SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. દેખવાથી સર્પનું ભાન થવું, એવા પ્રકારની ભ્રાંતિરૂપ જ્ઞાનથી રહિત નિવિકલ્પજ્ઞાનને જ પ્રમાણરૂપ સ્વીકારવું જોઈએ. પ્રત્યક્ષ પ્રમાણ ૪ પ્રકારનાં છે. ૧ ઇંદ્રિયપ્રત્યક્ષ, ૨ માનસ પ્રત્યક્ષ, ૩ સ્વસંધપ્રત્યક્ષ, અને ૪ એપ્રિત્યક્ષ. બાહ્ય વસ્તુના આલંબનદ્વારા ચક્ષુ વિગેરે પાંચ ઈદ્રિના આશયથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને ઇદ્રિયપ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઇંદ્રિય પ્રત્યક્ષના ક્ષણમાં ઘટ, પટ વિગેરે પદાર્થો ભાસ્યા પછીના ક્ષણને સાથે મેળવી ઇંદ્રિયજ્ઞાનરૂપ ઉપાદાન કારણદ્વારા જે મનોવિજ્ઞાન ઉત્પન્ન થાય, તેને માનસપ્રત્યક્ષ કહેવામાં આવે છે. બ્રાદ્ધલેકે પિતાના સંતાનવતિ ઉપાદાન કારણરૂપ જ્ઞાનને સમનંતર એવા નામથી ઓળખાવે છે. ચિત્ત વસ્તુમાત્રને ગ્રહણ કરનાર જ્ઞાન, ચિત્ત વસ્તુવિશેષને ગ્રહણ કરાવનાર તથા સુખ, દુઃખ, ઉપેક્ષા સ્વરૂપી ક્ષણિક પદાર્થોના સ્વરૂપના પરિચાયક જ્ઞાનને સ્વસંઘપ્રત્યક્ષ કહેવામાં આવે છે. ભૂતાર્થ (પ્રમાણથી નિર્ણત થયેલા પદાર્થો) ની ભાવના (વારંવાર મનમાં મનન કરવું) ના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિયજ્ઞાનને ગિપ્રત્યક્ષ કહેવામાં આવે છે. પૂર્વમાં જણાવેલ પ્રત્યક્ષ પ્રમાણથી પણ ક્ષણિક પરમાશુઓ જ કેવળ તાત્વિકરીત્યા વિષયભૂત થઈ શકે છે, પરંતુ ઘટ, પટ વિગેરે સ્થૂલ બાહ્ય પદાર્થો છે જ નહિ. કદાચ કિઈ વાદી શંકા કરે કે જ્યારે ઘટ, પટ વિગેરે બાહા પદાર્થો
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy