SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. નિદ્રા ૪ અને સ્મૃતિ ૫, એમ પાંચ પ્રકારની માનવામાં આવી છે. પ્રમાણ તથા વિપ યનુ* સ્વરૂપ ઉપર કહેવાઇ ગયુ છે. એટલે તે એને છેડી બાકીના ત્રણ ભેદો જોઇએ. विकल्प. વસ્તુસત્તાની અપેક્ષા ન કરનાર અને કેવળ શાબ્દિક જ્ઞાનના વિષચભૂત પદાર્થોને વિકલ્પ કહેવામાં આવે છે, જેમકેપુરૂષનુ ચૈતન્ય સ્વરૂપ છે, તથા બુદ્ધિતત્ત્વનુ જ્ઞાનાદિ સ્વરૂપ છે. આ સ્થળે છઠ્ઠા વિભક્તિના પ્રયોગથી જો કે ભિન્નતા જણાવવામાં આવી છે; છતાં વસ્તુસ્થિતિને વિચાર કરતાં પુરૂષ અને ચૈતન્યની તથા બુદ્ધિ અને જ્ઞાનની ભિન્નતા બિલકુલ નથી. તથાપિ, જે અધ્યવસાયથી ભેદ આરેાપવામાં આવે છે તેને વિકલ્પ કહેવામાં આવે છે. ૩ નિશ. ઇંદ્રિયોના વિષયથી રહિત અવસ્થાને નિદ્રા શબ્દથી આળખવામાં આવે છે. આ સ્થળે કાઇના મનમાં શા ઉપજે કે, ‘ જ્યારે એ અવસ્થામાં કોઇ પણ વિષયની પ્રવૃત્તિ નથી; ત્યારે એને વૃત્તિરૂપે માનવાની શી જરૂર ? આનું સમાધાન એજ છે કે— એ અવસ્થાના ઉત્તરકાળમાં આપણને એમ સ્મૃતિ થાય છે કે—‘હું... સુખપૂર્વક સૂતા હતા, અને આજે ઘણી સારી નિદ્રા આવી હતી ? એથી એને વૃત્તિ માનવામાં કાંઇ દોષ નથી.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy