SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૩૭ વ્યપદેશ પણ ન કરી શકાય. જ્યારે તે પરિણામાન્તરને પામે, ત્યારે તેમાં સક્રિયત્ન આવવાથી, જેમ પુષ્પાદિકના સગે સ્ફટિકમાં પ્રતિબિંબદય માલૂમ પડે છે, તેમજ તેવા પ્રકારને ચિતશકિતમાં પરિણમાન્તર માનવાથી પ્રતિબિંબદય ઘટી શકે. પરંતુ તેમ માનવાથી ચિતશતિમાં કર્તુત્વ અને સાક્ષાત ભકતૃત્વ અનિચ્છાએ પણ અવશ્ય સ્વીકારવાની ફરજ પડે છે. કદાચ તેઓ સાંખ્યમતવાદી એમ કહેવાનું સાહસ કરે કે “અમો ચિશકિતમાં પ્રતિબિંબને ઉદય વાસ્તવિક રીતે માનતા નથી પરંતુ ઉપચારથી માનીએ છીએ.” તે તે યુકિતયુકત નથી. કારણ કે-વાસ્તવિક તત્ત્વચિન્તા ચાલતી હોય ત્યારે ઉપચાર બાનું કાઢી બચાવ કરે તે ઉચિત લેખી શકાય નહિ. અને એમ માનવામાં પણ સુખ–દુઃખાદિક સંવેદનના આધારને જ અભાવ થવાને પ્રસંગ આવશે. કારણ કે-બુદ્ધિતત્વને તમે ઘટની જેમ જડ માને છે. ચિશકિતમાં વિષયની પરિછેદકતા આપ સ્વીકારતા નથી. તે પછી સુખ–દુઃખાદિક સંવેદનને આધાર કેશુ? નિરૂપાયે “ચિશકિત તેિજ વિષયનો નિશ્ચય કરાવવામાં સમર્થ છે, બુદ્ધિ ચિકિતરૂપ છે, જડ નથી. એમ સ્વીકારવું જોઈએ. . જડસ્વરૂપ બુદ્ધિતત્વથી વિષયના નિશ્ચયની સિદ્ધિને મને રથ આકાશપુષ્પસમાન ગણાય. “જે કે બુદ્ધિ પોતે અચેતન છે, છતાં ચિતશકિતસાન્નિધ્યથી ચિતન્યયુક્ત છે, એ પ્રતિભાસ થાય છે. આ કથન યુકિતન્ય હોવાથી પ્રતિભાશાલિ પુરૂષથી ગ્રાહ્યા થઈ શકે તેમ નથી. ચિતન્યશકિતમાન
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy