SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૮૫ પાષાણ જેવા જડ રૂપ જ બની જવાનું હોય, તેના કરતાં તે ટાકા સંસારને જ વધારે પસંદ કરે કે જ્યાં દુઃખ સાથે પણુ વચ્ચે વચ્ચે સુખના આસ્વાદ અને જ્ઞાનના અનુભવ મળે છે. અલ્પમતિ પણ બિલકુલ સુખ ન હોય તેવા સ્થાનમાં જવા કરતાં અલ્પસુખવાળા સ્થાનમાં રહેવાનુ ચાહે, એ સ્વાભાવિક છે. નૈયાયિકા ઉપરના કથનનું આવી રીતેસમાધાન કરે કે– “ સંસારમાં દુઃખ વિનાનું ફ્કત એકલું સુખ તેા મળી શકતું નથી જ, દુઃખ અવશ્ય ત્યાગ કરવા લાયક છે. દુ:ખમિશ્રિત સુખમાંથી પૃથક્કરણ કરી એકલા દુઃખના જ ત્યાગ થઈ શકે તેમ નથી. આવી આવશ્યકતા હોવાથી દુઃખ સાથે સુખના પણ ત્યાગ કરવા પડે છે. સવથા દુઃખના ઉચ્છેદ કરવા જતાં સ્વ સુખની આહુતી આપવી પડે; એ પણ શ્રેષ્ઠ જ ગણી શકાય, એવા કાણુ મંદમતિ હોય કે–જે સ્વલ્પ સુખ ખાતર અગણિત દુઃખ સહન કરે ? એથી સર્વથા સુખ-દુઃખ વિનાના મેક્ષ ઇચ્છવા ચૈાગ્ય છે જ. ” મધુથી ખરડાયેલ તરવારની જેવુ' સાંસારિક સુખ દુઃખ રૂપ હાવાથી ત્યાગ કરવા લાયક છે, તેથી મુમુક્ષુએ ત્યાગ કરે પણ છે; પરંતુ તેઓ ભવિષ્યમાં મળનાર આત્યંતિક સુખને લક્ષ્યમાં રાખીને જ ત્યાગ કરે છે. વિષયનિવૃત્તિથી ઉપન્ન થનાર, વસવેદ્ય, અનુભવસિદ્ધ એવુ' સુખ જો મેક્ષમાં ન હાય તા એ મેાક્ષને લેાકેા ચાહતાં વિચાર કરે. વિષમિશ્રિત મધુ સદ્દેશ સુખને ત્યાગ કરવાની આકાંક્ષા પણ વારતવિક
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy