SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તવાખ્યાન. પ્રભાવ સમજે જોઈએ. જેથી મનુષ્ય દ્વેષ, દ્રોહ, માત્સર્ય,નિંદા, બન્ધન અને તાપ વગેરેને અનુભવ કરે છે, તે રજોગુણનો પ્રતાપ કહી શકાય. તેમજ જેનાથી જીવે અજ્ઞાન, અભિમાન, આલસ્ય, દીનતા, ક્રિયાને અભાવ, નાસ્તિકપણું, ખેદ, અને ઉન્માદ વગેરે દુર્ગુણેને સેવે છે, તે તમે ગુણનું જ પરિણામ છે. ઉપર બતાવેલ ત્રણગુણેથી સમસ્ત જગત્ વ્યાપ્ત છે, છતાં બ્રાહમ, પ્રાજાપત્ય, સામ્ય, ઐન્દ્ર,ગાંધર્વ, રાક્ષસ, પિશાચ અને યક્ષ-આ આઠ પ્રકારની દેવસુષ્ટિરૂપ ઊર્વકમાં સત્ત્વગુણની પ્રધાનતા કહેવામાં આવે છે. તથા અલક-પશુ, પક્ષી, મૃગ, સરીસૃપ, સ્થાવર, નરક વગેરેની સૃષ્ટિમાં તમે ગુણની મુખ્યતા મનાય છે. અને મનુષ્યની રજોગુણની વિશેષતા માનવામાં આવેલી છે. પૂર્વોક્ત સત્ત્વાદિ ત્રણે ગુણની સમાન અવસ્થાને સાંખ્યમતાનુયાયિ લોકો પ્રકૃતિતત્ત્વના નામથી ઓળખે છે. જો કે દેવ વગેરેની કઈ એક સુષ્ટિમાં સત્ત્વાદિ ગુણમાંથી એકાદ ગુણની અધિકતા માલૂમ પડે છે; તો પણ પરસ્પર પ્રમાણની અપેક્ષાથી ત્રણે ગુણની સામ્યાવસ્થાને જ પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રકૃતિ, પ્રધાન, અવ્યક્ત વગેરે પર્યાયવાચી શબ્દો છે. આ પ્રકૃતિતત્વને તેઓ નિત્ય માને છે. નિત્યનું લક્ષણ તેઓના મતમાં આ પ્રમાણે છે – ૯ પ્રત્યુતાનુપનશિવમાર્ઘ નિત્યમ્ ” અર્થાત્ જેને કદાપિ નાશ કે ઉત્પત્તિ થતી નથી અને જે નિરંતર સ્થિર રૂપે જ રહે છે, તે નિત્ય કહેવાય. પ્રકૃતિની પણ આદિમધ્યાવસ્થા નથી, પ્રકૃતિના અવયે નથી, તે સર્વસાધારણ તથા શબ્દાદિ પાંચ તન્માત્રાથી બિલકુલ ભિન્ન અને અવ્યય
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy