાશ એક બીજામાં મળી જાય છે તેમજ તે આત્માશ્રિત શુભાશુભ કર્મોને પણ એક બીજામાં પ્રવેશ થવાથી એકના શુભ કર્મથી સુખી બીજે થાય અને બીજાના ખરાબ કર્મથી દુ:ખી બીજો જ થાય અથવા તે પિતાના શુભ કર્મના વિપાકથી સુખીપણું પણ પિતાને અને બીજાના અશુભકર્મના વિપાકથી દુખીપણુ પણ પિતાને આ બંને બાબતે એક કાલમાં થવી જોઈએ.
વળી જેટલું વ્યાપક આત્મા છે તેટલું જ વ્યાપક શરીર છે એમ કહેવા માંગે છો અથવા તે આત્માના એક દેશમાં શરીર છે એમ માનવામાં આવે છે, અથવા તે જેટલું શરીર છે તેટલામાંજ આત્મા છે એમ માનવામાં આવે છે? આ ત્રણ પ્રકને પૂછવામાં આવે છે.
પ્રથમ પક્ષમાં તે આત્મા સ્વર્ગલેક, મૃત્યુલોક, પાતાલક આ ત્રણે લેકમાં વ્યાપીને રહેલો હોવાથી એકજ ભવમાં ચાર ગતિના વિષયને અનુભવ થવે જોઈએ; તથા આ મનુષ્ય છે, તિર્યંચ નથી, આ તિર્યંચ જ છે, મનુધ્ય નથી, આ દેવ છે, નારકી નથી; આ નારકી છે, દેવ નથી; આવે જે જગપ્રસિદ્ધ વ્યવહાર છે તે આત્માને વ્યાપક માનવામાં બિલકુલ ન થવું જોઈએ.
અને બીજો પક્ષ માનવામાં તે આત્માના એકજ ભાગમાં જ્યારે ભગનું સાધન શરીર છે ત્યારે તે તેજ ભાગમાં
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૪ .
તત્તવાખ્યાન,
ભોગની ક્રિયાને લઈને કર્મબન્ધ થવું જોઈએ, અને બીજા ભાગમાં તે કર્મબન્ધનું સાધનભૂત શરીર નહિ હેવાથી મધને અભાવ થવાને, અને જ્યારે બન્ધને અભાવ થયે ત્યારે મુક્તાવસ્થા માનવામાં અડચણ શી રહી તે આપજ સમજાવશે. આથી એ સિદ્ધ થયું કે એક જ ભવમાં સંસારી અવસ્થા અને મુક્તાવસ્થાને સાથે રહેવાથી દરેક છ મુકત પણ છે અને સંસારી પણ છે. આવું માતા વધ્યા સમાન માનવાને સુઅવસર આપને પ્રાપ્ત થવાને. માટે બીજો પક્ષ પણ આપનાથી માની શકાશે નહિ. - ત્રીજો પક્ષ માનવામાં તે શરીરવ્યાપી જ્યારે જીવાત્મા છે ત્યારે જગતવ્યાપકતા એમાં કેવી રીતે આવવાની? આ પણ વાત વિચારણીય છે.
વળી આત્માને વ્યાપક માનવામાં જગત્કર્તાપણું પણ ઈશ્વરની માફક તમામના આત્મામાં અવવાનું. જીવાત્માએ જગત વ્યાપક હોવાથી ઇશ્વરના આત્મામાં પણ વિદ્યમાન છે. અને જ્યારે ઈશ્વરના આત્મામાં જીવાત્માને પ્રવેશ થયે ત્યારે ઈશ્વરની માફક જીવાત્મા પણ જગતને કર્તા છે એમ કેમ ન કહી શકાય ? અથવા તે જીવાત્મા જગતને કર્તા નહિ હોવાથી ઈશ્વર પણ જગતને કર્તા નથી એમ કહેવામાં પણ આપના મત પ્રમાણે જો બાધ છે તે જણાવશે.
પ્ર. આત્મા વ્યાપક છે. આકાશની માફક. સર્વ ઠેકાણે ગુણે ની ઉપલબ્ધ થતી હોવાથી આ અનુમાન અષાની વ્યાપકતા સિદ્ધ કરી આપે છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
ઉ॰ જ્યાં પેાતાનું શરીર હાય ત્યાં ગુણાની ઉપલબ્ધિ રૂપ હેતુ રહે છે એમ માના છે અથવા બીજાના શરીરમાં પણ માને છે ? આ એ પ્રશ્ન કરવામાં આવે છે. પ્રથમ પક્ષ માનશે તેા શરીરને વ્યાપક નહિ હાવાથી તેમાં ઉપલબ્ધ થતા ગુણા દ્વારા આત્માની વ્યાપકતા કેવી રીતે સિદ્ધ થશે એના વિચાર પોતેજ કરશે પેાતાના ગુણેાની ઉપલબ્ધિ ખીજાના શરીરમાં પણ થાય છે એવા બીજો પક્ષ માનવામાં આવે તે જગતના તમામ જીવા સર્વજ્ઞ થવા એઈએ; કાઈ પણ અલ્પજ્ઞ દૃષ્ટિગોચર ન થવા જોઇએ. આવા દાષાથી મુકત થવા માટે આત્માને વ્યાપક ન માનતાં જેમ વલમાં તેલ, હિંમાં ઘી; તેમ શરીરમાત્રવ્યાપી માનવા તેજ સર્વાં ત્તમ વાત છે.
તથા આત્માથી સવ થા ભિન્ન હેાત્રાથી અને અચેતન રૂપ હોવાથી પણ શબ્દાકિની માફક ધર્માંધ તે અણ્ણાના ગુણુ હેવાના વિચાર આપના મત પ્રમાણે આકાશપુરામા ન સમજવા તથા એકાન્ત નિત્ય પણ આસા નથી. એકાન્ત નિત્ય માનવામાં અન્યાદિની વ્યઙ્ગસ્થાના અભાવમાં સસારના પણ અભાવ; અને તેના અભાવમાં મેક્ષ પણ કેને મળી શકે? અને નિત્યાનિત્ય માનવામાં દ્રવ્યાર્થિ ક નયની અપેક્ષાએ નિત્ય તથા પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ અનિત્ય માનવામાં થ પણ વાતની અનુપત્તિ છે જ નહિ. મા વાતનુ સ્પષ્ટીકરણ જૈન દનમાં સારી રીતે થશે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૬
તવાખ્યાન.
મનેદ્રવ્ય વિચાર. વિશેષિક લેકએ માનેલ મને દ્રવ્ય પણ વિચાર કરતાં વિખરી જાય તેમ છે. પરમાણુ રૂપ મન આત્મા અને ઇન્દ્રિની સાથે સંબદ્ધ થયા બાદ પિતાનું કાર્ય કરવા તત્પર થાય છે. આ વાત ઉપર વિચાર કરવામાં આવે છે.
પ્રવ્ર આત્મા અને ઇન્દ્રિયની સાથે મન સર્વથા સંબદ્ધ છે અથવા તે દેશથી સંબદ્ધ છે આ એ પ્રશ્ન પૂછવામાં આવે છે. " ઉ૦ સર્વથા મનને સંબન્ધ આત્મા અને ઇન્દ્રિયની સાથે છે એ પ્રથમ પક્ષ માનવામાં આવે તે જગત વ્યાપક આત્મા અને ઇન્દ્રિયની સાથે એક કાલમાં સર્વથા મનને સંબન્ધ કેવી રીતે ઘટી શકે? આ દેષથી બચવાની ખાતર જે બીજે પક્ષ માનવામાં આવે તે પણ દેષને અવકાશ ને જરૂર રહે છે.
: એક દેશથી મન આત્માની સાથે સંબદ્ધ થાય છે અને બીજા દેશથી ઇન્દ્રિયોની સાથે જોડાય છે. આ કથનથી તે મનમાં જ્યારે દેશાદિ વિભાગ માન્યા, ત્યારે મનમાં જે પરમાસુસ્વરૂપતા માનવામાં આવી છે તે તે હવામાં ઉડી જવાની વળી મન સર્વથા આત્માની સાથે સંબદ્ધ થાય છે એમ માનવામાં આવે તે સંપૂર્ણ આત્માની સાથે જોડાયેલ મનમાં પણ આત્માની માફક વ્યાપકતા સિદ્ધ થવાની, અથવા મનમાં પરમાણ રૂપતા હોવાથી આત્મામાં પણ અણુરૂપતા આવવાની : પ્રહ એક દેશથી આત્મા મનની સાથે જોડાતે હેવાથી પૂત દોષને અવકાશ નથી.'
Page #312
--------------------------------------------------------------------------
________________
તત્વાખ્યાન.
ઉ૦ એવી રીતે માનવામાં તે આત્મા અંશવાળ બની જવાથી આત્માના જે ભાગમાં મનને સંનિકર્ષ થશે તે ભાગ જ્ઞાનાદિગુણવાળો કહેવાશે અને બીજા ભાગમાં મનની સાથે સંનિકર્ષ નહિ હેવાથી જ્ઞાનાદિ ગુણે પણ નહિ પેદા થવાના. અને જ્ઞાનાદિ ગુણના અભાવમાં બીજો ભાગ પત્થર જે જડ બની જશે એ વાત આપને પણ અનિષ્ટ જરૂર માલૂમ પડશે.
- જે ભાગમાં જ્ઞાનાદિ ગુણે નથી તે ભાગમાં આત્માના લક્ષણને નહિ ઘટવાથી વ્યાપકપણું પણ આત્મામાં આપના મત પ્રમાણે રહેશે નહિ. આ પણ દોષ જરૂર આવવાને.
વળી ઈન્દિના સર્વ વિભાગમાં મન સંપૂર્ણતાથી જોડાય છે એમ કહેવામાં આવે તે ઇન્દ્રિમાં આણુરૂપતા - નહિ રહેવાથી મનમાં પણ અણુરૂપતા આવશે નહિ. આ દેષથી બચવાની ખાતર મન એક દેશથી ઈન્દ્રિયની સાથે - સંબધ્ધ થાય છે એમ કહેવામાં આવે તે મનમાં પણ દેશાદિ વિભાગ માનવાથી પરમાણુસ્વરૂપતા પણ રહેશે નહિ. - તથા આપના મતમાં ગુણ અને ગુણીને સર્વથા ભિન્ન માનવામાં આવેલ હોવાથી અને મનમાં પણ સર્વથા નિત્ય પણું હેવાથી તેની અન્દર સંગ, વિભાગ પરિમાણ વિગેરે ગુણને પણ અભાવ થવાને. અને જ્યારે મનની અન્દર સગ-વિભાગાદિ ગુણેને અભાવ થયો ત્યારે આત્માની સાથે અથવા તે ઇન્દ્રિયની સાથે સગાસંનિકઈ પણ કેવી રીતે ઘટી શકશે તથા સંનિકર્ષના અભાવે જ્ઞાન પણ કેને થવાનું
Page #313
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન.
અને જ્ઞાનના અભાવમાં સુકા લાકડા સમાનને આત્મા પણ કેવી રીતે કહી શકાય ?
Le
પ્ર૦ સંચાગ, વિભાગ રૂપે મન પરિણત થાય છે. અને જ્યારે મન તેવી રીતે પરિણામને પામે છે, ત્યારે કઈ વાતની અનુપત્તિ અમારા મતમાં રહેવાની તેને વિચાર કરશે.
ઉ॰ આપે તે બહુજ સારૂ કહી બતાવ્યું, જ્યારે મનના પણ પરિણામ માનવામાં આવ્યે ત્યારે ફૂટસ્થ નિત્યતા મનમાં કેવી રીતે આવી શકશે એ વિચાર કરવાનું કાર્ય આપનેજ સાંપવામાં આવે છે. વળી મનને સર્વથા જડ રૂપ માનવામાં આવેલુ હાવાથી 'ચેન્દ્રિયાના વિષય કાલમાં પણ અમુક ઇન્દ્રિયની સાથેજ સબદ્ધ થવુ' ખીજાની સાથે ન ;, તથા ઇન્દ્રિયાના સબન્ધને છેડીને આત્માની સાથે સખત ચવુ... આવા પ્રકારનુ` કા` આપનું જડ મન ઘટાદિ જડ પદ્મજીની માફક કેવી રીતે કરી શકશે ?
વળી મનમાં સૂક્ષ્મપણ હાવાથી ચક્ષુ વગેરેમાં રૂપા દિના ગ્રહણની ચાગ્યતાજ ઘટી શકશે નહિ. કેમકે પરમાણુસ્વરૂપ મનને સ`પૂર્ણ ચક્ષુની સાથે સંબન્ધ તા છેજ નહિ. જેટલા ।। ભાગ ચક્ષુના મનની સાથે સમધવાળા છે તેટલા ભાગમાંજ રૂપાદિનુ ગ્રહણ થશે. સંપૂર્ણ ચક્ષુથી રૂપને ગ્રહણ કરવાનું કાર્યં નહિ થઇ શકે. માટે પરમાણુસ્વરૂપ મન નથી. એ વાત ખૂબ દઢ થઈ સમજવી. વાસ્તવિક મનનું સ્વરૂપજૈન દર્શનમાં સમજાવવામાં આવશે.
નવદ્રવ્યવિચાર- સમાસ.
Page #314
--------------------------------------------------------------------------
________________
તસ્વાખ્યાન.
ર
-
-
-
----~
ગુણ વિચાર. રૂપાદિ ગુણનું જેવા સ્વરૂપથી વર્ણન કરવામાં આવેલ છે તેવા પ્રકારનું સ્વરૂપ બીજા દર્શને માં જોવામાં આવતું નથી તેજ બતાવવામાં આવે છે.
નીલ પીતાદિ રૂપ જેમ પૃથ્વી, પાણી તેજમાં વર્તમાન છે તેમ વાયુમાં પણ છે. પિગલિકપણું હોવાથી તથા સ્પર્શવત્તા હેવાથી પૃથ્વીની માફક વાયુ પણ નીલ પીતાદિરૂપ વાળે છે.
તથા પિગલિકપણને લીધે રૂપવાળાપણું હોવાથી પૃથ્વીની માફક પાણી પણ ગુણવાળું છે, કેમકે જે રૂપ, રસ, ગન્ધ, સ્પર્શવાળું હોય તે પુદગલદ્રવ્ય કહેવાય અને તેમાં પણ રૂપાદિ ગુણોને આવિર્ભાવ તિભાવ માનવામાં તે અમે પણ લગાર માત્ર વિરોધ દર્શાવતા નથી.
- તથા સંખ્યા પણ સંપેય પદાર્થ સિવાય કઈ પણ ઠેકાણે પૃથક્ષણે જ્યારે ઉપલબ્ધ નથી ત્યારે શા માટે સંખ્યા પદાર્થ માનવે જોઈએ?
વળી, આ એક ગુણું કાળું છે, આ બે ગુણું કાળું છે. એવી પ્રતીતિ ગુણમાં પણ થાય છે, તે આપના મત પ્રમાણે તે ગુણમાં ગુણ નહિ હોવાથી સંખ્યાની પ્રતીતિ કેવી રીતે થશે ? માટે સંખ્યાને દ્રવ્યથી અલગ માનવી ઠીક નથી.
પ્ર. દ્વિત્વ, બહત્વ સંધ્યા ને હયણુક વિગેરેના પરિમા
19.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૦૦
તરવાખ્યાન.
ણમાં અસમવાયિકારણુપણું હેવાથી સંખ્યા પદાર્થ માન્યા સિવાય તેને નિર્વાહ કેવી રીતે થશે?
ઉ. પરિમાણમાં સંખ્યાને અસમાયિકારણ માનવાની કંઈ પણ જરૂર નથી. ઘટાદિની માફક. કારણ પરિમાણ જ કાર્ય પરિમાણનું અસમાયિકારણ હોવાથી તેને માટે સંખ્યાને પદાર્થ રૂપે અલગ માનવાની જરૂર છેજ નહિ.
પ્રપ્રયાણુકના પરિમાણને પરમાણુ પરિમાણથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે તે દ્વયકનું પરિમાણ પણ પરમાશુના પરિમાણ જેવું થઈ જશે. માટે કયણુકનું પરિમાણુ સંખ્યાથી ઉત્પન્ન થએલ છે એમ માનવું જોઈએ.
ઉ૦ દષ્ટાન્ત કઈ પણ નહિ હોવાથી કાર્ય કારણનું સરખું પરિમાણ માનવામાં આવતું નથી. દરેક ઠેકાણે કારણ પરિમાણથી મહેતું કાર્ય પરિમાણ જોવામાં આવે છે. વળી પરિમાણની માફક કર્મમાં પણ આપના અભિપ્રાય પ્રમાણે સંખ્યાને અસમાયિકારણ માનવું પડશે, કેમકે બે યા ઘણું લેકે મળીને એક મહેટા પત્થરને ઉપાડે છે, એ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. પરંતુ ત્યાં આપ સંખ્યાને અસમાયિકારણ છે, જેમ માનતા નથી તેમજ આપના વિચાર પ્રમાણે તે પરિમાણમાં પણ સંખ્યાને અસમાયિકારણ ન માનવું જોઈએ. અને
જ્યારે પરિમાણની અસમાયિકારણતા સંખ્યામાં સિદ્ધ થતી નથી ત્યારે સંખ્યાને સ્વતંત્ર ગુણ પદાર્થ માનવામાં બીજું કયું નિમિત્ત રહ્યું કે જે સંખ્યાને પઢાર્થ રૂપે સિદ્ધ કરી આપે?
Page #316
--------------------------------------------------------------------------
________________
તવાપગ્યા,
પરિમાણુ વિચાર સુખાદિની માફક મહત્વ પરિમાણ વિગેરે પરિમાણ પણ રૂપાદિથી વિલક્ષણ ગુણ પદાર્થરૂપે સિદ્ધ થાય છે આ વાત વિચારણીય છે.
પરિમાણને પૃથક રૂપે ગુણ પદાર્થમાં ગણવું ઠીક નથી. આકાશ, કાલ, દિશા, આત્મા–આ ચારના પરિમાણ સિવાય પણ મહેટી મહેટી હવેલીઓની પંક્તિમાં તથા મહા પર્વ તેની પંક્તિમાં પણ આ મોટા મહેલે છે. આ મહેટા પર્વત છે, આવા ઠેકાણે પણ મહત્વ પરિમાણનું જ્ઞાન જરૂર થાય છે, પરન્તુ આપ તે મહત્ત પરિમાણને ત્યાં માનતા નથી. જેથી રીતે આ ઠેકાણે મહત પરિમાણુ માન્યા સિવાય પણ વ્યવહારની ઉપપત્તિ માનવામાં આવી, તેવી રીતે આકાશાદિમાં પણ માનવામાં શે બાધ છે? કેવલ દ્રવ્યના આપેક્ષિક પર્યાય સિવાય પરિમાણ કઈ જુદો ગુણ પદાર્થ છે જ નહિ.
હ્રસ્વ-દીર્ઘ પણ દ્રવ્યનાં સંસ્થાન વિશેષ રૂપ હોવાથી દ્રવ્યથી જુદું કેવી રીતે માની શકાય?
પિતાના હેતુથી ઉત્પન્ન થયેલ અને એક બીજાથી ભિન્ન એવા ઘટપટાદિ પદાર્થને છેડીને પૃથકત્વ કઈ પણ અલગ પદાર્થ છે જ નહિ.
રૂપદિ ગુણેમાં પણ આ રૂપ આ રૂપથી જુ છે, એવું જ્ઞાન થતું હોવાથી અને રાણમાં ગુણપણ નહિ હોવાથી જેવી
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮ર
તવાખ્યાન
રીતે રૂપાદિ ગુણેમાં પૃથવ ગુણને નહિ માનીને પણ વ્યવહાર ચલાવવામાં આવે છે, તેવી રીતે ઘટાદિ પદાર્થોમાં પણ વ્યવહાર થઈ જશે.
જે પરસ્પર વ્યાવૃત્ત સ્વભાવવાળા છે, તે પિતાથી ભિન્ન પૃથકત્વના આધારરૂપ નથી. જેમ રૂપાદિ તેમજ ઘટ પટ વિગેરેમાં પણ સમજવું. આ અનુમાનથી પણ પૃથકત્વ અલગ ગુણ રૂપે સિદ્ધ થતું નથી.
આંતરા શિવાય બનાવેલ મણીલાલ હીરાલાલના ઘરની માફક પૂર્વની ભિન્નતાને ત્યાગ કરીને અભિન્ન રૂપથી (નિરન્તર રૂપથી) ઉત્પન્ન થયેલ વસ્તુને જ સગ કહેવામાં આવે છે. એથી બીજે કઈ પણ સંગ નામને પદાર્થ છે જ
વળી ગુણે પિતે નિર્ગુણ હોવાથી ઘરની બે સંખ્યાને સંગનું આશ્રયપણું આપ લેકથી પણ માની શકાય તેમ નથી.
આ ઘેટે આ ઘેટાથી ભિન્ન છે, એવી બુદ્ધિ પણ વિભાગ રહિત પદાર્થ માત્રને અવલંબન કરવાવાળી સમજવી. આથી એ સિદ્ધ થયું કે સંગ કેઈ અલગ ગુણ પદાર્થ નથી અને જ્યારે સાગ પદાર્થ સિદ્ધ થતું નથી ત્યારે વિભાગ પણ કેવી રીતે દ્રવ્યના પર્યાયને છેવને પદાર્થ રૂપે સિદ્ધ થાય, તેને વિચાર આપજ કરશે. દ્રવ્યની અવસ્થાવિશેષને છેડીને સાગ વિભાગ કઈ પદાર્થ છેજ નહિ.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૦
જેવી રીતે પરાપરત્વ બુદ્ધિ મૂત્ત પિંડમાં થાય છે, એમ આપનું કહેવુ છે, તેવીજ રીતે જેમાં આપગુણ માનતા નથીતે અનુક્રમે ઉત્પન્ન થયેલા એવા નીલ-પીતાદિ ગુણામાં પણ આ નીલ પર છે, આનીલ અપર છે, એવી બુદ્ધિ જ્યારે થાય છે ત્યારે આપને નિયમ કયાં રહ્યો ? માટે પરાપરત્વ પણ દ્રવ્યના પર્યાય સિવાય ખીજું કંઇ અલગ સમજવાનુ’ છેજ નહિ.
તત્ત્વાખ્યાન
ગુરૂત્વ વિગેરે પણ પુદ્ગલ પર્યાયરૂપજ છે એમ માનવું ઠીક છે, પરન્તુ આદ્યપતન ક્રિયાથી અનુઐય છે, આવા પ્રકારની માન્યતા ઠીક નથી. કેમકે હાથમાં રહેલ પત્થરના કકઢામાં આદ્યપતન ક્રિયા સિવાય પણ ગુરૂત્વના પ્રતિભા ખરાખર થાય છે, તેા શા માટે પતન ક્રિયાથી અનુમેય ગુરૂત્વ ગુણ માનવા જોઇએ ?
પાણીની માફક રૂપી હાવાથી દરેક પૃથ્વી, દરેક તેજ દ્રવત્વ ગુણ યુકત છે. આ અનુમાનથી પૃથ્વી, પાણી, તેજમાં જે દ્રવત્વ માનવામાં આવે છે તે ઠીક નથી, કેમકે અગ્નિકાયમાં દ્વવત્વપણુ તે સ્વપ્નમાં પણ જોવામાં આવતું નથી. એના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે સુવણ વિગેરે તેજમાં દ્રવત્વ ઓગાળવાથી પ્રત્યક્ષ માલુમ પડે છે, માટે તેજમાં માનવુ જોઇએ. તે પણુ કથન યુક્તિ વિરૂદ્ધ છે. સુવર્ણ વિગેરે તે પૃથ્વીજ છે, તેજ છેજ નહિ. તે પછી તેમાં દ્રવ દેખી તેજમાં અનુમાન ખાંધવું તે તે કૈવલ ભ્રાન્તિ સિવાય બીજા શું સમજવું ? આથી એ સિદ્ધ થયું કે દ્રવત્વ પણ "પાલિક
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૪
તસ્વાખ્યાન
~
પર્યાય સમજ. સ્વતંત્ર ગુણરૂપ છેજ નહિ. સ્નેહ પણ પાણી સિવાય કઈમાં છેજ નહિ. આ માન્યતા પણ વિચારણીય છે, કેમકે ઘી, તેલ, લાખ, રાળ વિગેરેમાં પણ લેકે સનેહને જ્યારે અનુભવ કરે છે, ત્યારે એકલા પાણીમાં જ છે એમ કેવી રીતે માની શકાય ?
પ્રઘી, તેલ વિગેરેમાં જળના નિમિત્તથી ઉન્ન થયેલે હવાથી આરેપિત ત્યાં સ્નેહ છે, એમ કહેવામાં શે બાધ છે?
ઉ. એવી ઉલટી પણ કલ્પના થઈ શકતી હોવાથી આરોપની કલ્પના ત્યાં શા માટે કરવી જોઈએ ? પાણીના સંબન્ધથી પણ દાળ, ચેખા વિગેરેમાં સ્નેહની પ્રતીતિ થતી નથી, અને ઘીના સંબન્ધથી સનેહ ગુણની બુદ્ધિ સર્વને દષ્ટિ ગેચર થતી માલુમ પડે છે. માટે એમ કેમ કહી શકાય કે પાણીમાં જ સ્નેહ છે, ઘી વિગેરેમાં નથી?
પ્ર. આટાને પિંડે બાંધવામાં પાણીમાં રહેલી બન્ય હેતુતા, સ્પષ્ટરૂપે માલુમ પડતી હોવાથી નેહગુણ પાણીમાં જ છે એમ કેમ ન કહેવાય !
ઉ૦ તમેએ જેમાં નેહ માન્ય નથી તેવા દૂધ, દહીં, લાખ, રાળ વિગેરે પદાર્થો દ્વારા પણ જ્યારે પિંડે થતું. માલુમ પડે છે, ત્યારે એકલા પાણીમાંજ સ્નેહ માનવે એ તે અનુભવથી બાહિરની વાત છે.
વળી નેહ ગુણની માફક કઠિનતા, મૃદુતા વિગેરેમાં પણ ગુણ વરૂપતા માલુમ પડતી હોવાથી ગુણની સંખ્યાને
Page #320
--------------------------------------------------------------------------
________________
જવાખ્યાન.
પણ નિયમ રહેવાને નહિ, માટે પુદગલ દ્રવ્યના પર્યાય માનવામાં કઈ પણ જાતની અડચણ છેજ નહિ. કેવલ ગુણ પદાર્થ માનવામાં તમામ અડચણે ઉભી થાય છે. ક્રિયાની શીવ્રતા સિવાય વેગ કઈ અલગ ગુણ છેજ નહિ, અને તે વેગ મૂર્ત દ્રવ્ય સિવાય અમૂર્ત આત્મામાં પણ અનુભવ ગોચર થાય છે. જેના અતિ રીવ્ર અછત આ પુરૂષ જલદી જાય છે, બહુ વેગથી જવાવાળે છે, આ પ્રકારની બુદ્ધિ જ્યારે આત્મવિષયક થાય છે, ત્યારે મૂર્તદ્રવ્ય માત્રામાંજ વેગ માને એ કેટલું બધું અગ્ય કહેવાય? અને સંસારી આત્મામાં કિયા તે સ્વાનુભવ સિદ્ધ છે ત્યારે વેગ માનવામાં શે બાધ છે તે આપજ સમજાવશો.
માટે આ ઠેકાણે દ્રવ્યના પર્યાયવિશેષ સિવાય સંસ્કાર ને અવાન્તર ભેદ રૂપ વેગ નામને કઈ પણ ગુણ છે જ નહિ,
પૂર્વના અનુભવથ ગ્રહણ કરેલી અને સ્મૃતિને કારણ ભૂત ભાવના નામને સંસ્કાર તે દરેકને માનનીય છે, પરંતુ સ્થિતિ સ્થાપક સંસ્કાર તે વધ્યા પુત્ર સમાનજ સમજ..
પ્રય સ્થિતિ સ્થાપક સંસ્કાર પિતે શું અસ્થિર સ્વભાવવાળા પદાર્થને સ્થાપન કરે છે, અથવા તે સ્થિર સ્વભાવવાળા પદાર્થને સ્થાપન કરે છે ?
ઉ૦ પ્રથમ પક્ષ માનવામાં આવે તે અરિથર સ્વભાવવાળે પદાર્થ વિજળીની માફક જ્યારે પિતાના સ્વભાવને છેડતેજ નથી, ત્યારે તેનું સ્થાપન કેવી રીતે કરી શકશે ?
Page #321
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન,
કેમકે ક્ષણ વાર પછી તેિજ નષ્ટ થાય છે, તે કેને સ્થાપક તે સંસ્કાર બનશે એને વિચાર આપ એકાંતમાં કરશે.
બીજે પક્ષ જે માનવામાં આવશે તે તે પણ ઠીક નથી, કેમકે સ્થિર સ્વભાવમાં રહેલા પદાર્થો જ્યારે પોતાની મેળે જ સ્થિર છે તે તેમાં સ્થિતિ સ્થાપક સંસ્કારનું બીજું શું કામ રહ્યું કે જેને માટે તેને માનવાની જરૂર પડે? I પિતપોતાની કારણ સામગ્રીથી પદાર્થોની તેવા તેવા પ્રકા
ની જે પરિણતિ તેનું નામ જ સ્થિતિસ્થાપક સંસ્કાર સમજ. એથી બીજે વૈશેષિક લેકેએ પરિકલ્પિત છેજ નહિ.
આત્મા અને મનના સગથી ઉત્પન્ન થયેલ પિતાના કાર્યને વિરોધી ધર્માધમ શબ્દથી પ્રસિદ્ધ એ અદષ્ટ નામને જે ગુણ માનવામાં આવે છે તે ઠીક નથી. પરંતુ કર્તાને સુખ દેવાવાળે પરિણામ સુદર અને મોક્ષને જ હેતુ હોય તે ધર્મ કહેવાય, તથા દુઃખ દેવાવાળે અને પરિણામ જેને કટુ વિપાક હોય તે અધર્મ કહેવાય.
ઉપયુંકત સ્વરૂપથી ભિન્ન સ્વરૂપવાળે અદષ્ટ નામને ગુણ કઈ છેજ નહિ. તેનું વિશેષ સ્વરૂપ જૈનદર્શનમાં સમજાવવામાં આવશે.
કમ પદાર્થ વિચાર એક દેશથી બીજા દેશની પ્રાપ્તિના કારણ રૂપ જે પદા
Page #322
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાખ્યાન
થને પરિસ્પન્દ છે, તેનું નામજ કર્મ સમજવું. વૈશેષિક લોકેએ માનેલ ઉલ્લેષણ, અવક્ષેપણું, આકુંચન, પ્રસારણ, ગમન આ પાંચ કર્મને પણ આમાંજ સમાવેશ સમજ.
પ્ર. ઉલ્લેષણાદિ કર્મમાં વિલક્ષણતા જ્યારે માલુમ પડે છે, ત્યારે એક દેશથી બીજા દેશની પ્રાપ્તિના કારણ રૂપ પદાની ક્રિયાને એક કર્મ સ્વરૂપે કેવી રીતે માની શકાય ?'
ઉ૦ જે કંઈક ભેદ વિશેષને લઈને કર્મનું પ્રતિપાદન કરવામાં આવે તે ભ્રમણ, રેચન વિગેરેને પણ પૃથક રૂપે કર્મ કેમ ન મનાય? આકાશની માફક જે સર્વદા એક સ્વરૂપ વાળે હોય તેમાં ક્રિયા પણ કેવી રીતે સંભવી શકે? વળી એક સ્વરૂપવાળા આત્માદિ પદાર્થમાં ગમન ક્રિયા કરવાપણું જ્યારે માનવામાં આવશે ત્યારે નિશ્ચલપણું (ક્રિયા રહિતપણું) આકાશમાં ઉડી જવાનું અને જે ગમન ક્રિયા કરવાપણું ન માનવામાં આવે તો આકાશની માફક કંઈ પણ જીવન સંબધી ચેષ્ટાઓ દષ્ટિગોચર ન થવી જોઈએ, કેમકે આપના મતમાં આત્મા, મન વિગેરે અપરિણામી માનવામાં આવેલ છે, અને અપરિણામીમાં તે આકાશ પુષ્પની માફક ક્રિયાને બીલકુલ સંભવજ ન હોઈ શકે; તે પછી ગમન વિગેરે કિયાના પાંચ ભેદની વાત જ શી કરવી? માટે આપના મત પ્રમાણે તે કર્મ પદાર્થ કઈ રીતે સિદ્ધ થાય તેમ છેજ નહિ. પરન્ત જે દર્શનકાર આત્મા, મન વિગેરેને પરિણામી માનતા હોય તેમનાજ મતમાં દરેક પ્રકારના કર્મની ઉપપત્તિ થવાની.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૮
તવાખ્યાન,
સમવાય પદાર્થ વિચાર, આ તંતુમાં પટ છે, એવી બુદ્ધિ સિવાય સમવાય પદાર્થ માનવામાં બીજું કંઈ પણ કારણ છેજ નહિ. પરંતુ બુદ્ધિ તે એથી ઉલટી જ લેકેમાં પ્રસિદ્ધ છે. આ પટમાં તંતુ છે, ઘટમાં કપાલ છે, કપાલમાં રૂપ છે. જ્યારે આવા પ્રકારનું જ્ઞાન એક બાલકને પણ થઈ શકે તેવું છે, ત્યારે તંતુમાં પટ છે એવા જ્ઞાન માટે સમવાય પદાર્થની કલ્પના કરવી તે તે બુદ્ધિમત્તા સિવાય બીજું શું કહી શકાય? વળી સમવાયને સંબન્ધ રૂપે માની શકાય તેમ છેજ નહિ, કેમકે જે બે પદાર્થ માં રહે અને સંબન્ધીથી ભિન્ન હોય તેને જ આપ લેક સંબન્ધ કહે છે. આ લક્ષણ જ્યારે સમવાયમાં ઘટતું નથી ત્યારે એને સંબન્ધ રૂપે કેવી રીતે માની શકાય?
વળી આ ઠેકાણે તંતુમાં પટ છે, એવી પ્રતીતિથી સંબન્ધ માત્ર સિદ્ધ કરવા ચાહો છે કે સંબન્ધ વિશેષને સિદ્ધ કરવાની ભાવના છે? આ બે પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રથમ પક્ષ માનવામાં તે અમે પણ સંમત છીએ, કેમકે તંતુ અને પટને તાદામ્ય રૂપ સંબધ માનવામાં લગાર માત્ર સંકેચ છે જ નહિ.
પ્ર. તંતુ પટને તાદામ્ય સંબન્ધ માનવામાં તે તંતુઓ કાં તે રહેવાના, કાં તે પટ રહેવાને. પરંતુ તાદાઓ સ્વરૂપમાં તે બે પદાર્થ કહી શકાય જ નહિ. અને જ્યારે સંબન્ધી એક છે ત્યારે એમાં રહેવાવાળા સંબધને એકમાં રહેવાથી એનું સંબન્ધ નામ કેવી રીતે આપી શકાય?
Page #324
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
ક
ઉ જે એમાં રહેવાવાળા સમન્ય હાય તેના તે
સ'ચેાગની જેમ અભાવ પણ થઇ શકે છે, પરન્તુ તંતુ સ્વભાવ રૂપ તાદાત્મ્ય સંબન્ધના તેા અભાવ કેવી રીતે થઈ શકે તેને વિચાર આપ જ કરશે. તંતુ સ્વભાવ રૂપજ પટ છે, પરન્તુ આ−તાન વિતાની ભૂત તંતુને છેડીને ખીન્ને કોઇ પણ પટ પટ્ટા છેજ નહિ. માટે ઉપયુ કત પ્રતીતિથી સબન્ધ માત્ર સિદ્ધ કરવાના મનેારથ તા આપનાથી તેમાં સિદ્ધ થઇ શકે તેમ છેજ નહિ. બીજો પક્ષ માનવામાં આવે તે સબન્ધ વિશેષથી શું સંચાગ સિદ્ધ કરવા માંગા છે, અથવા તે સમવાયને? આ એ પ્રશ્નના અવકાશ જરૂર રહેછે. તેમાં સયાગ તા આપના થી માની શકાય તેમ છેજ નહિ, અને સમવાય માનવામાં આવે તે આ ઠેકાણે કુંડામાં દહીં છે, એ દૃષ્ટાન્તમાં ઘટી શકે તેમ નથી; અને બીજી કાઈ પણ નિમિત્ત છેજ નહિ કે જે દ્વારા સમવાયની સિદ્ધિ કરવામાં આવે. માટે સમવાય પદાર્થ નથી એમ કહેવામાં શી અડચણુ છે ? અને એમ જો પદાર્થના સઅન્ય રૂપ પર્યાયને પણ સંબન્ધ માનવામાં આવે તા પછી સૉંચાગ સબન્ધ, સ્વરૂપ સબન્ધ, કાલિક સબન્ધ, દેશિક સબન્ધ, વિષયતા સબન્ધ, વિષયિતા સબન્ધ વિગેરેને પણ પદાર્થ રૂપે કેમ ન માની શકાય? અને જ્યારે ઉપર્યુંકત તમામ સબન્ધને પદાથ રૂપે માનવામાં આવે ત્યારે છ પદ્માની ઉદ્ઘોષણા તેા હવામાં ઉડી જવાની. માટે સમવાયને પદાર્થ રૂપે ન માનતાં તેના બદલામાં તાદાત્મ્ય સંબન્ધ માની પદાર્થના પર્યાય રૂપે સ્વીકારવામાં આવે તે કઇ પણ ખાધ જેવુ છેજ નહિ.
-
Page #325
--------------------------------------------------------------------------
________________
તત્વાખ્યાન,
• અભાવને પણ પદાર્થ રૂપ માનવામાં જ્યારે આવે ત્યારે વધ્યા પુત્ર, ખરશંગ, કાચબાનું દૂધ વિગેરેને પદાર્થ માનવામાં અડચણ શાની?
મુકિત વિચાર. આત્માના વિશેષ ગુણને જે નાશ તેનું નામજ મેક્ષ સમજવું. આ વાત ખુબ ધ્યાન પૂર્વક વિચાર કરવા લાયક છે.
આત્માથી સર્વથા ભિન્ન એવા બુદ્ધિ વિગેરે વિશેષ ગુણેના વિનાશને આપ મા કહે છે, અથવા તે અભિન્ન એવા વિશેષ ગુણોના ઉછેદને મેક્ષ કહે છે, અથવા તે કથંચિત ભિન્ન એવા વિશેષ ગુણેના વિનાશને કહે છે? આ ત્રણ પ્રશ્ન પૂછવામાં આવે છે. - પ્રથમ પક્ષમાં તે આત્માથી સર્વથા ભિન્ન હોય અને આત્માના ગુણો પણ કહેવાય એ વાત કેવી રીતે કહી શકાય ? જેમ હિમાચલ અને વિધ્યાચલ આ બે પર્વતે સર્વથા ભિન્ન હેવાથી એમાં ગુણગુણીભાવ માનવામાં આવતું નથી. તેમ જ આત્મા અને જ્ઞાનાદિ ગુણેમાં પણ સર્વથા ભિન્નતા હેવાથી ગુણ ગુણ ભાવ પણ કેવી રીતે માની શકાય? અને જ્યારે આપસમાં ગુણગુણભાવ નથી, ત્યારે ઘટના વિનાશની માફક ગુણોને વિનાશ થાય તે પણ આત્માને મોક્ષ કેવી રીતે કહી શકાય? માટે પ્રથમ પક્ષ અનાદરણીય સમજ.
Page #326
--------------------------------------------------------------------------
________________
dવામાન
બે
4
.
બીજે પક્ષ માનવામાં તે ગુણેના વિનાશમાં આત્માને પણ સર્વથા અભિન્ન હોવાથી વિનાશ થ જોઈએ. અને જ્યારે આત્માને અભાવ થયો ત્યારે મુકિત કેને મળવાની ? એ પ્રશ્ન તે આકાશમાં લટકતું જ રહેવાને.
. ત્રીજો પક્ષ માનવામાં તે આપના સિદ્ધાન્તમાં જ વ્યાઘાત આવવાને, કેમકે આપ લેકે ગુણ ગુણીને કથચિત્ ભિન્નભાવ તે બીલકુલ માનતા નથી, તે કથંચિત ભિન્ન એવા ગુણના અભાવને મેક્ષ કેવી રીતે માની શકશે ? વળી ઈન્દ્રિય દ્વારા પેદા થયેલા બુદ્ધિ વિગેરે ગુણેના વિનાઅને મોક્ષ કહે છે અથવા તે અતીન્દ્રિય ગુણેના વિનાશને કહે છે ?
પ્રથમ પક્ષ અમારે પણ સંમત છે, કેમકે કઈ પણ બુદ્ધિમાન પુરૂષ મેક્ષાવસ્થામાં ઇન્દ્રિયજન્ય ગુણે વિદ્યમાન હોય તેમ તેમ માની શકે જ નહિ. અને બીજો પક્ષ માનવામાં તે જગતમાં કઈ પણ જીવ મુક્તિ માટે પ્રયત્ન કરી શકે નહિ, કેમકે મેક્ષની અભિલાષા વાળા દરેક જી નિરતિશય સુખ, કેવલજ્ઞાન, કેવલ દર્શન વિગેરેની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરી રહ્યા છે; પરતુ પત્થરની શિલાની માફક જ્યાં જ્ઞાન, સુખ વિગેરે કંઈ પણ આત્મીય સ્વભાવિક ગુણ ન હોય એવા જડ પાષાણ તુલ્ય થવાને માટે તે કઈ પણ બુદ્ધિશાલી પ્રયત્ન કરી શકે જ નહિ. એવા મેક્ષ કરતાં સંસારાવસ્થા ઘણીજ સારી છે કે જ્યાં વચમાં કઈ વાર જ્ઞાન સુખાદિને અનુભવ પણ દષ્ટિગોચર થાય છે. માટે આપની મુકિત પણ બુદ્ધિમાનેને ઈચ્છવા યોગ્ય નથી,
Page #327
--------------------------------------------------------------------------
________________
મ
તત્ત્વાખ્યાન.
સુષ્ઠિ સ’હા ક્રમ પણ યુકિત વિકલતાનાજ પરિચય
કરાવે છે.
ઈશ્વરને સહાર કરવાની જે ઈચ્છા તે ઈશ્વરની ઈશ્વરતાને મ્હાંટા ધકકા પહાંચાડે છે. જે ખુદ વીતરાગ સ્વરૂપ વાળા હાય અને જેની પાસે રાગાદિ કંઈ પણું દૂષણ ગણુ નથી, તેને વૈશના બીજે પર્યાય ઇચ્છા હૈાયજ કયાંથી ? અને જ્યાં ઈચ્છા હોય ત્યાં રાગાદિ તમામ દૂષણ ગણા પણ આપણા જેવાની માક વિદ્યમાન હાય, અને જ્યાં રાગાદિ દૂષણ ગણા હોય ત્યાં ઇશ્વરતા કેવી રીતે માની શકાય ? અને જ્યારે ઈશ્વરતા સિદ્ધ થતી નથી ત્યારે સહારની ઇચ્છા વિગેરે પણ સિદ્ધ કયાંથી થાય ? તથા સુષ્ટિકાલમાં આકાશમાં ચાર મહાભૂતાને ઉત્પન્ન કર્યાં બાદ મહેશ્વરના સકલ્પ માત્રથી પાર્થિવ પરમાણું સહિત તૈજસ પરમાણુથી એક મ્હોટા ઈ"ડાના પ્રારભ કરવામાં આવે છે અને તેજ ઇંડામાંથી ચાર મુખવાળા બ્રહ્માને મનાવવામાં આવે છે.
આ પણ ઇશ્વરની અપર પાર લીલા કહેવાય. ઇડામાંથી દેવસ્વરૂપ બ્રહ્માજીને બનાવવા અને તેમને સર્વ કા માં જોડવા, આ બધી પેાપલીલા નહિં તે ખીજું શું કહી શકાય ? એક બાળક પણ સમજી શકે તેમ છે કે ઇંડામાંથી તે પક્ષીએ ઉત્પન્ન થાય, પરન્તુ દેવ સ્વરૂપી બ્રહ્માજી ઉત્પન્ન થયા એ તા અપાર બુદ્ધિના વિષય છે. તથા તે બ્રહ્માજીના મુખથી બ્રાહ્મણ, હાથથી ક્ષત્રિય, ઉરૂથી વૈશ્ય અને પગથી શત્રે ઉત્પન્ન થયા, આ કથન પણ સાયના નાકાથી નવાણુ હાથી નીકળી ગયા
Page #328
--------------------------------------------------------------------------
________________
તવાખ્યાન.
અને સામે હાથી પૂછડેથી અટકચે, એના જેવું યુકિતવિકલ હાવાથી આપ જેવા શ્રદ્ધાળુ પુરૂષોના જ મનામન્દિરમાં નિવાસ કરે તેવુ' છે, અને આ વાત પણ ખાનગી શકતાને સમજાવવા લાયક છે. યુક્તિયુકતવાદી તે આવી અન્ય શ્રદ્ધાને કદાપિ માન આપે તેમ બની શકેજ નહિ.
વળી ઇશ્વર જગતના કર્તા થઇ શકે છે કે નહિ એ વિચાર તૈયાયિક દનની સમાલાચનાના પ્રસ્તાવમાં ચર્ચવામાં આવેલા હાવાથી અત્ર તેનુ વિશેષ વિવેચન કરવામાં આવતું નથી.
વસ્તુગતિ વિચાર કરતાં મહર્ષિ આ આવા પ્રકારની યુક્તિનિકલ વાતા ઉપર કદાપિ ધ્યાન આપે તેવા હાઈ શકેજ નહિ, પરન્તુ કના ઉદય વિચિત્ર પ્રકારના હાવાથી તેમાં કંઇ પણ શંકા લાવવા જેવું છેજ નહિ.
સાંખ્ય, આદ્ધ, નૈયાયિક, વૈશેષિક આ ચાર દર્શનના આચાર તથા તત્ત્વા અને સાથ તેઓની સમાલેાચના કરી આ અન્યના પૂર્વાધ ને સમાપ્ત કરવામાં આવે છે.
સુર ા ન ક ક પૂર્વાધ સમાપ્ત.
Page #329
--------------------------------------------------------------------------
Page #330
--------------------------------------------------------------------------
_