SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૨૨૭ આરોગ્યતા વિગેરેમાં નિમિત્ત છે. જલના પરમાણુમાં નિત્ય છે. પૃથ્વીમાં અનિત્ય સમજ. ગન્ધના બે ભેદ છે.-સુગન્ધિ, દુર્ગન્ધિ. નાશિકાથી એનું પ્રત્યક્ષ થાય છે. પૃથ્વી સિવાય બીજે ઠેકાણે માનવામાં આવેલ નથી અને અનિત્ય છે. શીત, ઉષ્ણ, અનુગ્ગાશીત સ્પર્શના ત્રણ ભેદે છે. વગ ઇન્દ્રિયથી એનું પ્રત્યક્ષ થાય છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ આ ચાર દ્રવ્યમાં છે. કઠિન, શિથિલ વિગેરે તે સંગવિશેષ સમજવા. સ્પર્શવિશેષ રૂપે માનવા નહિ. જલ, તેજ, વાયુ આ ત્રણના પરમાણુને છેડીને બાકી સર્વત્ર અનિત્ય છે. પાથી થયેલ રૂપાદિની સમજણ. કાચા ઘડાની અંદર અગ્નિને સગ થવાથી ઘડાને આરમ્ભ કરવાવાળા પરમાણુઓની અંદર કિયા ઉત્પન્ન થાય છે. પછી તે ક્રિયા દ્વારા ઘડાને વિભાગ થાય છે, ત્યાર બાદ સંયેગને નાશ. જ્યારે તે સંપૂર્ણ નષ્ટ થઈને સ્વતંત્ર પરમાણુ રહે છે ત્યારે પરમાણુમાં અગ્નિ સંગની ઉષ્ણતાને લઈને શ્યામરૂપ વિગેરેને નાશ થાય છે, અને એથી વિલક્ષણ અગ્નિના સંયેગની ઉણતાને લઈને તેમાં લાલરૂપ વિગેરે ઉત્પન્ન થાય છે. તે પછી ભેગી લોકેના અદષ્ટની અપેક્ષાથી ઉત્પન્ન થયેલા પાકજ પરમાણુમાં કિયા ઉત્પન્ન થયા બાદ પરસ્પર સંગ થવાથી કયણુક વિગેરેના ક્રમથી ઘટાદિ કાર્ય
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy