SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ તત્ત્વાખ્યાન. ત્વના સાધને લીધે શબ્દને નિત્ય પણ માનવા જોઇએ. કેમકે નિત્ય આકાશની સાથે અમૂત્વ રૂપ સાધમ્ય શબ્દમાં પણ વિદ્યમાન છે. ૧૭ જેમાં વિશેષતા લાવી ખડન કરવામાં આવે, તે અવિ શેષસમા જાતિ કહેવાય છે. જેમકે-ઘટના અને શબ્દના જો કાર્ય ત્વરૂપ એક જ ધમ માનશેા, તે સમાન ધર્મના સબથથી જેમ એ બન્નેમાં સમાનતા છે, તેમ સર્વ પદાર્થમાં પણ જરૂર સમાનતા સ્વીકારવી પડશે. ૧૮ ઉપપત્તિવડે જેમાં બડન થાય તે ઉપપત્તિસમા જાતિ કહેવાય છે. જેમકે–તમે શબ્દમાં કાય ની ઉપપત્તિથી અનિત્યતા માના છે, તેમ અમૃતત્વની ઉપપત્તિથી તેમાં નિત્યતા કેમ ન માનવી ? ૧૯ જેમાં ઉપલબ્ધિથી ખ`ડન થાય તે ઉપલબ્ધિસમા અતિ જાણવી. જેમકે શબ્દ અનિત્ય છે, પ્રયત્ન વિના ઉત્પન્ન થતા ન હાવાથી. ' આવું પ્રતિપાદન કરનારને જાતિવાદી એમ કહે કે—અહિ' હેતુ જ અસિદ્ધ છે કેમકે સાધન અથવા હેતુ તે જ કહી શકાય કે જેના વિના સાધ્યની ઉપલબ્ધિ થઈ શકે નહિ, પર’તુ આ સ્થળે ‘ પ્રયત્ન વિના શબ્દના ઉત્પન્ન થઈ શકે ’ એજ અસત્ય ઠરે છે. કારણ કે-વાયુના વેગ વિગેરેથી તૂટતાં વૃક્ષાથી પણ ક્વચિત્ શબ્દની ઉત્પત્તિ થાય છે એ પ્રસિદ્ધ જ છે. ૨૦ એ પ્રમાણે જ અનુપલબ્ધિસમા જાતિ ઉપરથી જુદા
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy