SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર તવાખ્યાન, કર્યું છે. આવી રીતે જે આગમમાં પૂર્વાપર વિધિ વાક્ય દષ્ટિગોચર થતાં હોય તે આગમને પ્રમાણભૂત માની તેના ઉપર વિશ્વાસ કેમ રાખી શકાય? મનુસ્મૃતિ વિગેરે સ્મૃતિના ગ્રંથમાં પણ પૂર્વાપર વિરૂદ્ધતા જોવામાં આવે છે. ત્યારે તેવા ગ્રંથપર શ્રદ્ધા કેમ રાખી શકાય ? તેવા અપ્રામાણિક આગમથી સર્વજ્ઞતાની સિદ્ધિ કેમ થઈ શકે? ભિચાર કરવાની જરૂર છે કે-સચરાચર જગને રચનાર તે પરમેશ્વરે, સર્વજ્ઞ હેવાથી સર્વ ભાવિભાવના જાણકાર હોવા છતા, જગને ઉપદ્રવ કરનાર, સ્વેચ્છાચારિ અસુરને તથા તવા પ્રકારના પરમેશ્વરને ન માનનાર મનુષ્યને શા માટે ઉત્પન્ન કર્યા? એ પ્રશ્ન વિચારતાં તેમના સર્વજ્ઞપણામાં ન્યૂનતા આવે છે. હવે જગત્કર્તા જગની રચના કરવામાં સ્વતંત્ર છે? કે પરતંત્ર? એ પ્રશ્ન પણ વિચારવા જેવું છે. કદાચ ઉપરના પ્રશ્નમાંથી પ્રથમ પક્ષ અર્થાત્ સ્વતંત્ર છે એમ માન્ય રાખવામાં આવે અને તે “જગત્કર્તા દયાળુ છે.” એ પ્રસિદ્ધ છે, તે પછી શા માટે એકને સુખી, એકને દુઃખી; એકને રેગી, અન્યને નીરોગી, એકને રાજા બીજાને રંક, એકને વિદ્વાન એકને મૂર્ખ એકને સ્વામી બીજાને સેવક, એમ પક્ષપાત કરી જગની વ્યક્તિને ભિન્ન ભિન્ન અવસ્થાવાળી બનાવે છે? સમસ્ત જગતને તે દયાળુ જગત્કત એકાંત સુખી શા વાતે નથી બનાવતા?
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy