SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તજ્યાખ્યાન. રણ કામનાઓથી વ્યાપ્ત છે, એવી ચેષ્ટાવાળાઓને જે બંધ થાય, તેને દાક્ષિણબંધ કહેવામાં આવે છે. ૩. જન્માન્તર પણ આ ત્રણ પ્રકારના બંધના પ્રતાપથી જ પ્રાપ્ત થાય છે આ સર્વ કાર્ય પ્રકૃતિનું જ સમજવાનું છે. પ્રમાણુની માન્યતા અર્થની ઉપલબ્ધિમાં જે કારણ હોય, તેને પ્રમાણ તરીકે માનવામાં આવે છે. તેના ત્રણ ભેદે છે. ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન ૩ આગમ. બુદ્ધિતત્ત્વ પિતે જ ઈન્ડિદ્વારા ગમન કરી વિષચાકાર પરિણતિને ધારણ કરે, તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અર્થાત્ બુદ્ધિની શ્રેત્રાદિ ઇંદ્રિયદ્વારા શબ્દાદિ વિષયના અધ્યવસાયરૂપ જે પરિણતિ થાય, તે પ્રત્યક્ષ પ્રમાણ ગણાય છે. સાધનદ્વારા સાધ્યને જેથી નિશ્ચય થાય. તેને અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે. ૧ પૂર્વવત્, ૨ શેષવત્ ૩ સામાન્ય દષ્ટાનુમાન. पूर्ववत्. કાર્ય દ્વારા કારણને જેથી નિશ્ચય થાય, તે પૂર્વવદનુમાન છે, જેમ કે નદીને વેગ, કાષ્ઠાદિનું વહન, ડેળાપાણીવાળું પૂર વિગેરે વરસાદની ઉત્પત્તિનાં કાર્યરૂપ ચિહને જઈ વરસાદરૂપ કારણનું અનુમાન કરવું. બુદ્ધિમાન પ્રેક્ષક વિલક્ષણ પાણીનું પૂર, લાકડાં તૃણ વિગેરેનું વહેવું, ડોળું પાણી ઇત્યાદિ ચિહને જેવાથી સહેજે અનુમાન બાંધે કે અહિં વરસાદ વરસેલે હવે,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy