SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૨૭ વામાં અડચણ પડશે નહિ. અધે જણાવ્યું કે-સારું થયું કે આપ જેવા માર્ગદર્શકને આવા નિર્જન સ્થળમાં મને યેગ થશે. અન્યથા રખડતાં અહિંજ પ્રાણયાત્રા પૂરી થાત. જો કે માર્ગ દેખવાને હું અશક્ત છું. તથાપિ હારામાં ભાર ઉઠાવવાની કુદરતી શક્તિ છે, માટે ખુશીથી આપ હારી પીઠ. ઉપર સ્વાર થઈ જાઓ. જેથી આપણે ઘણું આનંદપૂર્વક ઈચ્છિત સ્થળે પહોંચી શકીએ. વિચારપૂર્વક નિશ્ચય કરી તેમ કર્યું, તેથી તે બંને સુખી થયા. તેમજ અહિં પંગુસમાન જડ સ્વરૂપ પ્રકૃતિનું અવલંબન લેવાથી તેના વિકારરૂપ બુદ્ધિએ જાણેલા શબ્દાદિક વિષયનું પિતાની અંદર પ્રતિબિંબ પડવાથી ચૈતન્યસ્વરૂપ પુરૂષ પિતે ખુશી થાય છે. રાગ-દ્વેષ-મહ ઈત્યાદિ સ્વભાવવાળી પ્રકૃતિને પણ વિવેકજ્ઞાનના અભાવથી પુરૂષ સુંદરસ્વરૂપવતી માનીને સંસારરૂપ કારાગૃહમાં બંધાય છે; પરંતુ વિવેકજ્ઞાન થયા પછી પ્રકૃતિની પ્રવૃત્તિ બંધ થવાથી પુરૂષ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. તેને મેક્ષાવસ્થા કહેવામાં આવે છે. તે મેક્ષ જે બંધના વિચ્છેદ થવાથી થાય છે, તે બંધ ત્રણ પ્રકારના છે. ૧ પ્રાકૃતિક બંધ, રવૈકરિકબંધ અને દાક્ષિણબંધતેમાં પુરૂષની બુદ્ધિએ પ્રકૃતિની ઉપાસના કરવાથી જે બંધ થાય તેને પ્રાકૃતિકબંધ કહેવામાં આવે છે. ૧ જીવાત્માના ભ્રમથી પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિતત્ત્વ, અહંકાર તત્ત્વ, પાંચતન્માત્રા વિગેરેની ઉપાસના કરવાથી જે બંધ થાય, તેને વૈકારિકબંધ કહેવામાં આવે છે. ૨ તથા પુરૂષતત્વના બિલકુલ અજાણ, ઈચ્છાપૂતિ કરનાર, જેનું અંતઃક
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy