SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, ૧૯ષ –અન્ધકાર, છાયા વિગેરેને દ્રવ્ય માનવામાં બીજે તે કઈ પણ દેશ કે નથી, તે પણ એને અલગ દ્રવ્ય માનવામાં અને તેના અવયની કલ્પના કરવામાં ગૌરવ દેષ આવતું હોવાથી અલગ દ્રવ્ય રૂપે સ્વીકારવામાં એ બે પદાર્થો આવતા નથી. કિન્તુ તેજના અભાવરૂપ તે બેદ્ર સમજવા. વળી સૂત્રકારે પોતે પણ નવથી અધિક દ્રવ્ય જ્યારે બતાવ્યા નથી ત્યારે અમારાથી અલગ કેમ માની શકાય? આ વાત મુક્તાવલીની ટીકા દિનકરીમાં સ્પષ્ટરૂપે સમજાવેલ છે. પૃષ્ટ ૬૧ થી લઈ ૬૪ સુધી એનું વિવેચન કરવામાં આવેલ છે. આ સામાન્યરૂપે દ્રવ્યની સમજુતી આપવામાં આવી છે. સામાન્ય રૂપે ગુણેના ભેદે. રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયન આ સત્તર ગુણોને સૂત્રકારે સૂત્રમાં સાક્ષાત્ બતાવેલા છે. ગુરૂત્વ, દ્રવત્વ, નેહ, સંસ્કાર, અદષ્ટ અને શબ્દ આ સાત ગુણેને સૂત્રમાં રહેલા ચકારથી સૂચિત કરેલા છે. એકંદર વીસ ગુણેને માનવામાં આવેલ છે. કર્મના ભેદ. ઉલ્લેષણ, અપક્ષેપણું, આકુચન, પ્રસારણ અને ગમનઆ પાંચ ભેદે છે. બ્રમણ, રેચન, સ્પન્દન, ઊર્ધ્વજવલન, તિર્યક્રપતન, નમન, ઉત્તમન વિગેરે કર્મના ભેદે ગમનરૂપ હોવાથી તેઓને ગમનમાં અન્તર્ભાવ કરવામાં આવે છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy