SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ તસ્વાખ્યાન, ધ્યાન કરવામાં આવે, તેવા પ્રકારના ફળને પ્રાપ્ત કરે છે એવી તેઓની માન્યતા છે. ઉપર્યુકત નિયાયિક મતના આચારે જેવાજ વૈશેષિક દર્શનમાં પણ પ્રાયઃ સર્વે આચારો મળતા છે. નૈયાયિક દર્શનમાં અને વૈશેષિક દર્શનમાં પદાર્થોની માન્યતામાં ભિન્નતા છે. નૈયાચિક લેકે ૧૬ પદાર્થો માને છે, વૈશેષિક ૭ પદાર્થો કહે છે. નૈયાયિક ના મતમાં ૪ પ્રમાણે માનવામાં આવ્યા છે, વૈશેષિક મતમાં ૨ બે પ્રમાણે માનેલાં છે. છતાં પણ પરસ્પરનાં તત્ત્વને અંતર્ભાવ થઈ શકતું હોવાથી તે બન્ને મતમાં બહુ થેડે ભેદ જણાય છે. તેથી પ્રાયઃ એ બંને મત સમાનજ જણાય છે, તેઓના મતમાં ૧ શિવ, ૨ પાશુપત, ૩ મહાવ્રતધર અને ૪ કાલમુખ્ય. એમ તપસ્વિના મુખ્ય ચાર ભેદ કહેવામાં આવે છે. ભરટ, લૈંગિક, તાપસ વિગેરે ગણ ભેદે છે. તેઓના મતની દીક્ષા આપવામાં ખાસ વર્ણાદિ વિભાગ દર્શાવવામાં આવ્યો નથી. જેઓને શિવમાં પરમભક્તિ હોય તે તિઓને ભરટ એવા નામથી ઓળખવામાં આવે છે. તેઓના શાસ્ત્રોમાં નૈયાયિકેનેજ શિવમાં નિરંતર ભક્તિ હોવાથી “શવ” કહેવામાં આવે છે. અને વૈશેષિકને પાશુપત નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, એથી જ તૈયાયિક મત શિવ મત કહેવાય છે. અને વૈશેષિક દર્શન પાશુપત દર્શનના નામથી કહી શકાય. અહિં સંક્ષેપથી તેમના આચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ તેઓના આચાર ગ્રંથ તપાસવા. છઠ્ઠો પ્રસ્તાવ સમાપ્ત.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy