SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ * ૯૦ તવાખ્યાન. પરમાણુરૂપ પદાર્થ માની શકાય નહિ ” એ કથન ઠીક નથી. કેમકે પરંપરાથી ઘટાદિ કાર્ય દ્વારા તે જોઈ શકાય છે. પરમાશુઓ અત્યંત સૂક્ષમ હોવાથી ચર્મચક્ષુથી જોઈ શકાય નહિ, પરંતુ અતીંદ્રિયજ્ઞાની સાક્ષાત્ જોઈ શકે છે. એવી રીતે પ્રત્યક્ષપ્રમાણથી પરમાણુઓની વિદ્યમાનતા દર્શાવવામાં આવી તેમ અનુમાનથી પણ તેની સત્તા સ્વીકારવી જોઈએ. જે પરમાણુઓ જગતમાં ન હોય તે ઘટ-પટ વિગેરે અવયવીની ઉત્પત્તિ થઈ શકતી નથી; માટે પરમાણુઓ છે. એમ સ્વીકારવું જોઈએ. અવયવિ ફકત પરમાણુથી જ બને છે ” એ કાંઈ એકાંત નથી. સ્થલ સૂત્રથી સ્થલ પટની ઉત્પત્તિ આપણે દષ્ટિગેચર કરીએ છીએ. જ્યાં પરમાણુથી સ્થૂલ અવયવીની ઉત્પત્તિ માનવામાં આવે છે, ત્યાં પણ પરંપરા, દેશ, કાળ વિગેરે સામગ્રી સહિત કિયાના બળથી થાય છે, એમ સમજવું આવશ્યક છે, પરંતુ એમ તે કદાપિ ન જ કહી શકાય કે “જે ન દેખાય તે ન માનવું.” તેમ કહેવાથી તે પ્રત્યક્ષ નહિ જોએલા પ્રપિતામહાદિને પણ માની શકાશે નહિ. કથંચિત્ વિરૂદ્ધ અનેક અવયવની કથંચિત્ તાદામ્યવૃત્તિને અવયવી સ્વીકારવામાં અને તેટલા અવયવ રૂપ અવયવીને કથંચિત્ અનેકરૂપ માનવાથી પૂર્વ માં અવયવીના ખંડનમાં જ્ઞાનાતવાદિઓ તરફથી આપેલી યુકિતઓ વ્યર્થ સમજવી. “અવયવમાં અવયવી સંપૂર્ણતાથી રહે છે કે અંશથી?” એ જ્ઞાનાતિવાદિઓના પ્રશ્નને પ્રત્યુત્તરમાં એ બન્નેમાંથી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy