SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૧૮ હેવાથી નિત્ય મનાય છે. દરેક આત્મા ઉપર આ પ્રકૃતિ નામના તત્ત્વને ભિન્ન ભિન્ન માને છે. તેથી જગતમાં જેટલા છે તેટલાં પ્રકૃતિત કહી શકાય. આધુનિક સાંખ્યમતાનુયાયિ લેકે સમસ્ત જી ઉપર એક જ પ્રકૃતિતત્ત્વ છે. એમ જણાવે છે. મહત્વનું નિરૂપણું. પ્રકૃતિનું પ્રથમ પરિણામ મહત્તત્ત્વ છે અને તે બુદ્ધિતત્વના નામથી પણ ઓળખાય છે. આપણું સમીપમાં રહેલી ગાયને જોઈ એમ કહેવામાં આવે કે–આ ગાય છે. પણ ઘેડે નથી” અથવા લાકડું દેખી “આ લાકડું છે, માણસ નથી આવી રીતે નિશ્ચય કરાવનાર અધ્યવસાયને બુદ્ધિતત્ત્વ અથવા મહત્તત્ત્વ નામ આપેલું છે. બુદ્ધિતત્વમાં ધર્મ, જ્ઞાન, વિરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય અને અનૈશ્વર્ય-એ આઠ ગુણો માનવામાં આવે છે. આ આઠ ગુણમાંથી પ્રથમના ચાર સાત્વિક ગુણ અને અધર્મ વગેરે ચાર તામસ ગુણે છે. અહંકાર. બુદ્ધિતત્ત્વથી અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકાર, અભિમાન, દર્પ, ગર્વ, અભિનિવેશ, આગ્રહ, મદ, માન વિગેરે અહંકારના સમાનાર્થક શબ્દ છે. હું સાંભળું છું, હું સ્પર્શ કરૂં છું, હું સુગધને ગ્રહણ કરૂં છું, હું આસ્વાદ લઉં છું, હું જોઉં છું, હું પિતે જ આને મારવાને છું, હું અલ્પજ્ઞ છું, હું સર્વજ્ઞ છું, આને હું જલદી મારી નાંખીશ, હું સિભાગ્ય
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy