SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૧૩૩ પ્રકારની જાણવી. ૨૧ નિત્યસમા ૨૨ અનિત્યસમા ૨૩ અને કાર્ય સમા ૨૪ એ જાતિ પણ જાણી લેવી. ખંડનના પ્રકારે અનંત હોવાથી જે કે જાતિ પણ અનંત થઈ શકે, પરંતુ મુખ્યતયા ૨૪ વીસ પ્રકારની ગણાય છે. નિગ્રહસ્થાન. જે પ્રતિજ્ઞા હાનિ વિગેરેના આશયથી પ્રતિપક્ષિવાદિના વચનને નિગ્રહ કરવામાં આવે-વાદિને બોલતે બંધ કરી દેવામાં આવે, તે નિગ્રહસ્થાન કહેવાય છે. પ્રતિપત્તિનિગ્રહસ્થાન અને અપ્રતિપત્તિનિગ્રહસ્થાન એવા તેના બે ભેદે છે. સાધનાભાસમાં સાધનબુદ્ધિ અને દૂષણભાસમાં દૂષણબુદ્ધિ આપવી, એ પ્રતિપત્તિનિગ્રહસ્થાન કહેવાય છે. સાધનમાં દૂષણ ન બતાવવું અને દૂષણને ઉદ્ધાર પણ ન કરે તે અપ્રતિપત્તિનિગ્રહસ્થાન ગણાય છે. પરવાદિને પરાસ્ત કરવાના બે પ્રકાર છે. કર્તવ્યને પ્રાપ્ત ન કરવું અને અકર્તવ્યને પ્રાપ્ત કરવું. આવી જ રીતે અવાન્તર ભેદને લઈને વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિના ભેદથી નિગ્રહસ્થાનના ૨૨ બાવીશ ભેદ છે. તે આ પ્રમાણે–પ્રતિજ્ઞાહાનિ ૧, પ્રતિજ્ઞાન્તર ૨, પ્રતિજ્ઞા વિરોધ ૩, પ્રતિજ્ઞા સંન્યાસ ૪, હેવંતર પ, અર્થાન્તર ૬, નિરર્થક છે, અવિજ્ઞાતાર્થક ૮, અપાર્થક ૯, અપ્રાપ્તકાલ ૧૦, ન્યૂન ૧૧, અધિક ૧૨, પુનરૂક્ત ૧૩, અનનુભાષણ ૧૪, અજ્ઞાન ૧૫, અપ્રતિભા ૧૬, વિક્ષેપ ૧૭, મતાનુજ્ઞા ૧૮, પર્યનુયાપેક્ષણ ૧૯ નિરગુજ્યાનુગ ૨૦, અપસિદ્ધાંત ૨૧ અને હેતાભાસ ૨૨.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy