SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ તવાખ્યાન. અમૂર્ત પુરૂષનું જડસ્વરૂપ અમૂર્ણ બુદ્ધિમાં પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? એ સંબંધમાં બહુવિચારવાની આવશ્યકતા છે. “અચૈતન્યસ્વરૂપ બુદ્ધિતત્વમાં ચૈતન્ય જે પ્રતિભાસ થાય છે એવા કથનથી એમ સૂચિત થયું કે-બુદ્ધિમાં આરેપિત ચૈતન્ય છે. પરંતુ વાસ્તવિક નથી. આપ એ વાસ્તવિક અર્થ ક્રિયા કરવામાં સમર્થ ન હોય એ સુવિદિત જ છે. જેમ કે અતિશરતા આદિ ગુણવડે કઈ પણ પુરૂષમાં સિંહપણને આરેપ કરવામાં આવે તે પણ તેનાથી વાસ્તવિક સિંહની જેમ ભીતિ અને જીવભક્ષણ વિગેરેની ક્રિયાઓ થતી નથી, તેમજ બુદ્ધિતત્ત્વમાં પણ આરેપિત ચૈિતન્યથી વાસ્તવિક પ્રતિભાસ ઘટી શકે નહિ. તેથી ચિતશકિતમાં વિષયપરિચ્છેદકતા માનવી ઉચિત છે. જડસ્વરૂપ બુદ્ધિતત્વમાં જે વિષયપરિચ્છેદકતા નથી તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યા વિગેરે ધર્મો પણ કેવી રીતે ઘટી શકે, તે વિચારવાનું છે. મધ્યસ્થ દષ્ટિએ વિચારતાં જણાય છે કે-ધર્મ વિગેરે આઠ ગુણે આત્મામાં રહેલા છે, પરંતુ સાંખ્યાભિમત જડસ્વરૂપ બુદ્ધિતત્વમાં નહિ. “બુદ્ધિતત્ત્વથી અહંકારતત્વ ઉત્પન્ન થાય છે.” એ માન્યતા પણ યુક્ત નથી, કારણકે અહંકાર એ જીવાત્માને કથંચિત ધર્મ હોવાથી અચેતન બુદ્ધિતત્વથી તેની ઉત્પત્તિ માનવી એ અઘટિતઘટનારૂપ છે. શબ્દાદિતન્માત્રાથી આકાશ ઉત્પન્ન થાય છે એ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy