SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ તવાખ્યાન. જ છે એમ સમજવું. જે પોતાના પુગલાદિ દ્રવ્યથી વિનાશન પામે તેને નિત્ય કહેવામાં આવે છે. પરમાણુઓથી ઉત્પન્ન થયેલ કયણુક વિગેરે કાર્યોમાં પુદ્ગલ દ્રવ્યપણું કાયમ રહેવાને લીધે નિત્યના લક્ષણને ઘટવાથી કઈ પણ ઠેકાણે દોષને અવકાશ રહેવાને નહિ. એવી રીતે ઘટાદિ કાર્યોમાં પણ ઘટ રૂપ પરિણામને નાશ થાય છે તે પણ પુદગલ દ્રવ્ય પણું તે જરૂર તે ઠેકાણે જોવામાં આવે છે માટે ઘટાદિ કાર્યોને પણ કથંચિત નિત્ય માનવામાં કોઈ પણ પ્રકારને બાધ છે જ નહિ. જૈનદર્શનમાં તમામ કાર્યો નિત્યાનિત્ય છે, એકાન્તથી નિત્ય પણ કેઈ નથી અને કેઈ અનિત્ય પણ નથી. પ્રસ્તુતમાં પૃથ્વી વિગેરે ચાર દ્રવ્યમાં પણ પરમાણુઓને જેમ નિત્ય માનવામાં આવે છે તેમ અનિત્ય પણ માનવામાં આવે છે. તથા ઘટાદિ કાર્યોને પણ પર્યાયથી અનિત્ય અને દ્રવ્યથી નિત્ય માનવામાં આવે છે. જ્યારે આવા પ્રકારની વ્યવસ્થાથી સર્વ પ્રકારને વ્યવહાર બની શકે છે, ત્યારે વૈશેષિકનું કથન કેવી રીતે માની શકાય એને એકાન્તમાં બેસી ખૂબ વિચાર કરશે. શરીરવિચાર. મનુષ્ય વિગેરેનાં શરીર પાર્થિવ છે. આ કથન કેવા પ્રકારની યુકિતવાળું છે તે વક્ષ્યમાણ કથનથી સહજ સમજાશે. સૂક્ષ્મ શરીર (લિંગ શરીર ) વિના કેવલ શુદ્ધ આત્માથી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy