SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૪૩ તૃણ, વનસ્પતિ, વીજળી, ઉલ્કાપાત, ઈદ્રધનુષ્ય, વાદળાં વિગેરે વસ્તુઓ ઈશ્વર વ્યક્તિ વિના વર્તમાન કાળમાં પણ ઉત્પન્ન થતી જોઈએ છીએ. તેથી પ્રત્યક્ષ બાધિત ધમિની પછી હેતુને પ્રયોગ કરવાથી ઈશ્વરને જગત્કર્તા માનવામાં બાધદેષ આવે છે. જગન્ત ઈશ્વરને ઘણા માનવામાં વિમતિની સંભાવના રહેતી હોવાથી તેઓ એગ્ય કાર્ય કરી શકે નહિ; તેથી જગત્કતેં ઈશ્વર એક મનાય છે. એવી કલ્પના વાળી માન્યતા વિચાર કરતાં યુકિતયુક્ત સમજાતી નથી. કેમકે ઘણી કીડીઓ એકઠી મળીને રાફડે તૈયાર કરે છે, ઘણા કારીગરે મળીને એક મહેલ તૈયાર કરે છે, તેમ જ ઘણી મધમાખીઓ મળીને એક મધપૂડો બનાવે છે. એવી રીતે બીજાં પણ કેટલાંક કાર્યો એવાં જેવામાં આવે છે કે-જેના બનાવનાર અનેક હોવા છતાં તેઓ એકમત થઈ કાર્ય કરે છે. જ્યારે આવાં અલ્પજ્ઞ પ્રાણિઓમાં પણ એકમત જોવામાં આવે છે ત્યારે સર્વજ્ઞ ઈશ્વરે ઘણું હોય તે તેમાં વિમતિ થવાનો સંભવ રહે છે. એ વિચાર ચોગ્ય ભાસતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે-“ઉપર ગણવેલ કાર્યોને કતાં પણ ઈશ્વરજ છે.”તે તેવું કથન વિચારક વિચક્ષણ મનુચ્ચેના અંતઃકરણ ઉપર અસર કરી શકશે નહિ, પરંતુ તે અંધશ્રદ્ધારૂપ જ ગણાશે. અને એમ જૂદા જૂદા કાર્યોના જૂદા જૂદા પ્રત્યક્ષ જણાતા કર્તાઓને અનાદર કરી એક ઈશ્વરને જ સર્વ વરતુઓના બનાવનાર સમજવામાં આવે છે, તે પછી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy