SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ તવાખ્યાન. માન ન હોવાથી તે ઈશ્વરનું શરીર જોવામાં આવતું નથી કે ભાગ્યની ન્યૂનતાથી ? એને શે નિર્ણય? તે અનાદિ ઈશ્વર અશરીરી છે. એવી માન્યતાવાળે પણ જાહેર કરવામાં આવે તે દષ્ટાંત દાબ્દન્તિકની વિષમતા થાય છે. કેમકે ઘટ, પટ વિગેરે જે વસ્તુઓ કાર્યરૂપે જોવામાં આવે છે, તે સર્વ શરીરારિ વ્યકિતએ બનાવેલી જેવાય છે, ત્યારે પૃથ્વી વિગેરે કાર્યો અશરીરી ઈશ્વર વ્યકિતથી બને છે. એમ કહેવામાં દષ્ટાંત અને રાષ્ટબ્લિકની સમતા ક્યાં છે? કુ થતુ સુનાએ ન્યાયથી થોડા વખત માટે એ માની લઈએ તે પણ આકાશની જેવા અશરીરી તે ઈશ્વરમાં જગતની રચના કરવાનું સામર્થ્ય કયાંથી હોઈ શકે એ પણ વિચારણય છે. “શરીર ન હોવા છતાં પણ કાર્ય કરે છે.” ફકત એમ કહેવાથી ચાલી શકશે નહિ. એમ જ જે કાર્યસિદ્ધિ થતી હોય તો કઈ એમ પણ જણાવે કે આ સર્વ કાર્યો આકાશ બનાવે છે. પરંતુ એવી યુક્તિ વિનાની માન્યતાઓ માન્ય થઈ શકે નહિ. આ ઉપરથી શરીરધારી કે અશરીરી ઈશ્વર જગત બનાવે છે. એ એક પણ પક્ષ સિદ્ધ થતું નથી. વિશેષમાં જગત્કર્તાને શરીરધારી માનવામાં અનવરથા દેાષ પણ આવે છે. કેમકે શરીરધારી સાવયવ હોય અને તેને પણ કત માનવે જોઈએ. એ કર્તાને પણ કર્તા એમ અનવસ્થા. (નિરવયવને કર્તા હોઈ શકે નહિ.)
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy