SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 55 તસ્વાખ્યાન. મહાભૂતનું સ્વરૂપ. ઉપર બતાવેલ તન્માત્રાઓથી પાંચ મહાભૂતને આવિર્ભાવ થાય છે. ૧ રૂપતન્માત્રાથી અગ્નિતત્વ, ૨ રસતન્માત્રાથી જલતત્વ, ૩ ગંધતભાત્રાથી પૃથ્વીતત્ત્વ, ૪ સ્પર્શતન્માત્રાથી વાયુતત્વ અને ૫ શબ્દતન્માત્રાથી આકાશતત્ત્વ-એવી રીતે પાંચ મહાભૂતની ઉત્પત્તિ માનવામાં આવે છે. પ્રકૃતિ-વિકૃતિ-ગુણેને સમાવેશ. પ્રકૃતિતત્ત્વમાં કેવળ પ્રકૃતિપણું છે. તેમાં વિકૃતિપણું નથી. કારણ કે તે દરેકનું મૂળકારણ છે. બુદ્ધિતત્ત્વ વિગેરે સાત તમાં પ્રકૃતિપણું અને વિકૃતિપણું-એમ ઉભય ધર્મો રહેલા છે.૧૧ ઇદ્રિ અને પ મહાભૂત. એ ૧૬તમાં કેવળ વિકૃતિ પાણું છે. પુરૂષતત્વમાં આમાંથી કઈ પણ ધર્મ નથી. બુદ્ધિતત્વ પ્રકૃતિતત્ત્વથી ઉત્પન્ન થએલ હોવાથી પ્રકૃતિની અપેક્ષાએ તેમાં વિકૃતિપણું છે; વળી અહંકારતત્ત્વનું પણ કારણ હોવાથી તેમાં પ્રકૃતિપણું પણ ગણી શકાય. અહંકારતત્વ બુદ્ધિતત્વથી પ્રકટ થએલ હોવાથી વિકૃતિપણું અને પાંચ તન્માત્રાનું કારણ હેવાથી એમાં પ્રકૃતિપણું પણ મનાય છે. પાંચ તન્માત્રા અહંકારથી ઉત્પન્ન થએલ હેવાથી તેમાં વિકૃતિપણું અને પાંચ મહાભૂતનું કારણ હોવાથી તેમાં પ્રકૃતિપણું પણ મનાય છે. એવી રીતે ઉપર જણાવેલ સાત તમાં ઉભયપણું છે. તથા ૧૧ ઇંદ્રિય અને પાંચ મહાભૂત-એ ૧૬ તત્ત્વમાં કેવળ વિકૃતિપણું જ છે. કારણ કે તે તત્વે કોઈના પણ કારણ રૂપે નથી. અમલ મા રહ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy